Home Blog Page 66

સુરતના ઉધનામાં કેટરર્સના ગોડાઉનમાં 5 જેટલા સિલિન્ડર હતા, જેમાંથી એકમાં બ્લાસ્ટ થયો હતો.

0

સુરત,

સુરતના ઉધના સોનલ ઇન્ડસ્ટ્રીઝ રોડ સ્થિત ક્રિશ્ના નગર સોસાયટીમાં આવેલા કેટરર્સના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉન બંધ હતું તે સમયે ગેસ લીકેજ બાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી .

સવારે કેટરર્સનું ગોડાઉન બંધ હતું તે સમયે ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ બ્લાસ્ટ થયો હતો. ગોડાઉનમાં 5 જેટલા સિલિન્ડર હતા. જેમાંથી એકમાં બ્લાસ્ટ થયો હતો. જ્યારે બાકીના 4 સામાન્ય સળગ્યા હતા. બીજી તરફ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા બાજુમાં રહેલું મકાન પણ આગની ઝપેટમાં આવી રહ્યું હતું પરંતુ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ આગના કારણે કેટરર્સના ગોડાઉનમાં રહેલા રસોડાના સરસમાનને નુકશાન થયું હતું.

અશ્લીલ વીડિયો જોવાની ના પાડતા પતિએ પત્નીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી.

0
કાજલ કિશોરભાઇ પટેલ (ઉ.વ.25)

સુરત,શહેરના કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાયટીમાં પતિ દ્વારા જોવાતા અશ્લીલ વીડિયો પત્નીના મોતનું કારણ બન્યો છે. પતિ-પત્ની વચ્ચે અશ્લીલ વીડિયોને કારણે થયેલા ઝઘડામાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી દીધી હતી. પત્નીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઝઘડાની રાત્રે દંપતીએ આઇસક્રીમ ખાધો હતો. સવારે ફરી ઝઘડો શરૂ થતાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

પોર્ન વીડિયો જોવાની ટેવ ઘરાવતા પતિને પત્નીએ ટોકતા પતિએ ઉશ્કેરાઈને પત્નીની હત્યા કરી નાખી હતી. હત્યા કરનાર કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી. અશ્લીલ વીડિયો બંને વચ્ચે ઝઘડાનું કારણ બન્યા હતા. પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હતો જેના કારણે ઝઘડો થતો હતો. ચોક બજાર પોલીસે આરોપી પતિ કિશોરની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

કતારગામના 51 ફાર્મહાઉસના આકારણી કૌભાંડ

0

11 સર્વેયરને નોટિસ,પાલિકાને 30 કરોડનો ચૂનો

કતારગામ ઝોનમાં કેટલાક ફાર્મ હાઉસની આકારણી દફતરે ચઢાવાઈ નથી ઉપરાંત ઓછી આકારણી દર્શાવી.

કતારગામ ઝોનના આકારણી વિભાગના તત્કાલીન 11 સર્વેયરોને શો-કોઝ નોટિસ ફટકારાતા ફફડાટ ફેલાયો છે. જો કે, ઉચ્ચ અધિકારીઓની મંજૂરી બાદ જ સરકારી ચોપડે આકારણી ચડતી હોવા છતાં નાના કર્મીઓને જ નોટિસ અપાતાં સર્વેયરોમાં રોષ પણ ફેલાયો છે. આ પ્રકરણમાં ફાર્મ હાઉસના કુલ ક્ષેત્રફળમાં ગાર્ડન અને પાર્કિંગ એરિયાની આકારણીઓમાં સ્થળ પર વિસંગતતાઓ જોવા મળી હતી. પાલિકાની તિજોરીને વર્ષે દહાડે 6 કરોડ રૂપિયા જેટલા નુકસાનનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જેથી છેલ્લા 5 વર્ષની ગણતરી માંડી પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ઓરિજનલ અને રિવિઝન એસેસમેન્ટનું ક્રોસ વેરિફિકેશન હાથ ધર્યું છે. સર્વેયરોને અપાયેલી શોકોઝ નોટિસ બાદ સંભવતઃ આગામી દિવસોમાં આકારણી કૌભાંડની સ્ફોટક માહિતી સામે આવવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.

આકારણી સર્વેયર મિલકતની સ્થળ સ્થિતિ મુજબ રહેણાક અને કોમર્શિયલ કોડ સાથે ઓરિજનલ માપના સર્વે બાદ ફાઇલ મુકે છે. આ ફાઇલ તેમના સુપરવાઇઝર પાસે જાય છે ત્યારે મિલકતમાં કોઇ ક્વેરી હોય તો સ્થળ પણ વેરિફાઇ કરવું પડે છે, પછી ફાઇલ ચેક કરી સુપરવાઇઝર સહી કરે છે. ત્યાર બાદ આકારણી ફાઇલ સેક્શન ઓફિસર પાસે જાય છે તે ચેક કરી સહી કરે છે. તેમ છતાં પણ તે ફાઇલ ત્યાં સુધી ફાઇનલ નથી થતી. જ્યાં સુધી ARO ચેક કરી સહી ન કરે. AROની સહી પછી ફાઇલ ફિલ્ડ બુક ક્લાર્ક પાસે જાય છે. તે અરજીના ડેટા અને કોડ પ્રમાણે કમ્પ્યુટરમાં ફિલઅપ કરે છે, પછી તે ડેટા પર SOની એપ્રુવલ માંગવામાં આવે છે. તેમની મંજૂરી બાદ AROની એપ્રુવલ લેવાય છે. ત્યાર બાદ પણ મિલકતદારના નામ સાથે ખાસ નોટિસ નીકળે છે, જેનો 15 દિવસની મુદ્દતમાં વાંધો રજૂ કરવાનો હોય છે. ત્યાર બાદ જ આકારણી ફાઇલ ચોપડે ચઢે છે.

પ્લોટ બુકીંગ ના નામે બોર્ડ મારી છેતરપિંડી કર્તા ડેવલોપર.

0

સુરત, સુરત ગુજરાત માં આવેલ રાજ્ય ના જિલ્લાઓ માં પ્લોટ બુકિંગ ના નામે બોર્ડ મારી છેતરપિંડી કર્તા ડેવલોપર અને સાથે સુરત જીલ્લા બહાર ભરૂચમાં પ્લોટ બુકિંગના નામે રૂપિયા પાડવી ને મી. ઈન્ડીયા ની ભૂમિકામાં માં કામગીરી કર્તા ડેવલોપર ઊપર સ્થાનિક પુલીસ પ્રશાસન,રાજનીતિ ઓળખાણ, અને પોતના ગુર્ગા ઓ રાખી સામન્ય વ્યકિતઓ ને હેરાનગતિ કર્તા હોય છે.

જબુંસર પ્લોટ ના બુકિંગ કરનાર ગાયબ થઈ ગયા.

જંબુસર તાલુકો દક્ષિણ ગુજરાત ના ભરૂચ જીલ્લા નો તાલુકો છે. જબુંસર આ તાલુકાનું મુખ્યમથક છે.ભરૂચ જીલ્લાના તાલુકાઓ પૈકી જંબુસર તાલુકો તેની કેટલીક વિવિધતાઓથી અલાયદો તરી આવે છે. જંબુસર તાલુકો દરીયાઈ સીમાથી સુરક્ષીત છે. તાલુકા ઉત્તર દિશામાં મહીસાગર તથા દક્ષિણે  ઢાઢર નદી છે. તાલુકાના પર્યાવરણની રીતે પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ આમ બે વિભાગ સ્પષ્ટ થાય છે. પૂર્વ વિભાગનો કેટલોક પ્રદેશ વાકળ પ્રદેશ છે જેના કારણે ધટાદાર વૃક્ષોનો પ્રદેશ છે. જયારે પશ્ચિમ વિભાગ કુદરતી પરીબળોનો સામનો કરવા ટેવાયેલો છે જેને બારા વિભાગ કહેવામાં આવે છે. ક્ષારવાળી જમીન અને અતિવૃષ્ટિ તથા અનાવૃષ્ટિના સંજોગોમાં આ પ્રદેશ કુદરતી મુશ્કેલીઓ સહન કરે છે.

જેની માહિતી લોકો થી ગુપ્ત (છુપાવી) રાખી ને તેના પ્લોટ ના વેચાણ કરવામાં આવે છે.

સમસ્યાઓ

જેમાં પુલીસ ફરીયાદ કરવામાં આવે તો જમીન બાબત ની કોર્ટ માં જવાની સલાહ આપવામાં આવે છે. પણ જે તેમાં કોઈ મહિલાઓ હોય તો તેની આબરુ પોતાની ઓફીસ માં બુલાવી ને લુંટી લેવામાં આવે છે.અને જો તેની ફરીયાદ કરવા માટે પુલીસ સ્ટેશન માં જાય તો પુલીસ વિભાગ માં સેટિંગ્સ.કોમ હોવાથી જેની કોઈ પણ ફરીયાદ પણ લેવામાં આવતું નથી. પણ સ્થનિક પુલીસ ના અમુક સ્ટાફના સંડોવણી, મીલીભગત , ભાગીદારી હોવાથી ફરિયાદી ને જ ભૂલો નીકળી ને હેરાનગતિ કરવામાં આવે છે.

જેમાં સુત્રો પાસે થી જાણવા મળેલ છે. કે હાલ માં અમુક સમય પહેલા લોકો ને જબુંસર ના નામે સસ્તા ભાવે પ્લોટ ના બુકીંગ માટે ની રૂપિયા લીધા પછી ડેવલોપર અને એજન્ટો, દલાલો, અને ઓફીસ ખુલનાર ગાયબ થઈ ગયા. જેમાં ઘણી ફરિયાદ પણ સામાન્ય વ્યકિતઓ તરફ થઈ કરવામાં આવેલ હતા. પણ કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ નથી.

સલાહ અને સુચનો

જેમાં પુલીસ ની ભૂમિકામાં જો પોતના વિસ્તારમાં ચાલતા ઓફીસ ની તપાસ કરવામાં આવે અને પુલીસ વિભાગ તરફ થી જમીન સંબંધિત ઓફીસ માં ગુજરાત રાજ્ય સરકાર ના નીતિ નિયમ મુજબ ની પાલન કરવામાં આવતું ન હોય તેવા ઓફીસ માં પુલીસ વિભાગ તરફ થી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તો અમુક હદ સુધી સામાન્ય વ્યકિતઓ ના શોષણ થતું અટકવી શક્ય.

જમીન સંબંધિત કોઈપણ બિલ્ડર અથવા ડેવલપર કોઈ પણ વ્યક્તિ સાથે ફ્રોડ અથવા છેતરપિંડી કરે…તો ખૈર નથી…

નોંધ : NCLT માં બિલ્ડરની મિલકત ઉપર ટાંચ થાય (Surfacy Act).

1) બિલ્ડર સમય પર પ્રોજેક્ટ પૂરો ના કરે,
2) બિલ્ડર ભાવ વધારો માંગે,
3) બિલ્ડર બિલ્ડિંગમાં અગાસી અથવા પાર્કિંગ વેચી નાખે,
4) બિલ્ડર ગૈર કાયદેસર બાંધકામ કરે,
5) બિલ્ડર નબળી વસ્તુ વાપરે,
6) બિલ્ડર 5 વર્ષની બાંધકામ ની વોરંટી ના આપે,
7) બિલ્ડર કોઈ પણ પરમિશન અને સર્ટિફિકેટ ના આપે,
8) બિલ્ડર ઓછી ગુણવત્તા વાળો માલ વાપરે,
9) બિલ્ડર G.‍S.T. અથવા બીજા વેરા ના ભરે,
10) બિલ્ડર ટાઈમસર કબ્જો ના આપે…

તો તુરંત સંપર્ક સાથે અરજી કરો….

email :[email protected]

યુપીવાસી યુવકને બિમારીની પીડાઅને રેલ્વે ની ટિકિટ કન્ફર્મ ન થઈ તો આપઘાત કરી લીધો.

0

સુરત,ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાનો વતની અને પુણાગામ સરદાર પોલીસ ચોકી પાસે રાજીવનગરમાં રહેતો 35 વર્ષીય નિલેશકુમાર રામઆશરે પ્રજાપતિ લુમ્સના કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવતો હતો.નિલેશકુમાર ઘણી વખત બિમાર થાય એટલે તેના વતન જતો રહેતો હતો.બિમાર હોવાથી તેને વતન જવું હતું. પણ વેઈટીંગ વધુ હોવાથી તેને કન્ફર્મ ટિકિટ મળતી ન હતી. નિલેશકુમારના ભાઈ રમેશકુમારે જણાવ્યું કે તાપ્તીગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસની ટિકિટ કાઢી હતી. પરંતુ બંનેમાં વધુ વેઇટિંગ હતું. પરંતુ ટિકિટ કન્ફર્મ ન થતા આખરે શનિવારે સાંજે નિલેશકુમારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેની તપાસ પુલીસ વિભાગ તરફ થી કરવામાં આવી રહ્યા છે.

બે વેપારી પાસેથી ઉધાર કાપડ ખરીદી કરી ને રૂ-1.66 કરોડની ઠગાઈ ની ફરીયાદ પુલીસમાં નોધાઇ.

0

સુરત,સુરત ના કપડા માર્કેટમાં દર કોઈ છેતરપિંડી ના ગુનાઓ પુલીસ ના ચોપડે નોધતા જ હોય છે. તેમ છતાં છેતરપિંડી કરનાર લોકો અનેકવાર નવી-નવી રીતે ઠગાઈ કરતાજ હોય છે. જેમાં હાલમાં અઠવા લાલબંગલાની બાજુમાં પુજા અભિષેક એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધવલ રમેશભાઈ ભાટીયા ઉધનામાં વેપ ફેબના નામથી ભાગીદારીમાં કાપડવેપાર કરે છે.2018માં કીમમાં રહેતા ધવલભાની પેઢી માટે કામ કરતા દલાલ રાજવીર રામકિશોર સિંહે ઉધનાના સત્યનગર ખાતે લક્ષ્મી એન્ટરપ્રાઈઝના નામે ધંધો કરતા મહેન્દ્ર કાશીરામ દલાલ અને પરવત પાટીયા રેશ્મા રેસીડેન્સી ખાતે દિશા ટ્રેડર્સના નામે પેઢી ધરાવતા મુકેશ અગ્રવાલ સાથી પરિચય કરાવ્યો હતો અને રેફરન્સ આપવાની સાથે પેમેન્ટની જવાબદારી લીધી વિશ્વાસ અપાવ્યો હતો.બાદ મહેન્દ્ર દલાલે બિલ ચલણથી રૂ. 2.47 કરોડનો માલ ખરીદ્યો હતો અને તે પૈકીના રૂ.92,75,240 ચુકવ્યા હતા. બાકીના 1.54 કરોડ ચુકવ્યા ન હતા. આ ત્રણેએ ધવલભાઈના મિત્ર હરીકેશ ધનબહાદુર સિંહની શિવશક્તિ એન્ટરપ્રાઈઝ પાસેથી રૂ.27,97,030નો માલ ઉધારમાં ખરીદી રૂ.11,44,891 ચુકવ્યા ન હતા. આમ બન્ને વેપારીઓ સાથે આ ત્રિપુટીએ રૂ.1,66,15,088ની છેતરપિંડી કરી હતી.

ઉધનાના બે વેપારી પાસેથી ઉધાર કાપડ ખરીદી 1.66 કરોડની ઠગાઈ કરતા પોલીસે 3 સામે ગુનો નોંધ્યો છે.

સુરત ખાતે આવેલ સચિન રેલવે સ્ટેશન ઉપર સ્ટેશન માસ્ટરની લાપરવાહી

0

સુરત-સચીન(સુરેશ મૌર્ય),સચીન ના રેલ્વે સ્ટેશન ઊપર ગુજરાત ના શરાબ બંધી માટે આશીર્વાદ રૂપ સ્ટેશન માસ્ટર ઇન્દ્રરાજ મીના. જે પોતાના સરકારી નોકરી ઉપરાંત અન્ય કામગીરી સ્ટેશન ઊપર થી આસપાસના વિસ્તાર સપ્લાઈ સ્ટેશન માસ્ટર પણ શું ભાગીદાર માં અગ્રેજી શરાબ ની યોગ્ય માહિતી ના જાણકાર આવે.

રેલ્વે ટીકીટ બુકીંગ માટે આવનાર લોકો ને ટોકન આપી ને પણ રકમ ની વસુલાત કર્તા હોય છે. તેવું અને ફરીયાદ અને તેના મેળાપીપણામાં થતું ગેરકાયદેસર ની કામગીરી.ટીકીટ ના પ્રિન્ટ રકમ થી વધારે રકમ વસુલાત કર્તા હોય. જેમાં તત્કાલ ટીકીટ માં વ સૌથી વધારે રકમ વસુલાત કરવામાં આવે છે.

મીડિયા તપાસ ના મુદા -૧

૧-સ્ટેશન પર આવતા પેસેન્જર સિવાય કોઈને પણ ફરિયાદ બુક ના આપતા ધાકધમકી આપી હેરાનગતિ કરવામાં આવતા. સમાન્ય લોકોને જે સંદર્ભમાં ફરિયાદ કરવા બાબતમાં સુરત સુધી જવું પડે છે.જે વાતને ફાયદો ઉઠાવીને સચિન રેલવે સ્ટેશનના માસ્ટર એવા અધિક અધિક્ષક ઇન્દ્રરાજ મીના કોઈપણ રજૂઆત સાંભળ્યા વગર ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા માટે જણાવે છે. જે સંદર્ભમાં વાતચીત કરતા ઓડિયો રેકોર્ડિંગ જાહેર જનતા સમક્ષ મુકવામાં આવેલ છે. જેથી અસ્પષ્ટ થાય છે કે સચિન રેલવે સ્ટેશન ઉપર ગુજરાતનું શરાબબંધી નો ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યો છે. તે બાબતની જાણ સચિન રેલવે સ્ટેશનના અધિક્ષક તેવા સ્ટેશન માસ્ટર ઇન્દ્રરાજ મીના ને ખબર હોવા છતાં કોઈપણ જાતનું પગલા કેમ નથી.કે કેમ આગળ લેખિત રજુઆત કર્તા નથી.જે બાબતમાં તપાસ કરવા માટે ઉચ્ચ અધિકારીઓ તરફથી ખાનગી રહે તપાસ કરવાનું રહે છે. તપાસ પછી છે. ખબર પડશે કે સચીન રેલ્વે સ્ટેશન ઊપર સ્ટેશન માસ્ટર એવા અધિક્ષક ઇન્દ્રરાજ મીના ની કામગીરી કેવી રીતેની છે.

જે પોતના ફરજ ઊપર હોય ત્યારે પણ પોતાના નામ અને પદ નામ કે છુપાવાની જરુંર પડે છે. જે તસ્વીર માં સ્પષ્ટ જોઈ શક્ય છે.

સચીન સ્ટેશન માસ્ટર અને સ્ટેશન અધિક્ષક ઇન્દ્રરાજ મીના

સચીન સ્ટેશન માસ્ટર અને સ્ટેશન અધિક્ષક ઇન્દ્રરાજ મીના સાથે ટેલીફોન ઊપર ની વાતચીત ની રેકોર્ડિંગ.

મીડિયા તપાસ ના મુદા -૨

બીજી તરફ સચીન સ્ટેશન પર બે ટિકિટ બારી હોવા છતાં લોકોને રિજર્વેશન ટિકિટ અને હાલ માં તત્કાલ રેલ્વે ટીકીટ લેવા માટે વધારે પૈસા ચૂકવવું પડે છે. તેવા પણ અનેક ફરિયાદો હોવા છતાં. કોઈપણ કાર્યવાહી સ્ટેશન માસ્ટર તરફથી ન કરવામાં આવતા. જે બાબતમાં મીડિયા તપાસમાં ટેલિફોનિક જાણ કરતા કામમાં વ્યસ્ત હોવાથી જવાબ ના આપી શક્યા પણ સ્ટેશન માસ્ટર ની જવાબદારી હોય છે કે કોઈપણ વ્યક્તિ કઈ રજૂઆતો હોય તો તે બાબતમાં જવાબદાર વ્યક્તિ તરીકે સ્ટેશન માસ્ટર જ જવાબ આપવા માટે બંધાયેલો હોય છે. પણ હાલ સચીન રેલ્વે સ્ટેશન ના માસ્ટર જ સ્ટેશન ઊપર ટીકીટ અને જરૂરિયાતમંદ લોકો થી વધારે રકમ ની વસુલાત કર્તા હોય તેવું અનેક ફરીયાદ હોવા છતાં.તેની રજુઆત સ્ટેશન ઊપર સંભાળતા નથી અને ફરીયાદ કરવા માટે સુરત સુધી જવાનું હોવાથી લોકો ફરીયાદ નથી કરતા હોય. જેનું ફાયદા સ્ટેશન ના જવાબદાર અધિકારીઓ ઉઠાવી લેતા હોય છે. જેથી અસ્પષ્ટ થાય છે કે સચિન રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી ઉચ્ચ અધિકારી તરફથી તપાસ કરવામાં આવે તો આખી હકીકત સામે શકે છે. જે ભષ્ટાચાર ની પરિભાષા માં આવતું હોવાથી તપાસ જરૃરી છે.

સચીન ના રેલ્વે ટીકીટ કાઉન્ટર

સચિનની વાઇબ્રન્ટ ઇંગ્લીશ સ્કુલમાં પ્રાથમિક સારવાર અને ફાયર સેફ્ટી વિશે બેઝિક તાલીમ અપાઈ

0

પ્રતિનિધિ સચિન : વાઇબ્રન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં બાળકોને, શિક્ષકોને પ્રાથમિક સારવાર અંગેની બેઝિક તાલીમ આપવામાં આવી જેમાં પ્રાથમિક સારવારના સાધનો વિશે જેની ઇજાઓ વિશે શરીરમાં જુદા જુદા ફેક્ચર થાય ત્યારે તાત્કાલિક પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી જેની તાલીમ આપવામાં આવી જેમાં દર્દી બીમાર હોય ત્યારે યા અકસ્માત થઈ ગયેલ હોય તેવા સમયે સ્ટેચર કેવી રીતના બનાવવું અને તેનો ઉપયોગ દર્દી ને લઈ જવામાં કેવી રીતના કરવો તેની ટ્રેનિંગ આપવામાં આવી સાથે સાથે ફાયર સેફટી માટે ના ઉપકરણોની જરૂરિયાત ક્યાં પડે છે અને આગ કયા કયા પ્રકાર ની હોય છે ને આગ લાગે ત્યારે આપણે કેવી રીત આગને ઓલવી આગ પર કાબુ મેળવી શકાય,

જેની પણ તાલીમ સ્કુલ ના મોટા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓ ને આપવામાં આવી. આ તાલીમ વાઇબ્રન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં સેવા બજાવતા અને સચીન હોમગાર્ડઝ યુનિટ ના જવાન પ્રકાશ મૌર્ય ( પ્લાટુન સર્જન) દ્વારા આપવામાં આવી જેમાં સ્કુલ ના ટ્રસ્ટી શ્રી અમિતભાઈ માથુર અને પ્રિન્સિપાલ શ્રી રામ થાપા સાથે સ્કુલ ના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ તાલીમ સ્કૂલના વિદ્યાર્થીઓએ બહુ જ ધ્યાન પુર્વક લીધી હતી.

સચિન ખાતે મહારાષ્ટ્ર મહિલા મંડળ દ્વારા હલ્દી કુંકું નો સફળ કાર્યક્રમ યોજાયો.

0

પ્રતિનિધિ સચિન : શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળ સચિન સુરત નાં મહારાષ્ટ્ર મહિલા મંડળ પ્રમુખશ્રી સૌ. પૂનમબેન પ્રકાશ ભાવસારનાં અધ્યક્ષ સ્થાને પ્રથમ વખતે મહિલાઓ દ્વારા આયોજિત સેક્રેટરીશ્રી સૌ. રેખાબેન લક્ષ્મણ પાટિલ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સૌ. સુમનબેન સંજય માને ખજાનચી નીતાબેન રાકેશ પાટીલ, સદસ્ય માયાબેન અશોક મોરે તથા અન્ય પદાધિકારી બહેનો દ્વારા વિવિધ મનગમતી સ્પર્ધાઓ સાથે સફળતા પૂર્વકનો આ પવિત્ર હલ્દી ફૂંકુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સચિન તથા આજુબાજુની ૨૦૦થી વધુ મરાઠી સુહાગન બહેનો પોતાના પરિવાર સહ ઉપસ્થિત રહી હતી.

જેથી મંદિરમાં વધુ ભીડ જામી હતી, સાથે બાળકોએ પણ એન્જોય કર્યું હતું, પ્રોજેક્ટ ડાયરેકટર સૌ. સુમન સંજય માનેના જણાવ્યા મુજબ આ વખતે ભજન સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો, હલ્દી ફૂંકુનાં વાન માં આ વખતે કોઈ વાસણ નાં સ્થાને ઘરમાં બરકત રહે એ હેતુથી પ્રથમ વાર તુલસી નો નાનો છોડ દરેક સુહાગન બહેનોને અર્પણ કરાયો છે. આ સાથે અમે ખૂબ એન્જોય કર્યું, સંગીત ખુરસી, ફુગડી, મરાઠી ગીતો ભજન, ડાન્સ અને ઉખાણાં જેવી રમતો રાખવામાં આવી હતી. સૌ.નીતા રાકેશ પાટીલ ખજાનચી એ કહ્યું કે આ વખતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમે મહિલા મંડળ દ્વારા જ કરવામાં આવ્યું અને અનેક બહેનોએ સારો એવો રોકડ ફાળો આપ્યો જેનાથી કાર્યક્રમ સફળ બન્યો. પ્રમુખ સૌ.પૂનમ પ્રકાશ ભાવસાર અને મહા મંત્રી સૌ. રેખા લક્ષણ પાટિલે કહ્યું કે, સુરત સચિન કનકપુર જેવા ગામ શહેરમા વસતા મહારાષ્ટ્રીયન પરિવારની સૌભાગ્યવતી બહેનો માટે ખાસ હલદી- કંકુનો આ કાર્યક્રમ દર વર્ષે ધામધૂમથી યોજવામાં આવે છે તેમ આ વર્ષે પણ યોજવામાં આવ્યો છે, આ વર્ષથી અમે જાન્યુ ૨૩ થી ડીસે ૨૩ એક વર્ષની સદસ્ય ફી ફક્ત ૫૦ રૂપિયા નક્કી કરી છે. આ વખતે કાર્યક્રમમાં સહુ માટે પ્રસાદી રૂપે નાસ્તો સૌ. આરતીબેન દીપકભાઈ ચૌધરી તરફથી રહ્યો, તિલગુલ લાડુ સૌ સુમનબેન માને તરફથી, માઇક સેટ પાણી અને પ્રોત્સાહિત ઇનામો વગેરે સૌ. પૂનમબેન ભાવસાર તરફથી હતું સહુનો આભાર માન્યો, હવે આવતાં ૨૦૨૪નાં હલ્દી ફૂંકુ પ્રોગ્રામ બાદ તા. ૧૯/૦૨/૨૦૨૪ નાં રોજ આ બોડીના ત્રણ વર્ષ પૂર્ણ થતાં નવી બોડીની રચના થશે, સમગ્ર કાર્યક્રમ શ્રી સિદ્ધિ વિનાયક મંદિર કૃષ્ણકુંજ કનકપુર ખાતે યોજાયો જેથી મંદિર ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જ્યારે સદસ્ય સૌ. માયાબેન અશોક મોરે અને સદસ્ય સૌ. યોગિતાબેન ભટુ પાટિલે કહ્યું કે આ હલદી- કંકુનો કાર્યક્રમ સૌભાગ્યવતી બહેનોનો ખાસ પવિત્ર કાર્યક્રમ હોય છે. એક મેક ને હલ્દી કૂંકુ કપાળે તિલક કરી તલ સાંકડી અને તલ નાં ગોડ ગોડ લાડુ તથા ખાસ વાન ભેટ આપી સહુ બહેનોનો સૌભાગ્ય અખંડ રહે તે માટે બધી બહેનો પ્રાર્થના કરીએ છીએ, ઉપપ્રમુખ સૌ. સંગિતાતાઇ લક્ષ્મણભાઇ ઘોડે અને સદસ્ય સૌ. સરલાબેન રમણભાઈ પટેલે પણ ઉમેર્યું કે સમગ્ર વર્ષ દરમિયાન કઈ ખોટું બોલાયું હોય તો માફી માંગી કહે છે “તિલ ગૂળ ઘ્યા અને ગોડ ગોડ બોલા”, જેથી સમગ્ર મરાઠી સમાજની બહેનો ખાસ આવા પર્વ પર એકત્ર થાય છે અને હજી વધુ સંગઠિત થાય અને સામાજિક ઉન્નતિ થાય તેવા પ્રયાસ અમે કરતા રહીશું. અંતે સૌ.પૂનમ ભાવસારે હલ્દી કુંકૂ નો સફળ કાર્યક્રમમાં સહભાગીદાર અમારા પદાધિકારીઓની મહેનત રહી છે જેમાં પ્રમુખશ્રી સૌ.પૂનમતાઇ પ્રકાશભાઇ ભાવસાર, ઉપપ્રમુખ શ્રી સૌ. સંગિતાતાઇ લક્ષ્મણભાઇ ઘોડે
મહામંત્રી શ્રી સૌ. રેખાતાઇ લક્ષ્મણભાઇ પાટીલ, પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી સૌ. સુમનતાઇ સંજયભાઇ માને ખજાનચી શ્રી સૌ. નિતાતાઇ રાકેશભાઇ પાટીલ,
સહ ખજાનચી શ્રી સૌ. સુનિતાતાઇ તુષારભાઇ ઘાડગે, સહ મંત્રી શ્રી સૌ. કલ્પનાતાઇ વાણી, સર્વ કાર્યકારી સદસ્યશ્રીમાં સૌ.
સમિધાતાઇ સંજયભાઇ જોષી
સૌ. યોગિતાતાઇ ભટુભાઇ પાટીલ,
સૌ. શિખાતાઇ જયેશ બડગુજર,
સૌ.માયાતાઇ અશોક્ભાઇ મોરે
સૌ. સરલાતાઇ રમણભાઇ પટેલની દરેક પ્રકારની મહેનત ફળી છે જેથી સહુનો આભાર માનું છું સાથે શ્રી મહારાષ્ટ્ર મિત્ર મંડળના સહુનો પણ આભાર માનીએ છીએ જણાવ્યું.

પલસાણા તાલુકા ઘટક સંઘ દ્વારા શિક્ષક ભાઈઓની ક્રિકેટ ટૂર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું

0

સુરત,પલસાણા તાલુકા ઘટક સંધ દ્તાવારા શિક્ષક ભાઈ ઓની ક્રિકેટ ટૂર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું. તારીખ.૭/૨/૨૦૨૩ના રોજ ઇટાળવા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલી પલસાણા તાલુકાના જુદા જુદા કેન્દ્રમાંથી પસંદ થયેલ કુલ છ ટીમો વચ્ચે મેચો રમવામાં આવી હતી. જેમાં સેમી ફાઈનલમાં દિવ્યેશ પટેલ અને સંદિપ ભાઇ રાઠોડ ની ટીમ રમી હતી. જેમાં સેમી ફાઇનલ મેચ જીતી ને ફાઇનલ મેચમાં ગુણવંતભાઈ ની ટીમ સાથે ખૂબ જ ઉત્સાહિતથી રશાકશી ભરી મેચમાં ગુણવંતભાઈ ની ટીમે વિજય મેળવ્યો હતો. જેમાં મેન ઓફ ધ મેચ સંદિપ ભાઇ રાઠોડ, સંજયભાઈ પટેલ ચલથાણ ને બેસ્ટ ઓફ બેસ્ટ બોલર, જાહેર કરવામાં આવ્યા હતાં. દિવ્યેશ પટેલ.કડોદરા ને બેસ્ટ ઓફ બેસ્ટ બેસ્ટમેન, વગેરે ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અંતમાં ગુણવંતભાઈ ની ટીમે ફાઇનલ મેચ જીતી લીધી હતી.તાલુકા સંઘના પ્રમુખ્.શ્રી ધર્મેશભાઈ. તથા તાલુકા ટીચર્સ સોસાયટીના મંત્રી શ્રી.ગુણવંતભાઇ.અને ચેરમેન શ્રી અરૂણભાઇ વગેરે ના વરદહસ્તે મોમેનટો આપી અને શુભેચ્છાઓ પાઠવી હતી.