Home Blog Page 9

યુ-51 નંબરની પુરવઠા વિભાગના નિયમોની ધજાગરા ઉડાવી, તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાયે 7.24 લાખની છેતરપિંડી આચરવામાં આવી.

0

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી યુ-51 નંબરની સરકારી અનાજની દુકાનમાં પુરવઠા વિભાગના નિયમોની ધજાગરા ઉડાવી, તોલાદ અને હેલ્પર દ્વારા મોટા પાયે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પુરવઠા વિભાગે દુકાન પર દરોડા પાડીને 7.24 લાખની ગેરરીતિ પકડી પાડી હતી. આ મામલે પુરવઠા વિભાગે દુકાનના સંચાલક અલ્પેશ મનહર સોની અને તોલાદ સુનિલ શ્યામલાલ સુયલ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સંચાલક અલ્પેશ સોની છેલ્લા બે મહિનાથી કેનેડામાં હોવા છતાં, તોલાદ સુનિલે તેની નકલી ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરીને સરકારી સોફ્ટવેરમાં લોગીન કરતો હતો અને ગ્રાહકોને અનાજ આપવાને બદલે મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો સગેવગે કરી દીધો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સંચાલકની ગેરહાજરીમાં તોલાદ સુનિલ અને હેલ્પર દ્વારા અનાજનું વિતરણ થતું હતું. સુનિલે સંચાલકની નકલી ફિંગર પ્રિન્ટ બનાવી હતી અને તેનો ઉપયોગ કરીને સોફ્ટવેરમાં લોગીન કરતો હતો. ગ્રાહકોના ફિંગર પ્રિન્ટ લઈને રસીદો કાઢવામાં આવતી, પરંતુ તે ગ્રાહકને આપવાને બદલે અનાજ સગેવગે કરવામાં આવતું. તપાસમાં 221.500 કિલો ઘઉં, 123 કિલો ચોખા, 9.200 કિલો ખાંડ, 11 કિલો ચણા અને 139 કિલો તુવેર દાળની ઘટ મળી આવી, જેની કુલ કિંમત 6,29,250 હતી. આ ઉપરાંત, ખોટી રીતે 60,000 નું કમિશન પણ મેળવી લેવામાં આવ્યું હતું. પુરવઠા વિભાગના મામલતદાર આશિષ નાયકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સરકારી અનાજની દુકાનમાં 7.24 લાખની છેતરપિંડી ઉધના ગાયત્રી સોસાયટી સ્થિત અમર રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનો મેળવી યુ-51 નંબરની દુકાન ચલાવતા હતા. સરકારી નિયમ મુજબ, અનાજ વિતરણ માટે સંચાલકે પુરવઠા વિભાગના સોફ્ટવેરમાં લોગીન કરવું અને લાભાર્થીના ફિંગર પ્રિન્ટ લઈને ફૂડ કુપન કાઢવી અનિવાર્ય છે. જોકે, યુ-51 નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે 23 જૂને પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા.

પુરવઠાના નિયમોની એસીતૈસી કરીને તોલાદ અને હેલ્પર દ્વારા ચલાવવામાં આવતી ઉધનામાં આવેલી યુ-51 નંબરની સરકારી અનાજની દુકાન પર પુરવઠા વિભાગે દરોડા પાડીને રૂ.7.24 લાખની છેતરપિંડી પકડી પાડી હતી. પુરવઠા વિભાગે સંચાલક અને તોલાદ વિરૂદ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઉધના ગાયત્રી સોસાયટી ખાતે આવેલા અમર રત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અલ્પેશ મનહર સોનીએ પુરવઠા વિભાગમાંથી સરકારી અનાજની દુકાનનો પરવાનો મેળવ્યો હતો. તેમને ઉધનામાં આવેલી યુ-51 નંબરની દુકાન ફાળવવામાં આવી છે. સરકારી અનાજમાં ગેરરીતિ ન થાય તે માટે સંચાલકે પુરવઠા વિભાગના સોફ્ટવેરમાં લોગીંન કરીને બાદમાં લાભાર્થીને અનાજ આપવાનું હોય છે. સાથે અનાજ આપતી વખતે લાભાર્થીના ફિંગર પ્રિન્ટીથી ફુડ કુપન કાઢીને અનાજ આપવાનું હોય છે.ઉધનાની યુ-51 નંબરની દુકાનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદને પગલે તા.23 જુન ના રોજ પુરવઠા વિભાગની ટીમે આ દુકાન પર દરોડા પાડ્યા હતા. અને તપાસ કરતા તોલાદ સુનિલ શ્યામલાલ સુયલ (રહે, જલારામનગર ગુ.હા. બોર્ડ પાંડેસરા) અને હેલ્પરની મદદથી અનાજનુ વિતરણ કરવામાં આવતું હતું. વિતરણ માટે સંચાલક ન હોવા છતાં તેની ફિંગર પ્રિન્ટના આધારે સરકારી સોફ્ટવેરમાં લોગીંન કરતો હતો. જ્યારે લાભાર્થીઓને અનાજ આપવા માટે ફિંગર પ્રિન્ટના આધારે ફુડ રસીદ કાઢતો હતો.આ રસીદ ગ્રાહકને આપવાને બદલે પોતાની રીતે અનાજ આપતો હતો. પુરવઠા વિભાગની ટીમે તપાસ કરતા તપાસ કરતા 221.500 કિલો ઘઉં, 123 કિલો ચોખા,9.200 કિલો ખાંડ, 11 કીલો ચણા અને 139 કિલો તુવેરની ઘટ મળી આવી હતી. આ રૂ.6,29,250ની કિંમતની અનાજે વગે કરી દીધું હતું. જ્યારે સરકાર પાસેથી ખોટી રીતે રૂ.60 હજારનું કમીશન લઇ લીધું હતું. બનાવ અંગે પુરવઠા વિભાગના મામલતદાર આશિષ નાયકે પાંડેસરા પોલીસમાં સંચાલક અલ્પેશ અને તાલોદ સુનિલ વિરૂદ્ધ રૂ.7,24,535ની છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ સાથે 30.62 લાખની કિંમતના કેમિકલની ખરીદીમાં છેતરપિંડી

0

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રીઝ સાથે 30.62 લાખની કિંમતના કેમિકલની ખરીદીમાં છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેલંગાણા સ્થિત હર્મ્સ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર કૃણાલ અશોક સિગ્તીયા અને તેમના પિતા અશોક મોહનલાલ સિગ્તીયા સામે સચિન GIDC પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.એથર ઇન્ડસ્ટ્રીઝના મેનેજર ડેનિશ નવીનચંદ્ર દોઢિયાવાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 7 નવેમ્બર 2020ના રોજ તેમને હૈદરાબાદના નાચારામ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી હર્મ્સ કેમિકલના કૃણાલ અને અશોક સિગ્તીયાનો મેઇલ આવ્યો હતો, જેમાં કેમિકલના સેમ્પલ માંગવામાં આવ્યા હતા. સેમ્પલ પસંદ પડતા, આ પિતા-પુત્રે 6 જૂન 2021 સુધીમાં અલગ-અલગ ઓર્ડર આપીને કુલ 30,62,413ની કિંમતનું કેમિકલ મંગાવ્યું હતું. આ પેમેન્ટ 30 દિવસમાં કરવાનું હતું, પરંતુ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ પેમેન્ટ મળ્યું નહોતું. ઉઘરાણી કરતા પહેલા બહાના કાઢવામાં આવ્યા અને બાદમાં કુરિયર મારફતે ચેક મોકલ્યા હોવાનું જણાવ્યું, પરંતુ કુરિયર કંપનીમાં તપાસ કરતા આવા કોઈ ચેક આવ્યા ન હોવાનું માલુમ પડ્યું. વારંવારની ઉઘરાણી છતાં નાણાં ન મળતા અને નોટિસનો પણ જવાબ ન મળતા, ડેનિશે અંતે સચિન GIDC પોલીસમાં ઠગ પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીને વાતોમાં ભોળવી-ફોસલાવીને તેની પર દુષ્કર્મ આચર્યું

0

સુરત, પાંડેસરા માં રહેતો હિમાંશુ ઉર્ફે અપ્પુ યાદવ નામના યુવાને ધોરણ 9માં ભણતી વિદ્યાર્થિનીને વાતોમાં ભોળવી-ફોસલાવીને તેની પર દુષ્કર્મ આચર્યું. આ ઘટના બાદ સગીરાને ગુપ્ત ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સતત રક્તસ્રાવ થવા લાગ્યો હતો. સગીરાની હાલત બગડતા પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબો દ્વારા તપાસ કરતા સગીરા પર બળાત્કાર થયો હોવાનું જાણવા મળ્યું હતું.પાંડેસરા પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર, પોલીસે ભોગ બનનાર સગીરાની વિસ્તૃત પૂછપરછ કરી અને તેના પરિવારના નિવેદનો નોંધ્યા હતા. આ તમામ હકીકતોના આધારે આરોપી હિમાંશુ ઉર્ફે અપ્પુ યાદવ વિરુદ્ધ બળાત્કાર (પોક્સો એક્ટ હેઠળ પણ કલમો લાગુ પડી શકે છે)ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સ્વ. સેવંતીબેન સાંવતની સ્મૃતિમાં છેલ્લા 21 વર્ષથી વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક ધાર્મિક યાત્રાનું આયોજન.

0

સુરતના સમાજસેવી ગણેશભાઈ પી. સાંવત એ ૧૨૦ વરિષ્ઠ નાગરિકોને કરાવવી ત્રણ દિવસની તીર્થયાત્રા, માતા-પિતાની જેમ રાખી સંભાળ.

સુરતના પ્રખ્યાત સમાજસેવી ગણેશભાઈ પી. સાંવતએ પોતાની સ્વર્ગસ્થ માતા સેવંતીબેન પાંદુરંગ સાંવતની સ્મૃતિમાં સતત 21મો વર્ષ વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું છે. આ સર્વજનહિત કાર્ય હેઠળ 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના 120 વરિષ્ઠ નાગરિકોને ત્રણ દિવસીય તીર્થયાત્રા પર લઈ જવાયા હતા. યાત્રાનો પ્રારંભ રવિવાર, 22 જૂન 2025ના રોજ થયો હતો, જેમાં બે બસ મારફતે યાત્રાળુઓને રવાના કરવામાં આવ્યા હતા. આ યાત્રા 23, 24 અને 25 જૂન દરમિયાન યોજાઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓએ ઉનાઈ સાપુતારા, સપ્તશૃંગી, નાસિક, શિરડી, શનિદેવ અને મુકિતધામ જેવા મહત્વના ધાર્મિક સ્થળોના દર્શન કર્યાં હતા. યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તમામ યાત્રાળુઓ બુધવાર, 26 જૂનના રોજ રાત્રે સુરત પરત ફર્યા હતા.

આ ત્રણ દિવસીય યાત્રા દરમિયાન, ગણેશભાઈ પી. સાંવત એ દરેક વરિષ્ઠ નાગરિક માટે વ્યક્તિગત રીતે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરી અને તેમના માતા-પિતા જેવો લાડ-સ્નેહ આપી સંભાળ રાખી હતી. તેમના સ્વયંસેવકોએ પણ સંપૂર્ણ સમર્પણભાવે તમામ યાત્રાળુઓની સેવા કરી હતી. ગણેશભાઈએ આ સેવા કાર્ય કરીને પોતાને ધન્ય અનુભવનાર જણાવીને ભારે આનંદ વ્યક્ત કર્યો હતો. યાત્રાનો આનંદ માણનાર વરિષ્ઠ નાગરિકોએ પણ તેમની ઉદારતાની ભુરભુર પ્રશંસા કરી અને આશીર્વાદ આપ્યા હતા.

આ આયોજન ગણેશભાઈ પી. સાકતની પોતાની માતા પ્રત્યેની શ્રદ્ધાંજલિ અને સમાજસેવા માટેની અવિચળ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે પોતાની આવકમાંથી 10% રકમ બચાવીને સમાજની નિઃસ્વાર્થ સેવા માટે વાપરવાની પ્રેરક પહેલ કરી છે, જેમાં કોઈ જાતના ભેદભાવ વિના આવા ધાર્મિક પ્રવાસોનું આયોજન થાય છે. આ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ સેવા કાર્ય છે.

પાંડેસરા GIDCમાં દુર્ઘટના, પ્રયાગરાજ ડાઈંગ મિલમાં 26 વર્ષીય યુવાનને લાગ્યો કરંટ સારવાર દરમિયાન મો-ત, સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલો

0

સુરત, પાંડેસરા GIDCમાં આવેલી પ્રયાગરાજ ડાઈંગ મિલમાં એક ભારે બેદરકારીભરી ઘટના સામે આવી છે. ડ્યુટી દરમિયાન મિલમાં કામ કરતાં 26 વર્ષીય યુવકને કરંટ લાગતાં ગંભીર સ્થિતિમાં સારવાર માટે સેવા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ 21 તારીખના સાંજે 7:00 વાગ્યા ના આશરામાં પાંડેસરા જીઆઇડીસી ના પ્રયાગરાજ ડાઈંગ મિલ માં કામ કરતા રાહુલ વર્મા ને બીજલી નો કરંટ લાગતા નીચે પડ્યો હતો જેથી તેના સાથે મિત્ર એ પ્રાથમિક સારવાર અર્થે તેને સેવા હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાંથી તેને વધુ સારવાર માટે ન્યુ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. ડોક્ટરો દ્વારા તપાસ કરતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ દુર્ઘટનાએ ડાઈંગ મિલોની આંતરિક સુરક્ષા વ્યવસ્થાઓ અંગે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. શું મિલમાં ઇલેક્ટ્રિક લાઇન અને સાધનોની નિયમિત ચકાસણી થાય છે? શું કામદારોને પર્સનલ પ્રોટેક્શન સાધનો (PPE) આપવામાં આવે છે? આ તમામ પ્રશ્નો હજુ અંધારામાં છે અને જવાબદારી લીધા વિના મિલ પક્ષ મૌન વળગી રહ્યાનું સૂત્રો જણાવે છે.

સૂત્રો ની માનીએ તો મૃતકના પરિવારજનોએ આરોપ મૂક્યો છે કે, “મિલમાં સુરક્ષાની સંપૂર્ણ અવગણના છે. યોગ્ય ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ ન હોવાના કારણે જ આ દુર્ઘટના બની છે.”

હાલમાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પરંતુ કર્મચારીના મૃત્યુ પછી પણ મિલ સંચાલકો સામે કોઈ કાયદેસર કાર્યવાહી થતી ન હોય, તો એની જવાબદારી કોની?

આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે ઘણા ઉદ્યોગોમાં કામદારોની સલામતી માત્ર કાગળ પર જ રહેલી છે. જ્યારે સુધી કડક કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે, ત્યાં સુધી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન અટકી શકે તેમ નથી.

સુરતના એન્જાઈમ-16 સંસ્થાના વિદ્યાર્થીઓએ NEET-2025 માં ચમકદાર સફળતા હાંસલ કરી

0

સુરત, 21 જૂન 2025: સુરત શહેરના યોગીચોક વિસ્તારમાં આવેલી પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા એન્જાઈમ-16 ના વિદ્યાર્થીઓએ NEET-2025 ની પરીક્ષામાં શાનદાર પરિણામ મેળવીને પોતાનું અને સમગ્ર સુરત શહેરનું ગૌરવ વધાર્યું છે.

NEET-2025 ની જાહેર થયેલી પરિણામ યાદી પ્રમાણે, વિદ્યાર્થી ગજેરા કાવ્યએ 720 માંથી 622 ગુણ મેળવીને સુરત શહેર અને જિલ્લામાં ત્રીજા ક્રમે પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને, EWS કેટેગરીમાં સમગ્ર દેશમાં 24મો રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર શહેર અને પોતાની સંસ્થા તથા માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે.

એન્જાઈમ-16 ના બીજા વિદ્યાર્થીઓ, માગુકિયા મન એ 581 અને ગજેરા પૂર્વએ 578, ગજેરા મીત 514, ઘોઘારી જય 509, ડોબરીયા પ્રિયાંશી 500 ગુણ મેળવીને પણ ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી છે. આ વિદ્યાર્થીઓએ માત્ર પોતાના સપનાને જ નહીં, પણ સમગ્ર યોગીચોક વિસ્તારને ગર્વ અનુભવાડ્યો છે.

એન્જાઈમ-16 સંસ્થાના સંચાલકો અને શિક્ષકમંડળે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેઓના ઉજળા ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. સંસ્થાએ વર્ષોથી NEET, JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને સમર્પિત તાલીમ આપીને અનેક સફળતાઓ મેળવી છે, અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ તેમને મળેલ માર્ગદર્શનને સાર્થક કર્યો છે.

સુરતના બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી,સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની એક વર્ષે ધરપકડમાં આવી.

0

સો.મીડિયામાં બદનામ કરવા કાવતરા કર્યા હતા.

સુરતના કાપોદ્રા પોલીસ મથકે જૂન 2024માં કીર્તિ પટેલ સહિત સાત સામે ફરિયાદ દાખલ થઈ હતી. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેતે સમયે કાપોદ્રા પોલીસે એક વ્યક્તિ વિજય સવાણીની ધરપકડ કરી હતી. કીર્તિ પટેલ છેલ્લા એક વર્ષથી ભાગતી ફરતી હતી. જેને કાપોદ્રા પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી છે. કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ટિકટોક સ્ટાર રહી ચૂકેલી કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. આ કેસ 2024માં બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા ઈચ્છતો હતો. એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા.

ફરિયાદી વજુ કાત્રોડિયાને સમાધાન કરવા માટે કોસમાડી પાટીયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડિયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વીડિયો બનાવી ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જો પૈસા નહીં આપે તો ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી.આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા 2024માં કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

ચાર સંતાનની માતાને લગ્નની લાલચ આપી,દુષ્કર્મ કરનાર નાવડી ઓવારાના રામજી મંદિરના પૂજારીની ધરપકડ

0

મંદિરમાં સફાઈ કામ માટે આવતી પરિણીતાને લગ્નનો વાયદો કરી ત્રણ વર્ષ ભોગવી તરછોડી

પૂજારીને મંદિરમાંથી કાઢી મુકાયો, હાલ વોચમેનની નોકરી કરે છે

સુરતઃ અઠવાલાઇન્સ પોલીસે પરિણીતા પર અવારનવાર દુષ્કર્મ ગુજારનાર નાનપુરા ખાતે આવેલા નાવડી ઓવારના રામજી મંદિરના પૂજારીની ધરપકડ છે. ભોગ બનનાર પરિણીતા મંદિરમાં સફાઈકામ કરવા આવતી હતી. દરમિયાન આરોપી પૂજારી સાથે તેની આંખ મળી ગઈ હતી. ત્યારબાદ તેણીને લગ્નની લાલચ આપી છેલ્લા ત્રણ વર્ષથી તેણીને ભોગવ્યા બાદ લગ્ન નહિ કરી પરિણીતાને તરછોડી દીધી હતી.શહેરના નાનપુરા નાવડી ઓવાર પર રામજી મંદિર આવ્યું છે. જ્યા બિહારના સીતામઢી જિલ્લાનો વતની વિવેકકુમાર પ્રતિહસ્ત પૂજારી તરીકે સેવા આપી રહયા છે.દરમિયાન મંદિરમાં સફાઈકામ માટે એક પરિણીતા આવતી હતી.દરમિયાન પૂજારી વિવેકકુમાર સાથે આંખ મળી ગઈ હતી.ત્યારબાદ પરિણીતાને લગ્નની લાલચ આપી છેલ્લા ત્રણ વર્ષથી તેણીને ભોગવ્યા બાદ લગ્ન નહિ કરી પરિણીતાને તરછોડી દીધી હતી.

ચાર સંતાનોની માતાને પૂજારીએ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી તરછોડી દીધી હતી. પૂજારીએ મહિના પહેલા અન્ય યુવતી જોડે લગ્ન કરી લીધા હતા. આ અંગે પરિણીતાએ અઠવાલાઈન્સ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે મંદિરના પૂજારી વિવેકકુમાર પ્રતિહસ્ત(26)(રહે,પલસાણા, મૂળ રહે,રીંગા,બિહાર)ની સામે રેપનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે. અગાઉ નાનપુરામાં રહેતી 37 વર્ષીય પરિણીતા નાનપુરાના એક મંદિરમાં સાફ-સફાઈનું કામ કરતી હતી તે વખતે મંદિરના પૂજારીએ તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી.

પૂજારીએ પરિણીતાને લગ્નની લાલચ આપી પહેલા મંદિરના પહેલા માળે રૂમમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરિણીતાને પાંડેસરા અને ઉધનાની હોટેલોમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. પૂજારીએ પરિણીતાને લગ્નની લાલચ આપી બાદમાં લગ્ન નહિ અન્ય યુવતી જોડે મહિના પહેલા લગ્ન કરી લીધા હતા. પૂજારીની ગંદી હરકતને કારણે તેને મંદિરમાંથી કાઢી મુકવામાં આવ્યો છે અને હાલમાં તે સિક્યુરિટી ગાર્ડ તરીકે પાંડેસરામાં નોકરી કરે છે.

જોકે હવસનો શિકાર બનેલી પરિણીતાએ ન્યાય માટે અઠવાલાઇન્સ પોલીસનો સંપર્ક કરી આપબીતી જણાવી હતી.જેથી પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે બળાત્કારનો ગુનો દાખલ કરી રામજી મંદીરના આરોપી પૂજારી વિવેકકુમાર પ્રતિહસ્તની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહાપાલિકાના વિવાદી તત્કાલીન સિટી ઇજનેર અક્ષય પંડ્યાને પાલિકા દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી

0

અક્ષય પંડ્યાએ શો-કોઝ નોટિસનો જવાબ આપવા 90 દિવસ માગ્યા

મહાપાલિકાના વિવાદી તત્કાલીન સિટી ઇજનેર અક્ષય પંડ્યાને પાલિકા દ્વારા શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે પણ અઠવાડિયા નો જવાબ આપવા તેમણે સમય માંડ્યો હતો. તેની ખાતાકીય તપાસ ચાલી રહી છે ત્યારે ઇન્ક્વાયરી વિભાગ દ્વારા અગાઉ ચાર્જશીટ ફટકારવામાં આવી હતી તેથી તેનો વકીલ સાથે પરામર્શ બાદ જવાબ રજુ કરવા ફરી ત્રણ મહિના જેટલો સમય માંગ્યો છે. તેમના નિવૃત્તિના લાભો પર હાલ રોક લાગી ગઈ છે.

વિગતો મુજબ સ્થાયી સમિતિમાં ગત 12 જૂન 2023ના રોજ કોમ્પ્રિહેન્સીવ માસ્ટર પ્લાન અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાં, સમિતિએ બે એજન્સી છતાં એકમાત્ર કન્સલ્ટન્ટ કંપની ગ્રીન ડિઝાઈન એન્ડ એન્જિનિયરીંગ સર્વિસિસ પ્રા.લી.ને પાંચ વર્ષ માટે સુએઝ અને સ્ટ્રોર્મ ડ્રેનેજની કામગીરી સોંપવાનો વિવાદિત ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. આ દરખાસ્ત હાઇડ્રોલિક વિભાગ દ્વારા કમિશનરને રજૂ કરી દેવામાં આવી હતી.

લંડન જતી ફ્લાઇટમાં 242 પેસેન્જર સવાર હતા.તમામના મોત

0
અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત.

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. એર ઇન્ડિયાના આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત થયાનો ન્યૂઝ એજન્સી એ દાવો કર્યો છે. 

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.  પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.ગુજરાત આરોગ્ય અને જન કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી ધનંજય દ્રિવેદીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્ટિલના વિદ્યાર્થીઓની હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને અન્ય રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયુ હતું.  અત્યારસુધી 50 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામની સારવાર થઈ રહી છે. હોસ્ટેલમાં રહેતા અનેક લોકોએ પણ જીવ ગુમાવ્યા છે. ત્યાં રહેતાં લોકો પણ ઘવાયા છે. આશરે 50 ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્ટિપલ ખસેડવામાં આવ્યા છે. તેમને સંભવિત તમામ સારવાર અપાઈ રહી છે. તેમની સ્થિતિ ગંભીર છે. બીજે મેડિકલ કોલેજ ખાતે ડીએનએ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિમાનમાં સવાર લોકોના વાલીઓ અને બાળકોને ડીએનએ સેમ્પલ આપવા અપીલ છે. જેથી મૃતકોની ઓળખ થઈ શકે.