Home Blog Page 60

સુરત સિટી બસમાં બે સગીર ખુલ્લેઆમ નશો કરતા જોવા મળ્યા, કેમેરામાં કેદ થયેલી ઘટના વાયરલ

0
ક્રાંતિ સમય

સુરત સિટી બસમાં બે સગીર દ્વારા નશો કરતા હોવાનો આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. કોઈ જાગૃત વ્યક્તિ દ્વારા બે સગીર નશો કરતા હોવાનું જણાય આવતા મોબાઇલમાં કેચ કરી લીધા હતા. જોકે, તેઓ નશો કરે છે એવું ખૂબ ઓછા લોકોને સમજાય છે. આ પ્રકારે નશો કરતા લોકો રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં તેમજ અન્ય ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. બંને યુવકોના હાથમાં રૂમાલ જેવું દેખાઈ રહ્યું છે. ફેવી બોન્ડ નામનો પદાર્થ તેમજ અન્ય મેડિકલ સ્ટોરમાં વપરાતી દવાઓ સીરપ સ્વરૂપે કે અન્ય સ્વરૂપમાં મળતી હોય છે. જે ખુબ જ સસ્તામાં મળી રહે છે. ઘણી વખત આ યુવકો પંચર બનાવવા માટે જે ગમ સ્વરૂપે ટ્યુબનો ઉપયોગ કરે છે તે ટ્યુબને કાપડ ઉપર લગાડી દે છે. તે ખૂબ જ સસ્તી હોવાને કારણે નશા કરવા માટે આવા યુવકો ઉપયોગ કરતા હોય છે. રૂમાલમાં લગાડ્યા બાદ તેને સતત સૂંઘતા રહે છે અને તેનો નશો તેમને થતો હોય છે.નશા કરતા આ યુવકોનો વીડિયો જોઈને સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે.

પાંડેસરામાં લિવઈનમાં રહેતી યુવતીનો ફાંસો ખાઈ આપઘાત, આત્મહત્યાનું કારણ અકબંધ

0
ક્રાંતિ સમય

પાંડેસરા જગન્નાથ નગર ખાતે રહેતી અનિતા મુન્ના શાહુ(18)ના મુન્ના શાહુ સાથે લગ્ન નક્કી થઈ ગયા હતા પરંતુ આર્થિક સ્થિતી નબળી હોવાથી લગ્ન બાદમાં કરવાનું નક્કી કરી બન્ને લિવઈનમાં છેલ્લા થોડા સમયથી રહેતા હતા. સોમવારે રાત્રે અનિતાએ પોતાની રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા પાંડસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે અનિતાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી ન શકતા હાલ આપઘાતના કારણ અંગે રહસ્ય ઘેરાયું છે. બનાવ સંદર્ભે પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત પોલીસ કમિશનરે કહ્યું- સુરત પોલીસે 16 કરોડથી વધુનું ડ્રગ્સ પકડ્યું, જો આ ડ્રગ્સ ન પકડાયું હોય તો યુવાધન બરબાદ થાત

0
ક્રાંતિ સમય

સુરત, શ્રી હનુમાન ચાલીસ યુવા કથાના છઠ્ઠા દિવસે સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલા ગજેરા મેદાનમાં 50 હજારથી વધુ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આ સાથે સુરતના પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા અને તેમણે હનુમાન દાદાની આરતી કરી હતી. સુરત પોલીસ કમિશનર અજય તોમરે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 16 કરોડથી વધુનું ડ્રગ્સ સુરત પોલીસે પકડ્યું છે. આ ડ્રગ્સ ન પકડાયું હોય તો યુવાધન બરબાદ થાત.હનુમાન કથાના છઠ્ઠા દિવસે કથા પહેલાં યુવતીઓ અને મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સનો સેમીનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યમાં યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. મહત્ત્વનું છે કે, આ પછી સુરતના એસીપી વાય. એ. ગોહિલે સ્ટેજ પર સાયબર ક્રાઈમનો ફોર્ડ અંગેની જાગૃતિનો સંદેશો આપ્યો હતો.

હનુમાન ચરિત્ર કથાનું રસપાન કરાવતાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ યુવાઓમાં વધતાં ડ્રગ્સ અને વિદેશી કલ્ચરના અનુકરણ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ફેશનનો પ્રભાવ નથી પડતો હંમેશા માત્ર ચરિત્રનો પ્રભાવ પડે છે. આ સાથે હરિપ્રકાશ સ્વામીએ રાષ્ટ્રહિતની વાત કરતાં એવું પણ કહ્યું હતું કે, ”જેને ભારત માતા કી જય અને વંદે માતરમ્ બોલવામાં તકલીફ હોય તેને ભારતમાં રહેવાનો શું અધિકાર? તમામ હિન્દુઓને વિનંતી કે, ભવિષ્યની પેઢીને સુરક્ષિત રાખવા બે કે ત્રણ દીકરાને દીકરી હોવા જ જોઈએ.

હનુમાન કથાના છઠ્ઠા દિવસે કથા પહેલાં સેલ્ફ ડિફેન્સનો સેમીનાર યોજાયો હતો. આ પછી સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સમુહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરત પોલીસ કમિશનરે સ્ટેજ પર કષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી કરી હતી. કથાની શરૂઆત પહેલાં સુરત પોલીસ કમિશનરે સ્ટેજ પર સંબોધન આપતાં કહ્યું કે, 16 કરોડથી વધુનું ડ્રગ્સ સુરત પોલીસે પકડ્યું છે. આ ડ્રગ્સ ના પકડાયું હોય તો યુવાધન બરબાદ થાત. સપ્ટેમ્બર 2020થી ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કર્યું છે. 

બિહારમાં ગંગા નદી પર નિર્માણાધીન પુલ ધરાશાયી થયા બાદ દ્વારકાના સિગ્નેચર બ્રિજ પર સવાલો ઉભા થયા

0
ક્રાંતિ સમય

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બની રહેલા સિગ્નેચર બ્રિજને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ પ્રશ્નો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે દ્વારકામાં સિગ્નેચર બ્રિજ એ જ કન્સ્ટ્રક્શન કંપની એસપી સિંગલા દ્વારા બનાવવામાં આવી રહી છે જે બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર પુલ બનાવી રહી હતી. ગંગા નદી પર નિર્માણાધીન પુલ બે દિવસ પહેલા જ તૂટી ગયો છે. બિહારમાં બનેલી ઘટના બાદ ગુજરાતના ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ બનાવનાર કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ થશે કે નહીં? આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર કંપની સાથેનો કરાર રદ કરવાના પક્ષમાં નથી. તેનું કારણ એ છે કે આ એસપી સિંગલાની કંપની દ્વારા દેશમાં 70 જેટલા બ્રિજ બનાવવામાં આવ્યા છે.

ગુજરાતના સિગ્નેચર બ્રિજ અંગે સરકારને વિશ્વાસ છે કે તેમાં કોઈ કમી નથી. બ્રિજના નિર્માણ પર અધિકારીઓ અને મંત્રીઓ સતત નજર રાખી રહ્યા છે. એટલા માટે તેના બાંધકામ પર પ્રતિબંધ મૂકવાની કોઈ તૈયારી નથી. જો કે હવે બાંધકામની કાર્યવાહી પર સતત દેખરેખ વધારવામાં આવશે. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બનેલ સિગ્નેચર બ્રિજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેના માટે અત્યારથી જ તપાસ કરવામાં આવી રહી છે. બ્રિજ તૈયાર થયા બાદ ત્રણ અલગ-અલગ ટ્રાયલ કરવામાં આવશે, ત્યારબાદ આ બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી સંભાવના છે.

અમરોલીની નિ:સહાય મહિલાને ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત આશ્રય અપાવતી અભયમ હેલ્પલાઈન ટીમ

0
ક્રાંતિ સમય

સુરત, સુરત 181 અભયમ હેલ્પલાઈન ટીમે અમરોલીની નિ:સહાય મહિલાને ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો. મહિલા નિર્વસ્ત્ર કહી શકાય તેવી હાલતમાં મળી આવી હતી. મહિલાની હાથ-પગની ચામડી પણ ખરી ગઈ હતો. અભયમથી મળતી વિગતો અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાંથી એક જાગૃત્ત વ્યકિતએ મદદરૂપ થવાની ભાવનાથી ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી જણાવ્યું કે, એક અજાણી મહિલા લગભગ નિર્વસ્ત્ર કહી શકાય તેવી હાલતમાં હોવાથી મદદ કરવા અનુરોધ કર્યો હતો. જેથી કતારગામ પોલિસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચીને મહિલાને કપડાં પહેરાવ્યા હતા. આ મહિલાની ઓળખ થાય ત્યાં સુધી ઓલ્ડ એજ હોમનો સંપર્ક કરી આશ્રય અપાવ્યો હતો.

તપાસ દરમિયાન અભયમને જાણવા મળ્યું કે, આ મહિલા મહારાષ્ટ્રના નંદુરબારના વતની છે. તેમનો પુત્ર કોરોનામાં ગુજરી ગયો હોવાથી તેઓ એકલા પડી ગયા હતા અને કોઈ આશરો ન હોવાથી સુરત આવી નાનું મોટું કામ કરીને ગુજરાન ચલાવતા હતા. થોડા સમય બાદ કામ મળવાનું બંધ થતા ફૂટપાથ પર રહેવા લાગ્યા હતા. ભૂખ-તરસ અને હતાશાના કારણે તેમની હાથ-પગની ચામડી પણ ખરી ગઈ હતી. આવી દયનીય હાલતમાં તેમને યોગ્ય આહાર અને આશ્રયની જરૂર હોવાથી ઓલ્ડ એજ હોમમાં રાખવામાં આવ્યા છે. જ્યાં તેમની વ્યવસ્થિત દેખભાળ અને સારવાર થઈ રહી છે.

બિહારનો ભાગલપુર બ્રિજ બનાવનાર કંપની પાસે ગુજરાતમાં હજારો કરોડના બે બ્રિજ અને સુરત મેટ્રો સ્ટેશન્સનો કોન્ટ્રેક્ટસ

0
ક્રાંતિ સમય

ગુજરાતના બે મહત્ત્વના પુલનું નિર્માણ કરનારી કન્સ્ટ્રક્શન કંપની અને બિહારના ધરાશાયી પુલની કન્સ્ટ્રક્શન કંપની એક જ છે. હરિયાણાની એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ જ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ અને ડભોઇ-સિનોર-માલસર-એસ રોડ, નર્મદા નદી પુલ પણ બનાવી રહી છે. હાલ બંને પુલનું કન્સ્ટ્રક્શન કામ પૂરું થવાના આરે છે અને નજીકના દિવસોમાં જ એનું ઉદઘાટન કરવામાં આવશે. ભાજપની સરકારે ગુજરાતમાં જે કન્સ્ટ્રકશન કંપનીએ બિહારનો પુલ બનાવ્યો છે એ જ કંપનીને રૂપિયા 1 હજાર કરોડના કન્સ્ટ્રક્શનનાં કામો હાલમાં આપેલાં છે.

ભાગલપુરમાં રવિવારને 4 જૂને જે નિર્માણાધીન પુલ ધરાશાયી થયો એનું ગુજરાત સાથે કનેકશન છે. આ પુલ તૂટવાનાં દૃશ્યો કેમેરામાં કેદ થવા પામ્યાં હતાં. પુલના એક પછી એક ભાગ તૂટી રહ્યા છે, એ દૃશ્ય ખૂબ જ હચમચાવી દેનારાં અને આશ્ચર્યજનક છે. બિહારના ખગરિયામાં 1,717 કરોડ રૂપિયાના ખર્ચે અગુવાની સુલતાનગંજ ગંગા પુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. આ પુલના તૂટવાથી એક હજાર કરોડના ખર્ચે બની રહેલા ગુજરાતના બે મહત્ત્વના બ્રિજની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

બિહારમાં પુલ તૂટવાના પગલે ગુજરાતના પુલોની ગુણવત્તા પર પણ સવાલો ઊઠી રહ્યા છે. એવી પણ માગ ઊઠી રહી છે કે બંને બ્રિજનું ઉદઘાટન પહેલાં થર્ડપાર્ટી એક્સપર્ટ ટીમ પાસે આ બ્રિજોની ચકાસણી કરાવવી જોઈએ. અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાત બ્રિજ તૂટવાની ઘટનાઓથી ગુજરી ચૂક્યું છે. મોરબીમાં કેબલે બ્રિજ તૂટવાની ઘટનાએ 100 જેટલા લોકોનો ભોગ લીધો હતો. જ્યારે અમદાવાદમાં મામતપુરા બ્રિજનો સ્લેબ તૂટ્યો હતો અને હાટકેશ્વર બ્રિજ બન્યાના બે જ વર્ષમાં દયનીય હાલતના કારણે બંધ કરવો પડ્યો હતો. બિહાર સરકાર દ્વારા આ કંપનીને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

કતારગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, એકની ધરપકડ કરી ચારને વોન્ટેડ જાહેર કર્યા

0
ક્રાંતિ સમય

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા હાથી મંદિર નજીક શિવાજી વેજીટેબલ માર્કેટ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને બાદમે મળી હતી કે મોટા પ્રમાણમાં અહીં દારૂનો જથ્થો આવી રહ્યો છે.જે આધારે ગાંધીનગર ની ટીમ સુરત આવીને કતારગામ વિસ્તારમાં રેડ કરી હતી. આ દરમિયાન પોલીસે એક આઇસર ટ્રક ભરીને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે આઇસાર ટેમ્પો માંથી 19656 નંગ દારૂની બોટલ સાથે 22 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે 22 લાખનો દારૂ, 2મોબાઈલ અને એક આઇસર ટેમ્પો મળી કુલ 30.10 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. SMC ની ટીમે રેડ કરી કતારગામ માંથી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી.પોલીસે ઘટના સ્થળેથી ભાવેશ રાજુભાઈ પાટીલ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે.તેમજ આ ઘટનામાં દારૂ મંગાવનાર ભરત પટ્ટી,ગોવાથી દારૂ મોકલનાર અને ડ્રાઇવર સહીત ૪ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એકવાર આવશે સુરત, 11 જૂને સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપશે

0
ક્રાંતિ સમય

સુરત શહેરમાં ફરી એક વખત ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનથી તેમના ચાહકોમાં આનંદની લાગણી ફરી વળી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી જેમને ગુરુ માને છે તેવા જગતગુરુ રામભદ્રાચાર્ય પણ સુરતમાં 11 તારીખે એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવશે. જોકે જગતગુરુ એક દિવસ પહેલાં જ 10 જૂને સુરત આવવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મળતી જાણકારી અનુસાર, સુરત શહેરમાં ફરી એકવાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનથી તેમના ભક્તોમાં ખુશીનો માહોલ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 10 જૂનના રોજ રાત્રે સુરત આવશે અને 11 જૂનના રોજ તેઓ એક લગ્નમાં હાજરી આપશે. જોકે, તે એક દિવસ અગાઉ એટલે કે 10 જૂને જગતગુરુ પણ સુરત આવવાના છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રામભદ્રાચાર્ય ખૂબ જાણીતા કથાકાર છે.  સુરત એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાશે. જેમાં સુરત શહેર, દક્ષિણ ગુજરાતના હજારો લોકો હાજર રહેશે. ત્યારબાદ તેઓ સુરતના ઉધના વિસ્તારના તેરાપદ ભવન ખાતે પણ સંવાદ કરશે. જ્યાં રામચરિત માનસ સહિતની વાતો ભાવિક ભક્તો સાથે કરશે.

સુરતમાં આમ આદમી પાર્ટીના મહિલા હોદ્દેદારો અને કાર્યકરોએ વડાપ્રધાનને પત્ર સાથે કાળો રૂમાલ મોલવામાં આવ્યો

0
ક્રાંતિ સમય

આમ આદમી પાર્ટી મહિલા હોદ્દેદાર અને કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો હતો.જેમાં પહેલવાન દીકરીઓનું શોષણ કરનાર બ્રિજભૂષણ સિહની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. દીકરીઓ સાથે જાન્યાય થઈ રહ્યો છે તે ખરેખર ભારતીય જનતા પાર્ટી માટે ફિટકાર વરસાવા જેવી બાબત છે. કુસ્તીબાજ મહિલાઓ ઘણા દિવસોથી ભાજપ સાંસદ બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. તેની માંગણીઓને ધ્યાનમાં લેવાને બદલે તંત્ર દ્વારા દમન કરવામાં આવી રહીયુ છે, આવા વર્તન કરી ભારતમાતાની બેટીઓની લાગણી દુભાવવાનું કાર્ય ભાજપ કરી રહી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીની મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યો છે.

પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ નીતા પટેલે જણાવ્યું કે ન્યાય માટે સંઘર્ષ કરતી દીકરીઓ આજ દેશ માટે મેળવેલા મેડલ ગંગામાં પધરાવવા માટે મજબુર થઇ છે. દેશને ગૌરવ અપાવનારી દીકરીઓના મેડલ ગંગામાં વિસર્જિત થશે તો માં-ગંગા પણ દ્રવી ઉઠશે, હું હિન્દુસ્તાનની દીકરી ન્યાય કરવા માટે આવેદન મોકલું છું અને સાથે સાથે મહિલા પહેલવાન સાથેના દમન ના દ્રશ્યો જોઇને અમે ખુબજ દુઃખી છીએ. આમ આદમી પાર્ટી પણ દુખી છે.ભાજપ ઉપર ફિટકાર છે, એટલા માટે આ દુઃશાસન જેવા કાર્યો માટે કાળા કલરના રૂમાલની ભેટ પણ પત્ર સાથે મોકલી રહ્યા છીએ. તેમજ મહિલા પહેલવાનની માંગણી જલ્દી પૂર્ણ કરવા માંગ કરીએ છીએ.

આરટીઇ હેઠળ પ્રવેશ માટે સરકારે એડમીટ કાર્ડ આપ્યા છતાં સુરતની શાળાઓમાં પ્રવેશ ન આપતા વિવાદ

0
ક્રાંતિ સમય

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ મળી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સરકારના આ કાયદાને જાણે શાળાઓ ગણકારતી ન હોય તેવી સ્થિતિ સુરતમાં ઊભી થઈ છે.કતારગામ વિસ્તારમાં બાળ આશ્રમ પાસે આવેલી વી.આર.ગોધાણી સ્કૂલના સંચાલકો દ્વારા ઘણા ખરા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો ન હોવાનું સામે આવી રહ્યો છે. બાળકો જ્યારે પ્રવેશ પ્રક્રિયા માટે શાળાએ પહોંચ્યા હતા ત્યારે શાળાએ સ્પષ્ટ શબ્દોમાં પ્રવેશના આપવા માટેની વાત કરી હતી જેને લઈને વાલીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ જણાવ્યું કે, સરકાર દ્વારા RTE એડમિટ કાર્ડ આપ્યું છે જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ શાળામાં તમે મારા બાળકને અભ્યાસ કરવા માટે લઈ જઈ શકો છો. 

છતાં પણ શાળાના સંચાલકોની દાદાગીરી એવી હતી કે તેમણે અમને પ્રવેશ તો ન જ આપ્યો પરંતુ અમે ખૂબ જ વિનમ્રતાથી પૂછ્યું કે કયા કારણથી અમને પ્રવેશ આપવામાં આવ્યો નથી. તો એ બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. આખરે અમે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જઈને અમારી રજૂઆત કરી આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.