Home Blog Page 70

સુરતની ૩૦૦થી વધુ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ

0
શાળાના વિદ્યાર્થીઓએ નાટક ભજવી તેમજ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો

વનિતા વિશ્રામ તથા ટી.એન્ડ ટી.વી.હાઈસ્કૂલ ખાતેથી ફ્લેગ ઓફ આપી રેલીને પ્રસ્થાન કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓક

શાળાના વિદ્યાર્થીઓએ નાટક ભજવી તેમજ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો.

સુરતઃમંગળવારઃ સુરત જિલ્લામાં આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઇનમાં મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે જનજાગૃત્તિના પ્રયાસો વેગવાન બન્યા છે, ત્યારે સુરત શહેરની ૩૦૦થી વધુ માધ્યમિક/ઉ.માધ્યમિક શાળાઓમાં મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. અઠવાલાઇન્સની વનિતા વિશ્રામ હાઇસ્કુલ તથા નાનપુરા સ્થિત ટી. એન્ડ ટી.વી. હાઈસ્કુલથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા ફ્લેગ ઓફ આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક ભજવી તેમજ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

           આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, ૧લી ડિસેમ્બરના રોજ સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકમાં મતદાન થનાર છે. જેમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન કરવા પ્રેરાય એ હેતુથી વિદ્યાર્થીઓની રેલીઓ થકી મતદાન જાગૃતિનો પ્રયાસ કર્યો છે એમ જણાવી લોકશાહીના આ મહાપર્વમાં સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ, શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાય એવી અપીલ તેમણે કરી હતી. 
                કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું કે, વિવિધ દેશોમાં સ્ત્રી-પુરૂષોને સમાન મતાધિકાર આપવામાં આવ્યો નથી, જ્યારે ભારતમાં બંધારણના અમલ સાથે સ્ત્રી-પુરૂષ બંનેને કોઈ વિશેષ પ્રાવધાન વિના એકસાથે સમાન મતાધિકાર અપાયો છે એ આપણી લોકશાહીની સુંદરતા છે. નાગરિકનો મત રાષ્ટ્રનિર્માણનો પાયો છે. સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે લોકતાંત્રિક પ્રક્રિયામાં સફળતાપૂર્વક ભાગ લઇ આપણી લોકશાહીને વધુ મજબૂત કરવાનો દ્રઢ સંકલ્પ કરી લોકશાહીના અવસરને મતદાન કરી ઉજવણી કરીએ એવો અનુરોધ કર્યો હતો. 
વનિતાવિશ્રામ તેમજ ટી.એન્ડ.ટીવી હાઈસ્કૂલના સંચાલકશ્રી, આચાર્યશ્રી શિક્ષકોએ ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક અને અન્ય ચૂંટણી અધિકારીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું 
                   નોંધનીય છે કે, આજે એક જ સમયે સુરત શહેરની ૩૦૦ માધ્યમિક શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ મતદાનના સંદેશ સાથે શહેરમાં રેલીમાં જોડાયા હતા.
આ પ્રસંગે અધિક જિલ્લા ચુંટણી અધિકારીશ્રી વિનેશ બાગુલ, ૧૬૫-વિધાનસભા મતવિસ્તારના ચુંટણી અધિકારી અને જમીન સુધારણાના નાયબ કલેક્ટરશ્રી મિતેષ પટેલ, મામલતદાર સર્વશ્રી દલપતભાઈ બ્રામણકાચ્છ, ડી.એમ.બગસરિયા, સ્ટેમ્પ ડ્યુટી ડે.કલેક્ટરશ્રી રાજેશ ભોગાયતા, મેજિસ્ટ્રેટ શાખા મામલતદારશ્રી વિશાલ પટેલ, મામલતદાર પીઆરઓશ્રી ડી.કે.સોજીત્રા સહિત વનિતા વિશ્રામ ઉ.મા.શાળાના આચાર્ય, ટી.એન્ડ.ટી.વી શાળા આચાર્યશ્રી અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલ: મેહુલ વાંઝવાલા) 

મતદાનના દિવસે રાજકીય પક્ષો, ઉમેદવારો, ટેકેદારો માટે મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં જરૂરી પ્રતિબંધો

0

સુરતઃમંગળવારઃ તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ યોજાનારી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨માં મતદારો શાંતિથી મત આપી શકે તે માટે સુરત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા સમગ્ર સૂરત જિલ્લામાં તા.૧લી ડિસે.-મતદાનના દિવસે મતદાન મથકની અંદર તથા બહારના ૧૦૦ મીટરના અંતરમાં જરૂરી પ્રતિબંધ ફરમાવ્યા છે.

     જાહેરનામાં મુજબ મત માટે પ્રચાર કરવો, મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈ મતદારને મત આપવા માટે કોઈ મતદારને સમજાવવા, અમુક ઉમેદવારને મત આપવા માટે કોઈ મતદારને સમજાવવા, ચૂંટણીને લગતી(સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણું સંદેશાવ્યવહારના સાધનો લઈ જવાની, વાહનો સાથે આવવું(પરંતું અપંગ/અશકત વ્યકિતઓને લાગુ પડશે નહી.) જેવા કાર્યો પર પ્રતિબંધ છે. મતદાન મથકમાં મતદાન માટે આવેલા મતદાર, ઉમેદવાર તથા ચુંટણીપંચે અધિકૃત કરેલા અધિકારી સિવાયની વ્યકિતએ પ્રવેશ કરવો નહી.
           આ હકુમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. ઉપરાંત આવું મોબાઈલ/ડિવાઈસ કબજે લઈ શકાશે. અપવાદ તરીકે ચુંટણીપંચે નિયુક્ત કરેલા ઓબ્ઝર્વર, મતદાન મથક ઉપર ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓને તેમની ફરજ પુરતી જ છુટ રહેશે. 

મતદાનના દિવસે ઉમેદવાર, રાજકીય પક્ષોની ફોર વ્હીલ ગાડીમાં ડ્રાઈવર સાથે પાંચ વ્યકિત જ બેસી શકશે

0

સુરતઃમંગળવારઃ આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨ને અનુલક્ષીને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકએ એક જાહેરનામા દ્વારા સુરત જિલ્લામાં જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે.

     જાહેરનામા અનુસાર કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદાનના દિવસે ફોર વ્હીલ ગાડીમાં ડ્રાઈવર સાથે પાંચ વ્યકિતથી વધારે બેસી શકાશે નહી તેમજ ઉમેદવાર અથવા તેના એજન્ટ માટે ફાળવવામાં આવેલ વાહનનો ઉપયોગ કોઈ બીજી વ્યકિત દ્વારા કરી શકશે નહી. મતદાનના દિવસે કોઈપણ ઉમેદવાર તેમના મતક્ષેત્રદીઠ એક વાહન પોતાના ઉપયોગ માટે, એક વાહન તેમના એજન્ટ માટે તેમજ વધારામાં એક વાહન તેમના કાર્યકર્તાઓ અથવા પક્ષના કાર્યકર્તાઓ માટે વાપરી શકશે.
           મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદારોને મતદાન મથકે નિઃશુલ્ક લઈ જવા તથા પરત લાવવા વાહન પુરુ પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનઅધિકૃત દબાણ/પ્રલોભન ઉભુ કરવા સામે મનાઈ ફરમાવી છે.
          વાહનોમાં ટ્રક, ટેમ્પો, કાર, ટેક્ષી, વાન, ત્રણ પૈડાવાળા વાહનો, સ્કુટરો, રીક્ષા, મીની બસ, ટ્રેલર કે તે વિનાનું ટ્રેકટર, સ્ટેશન વેગન તેમજ યાંત્રિક શકિતથી ચાલતા અન્ય વાહનોનો સમાવશે થશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. 

ચૂંટણીના દિવસે જિલ્લામાં રાજકીય પ્રકારના એસ.એમ.એસ. મોકલવા પર પ્રતિબંધ

0

સુરતઃમંગળવારઃ આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨ અનુલક્ષીને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકએ એક જાહેરનામા દ્વારા પોલીસ કમિશનરના હકુમત સિવાયના સમગ્ર સુરત જિલ્લા વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેના ચુંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યકિતએ મતદાન દિવસ તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ એસએમએસ મોકલવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તરીકે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદારોને પ્રોત્સાહિત કરવા, ભારતના ચુંટણી આયોગના સક્ષમ સત્તાધિકારી દ્વારા કરવામાં આવતા એસ.એમ.એસ.ને લાગુ પડશે નહી. જેથી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

મતદાનના દિવસે રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો માટે મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં જરૂરી પ્રતિબંધો રહેશે

0
કેન્દ્રીય નાયબ ચૂંટણી કમિશનર હૃદેશ કુમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

સુરતઃમંગળવારઃ સુરતની ૧૬ વિધાનસભામાં આગામી તા.૧લી ડિસેમ્બરે મતદાન થશે, ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા મતદાનના દિવસે મતદાન મથકોએ મતદારો શાંતિથી મત આપી શકે, મતદાન મથકથી ૨૦૦ મીટર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયંત્રણો ફરમાવ્યા છે. જાહેરનામા અન્વયે સમગ્ર સુરત જિલ્લાના દરેક મતદાન મથકોએ મતદાનના દિવસે કોઈપણ પક્ષના રાજકીય પક્ષ અને ઉમેદવાર તેના ચુંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યકિતએ મતદાન મથકથી ૨૦૦ મીટરની હદમાં મતદારોને મતદાર યાદીનો ક્રમ નંબર કાઢી આપવા કે કાપલી લખી આપવા માટે તેમના કેમ્પ ઉભા કરવા પ્રતિબંધ ફરમાવ્યો છે.

મતદાન મથકે એકથી વધુ મતદાન મથકો હોય તેમ છતાં દરેક મતદાન મથકો ઉપર ૨૦૦ મીટરની બહાર ફ્કત એક કેમ્પ (જેમા એક ટેબલ અને બે ખુરશી અને છાયડા માટે છત્રી કે તાડપત્રી કે કંતાનથી (ઢાંકેલુ)) બનાવવાનું રહેશે. બુથને ચારે બાજુ કંતાન વડે બંધ કરી શકાશે નહિ. જે ઉમેદવારને આવા કેમ્પ ઉભા કરવાની ઈચ્છા હશે તેઓએ સંબંધીત ચુંટણી અધિકારીને તે કયા કયા મતદાન મથકોએ આવા કેમ્પ ઉભા કરવા માગે છે તેની યાદી આપી સ્થાનિક સત્તા મંડળની લેખિત પરવાનગી મેળવવાની રહેશે. આવા કેમ્પનો ઉપયોગ મતદાઓને ઉમેદવારના નામ કે પ્રતિક કે પક્ષના નામ વગરના સફેદ કાગળ ઉપર ચુંટણી પંચે આપેલ સૂચના મુજબની કાપલી આપવા કરી શકાશે. ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જાઈએ. તેની ઉપર કોઈ પોસ્ટર, વાવટા, પ્રતિકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શીત કરી શકાશે નહિ. કેમ્પ ખાતે કોઈ ખાદ્ય સામગ્રી આપી શકાશે નહિ કે ટોળા ઉભા કરી શકાશે નહિ. આવા કેમ્પ ઉપર મતદારોના ટોળા એકત્ર થવા દેશે નહિ કે મતદાન કરી આવેલા મતદારને ઉભા રહેવા દેશે નહિ. મતદારોને મતદાન મથકે પ્રવેશ કરવામાં અડચણ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન રાખશે. ૧૦૦ મીટરની હદમાં મોબાઈલ ફોન્સ, કોર્ડલેસ ફોન્સ, વાયરલેસ સેટસ લઇ પ્રવેશ કરી શકાશે નહિ. અપવાદ તરીકે કાયદો અને વ્યવસ્થાન સાથે સંકળાયેલા અધિકારીઓ તેમજ અન્ય સ્ટાફગણને હુકમ લાગુ પડશે નહી. આ જાહેરનામું ૪/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ દિવસો ‘ડ્રાય ડે’ તરીકે જાહેર: દારૂ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ

0
khabarchhe.com

સુરતઃમંગળવારઃ આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની સમાન્ય ચુંટણી-૨૦૨૨માં મતદારો નિર્ભયપણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે, ઉમેદવારો કે રાજકીયપક્ષો દ્વારા મતદારોને પ્રલોભનરૂપે દારૂ તેમજ નશાયુકત પદાર્થ આપે નહી અને ચૂંટણીનું કામ નિષ્પક્ષ રીતે પાર પડે તેવા આશયથી સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.

જાહેરનામા અનુસાર સુરત જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં આવેલા દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ, કલબ વગેરેને તથા કલબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓને દારૂ રાખવાનું અને પુરો પાડવાનું લાયસન્સ આપવામાં આવ્યું હોય, તેમજ વ્યકિતગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમીટ આપી હોય તેવી વ્યક્તિઓએ તા.૨૯/૧૧/૨૦૨૨ થી તા.૦૧/૧૨/૨૦૨૨ સાંજ સુધી તથા મતગણતરીના દિવસે એટલે કે તા.૦૮/૧૨/૨૦૨૨ના રોજ દારૂ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને આ સમયગાળાને ‘ડ્રાય ડે’ તરીકે જાહેર કર્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

સુરત જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં મતદાન જાગૃતિ રેલી યોજાઇ.

0

પ્રાથમિક શાળાના બાળકોએ ચિત્રો, રંગોળી,પોસ્ટર બનાવી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો.

સુરતઃરવિવારઃ સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા મતદાર મંડળમાં તા.૧/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી મતદાનથી યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે સૂરત જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં સૌ નાગરિકો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ માંડવી, કામરેજ, ઓલપાડ, ઉમરપાડા, બારડોલી, પલસાણા, ચોર્યાસી તાલુકાના તમામ ગામોની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા એક મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુત્રોચાર અને બેનરોથી ગામમાં મતદાન માટે સૌને જાગૃત કરવામાં આવ્યા હતા.

            આ જાગૃતિ અભિયાન માટે શિક્ષણ વિભાગના તમામ સી.આર.સી. તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી દિપક દરજી દ્વારા સુચારુ આયોજન કરી રેલી તથા કાર્યક્મને સફળ બનાવ્યો હતો. જ્યારે તમામ ગ્રામિણ વિસ્તારોમાંની પ્રાથમિક શાળાના શિક્ષકોની કામગીરી સરાહનીય રહી હતી. તમામ બાળકોએ ઉત્સાહ ભેર રેલીમાં ભાગ લીધો હતો. પ્રાથમિક શાળાના બાળકોએ મતદાન જાગૃતિ માટે ચિત્રો,રંગોળી,અને પોસ્ટર પણ બનાવ્યા હતા.

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સંગીતના સુરો સાથે મતદાર જાગૃતિ અભિયાનનો સમાપન કાર્યક્રમ યોજાયો

0

યુવાનોએ જવાબદાર નાગરિક તરીકે આ ચુંટણીમાં સામૂહિક મતદાન કરવાના શપથ પણ લીધા.

સુરત:શનિવાર: કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી-ગુજરાત દ્વારા આયોજિત તથા વીર નર્મદ યુનિવર્સિટીના સહયોગથી યુનિવર્સિટીના ગ્રંથાલય ખાતે ત્રિદિવસિય મતદાર જાગૃતિ અભિયાનના છેલ્લા દિવસે વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓનું રસપ્રદ આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે સંગીતના સુરો સાથે મતદાર જાગૃતિ અભિયાનનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો.

      વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના લોકતંત્રના સૌથી મોટા અવસર સમાન આગામી ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર મતદાન કરે એ માટે વીર નર્મદ યુનિવર્સિટીમાં આયોજિત ત્રિદિવસીય મલ્ટીમીડિયા મતદાન જાગૃતિ અભિયાનનું સમાપન થયું હતું. જેમાં આજ રોજ સુરતના કિશનભાઈના ‘મનવંતર’ મ્યુઝિકલ બેન્ડ દ્વારા દેશ ભક્તિગીતોની સૂરાવલિ સાથે નવયુવાનોને જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. યુવાનોએ જવાબદાર નાગરિક તરીકે આ ચુંટણીમાં સામૂહિક મતદાન કરવાના શપથ પણ લીધા હતા.
             અગ્રવાલ સમાજના સ્વયંસેવક નીરજ અગ્રવાલે યુવાઓને સોશ્યલ મીડિયાથી મિત્રો, સબંધીઓને ટેગ કરી મતદાન કરવાની અપીલ કરી હતી. યુનિવર્સિટીના એમ.કોમ અને બાયોટેક  વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપક તન્વી તમાકુવાલાએ મતદાર જાગૃતિ ચર્ચા અને પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
              અંતિમ દિને પ્રદર્શન સ્થળ પર મેહુલ ફાઉન્ડેશન-હિંમતનગરના કલાકારોએ મનોરંજન સાથે મતદાન જાગૃતિ નાટકની પ્રસ્તુતિ કરી હતી. ચર્ચા તેમજ સ્પર્ધાઓમાં સહભાગી બનેલા વિદ્યાર્થીઓ-નાગરિકોને કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર દ્વારા ઈનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા. આ સાથે સિગ્નેચર કેમ્પેઈન, સેલ્ફી પોઈન્ટ, રેલી, નાટ્ય પ્રસ્તુતિ, મતદાર જાગૃતિનો સંદેશ આપતી નોન વુવન બેગ અને મતદાન પ્રચાર સામગ્રીનું વિતરણ, મતદાન શપથ સહિતની પ્રવૃતિઓ યોજાઈ હતી. 
            સમાપન સમારોહના ઈન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરિચ કાર્યક્રમમાં અભૂતપૂર્વ સહયોગ બદલ સુરત જિલ્લા ચૂંટણી તંત્ર, કુલપતિશ્રી કે.એન.ચાવડા તેમજ રજિસ્ટ્રારશ્રી આર.સી.ગઢવી, યુનિવર્સિટીના તમામ વિભાગના વડાઓ, અધ્યાપકો વિદ્યાર્થીઓ, સમગ્ર સંચાલક મંડળનો માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરોના પ્રચાર અધિકારી શ્રી જે.ડી.ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો હતો. 

સમગ્ર સુરત જિલ્લાની તમામ ૧૬ વિધાનસભા દીઠ ૧-૧ દિવ્યાંગ મતદાન મથકની રચના કરાશે

0

દિવ્યાંગ મતદાન મથકમાં ચૂંટણીલક્ષી તમામ ફરજો દિવ્યાંગ કર્મચારીઓ નિભાવશે.

‘ઈન્ક્લુઝિવ ઈલેક્શન્સ’ના ધ્યેય સાથે સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તકો મળે તેવો શુભાશય.

સુરત:શનિવાર: વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન થાય, મહત્તમ મતદારો મતાધિકારનું મૂલ્ય સમજી મતદાન કરવા પ્રેરાય એ માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. આ દિશામાં સમગ્ર રાજ્યમાં ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો અને નવતર પ્રયોગના ભાગરૂપે આ વખતે સુરત જિલ્લાની તમામ ૧૬ વિધાનસભામાં દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત ૧-૧ દિવ્યાંગ મતદાન મથકોની રચના કરવામાં આવી છે.

           ‘ઈન્ક્લુઝિવ ઈલેક્શન્સ’ના ધ્યેય સાથે સમાજના તમામ વર્ગોને ચૂંટણી પ્રક્રિયામાં સમાન તકો મળે તે હેતુથી વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજ્યના કુલ-૧૮૨ મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે એટલે કે રાજ્યના પ્રત્યેક મતદાર વિભાગ દીઠ એક દિવ્યાંગ મતદાન મથક બનાવવામાં આવશે. આ મતદાન મથકોમાં પોલીંગ સ્ટાફ જેમ કે પ્રિસાઈડીંગ ઑફિસર તથા પોલીંગ ઓફિસર તરીકે દિવ્યાંગ અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે. 
               દિવ્યાંગ સશક્તિકરણને પ્રોત્સાહિત કરતા આવા મતદાન મથકોની સુરત જિલ્લાની વિગતો જોઈએ તો  ૧૫૫-ઓલપાડ વિધાનસભામાં ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે પ્રા.શાળામાં બુથ નં.૬૯, ૧૫૬-માંગરોળ વિધાનસભામાં માંગરોળ તાલુકાના મોસાલી-૧ ગામે પ્રા.શાળામાં બૂથ નં.૫૨, ૧૫૭-માંડવી વિધાનસભામાં માંડવી તાલુકાના વરઝાખણ-૧ ગામે પ્રા.શાળામાં બુથ નં.૧૮૮, ૧૫૮-કામરેજ વિધાનસભામાં કામરેજ તાલુકામાં વિઝ્ડમ ઈન્ટરનેશનલ શાળામાં બુથ નં. ૩૫, ૧૫૯-સુરત પૂર્વ વિધાનસભામાં નાનપુરામાં જીવનભારતી હાયર સેકન્ડરી શાળાના બુથ નં.૧૭૪, ૧૬૦ સુરત ઉત્તર વિધાનસભામાં કતારગામ ખાતે સુમન હાઈસ્કુલમાં બુથ નં.૨૩, ૧૬૧-વરાછા વિધાનસભામાં કાપોદ્રાની સાધના વિદ્યાલય પ્રાઈમરી શાળામાં બુથ નં.૨૪, ૧૬૨-કરંજ વિધાનસભામાં નવચેતન વિદ્યાલયમાં બુથ નં.૪૫, ૧૬૩-લિંબાયત વિધાનસભામાં ડુંભાલ ખાતે શારદા વિદ્યાલયમાં બુથ નં.૯૭, ૧૬૪-ઉધના વિધાનસભામાં આર.એન.નાયક બુથ નં.૮૫, ૧૬૫-મજુરા વિધાનસભામાં અઠવાલાઈન્સ ખાતે લૂડ્ઝ કોન્વેન્ટ શાળામાં બુથ નં.૮, ૧૬૬- કતારગામ વિધાનસભામાં સિંગણપુર ખાતે નાગરા પ્રાથમિક શાળામાં બુથ નં.૬૮, ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભામાં જહાંગીરાબાદ ખાતે પોદ્દાર ઈન્ટરનેશનલ શાળામાં બુથ નં.૨૧, ૧૬૮-ચોર્યાસી વિધાનસભામાં વેસુ ખાતે હિલ્સ હાઈસ્કૂલમાં બુથ નં.૪૧૦, ૧૧૯-બારડોલી વિધાનસભામાં ખોજ ગામે ખોજપારડી પ્રાથમિક શાળામાં બુથ નં.33 તેમજ ૧૭૦-મહુવા વિધાનસભામાં કાછલ ગામે પ્રાથમિક શાળામાં બુથ નં.૧૭૨ને દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.
             આ મથકોમાં ચૂંટણીલક્ષી તમામ ફરજો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા નિભાવવામાં આવશે. આ પ્રયોગથી દિવ્યાંગ સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ તો પૂરું પાડવામાં આવશે જ સાથે લોકશાહીના પર્વમાં પોતાનું અમૂલ્ય યોગદાન હોવાની સંતોષકારક લાગણી પણ દિવ્યાંગજનો અનુભવશે.

સુરત જિલ્લાના પલસાણા ખાતે આવો આપણા બંધારણને જાણીએ’ વિષય પર જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

0

યુવાનોને બંધારણના મહત્વથી માહિતગાર કરાયા: મુંબઈના ૨૬/૧૧ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ.

સુરત:શનિવાર: ભારત સરકારની સંસ્થા નેહરુ યુવા કેન્દ્ર- સુરત દ્વારા ભારતીય બંધારણ દિવસ નિમિત્તે યુવાઓમાં દેશના બંધારણ પ્રતિ જાગૃત્તિ, યુવાઓના હક-અધિકાર, કર્તવ્યબોધ વિકસે એવા હેતુસર પલસાણા તાલુકાના SDJ ઈન્ટરનશનલ કૉલેજમાં ‘આવો આપણા બંધારણને જાણીએ’ વિષય પર જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પલસાણા તાલુકાના ૧૫૦થી વધુ યુવાઓ-છાત્રો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

       કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને બંધારણની ઝલક દર્શાવી બંધારણની પ્રસ્તાવનાથી વાકેફ કરવામાં આવ્યા હતા. સાથોસાથ ‘આપણું બંધારણ’ વિષય પર ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મુંબઈ ખાતે ૨૬/૧૧ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 
              આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, તાલુકા સ્વાસ્થ્ય અધિકારી ડૉ.મધુ કુમાર, SDJ કોલેજના સંજય જોશી પ્રધાનાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સ્વયંસેવક સત્યેન્દ્ર યાદવે કર્યું હતું.