Home Blog Page 71

સુરત જિલ્લામાં આચારસંહિતાનો કડક અમલ કરતું જિલ્લા ચૂંટણી તંત્ર

0

સ્ટેટિક સર્વેલન્સ ટીમ, આઈ.ટી. વિભાગ તથા પોલીસ વિભાગની સરાહનીય કામગીરી

સુરતઃશુક્રવારઃ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નું પ્રથમ ચરણ મતદાન આગામી તા.૦૧ લી ડિસેમ્બર તથા દ્વિતીય ચરણનું તા.૦૫મી ડિસેમ્બરના રોજ સવારે ૦૮ઃ૦૦ થી સાંજે ૦૫ઃ૦૦ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. ત્યારે ગત તા.૦૩/૧૧/૨૨થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત જિલ્લામાં જુદી જુદી ટીમો કાર્યરત છે.

         ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૨૫/૧૧/૨૦૨૨ સુધી ૧૧,૬૦૨ લીટર દેશી દારૂ જેની કિંમત ૨,૩૨,૪૨૪/-તેમજ ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ૪૧,૪૧૭ બોટલ જેમાં ૧૬,૩૬૩.૭૮ લીટર દારૂ મળીને જેની કિંમત રૂ. ૯૪,૧૧,૩૮૬/- તેમજ અન્ય ચીજ-વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં સુરત શહેર પોલીસે રૂ. ૪૦,૭૧,૦૧૦/- નો દારૂ તથા સુરત ગ્રામ્ય પોલીસે રૂ. ૮૧,૫૦,૫૩૨/- નો દારૂ મળીને કુલ રૂપિયા રૂ. ૧,૨૨,૨૧,૫૪૨/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 
        સમગ્ર સુરત જિલ્લામાં કાર્યરત Static Surveillance Teams દ્વારા ૧૬૫-મજુરા વિધાનસભા મતવિસ્તાર માંથી ૫૫,૨૮,૦૦૦/- રોકડ રકમ, ૧૫૯- સુરત પૂર્વ વિધાનસભા મતવિસ્તાર માંથી ૧૭,૦૦,૦૦૦/- રોકડ, આઈ.ટી. દ્વારા મહિધરપુરા વિસ્તારથી ૧,૬૦,૦૦,૦૦૦/- તથા આઈ.ટી. ઈન્વેસ્ટિગેશન અને પોલીસ દ્વારા ૬૩,૮૮,૭૦૦/- મળીને સુરત શહેર સહિત જિલ્લા માંથી કુલ ૨,૯૬,૧૬,૭૦૦/- રૂપિયાની રોકડ રકમ જપ્ત કરીને આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવ્યો છે. 
             આ ઉપરાંત સાથો સાથે ઈન્કમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન તથા પોલીસ દ્વારા ૧ કિલો ગ્રામ જ્વેલરી જેની કિંમત રૂ. ૫૪,૦૫,૦૦૦/- તથા ૧૬૦ - સુરત ઉત્તર વિધાનસભા વિસ્તાર માંથી ૩૭,૫૮,૫૬૫/- ની જ્વેલરીની સાથે અન્ય સોનાની જ્વેલરી તથા અન્ય ચીજ વસ્તુઓ સાથે ૪.૧૭ કિલો ગ્રામ જવેલરી જપ્ત કરવામાં આવ્યું છે જેની કુલ ૨,૫૭,૯૦,૫૬૫/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે મતદાર જાગૃત્તિ મલ્ટીમીડિયા પ્રદર્શનને જિલ્લા ચુંટણી અધિકારી ડો.આયુષ ઓકના હસ્તે ખુલ્લું મૂકાયું

0
સિગ્નેચર કેમ્પેઈન,સેલ્ફી પોઇન્ટ, રેલી, મ્યુઝિકલ બેન્ડ શો, સંવાદ, શેરી નાટક, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમો યોજાશે

કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીના સહયોગથી યુનિવર્સિટીના ગ્રંથાલય ખાતે ત્રિદિવસિય મતદાર જાગૃત્તિ અભિયાનનો પ્રારંભ

સિગ્નેચર કેમ્પેઈન,સેલ્ફી પોઇન્ટ, રેલી, મ્યુઝિકલ બેન્ડ શો, સંવાદ, શેરી નાટક, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમો યોજાશે

સુરતઃગુરૂવારઃ વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત લોકો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થાય તેવા હેતુ સાથે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર અને રાજ્યના મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન અંતર્ગત વીર નર્મદ યુનિવર્સિટીના ગ્રંથાલય ખાતે આયોજિત ત્રિ-દિવસીય મલ્ટીમિડીયા ફોટો પ્રદર્શનને જિલ્લા ચુંટણી અધિકારીશ્રી ડો.આયુષ ઓકના હસ્તે ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન સિગ્નેચર કેમ્પેઈન,સેલ્ફી પોઇન્ટ, રેલી, મ્યુઝિકલ બેન્ડ શો, સંવાદ, શેરી નાટક, શપથ, વિભિન્ન સ્પર્ધાઓ સાથે બહુવિધ કાર્યક્રમો યોજાશે
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ આયુષ ઓકે જણાવ્યું કે, ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે,ત્યારે તેમાં મહત્તમ મતદાન થાય અને ખાસ કરીને યુવા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવા સહભાગી થાય તે માટે જાગૃત્તિ ફેલાવતા આ પ્રદર્શનનું આયોજન સરાહનીય છે.
વધુમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, સુરત જિલ્લામાં ૧૮ વર્ષ અને તેથી વધુ વયના નવા નોંધાયેલા યુવા મતદારો તથા ૮૦ વર્ષથી વધુની વયના વરિષ્ઠ મતદારોના સહયોગથી મહત્તમ મતદાન થાય અને આપણે સો ટકા મતદાનનું લક્ષ્યાંક હાંસલ કરી શકીએ તે માટે ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પણ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ તેમણે સૌ કોઈને મતદાન કરીને આપણા રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક ફરજ અદા કરવાની અપીલ કરી હતી.
આ મતદાતા જાગૃત્તિ અભિયાન અંતર્ગત કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા નર્મદ યુનિવર્સિટીના સહયોગથી બહુવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં તા.૨૪ થી ૨૬ નવેમ્બર સુધી મતદાન જાગૃત્તિ અભિયાનના ફોટો પ્રદર્શનની સાથે જ અગ્રીમ પ્રચારના ભાગરૂપે યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં યોજાયેલી સ્પર્ધાઓના વિજેતાઓને કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર દ્વારા ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મતદાર જાગૃત્તિ રેલી, નાટ્ય પ્રસ્તુતિ, મતદાર જાગૃત્તિનો સંદેશ આપતી નોન વુવન બેગનું વિતરણ, મતદાન તેમજ ચૂંટણી વિશેની માહિતી આપતી સામગ્રીનું વિતરણ કરાયું હતું. આ વેળાએ ઉપસ્થિત તમામ નાગરિકોને મતદાન પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.
આ પ્રસંગે વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રાર આર.સી.ગઢવી, ચોર્યાસી મામલતદાર જે.ડી. પટેલ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના પ્રચાર અધિકારી જે.ડી. ચૌધરી સહિત નર્મદ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ એન્ટીમાઈક્રોબિઅલ્સ જનજાગૃત્તિ સપ્તાહ’ની ઉજવણી

0
નવી સિવિલ તંત્ર દ્વારા સપ્તાહ દરમિયાન જનજાગૃત્તિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી

 મેડિકલ પ્રિસ્ક્રીપ્શન વિના જાતે જ એન્ટીબાયોટિક દવાઓ લેવી શરીર માટે હાનિકારક છે

 ખાનગી હોસ્પિટલો પણ એન્ટીબાયોટિક પોલિસી બનાવે તે અતિ આવશ્યક: ડો.સુમેયા મુલ્લા, માઈક્રોબાયોલોજી વિભાગના વડા

નવી સિવિલ તંત્ર દ્વારા સપ્તાહ દરમિયાન જનજાગૃત્તિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી

સુરતઃગુરૂવારઃ સરકારી મેડિકલ કોલેજ-સુરત અને નવી સિવિલ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજીના સંયુક્ત ઉપક્રમે તા.૧૮ થી ૨૪ નવે.- ‘વર્લ્ડ એન્ટીમાઈક્રોબિઅલ્સ અવેરનેસ વીક (વિશ્વ સૂક્ષ્મ જીવાણુ પ્રતિરોધક જનજાગૃત્તિ સપ્તાહ)ની ઉજવણી કરવામાં આવી હતી. GSBTM-ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, DST- સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સહકારથી આયોજિત જાગૃત્તિ સપ્તાહના અંતિમ દિને નવી સિવિલના ફિઝીયોલોજી વિભાગના સભાગૃહમાં ‘સૂક્ષ્મ જીવાણુ પ્રતિરોધ, સુપરબગ્સ અને વન હેલ્થ’ વિષય પર નેટવર્ક પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં માઈક્રોબાયોલોજી, પેથોલોજી, બાયોકેમ વિભાગના વિદ્યાર્થીઓ તેમજ તબીબી અને ટેકનિકલ સ્ટાફને માર્ગદર્શન અપાયું હતું.
કાર્યક્રમમાં નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો.સુમેયા મુલ્લાએ જણાવ્યું હતું કે, વ્યવસ્થિત રીતે હાથ ધોવાથી ૭૦ ટકા ઈન્ફેક્શન રોકી શકાય છે. મેડિકલ પ્રિસ્ક્રીપ્શન વિના જાતે જ એન્ટીબાયોટિક દવાઓ લેવી શરીર માટે હાનિકારક છે. ઈન્ફેકશન થાય, શરીરમાં કોઈ સમસ્યા થાય એ માટે ટેસ્ટ કરાવીને દવા લેવી જોઈએ. ખાનગી હોસ્પિટલો પણ એન્ટીબાયોટિક પોલિસી બનાવે તે અતિ આવશ્યક છે. જેમાં લોકોને જાતે જ પ્રિસ્ક્રીપ્શન વિના દવા લેવાથી થતા નુકસાન વિષે જાગૃત્ત કરવા જોઈએ. જેથી દર્દીઓના જીવન બચાવી શકાશે.
ડો.સુમેયા મુલ્લાએ વધુમાં કહ્યું કે, એન્ટીબાયોટિક્સના વ્યવહારૂ અને તાર્કિક ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝને મજબૂત કરવાની, તેમાં સુધારા કરવાની તેમજ લોકજાગૃત્તિ કેળવવાની જરૂર છે. પશ્ચિમના દેશોમાં એન્ટીબાયોટીક દવાઓનો નિયંત્રિત ઉપયોગ કરવામાં આવે છે. એન્ટીમાઈક્રોબિયલ પ્રિસ્ક્રિપ્શન ધારણા આધારિત નહીં,પરંતુ ચોક્કસ નિદાન આધારિત હોવું જોઈએ એમ જણાવી તબીબોની સલાહ વિના એન્ટીબાયોટિક દવાઓનું સેવન ન કરવા પર ભાર મૂક્યો હતો.
ડો.સંગીતા રેવડીવાલા, ડો.ક્રિસ્ટી અને ડો.વિદિશાએ રોગોને ફેલાવતા બેક્ટેરિયાથી બચવાની કાળજી અને તકેદારી અંગે ઉપયોગી સમજ આપી હતી.
જુનિયર રિસર્ચ ફેલો દક્ષિતા માંડાણી અને દિપાલી મિસ્ત્રીએ હેન્ડ હાઈજીન ડેમોન્સ્ટ્રેશન કરીને હાથ ધોવાની યોગ્ય રીતો સમજાવી હતી. રેસિડેન્ટ તબીબોએ PG વિદ્યાર્થીઓને વિષય અનુરૂપ ક્વિઝ સ્પર્ધા યોજી હતી અને તેમના જ્ઞાનમાં વધારો કર્યો હતો. એસો.પ્રોફેસર ડો.તન્વી સુખારામવાલાએ વન હેલ્થ વિષય પર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
સપ્તાહ દરમિયાન સિવિલના તમામ વોર્ડમાં, ઓપીડીમાં જનજાગૃત્તિ અભિયાન હાથ ધરવા સાથે PG વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધા અને ઈનામ વિતરણ, MICU, NICU અને SICU સ્ટાફને AMR જાગૃતિ અને હેન્ડ હાઈજીન, નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે પોસ્ટર મેકિંગ-ઈનામ વિતરણ અને આરોગ્ય વિષયક તાલીમ, નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પોસ્ટરો દ્વારા જનજાગૃત્તિ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.

સુરત જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ વયના ફોર્મ ૧૨-ડી હેઠળ માન્ય ઠરેલા ૫૧૬ મતદારોએ પોતાના નિવાસ સ્થાને જ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન

0
અવસર લોકશાહીનો : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨

૩૬ દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાનઃ

જિલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશો આપતા વયોવૃદ્ધ મતદારો

જિલ્લામાં વૃદ્ધો તેમનું મતદાન સુગમ વાતાવરણમાં સરળતાથી કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ

અવસર લોકશાહીનો : વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨

સુરતઃગુરૂવાર:- વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા માટે ચૂંટણીતંત્ર દ્વારા ૮૦ વર્ષથી વધુ વયના નાગરિકો તથા દિવ્યાંગોની ફોર્મ ૧૨-ડી હેઠળ માન્ય રાખેલી યાદી મુજબ તેમના માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ ૫૧૬ વયોવૃદ્ધ મતદાતાઓએ તેમના નિવાસસ્થાને જ ટપાલથી મતદાન કર્યું હતું. જયારે ૩૬ જેટલા દિવ્યાંગ મતદારોએ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ,કર્મચારીશ્રીઓ, પોલીસ કર્મીઓ દ્વારા સમગ્ર કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી તેમ પોસ્ટલ બેલેટના નોડલ અધિકારીશ્રી જી.એમ.બોરડે જણાવ્યું હતું.
વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો માટે ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે પહોંચેલી ટીમ દ્વારા જે-તે મતદારને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા અંગે સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પાસે મતદાન કરાવી મતદાનની સંપૂર્ણ ગુપ્તતા પણ જાળવવામાં આવી હતી.

ભાજપના કાર્યકર્તાને ગોળી મારનાર જેને  કોર્ટ દ્વારા આરોપી ડેક્લેર કરી દીધો હોવા છતાં ? કોંગ્રેસ ના રાકેશ રાય  ભાજપ માં જોઈનિંગ થવાની વાતો થી સરીગામ માં ચર્ચા નો વિષય બન્યો….

0

આ જોઇનિંગ કાર્યક્રમ માં કેવી રીતે આવી શકે ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી  સ્મિતિ ઈરાની ? એવી લોક ચર્ચા

મહિલા સશક્તિકરણ વાત કરનારી સ્મૃતિ ઈરાની એક એવા કૉંગ્રેસી નેતા રાકેશ રાય જેના દ્વારા એક મહિલા બિલ્ડર ને  છેડતી કરવાના આક્ષેપો લાગ્યા હોય તેવા વ્યક્તિ ની સભામાં કેવી રીતે આવી શકે ?

કોર્ટની દ્વારા આરોપી સાબિત થવા પછી આવા લોકોની સભામાં કેવી રીતે આવી શકે સ્મૃતિ ઈરાની ?

સમગ્ર ઉમરગામ તાલુકાની અંદર આ વાત ચર્ચાનો વિષય બની ગયો છે.

શુ ઉમરગામ તાલુકાના તમામ મતદારોની પણ અવગણના કરવામાં  આવી રહ્યો છે કે શું ?

મહિલા સશક્તિકરણના વાત કરનાર  સ્મૃતિ ઈરાની એ આવા  છેડતીના આરોપી તેમજ 307 માં 3 વર્ષના આરોપીઓ ની સજા પામનાર ની સભા લેવા કેવી રીતે આવી શકે  ? આ પ્રશ્ન લોકો માં ચર્ચા નો વિષય બન્યો છે.

૧૬ વિધાનસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વરો અને રિટર્નીગ ઓફિસરોની કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપતા હૃદેશ કુમાર

0
કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ.

ઓછું મતદાન નોંધાયું હોય તે વિસ્તારોમાં મતદાન પ્રતિશત વધારવાના પ્રયાસો કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનર

સુરત:સોમવાર: ભારતીય ચૂંટણી પંચન નાયબ ચૂંટણી કમિશનરશ્રી હૃદેશ કુમાર અને પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી એસ.બી.જોશીની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સુરત જિલ્લા ચૂંટણી તંત્રની ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ ચૂંટણી કમિશનરશ્રીએ સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા મતવિસ્તારની બેઠકોના જનરલ ઓબ્ઝર્વરો, પોલીસ ઓબ્ઝર્વરો અને રિટર્નીગ ઓફિસરો પાસેથી સંબંધિત વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી કામગીરીથી વાકેફ થઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સુરતના તમામ વિધાનસભા વિસ્તારોમાં જ્યાં ઓછું મતદાન નોંધાયું હોય તે વિસ્તારોમાં મતદાન પ્રતિશત વધારવાના પ્રયાસો કરવાનો અનુરોધ કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનરશ્રીએ કર્યો હતો.

બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આયુષ ઓકે સુરત જિલ્લા ચૂંટણી તંત્રની સમગ્રલક્ષી કામગીરી અંગે વિગતો રજૂ કરી હતી. તેમણે નિષ્પક્ષ અને ન્યાયી માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટેની પૂર્વતૈયારીઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ખાસ કરીને જિલ્લાની પ્રોફાઈલ, મતદારોની સંખ્યા, પોલિંગ સ્ટેશન, સ્ટ્રોંગ રૂમ, મેનપાવર અને ઈવીએમ/વીવીપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ, ટ્રેનિંગ, મટિરીયલ, એમસીસી અમલીકરણ, ખર્ચ નિરીક્ષણ, સ્વીપ, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, ડેટા એનાલિસિસ, સિટીઝન હેલ્પલાઈન અને ફરિયાદ, કોમ્યુનિકેશન, માઈગ્રેટરી વોટર્સ જેવા મુદ્દા અને ચૂંટણીને લગતી સંબંધિત કામગીરી અંગે સમજ આપી હતી.

બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર સર્વશ્રી વિનીતકુમાર, શ્રીમતી કંચન વર્મા, કુ.પ્રિતી મીણા, સુરેશ ચૌધરી, ઉમાનંદ ડોલી, રાજેશ કુમાર, દિપાંકર ચૌધરી, હર્ષલ પંચોલી, કૃણાલ સિલ્કુ, પોલીસ ઓબ્ઝર્વરો શ્રી પુનિત રસ્તોગી અને શ્રીમતી કલ્પના નાયક ડી., એક્ષપેન્ડીચર ઓબ્ઝર્વરો સર્વશ્રી મુરલી મોહન, ગજેન્દ્ર સિંઘ, અનુરાગ ત્રિપાઠી અને પ્રશાંત સિંહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કમલેશ રાઠોડ અને રિટર્નિંગ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતનો દિવ્યાંગ યુવક વિદેશી યુવતી સાથે લગ્નબંધનમાં બંધાયો: જાગૃત્ત પરિવારે શુભપ્રસંગે મહેમાનોને વિધાનસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા સંકલ્પ લેવડાવ્યા

0
મતદાનના સંકલ્પ સાથે અનોખા લગ્નની અનોખી ઉજવણી

‘ફિલીપાઈન્સની લાડીને વરાછાનો વર: સુરતના કાછડીયા પરિવારે અનોખા લગ્ન-પ્રસંગને બનાવ્યો મતદાન જાગૃત્તિનો અવસર

મતદાનના સંકલ્પ સાથે અનોખા લગ્નની અનોખી ઉજવણી.

સુરત:સોમવાર: આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા માટે નાગરિકો સ્વયંભૂ જાગૃત્ત બની રહ્યા છે. હાલ લગ્નસરા ચાલી રહી છે, ત્યારે લગ્નના અવસરને પણ જાગૃત્ત નાગરિકો મતદાન જાગૃત્તિનું માધ્યમ બનાવી રહ્યા છે. ગત રોજ સુરતનો દિવ્યાંગ યુવક વિદેશી યુવતી સાથે લગ્નબંધનમાં બંધાયો ત્યારે તેના જાગૃત્ત પરિવારે આ શુભપ્રસંગને યાદગાર બનાવવા મહેમાનોને વિધાનસભા ચૂંટણીમાં અચૂક મતદાન માટે સામૂહિક સંકલ્પ લેવડાવ્યા હતા. હાલ લગ્નની ઉજવણીની સાથોસાથ લોકો લોકશાહીના પર્વની પણ ઉજવણી કરે એ માટેના કાછડીયા પરિવારના ઉમદા પ્રયાસની સૌ મહેમાનોએ સરાહના કરી હતી.

મહેમાનોએ ‘પહેલા મતદાન, બાદમાં જલપાન’ના સંકલ્પ સાથે દેશી-વિદેશી વરકન્યાની જોડીને આશીર્વાદ આપ્યા હતાં અને લોકશાહીના પર્વની ઉજવણી પણ આવા જ ઉત્સાહથી કરવા સંકલ્પબદ્ધ થયા હતા.

સુરતના યોગીચોક વિસ્તારની યોગેશ્વર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા કલ્પેશભાઈ માવજીભાઈ કાછડિયા મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આસોદર ગામના વતની છે. ૪૩ વર્ષીય કલ્પેશભાઈ જન્મથી બન્ને પગથી દિવ્યાંગ છે, અને છેલ્લા આઠ વર્ષથી યોગી ચોક વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવે છે. સુરતના નાના વરાછા ખાતે આવેલા હરેકૃષ્ણ ફાર્મમાં ગત રોજ રાત્રિ દરમિયાન કલ્પેશભાઈના આ અનોખા લગ્નના સાક્ષી બનવા માટે છેક સૌરાષ્ટ્રથી સગાસંબંધીઓ આવ્યાં હતાં.

કલ્પેશભાઈ જણાવે છે કે, સોશ્યલ મીડિયાના માધ્યમથી ફિલીપાઈન્સની રેબેકા ફાયો સાથે પરિચય થયો હતો અને હું દિવ્યાંગ હોવા છતાં લગ્નના બંધનમાં બંધાવાનો તેણે નિર્ણય કર્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી વાતચીત અને સંપર્ક બાદ રેબેકા લગ્ન માટે સુરત આવી હતી. અમારા પરિવારે આ યુનિક લગ્નને વધુ યુનિક બનાવવા અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી નક્કી કર્યું કે લગ્નમાં આવનાર તમામ મહેમાનોને અવશ્ય મતદાન કરવાના સંકલ્પ લેવડાવીશું. અમને ભેટ કે ચાંદલો ન આપો તો ચાલશે પણ સૌ આ ચૂંટણીમાં મતદાન અચૂક રીતે કરે એવો આગ્રહ રાખ્યો હતો.

ધો.૧૦ સુધીનો અભ્યાસ કરનાર કલ્પેશભાઈ કહે છે કે, અમે સપ્તપદીના ફેરા ફરતા પહેલા મતદાન માટે જાગૃત્ત બનવા અને આગામી તા.૧લી અને ૫મી ડિસેમ્બરે મતદાન કરવા સંકલ્પ ગ્રહણ કરાવ્યા એ પહેલને સૌ મહેમાનોએ પણ વધાવી લીધી હતી અને સૌ ઉત્સાહથી શપથમાં જોડાયા હતા. અમે રાજ્યમાં યોજાતી મહત્તમ ચૂંટણીઓમાં સપરિવાર મત આપીને લોકશાહીની ફરજ બજાવીએ છીએ. આપણા એક એક મતનું મૂલ્ય આંકી ન શકાય એટલું અમૂલ્ય છે, લોકશાહીમાં મતાધિકારને ક્યારેય વેડફવો ન જોઈએ. ગ્રામ પંચાયત, વિધાનસભા, લોકસભા જેવી કોઈપણ ચૂંટણીમાં અચૂક મતદાન કરવું એ સભ્ય નાગરિક તરીકે આપણી પવિત્ર ફરજ છે.

રેબેકા ફાયોએ ફિલીપાઈન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેના પતિનું એક અકસ્માતમાં અવસાન થયું હતું. સાત વર્ષનો દીકરો અને પરિવારજનો હાલ વિઝા ન મળવાથી સુરત ખાતે આ લગ્નસમારોહમાં સહભાગી થઈ શક્યા ન હતા. રેબેકા ફાયોએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે, હું ભારતીય સંસ્કૃતિ, રહેણીકરણી, અહીંના પ્રેમાળ લોકો લોકોથી ખૂબ પ્રભાવિત થઈ છું. મને ખ્યાલ છે કે ચૂંટણીનું કોઈ પણ દેશ અને રાજ્યમાં ખૂબ મહત્વ હોય છે. સૌ ગુજરાતીઓ ઉત્સાહભેર મતદાન કરે એવો મારો પણ ખાસ આગ્રહ છે.

સુરત શહેર સહિત જિલ્લાના વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ઘરે જઈ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ કર્યા

0
વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ઘરે જઈ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ કર્યા

સુરતઃરવિવારઃ સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા મતદાર મંડળમાં આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીના મતદાન માટે ૮૦ વર્ષ ઉપરના વયોવૃદ્ધ, દિવ્યાંગ અને અશક્ત મતદારોને ઘેર બેઠા મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સાથે જોડાયેલા બી.એલ.ઓ ઓફિસરો દ્વારા આવા મતદાતાઓને તેઓના રહેઠાણ ઉપર જઈને હાથો હાથ પોસ્ટલ બેલેટ પેપર અર્પણ કરવામાં આવ્યા હતા.

          આ વયોવૃદ્ધ, અશક્ત અને દિવ્યાંગ મતદાતાઓને ફોર્મ ૧૨ડી નું વિતરણ કરી મતદાનની સમજણ પણ આપવામાં આવી હતી. સમગ્ર સુરત જિલ્લામાં ૮૯૫ જેટલા વરિષ્ઠ મતદાતાઓએ અરજી કરી હતી.સુરત જિલ્લામાં સમાવિષ્ઠ ૧૬ વિધાનસભાના મતદાર મંડળમાં ૮૦ વર્ષ ઉપરના ૬૨,૦૩૭ વરિષ્ઠ મતદારોને બી.એલ.ઓ.ઓફિસર દ્વારા ઘેર બેઠા પોસ્ટલ બેલેટના માધ્યમથી ઘરબેઠા મતદાનની સુવિધા ભારત ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. 

૧૯૩૨ શાળા ના પાંચ લાખ વિદ્યાર્થી ઓ એ વાલી ઓ ને મતદાન માટે સંકલ્પબધ્ધ કર્યા

0
પાંચ લાખ વિદ્યાર્થી ઓ એ વાલી ઓ ને મતદાન માટે

પાંચ લાખ વાલીઓ મતદાન માટે સંકલ્પબધ્ધ થયા…..

સુરતઃરવિવારઃ સુરત જીલ્લા માં સમાવિષ્ઠ વિધાન સભા મતદાર મંડળ માં તા.૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા દ્વારા “સ્વિપ” અનુસંધાને મતદારો માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અનુસંધાને જિલ્લામાં પાંચ લાખ માતા પિતા એવા વાલીઓ એ આગામી તા.૧/૧૨/૨૦૨૨ ના રોજ પહેલાં મતદાન પછી બીજું કામના સંકલ્પ કર્યો છે

           ચૂંટણી મતદાન જાગૃતિ માટેના સ્વીપ નોડલ અધિકારીશ્રી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ડો.દીપક દરજી એ વિગતો આપતા જણાવ્યું હતું કે સૂરત શહેર અને જિલ્લામાંની ૧૯૪ ગ્રાન્ટેડ શાળાઓ, ૮૦૦ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ, ૯૩૮પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પોતાના વાલીઓને મતદાન કરવા માટે સંકલ્પબધ્ધ કરવા ૫ લાખ  સંકલ્પ પત્રો અપાયા હતા. જેમાં વાલી દ્વારા સંકલ્પબદ્ધ થઈ અને સહી કરીને શાળામાં પરત કર્યાં તે મુજબ પાંચ લાખ વાલીઓએ મતદાન કરવા મક્કમતા વ્યક્ત કરી હતી.તે મુજબ શાળાના વિદ્યાર્થીઓના માધ્યમથી પાંચ લાખ વાલીઓમાં પહેલાં મતદાન પછી બીજું કામની જાગૃતિ કેળવવામાં સફળતા મળી હતી.

સચીન ના હોટલ શું ગેરકાયદેસર ની કામગીરી માટે નું અઠ્ઠા

0

સુરત, સુરત-નવસારી ના આસપાસ માં ચલતા હોટલ માં શું ગેરકાદેસર ની કામગીરી માટે ની અઠ્ઠા અથ બની ગયા છે. શું સ્થાનિક પુલીસ આ હોટલ ઉપર ની કામગીરી ઉપર કોઈ પણ પ્રકાર નું કાયદાકીય નીતિ-નિયમ નું પણ ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. જેની તપાસ કરવા જરરિયાત છે.

હાલ માં જ સ્થાનિક સગીરાના મોત બાદ સચિન જીઆઈડીસી પુલીસ પણ જુદી-જુદી કલમ હેઠળ ફરિયાદ નોધવામાં આવેલ છે. પણ આવું ઘટના બની તે પહેલા રોકી શક્ય જેના માટે સ્થાનિક આગેવાન , અને સામજિક વ્યકિતઓ ને આગળ આવું પડે. હોટલ ના નામે અમુક હોટલ માં રીતસર કાયદાકીય નીતિ-નિયમ નું ઉલ્લંઘન કરી. નોકરી માટે આવતું કે સ્થાનિક લોકો ના ગેરકાયદેસર રીતે નું પ્રવુતી સાથે શંકાસ્પદ કામગીરી માં સામેલ હોય તેવું લગી રહ્યા છે.

હોટલ માલિક ની જોડે વાત

જેમાં એક હોટલ ના મેનેજર જોડે ટેલિફોનિક બાત માં એમ પણ જણાવ્યું કે અમે સ્થાનિક પ્રશાસન ની પણ અંગત રીતે સંભાણ કરતા હોવા થી અમને આ કામગીરી અંગે કોઈ પણ તકલીફ આવતું નથી.