Home Blog Page 47

અમદાવાદની ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનાની સુરત માં અસર, સુરત પોલીસ દ્વારા મોડી રાત સુધી વાહનોની તપાસ કરાઈ

0
ક્રાંતિ સમય

સુરત, અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ હવે સુરત પોલીસ જાગી છે. શહેરમાં વધતા ક્રાઈમના બનાવો અને અમદાવાદની ઘટનાનું પુનરાવર્તન સુરતમાં ના થાય તે માટે ગતરોજ સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. સુરત શહેર પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસને સાથે રાખી ગત રાત્રે નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું હતું. શહેરના વિવિધ ચાર રસ્તાઓ ઉપર પોલીસ ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં દારૂના નશામાં કે મોજશોખ માટે લટાર મારવા નીકળી પડતા નબીરાઓ કોઈ અકસ્માતની ઘટનાને અંજામ ના આપે તે માટે પોલીસ સતર્ક થઈ ગઈ હતી.

તે ઉપરાંત નંબર વિના કે ખોટી નંબર પ્લેટ લગાવી સ્નેચિંગ જેવા ગુના કરવા નીકળતી ગેંગ અને માથાભારે ટપોરીઓને ઉગતા જ ડામી શકાય તે માટે પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસને સરપ્રાઈઝ ચેકિંગ કરવા આદેશ આપ્યા હતા. આ દરમિયાન શહેરના મહત્વના દરેક ચાર રસ્તા ઉપર પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો હતો. શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીથી લઈ પોલીસ કર્મચારી સુધીનો કાફલો મોડી રાત સુધી રસ્તા ઉપર જોવા મળ્યો હતો. શહેરના ભાગ્ય જ કોઈ રસ્તા એવા હતા જેની પર પોલીસ દેખાતી ન હતી. પોલીસ દ્વારા રસ્તા પરથી પસાર થતા દરેક વાહન ચાલકોનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. 

ચેકિંગને લઈને કેટલીક જગ્યા પર વાહન ચાલકોને મેમો પણ આપવામાં આવ્યા હોવાની ચર્ચાઓ છે. કેટલીક જગ્યા પર પોલીસે વાહનો જમા કર્યા છે તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં પણ કેસ કરવામાં આવ્યા છે. ગાડીમાંથી પોલીસે હથિયાર પણ પકડયા છે.  આ સંદર્ભે અચૂક સત્તાવાર આંકડો આપવામાં આવ્યો નથી. ગત રાતે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં 207 મુજબની કામગીરી 12 કેસ બ્લેક ફિલ્મ 241 જેની સામે દંડ ભરવામાં આવ્યો છે 1, 20,500,  જ્યારે નંબર પ્લેટના 627 કેસ કર્યા તેની સામે દંડ 1,97000,  તેમજ ફેન્સી નંબર પ્લેટના 224 કેસમાં 71100 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો સત્તાવાર આંકડો હજુ મળ્યો નથી. 

શહેરના બિલ્ડરે પરપ્રાંતિય શ્રમજીવી મહિલાની છેડતી કરતા અભયમ ટીમ આવી મદદે

0
ક્રાંતિ સમય

સુરત શહેરના બિલ્ડરે પરપ્રાંતિય શ્રમજીવી મહિલાની છેડતી કરતા અભયમ ટીમ પીડિત મહિલાની મદદે પહોંચી હતી. વાત જાણે એમ છે કે, કતારગામ વિસ્તારની એક મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈન પર કોલ કરી તેમના શેઠે એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરી હોવાનું જણાવતા અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોચી કાયદાકીય કાર્યવાહીનો પ્રારંભ કરતા શેઠની સાન ઠેકાણે આવી હતી અને ભુલ કબૂલી માફી માંગી હતી

શ્રમજીવી મહિલા મધ્યપ્રદેશના વતની છે. તેમના પતિનું પાંચ વર્ષ પહેલા નિધન થયું હતું. જેથી તેમના દિયર સાથે સમાજના રીતરિવાજ અને પ્રણાલી મુજબ દોઢ વર્ષ પહેલા પુન:લગ્ન થયા હતા અને પતિ સાથે રોજગારી માટે સુરત આવ્યા હતા. આ દંપતિ બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. તેમના પતિ અન્ય સાઈટ પર કામ માટે ગયા હતા ત્યારે તકનો લાભ ઉઠાવી બિલ્ડરે અજૂગતો સ્પર્શ કર્યો હતો. શેઠે છેડતી કરી અઘટિત માંગણી કરી હતી. જેથી ગભરાયેલી શ્રમજીવી મહિલા સ્થળ પરથી નીકળી ગયા અને પતિને જાણ કરી હતી, તેઓએ ૧૮૧ હેલ્પલાઈનમાં કોલ કરી મદદ માંગી હતી.

અભયમ રેસ્ક્યુ ટીમે બિલ્ડરને મહિલા સાથે અણછાજતી હરકત કરવી એ જાતિય હેરાનગતિ અંતર્ગત સજાપાત્ર ગુનો છે એમ જણાવી પોલીસ કાર્યવાહીની તજવીજ હાથ ધરતા તેમણે ભૂલ કબૂલી હતી, અને હવે કોઈપણ મહિલાને હેરાન નહી કરવા ખાતરી આપી હતી. મહિલાએ જણાવ્યુ કે, અમે રોજગારી માટે સુરત આવ્યા છીએ, જેથી ભવિષ્યમાં આવી હેરાનગતિ ન કરવાની બાહેંધરી આપતા કાયદાકીય કાર્યવાહી ન કરી શેઠને સુધરવાની એક તક આપી હતી. અભયમ દ્વારા કડક સૂચના આપી લેખિત કબૂલાત અને માફીપત્ર લેવામાં આવ્યું હતું. આમ, અભયમની મધ્યસ્થીના કારણે શ્રમિક મહિલાને ત્વરિત મદદ મળી હતી.

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સાહર.એસ.દેસાઇ.નો નિવૃત્તિ સન્માન સમારોહ બારડોલી મુકામે યોજાયો.

0

સુરત,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સાહર.એસ.દેસાઇ.નો નિવૃત્તિ સન્માન સમારંભના અધ્યક્ષ શ્રી ભાવેશભાઈ એન પટેલ. પ્રમુખશ્રી જિલ્લા પંચાયત સુરત સમારંભના અતિથિ વિશેષ શ્રીમતી ભાવિનીબેન એ પટેલ માનનીય અધ્યક્ષા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત. બાંધકામ સમિતિ ચેરમેન શ્રી રાકેશભાઈ સાહેબ તેમજ શ્રી ડોક્ટર ડી એસ દરજી સાહેબ શ્રી માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સુરતનાઓની ઉપસ્થિતિમાં માનનીય શ્રી સહાર એસ દેસાઈ. સાહેબનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.


મહા માનવ નેલ્સન મંડેલા ના મત મુજબ શિક્ષણ એ વ્યક્તિગત વિકાસનું એન્જિન છે”આ મતને સાર્થક કરનાર માનનીય શ્રી સાહર. એસ દેસાઈ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના નિવૃત્તિ વિદાય સન્માન સમારંભમાં ઉપસ્થિત જિલ્લા પ્રમુખશ્રી જિલ્લા શિક્ષણ સમિતિ અધ્યક્ષ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તેમજ જુદા જુદા તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ તથા શિક્ષક ગણની હાજરી જ એમના વ્યક્તિત્વના વિશેષ પાષાને ઉજાગર કરે છે શ્રી સાહર એસ દેસાઈની કેળવણી તથા વ્યવસાયિક તાલીમ ખૂબ જ કપરી કૌટુંબિક પરિસ્થિતિમાં પૂર્ણ થઈ. જીવનના એ પદાર્થ પાયોને એમણે એમના વ્યવસાયમાં દ્રષ્ટિ સામે રાખી એમના સંપર્કમાં આવનાર કર્મચારી. સેવક. શિક્ષક કે આચાર્યને સમજવાનો પ્રયાસ કર્યો. ને એક ઉત્તમ માર્ગદર્શક બન્યા.શાળા ને ભૌતિક સુવિધાઓથી સમૃદ્ધ કરવાના માર્ગો એમની દિર્ગદ્રષ્ટિથી કાર્યક્ષેત્રની શાળા ને મળ્યા.વહીવટી નિયમોની આંટી ધૂટીમાં અટવાયેલા પ્રશ્નોને એમણે ખૂબ જ કુનેહ પૂર્વક ઉકેલી. વહીવટી જ્ઞાનનો સૌને પરિચય પણ આપ્યો અને વહીવટી સમસ્યાઓ ઉકેલી રાહત પણ આપી. અધ્યયન-અધ્યાપનનું પણ એટલું જ સમૃદ્ધ ભાથું એમની પાસેથી સૌ શાળા ના શિક્ષકોને સાપડ્યું છે.કેળવણી ક્ષેત્રમાં જેની ખરેખર જરૂર છે એવા વિરલ વ્યક્તિત્વના સ્વામી શ્રી સહાર. એસ . દેસાઇ સાહેબના વિદાયથી સૌ એમની હાજરીની મોટી ખોટ અનુભવશે

જાણિતા કલાકાર ભાઉ કદમનું મરાઠી નાટક ‘કરુન ગેલો ગાવ’ ને સુરતમાં રહેતા મરાઠી લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો

0
ક્રાંતિ સમય

સુરત, મરાઠી નાટક “કરુન ગેલો ગાવ “ નું સુરત ખાતે રવિવારના રોજ આયોજન કરાયું હતું, સુરતના જાણીતા આર.આર.ઈવેન્ટ્સ એન્ડ એન્ટરટેઇન્મેન્ટના રાજ રણપિસે અને રાજેન્દ્ર તાંદલેકર દ્વારા સંજીવકુમાર ઑડિટોરિમ ખાતે સુંદર આયોજન કરાયું હતું, જેના પ્રસ્તુતકર્તા માનગાવ- મહાડ – પોલાદપુર ના ધારાસભ્ય (આમદાર) શ્રી ભરતશેઠ ગોગાવલે સાહેબ તેમજ ચેનલ આઈ વિટનેસ દ્વારા કર્યું હતું, જેમાં સુરતવાસીઓનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો, મરાઠી નાટક “કરુન ગેલો ગાવ” માં મુખ્ય પાત્રમાં જાણીતા મરાઠી કલાકાર ભાલચંદ્ર (ભાઉ) કદમ ,ઉષા સાટમ, નુપુર દુદવડકર, પ્રણવ જોશી, અનુષ્કા બોરહાડે સૌરભ ગુજલે, સચિન શિંદે, સુમીત સાવંત, દીપક લાંજેકર અને ઓમકાર ભોજને હતા.

કાર્યક્રમનું ઉદ્ઘઘાટન યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ, ભાજપ ઉપપ્રમુખ શ્રી છોટુભાઈ પાટીલ , સુરત મહાનગરપાલિકા બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિણીબેન છોટુભાઈ પાટીલ , તેમજ ચેનલ આઈ વિટનેસ ,નવગુજરાત ટાઈમ્સ અને એસએસન્યુઝના મેનેજીંગ ડિરેક્ટર ગણેશભાઈ પી. સાવંત દ્વારા કર્યું હતું, કાર્યક્રમમાં અતિથિ તરીકે પરેશભાઈ મોરે, પ્રદીપભાઈ મોરે, અશોકભાઈ દુધાણે , દિપકભાઈ કદમ,અશોક ભાઈ પોટે લક્ષમણ ભાઈ ડીગે,પ્રકાશભાઈ મ્હાલુંગે, ,સંતોષભાઈ કદમ, જુગલભાઈ કદમ, તેજસભાઈ મોરે , ધર્મેશભાઈ તાંદલેકર, હરીશભાઈ સપકાલ, ટીનુભાઈ તાંદલેકર, જયેશભાઈ ઘોઘરેકર ,કમલાકર મોરે સહિતના સમાજ અગ્રણીઓ ઉપસ્થતિ રહ્યા હતા.

મરાઠી નાટક “કરુન ગેલો ગાવ “ નાટકથી તેઓ મેસેજ આપે છે કે આપણે ભલે નૌકરી ધંધા માટે બીજે જઈએ પણ આપણું ઘર, જમીન નહિ વેચવું. નહિ તો આપણી આવનારી પેઢી મૂળિયાં વગરના છોડ જેવી થઇ જશે. તેથી નાટક પત્યા પછી ભીની આંખે લોકો વિદાય લેતા હોય છે. નાટક કોમેડી છે જેમાં એક એવા ગામની વાત છે જેમાં કોઈ મગજમારી નથી પણ પોલિટિક્સના આવાથી બધી પ્રોબ્લેમ શરૂ થઇ જાય છે. નોંધનીય છે કે જાણીતા મરાઠી કલાકાર ભાલચંદ્ર કદમ ( ભાઉ કદમ ) નો કૉમેડી શૉ “ચલા હવાયેઉ દિયા” એટલો હિટ છે કે હિન્દી પિક્ચરના પ્રોમોશન માટે મોટા મોટા કલાકારો એમના શોમાં આવે છે. મરાઠી નાટક “કરુન ગેલો ગાવ “ ના 1500 પાસ વિનામૂલ્યે આમદાર શ્રી ભરતશેઠ ગોગાવલે સાહેબ હસ્તક વિતરણ કરવામાં આવેલ હતા.

સુરત પાલિકાની પેટા ચૂંટણી માટે ભાજપના 34 દાવેદારો, વિપક્ષ દ્વારા ઉમેદવાર માટે હજી કોઈ કવાયત હાથ ધરવામાં આવી નથી

0
ક્રાંતિ સમય

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 20 ના કોર્પોરેટર જયેશ જરીવાલાનું 22 મે 2022 ના રોજ અવસાન થતાં તેમની જગ્યાએ ખાલી પડેલી જગ્યા પર 6 ઓગસ્ટના રોજ ચૂંટણી થશે. આ માટે ભાજપે ગઈકાલે રવિવારે નિરીક્ષકો મોકલ્યા હતા. સુરતના પ્રભારી શીતલ સોની, અને ભરૂચના પુર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે સમક્ષ ભાજપના 34 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી છે. આ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ અને ઉમેદવારી પત્રક પાછા ખેંચવાની છેલ્લી તારીખ 25 જુલાઈ જાહેર કરવામાં આવી છે.

6 ઓગસ્ટના રોજ મતદાન થશે અને 8 ઓગસ્ટના રોજ પરિણામ જાહેર થશે. ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ છે તેમ છતાં હજી પાલિકાના વિપક્ષ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર માટે કોઈ કવાયત હાથ ધરવામાં આવી નથી. આગામી દિવસોમાં ત્રણેય પક્ષ દ્વારા ઉમેદવાર જાહેર કરવામા આવે એટલે ફરી એકવાર ત્રિપાંખીયો જંગ ખેલાશે તે નક્કી છે. જોકે, આ ચૂંટણી રસાકસીવાળી થશે કે નહી તે ત્રણેય પક્ષ ઉમેદવાર જાહેર કરે પછી જ નક્કી થશે.

ઓલપાડ તાલુકાના દાંડી ગામે L&Tના સી.એસ.આર ફંડમાંથી રૂ.૮૫ લાખના ખર્ચે નવનિર્મિત વોટર સંપનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ

0
ક્રાંતિ સમય

વોટર સંપના નિર્માણથી દાંડી ગામના ૪૫૦૦ થી વધુ ગ્રામજનો લાભ થશેઃમંત્રી મુકેશભાઇ પટેલ

‘સંપના નિર્માણથી ગ્રામજનોની પાણીની સમસ્યાઓ ઉકેલાતા તેમનુ જીવન સરળ બનશે’: મંત્રી મુકેશભાઇ પટેલ

સુરત, ઓલપાડ તાલુકાના દાંડી ગામે L&T હજીરાના સી.એસ.આર ફંડમાંથી દાંડી ગામે પાંચ લાખ લિટરની ભૂગર્ભજળ ટાંકીનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાંડુત ત્રણ રસ્તાથી પાંચ કિલોમીટર જે પાણી માટે પાઇપલાઇનની જરૂર હતી તે માટે ૨.૫ કિ.મી પાઇપલાઇન સરકારશ્રી દ્વારા અને ૨.૫ કિમી લાંબી પાઇપલાઇન L&T હજીરા કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે.જેથી ગામને બારેમાસ પાણી પ્રાપ્ત રહેશે અને તેથી પાણી અંગેનો પ્રશ્નનો ઉકેલ આવ્યો છે.

આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈએ જણાવ્યું હતુ કે, મોટા ઉદ્યોગોના આસપાસના ગામોની માળખાગત સુવિધાઓમાં વધારો થાય છે.જેનાથી રોજગારીના નિર્માણની સાથે ગ્રામજનોનું જીવનધોરણ ઊંચુ આવ્યું છે.વોટર સંપના નિર્માણથી ગામ લોકોની પાણીની સમસ્યાઓ ઉકેલાતા તેમનું જીવન સુખમય બનશે.વધુમાં મંત્રીએ આવનારા સમયમાં ખારા પાણીને મીઠું બનાવતો પ્લાન્ટ તેમજ અન્ય વિકાસના કાર્યો થકી કાંઠાના ગામોની સુવિધાઓ વિકસાવવા અંગેની જણાવ્યું હતું. આ પ્રંસગે ઓલપાડ તાલુકાના પ્રમુખ અમિતભાઈ પટેલ, દાંડી ગામના સરપંચ વેણીલાલ, ઉપસરપંચ પ્રેમિલાબેન, L&T હજીરા માંથી આવેલ અધિકારીઓ આલોક સરકાર, રંજિત બજાજ, મહિપાલ રાવત,તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસીના વાંસવા ગામે L&T હજીરાના સી.એસ.આર ફંડમાંથી ૬૮ લાખના ખર્ચે નિર્માણ કરાયેલા અમૃત સરોવરનું લોકાર્પણ કરાયુ

0
ક્રાંતિ સમય

‘નિર્માણ કરાયેલા અમૃત સરોવરથી બોર અને હેન્ડપંપના જળ સ્તર ઊંચા આવી ગ્રામજનોને ઉનાળામાં થતી પાણીની સમસ્યાનું નિવારણ થશે: મંત્રી મુકેશભાઇ’

સુરત, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના વાંસવા ગામે L&T કંપની હજીરાના CSR ફંડમાંથી ૬૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલા અમૃત સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ તળાવની ઊંડાઈ ૨.૫૦ મીટર છે અને તેમાં સેફટી ફેન્સિંગ વોલ, પેવર બ્લોક ફિટિંગ તેમજ પતરાનાં શેડનું કામ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે L&T કંપનીના સહયોગથી વાંસવા ગામે લોકહિતાર્થે નિર્માણ કરાયેલા અમૃત સરોવરથી બોર અને હેન્ડપંપના જળ સ્તર ઊંચા રહેશે જેથી ઉનાળામાં પાણીની સમસ્યાનું નિવારણ થશે. L&T કંપની દ્વારા નાના અને કાંઠાના ગામોમાં શિક્ષણ,આરોગ્ય તેમજ પાણીની મૂળભૂત સુવિધાઓ માટે કરાતા વિકાસ કાર્યોને પણ મુકેશભાઈએ બિરદાવ્યા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમૃત સરોવર બનાવવા પાછળનું મુખ્ય કારણ નીતિ આયોગનો રિપોર્ટ છે. જેને આધારે ૨૦૩૦ સુધીમાં ૪૦ ટકા પાણી ભૂગર્ભમાં ઉતરી જશે. નીચે ઉતરતા પાણીના આ સ્તરને ઉપર લાવવા માટે સરકાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત અમૃત સરોવરનું નિર્માણ કરાય રહ્યું છે. જે માટે પ્રથમ વખત મળતી કાર્બન ક્રેડિટ પ્રમાણે વોટર ક્રેડિટ મળશે. જેમાં વરસાદનું પાણી હાર્વેસ્ટ કરીને જમીનમાં ઉતારવામાં આવશે અને તેની પર મીટર મૂકવામાં આવશે. તેમણે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં ૧૮ હજાર ગામડાઓમાં આ કામ કરવામાં આવશે. જેનાથી ભૂગર્ભમાં પાણીના સ્તર ઊંચા લાવી રિચાર્જ થતા પાણી માટે ક્રેડિટ મળશે તેમજ પંચાયતની આવક વધી પાણીના સ્તર પણ ઊંચા આવશે. આ પ્રસંગે વાંસવા ગામના સરપંચ કૈલાસબેન રાઠોડ, ઉપસરપંચ તેજસભાઈ પટેલ,L & T વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ સંજયભાઈ દેસાઈ, ડેપ્યુટી જનરલ મેનેજર અલ્પાબેન, ચોર્યાસી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વાસંતીબેન, ગ્રામ પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લવાછા ઝેડ એમ પટેલ સ્કૂલ ખાતે ૭૨ લાખના સી.એસ.આર ફંડમાંથી બનેલ સાંસ્કૃતિક હોલનું ખાત મુહૂર્ત કરાયું

0
ક્રાંતિ સમય

ભાંડુત થી લવાછા ગામે L&T હજીરાના સી.એસ.આર ફંડમાંથી ૩૦ લાખની પાણીની પાઇપલાઈનનું લોકાર્પણ

સુરત, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના ભાંડુત થી લવાછા ગામે L&T હજીરાના સી.એસ.આર ફંડમાંથી ૩૦ લાખની પાણીની પાઇપલાઈ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઝેડ એમ પટેલ સ્કૂલ ખાતે ૭૨ લાખના ખર્ચે તૈયાર થનાર સાંસ્કૃતિક હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાણીની પાઇપલાઈ બનવાથી ગામમાં ઉનાળામાં પાણીની અછત રહેશે નહિ સાથે શાળાના કેમ્પસમાં બનનાર સાંસ્કૃતિક હોલથી શાળાના પ્રોગ્રામ,આસપાસના વિસ્તારના સાંસ્કૃતિક પ્રોગ્રામ, રાજકીય કાર્યક્રમ જેવા કરી શકાશે.
આ પ્રસંગે L & Tના વાઇસ પ્રેસિડન્ટ અને ચીફ એજ્યુકેટીવ સંજયભાઈ દેસાઈ, ડેપ્યુટી જનરલ મેનેજર અલ્પાબેન, ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઈ, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

માંડવી નગરપાલિકા ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે મિની ફાયર ટેન્ડર અને રેસ્કયુ બોટનું લોકાર્પણ કરાયું

0
ક્રાંતિ સમય

NPCIL કાકરાપાર તથા ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ કુલ રૂ.૪૧.૫૦ લાખની મિની ફાયર ટેન્ડર, બે રેસ્ક્યુ બોટ, ૨૦ લાઇફ જેકેટ અને ૧૮ લાઇફ રીંગની માંડવી મળી ભેટ

‘સરકારના સહયોગ થકી આવનારા પાંચ વર્ષમાં માંડવી નગરપાલિકા એ-ગ્રેડમાં પહોંચશે: મંત્રી કુંવરજીભાઈ હળપતિ’

કાકારપાર અણુમથકના સહયોગથી માંડવી તરસાડાથી બિરસામુંડા સર્કલ સુધીની સ્ટ્રીટલાઇટ લાગશે

સુરત, આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિના હસ્તે માંડવી નગરપાલિકા ખાતે મિની ફાયર ટેન્ડર અને રેસ્કયુ બોટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. જેમાં NPCIL(ન્યુક્લિઅર પાવર ર્કોપોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ)કાકરાપાર તથા ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ કુલ રૂ.૪૧.૫૦ લાખની સાધન સામગ્રી જેવી કે રૂ.૨૮ લાખનું મિની ફાયર ટેન્ડર, રૂ.૨૧.૩૦ લાખની રેસ્ક્યુ બોટ(નંગ-૨), રૂ.૩૨ હજારના લાઇફ જેકેટ(નંગ-૨૦), રૂ.૩૦.૩૩ હજારની લાઇફ રીંગ(નંગ-૧૮)ની માંડવી નગપાલિકને ભેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈએ ગુજરાતની પાવન ધરા પર જન્મેલા પ્રેરણાદાયી વ્યક્તિઓનાં ઉદાહરણ આપતા દેશના વિકાસમાં તેમના વિશેષ ફાળા વિષે જણાવ્યુ હતુ. જેમાં અહિંસાના આગ્રહ સાથે દેશને ગુલામીમાંથી આઝાદ કરાવનારા મહાત્મા ગાંધીજી અને તેમની મક્કમતાની વાત કરી હતી. તો વિશ્વ ફલક પર દેશનું પ્રતિનિધિત્વ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને તેમના સફળ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના વિકાસને વેગવંતુ બનાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની પારદર્શક કાર્યપ્રણાલીથી છેવાડાના ગામડાઓ સુધી પહોંચેલી સુખ સુવિધા માટે સરકારની કાર્યનિષ્ઠા દર્શાવી હતી. તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૨૨-૨૩મા માંડવી નગરપાલિકામાં કરોડોના આશરે ૧,૧૬૪ વિકાસ કાર્યો થશે. તેમજ સરકારના સુઆયોજનથી આવનારા પાંચ વર્ષમાં માંડવી નગરપાલિકાને એ-ગ્રેડમાં પહોંચાડવા માટે કાકરપાર અણુમથકને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

વધુમાં મંત્રીશ્રીએ NPCL કાકરાપાર અણુમથક દ્વારા માંડવી નગર પાલિકાને અર્પણ કરાયેલા મિની ફાયર ટેન્ડર અને રેસ્કયુ બોટ વિષે માહિતી આપતા જણાવ્યું કે, આગ કે પુર જેવી આફતોમાં આ સાધનો ખૂબ ઉપયોગી નીવડશે. તેમણે કહ્યું કે, કાકરાપાર અણુમથકના સહયોગથી માંડવીના તણસાણાથી બિસામુંડા સર્કલ સુધી સ્ટ્રીટલાઇટ લગાડવામાં આવશે. અને ટુંક જ સમયમાં નવુ ફાયર સ્ટેશન પણ બનાવવામાં આવશે.

આ પ્રસંગે નગરપાલિકા માજી પ્રમુખશ્રી નટુભાઇ રબારી, માંડવી નગરપાલિકા સાઇટ ડાયરેક્ટરશ્રી એસ.કે.રોય, એચ.આર મેનેજરશ્રી અરવિંદભાઇ ભટ્ટ, સી.એસ.આર ચેરમેનશ્રી એન.જે કેવટ, માંડવી નગર પાલિકાના પ્રમુખ રેખાબેન વસી,ફાયર અને વાહન વ્યવહાર સમિતિના અધ્યક્ષકશ્રી રાજુભાઇ ચૌધરી,નગરપાલિકાના કર્મચારીગણ તેમજ ફાયર વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી.

જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર(DHEW) દ્વારા વનિતા વિશ્રામ શાળા ખાતે’ બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત ‘વિશ્વ યુવા જાગ્રુતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

0
ક્રાંતિ સમય

ધો.૯ની ૧૬૦ થી વધુ કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ, સાયબર સલામતી, શિક્ષણની નવી પોલિસી તેમજ વ્યસન મુક્તિના પડકારો અને કાઉન્સિલિંગ વિષે સમજ આપી હતી

સુરત, મહિલા અને બાળ અધિકારીની કચેરીના જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર(DHEW) દ્વારા અથવાગેટ સ્થિત વનિતા વિશ્રામ શાળા ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ‘વિશ્વ યુવા જાગૃતિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ ૯ની ૧૬૦થી વધુ કિશોરીઓને મહિલાલક્ષી યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર શ્રીમતી સ્મિતાબેન પટેલે દેશના વિકાસમાં યુવાઓનું મહત્વ અને યોગદાન તેમજ સરકાર દ્વારા યુવાઓને આત્મનિર્ભર બનાવવા માટે થતા પ્રયત્નો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ACP મહિલા સેલ ક્રાઈમ બ્રાન્ચનાશ્રી કે.મીની જોસેફ દ્વારા સાયબર સલામતી અંગે કિશોરીઓને માહિતગાર કરવામાં આવી હતી તેમજ તેમની સાથે પ્રશ્નોત્તરીના માધ્યમથી સંવાદ સાધવામાં આવ્યા હતો. આ સાથે જ કિશોરીઓને શિક્ષણની નવી પોલીસી અંતર્ગત વ્યવસાયલક્ષી શિક્ષણ વિશે અને વ્યસન મુક્તિ માટેનાં પડાકારો અને કાઉન્સિલિંગ વિશે પણ સમજ આપવામાં આવી હતી. અને અંતમાં સૌએ સાથે મળી વ્યસનમુક્ત ભારત માટેની પ્રતિજ્ઞા લીધી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં માધ્યમિક શિક્ષણ કો-ઓર્ડિનેટરશ્રી જિતેંદ્રભાઈ જોષી, વનિતા વિશ્રામના ટ્રસ્ટીશ્રી એમ.સી.દેસાઈ, વનિતા વિશ્રામ શાળાના આચાર્યશ્રી ડો.અનિષા મહિડા, પો. ઈનચાર્જશ્રી નેહલ સોલંકી, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.