Home Blog Page 44

સચીન ખાતે આવેલ ઉધના ઝોન-બી માં ખુલ્લેઆમ કાયદા નું ઉલ્લંઘન કરવામાં આવતું.

0
ક્રાંતિ સમય

RTI ACT-2005 અંતર્ગત માહિતી આપવામાં પણ લાપરવાહી

જાહેર માહિતી અધિકારી અને નાયબ ઈજનેર ની માહિતી અધિકાર અધિનિયમ ની ટ્રેનીગ લેધા છે કે નહી તેના ઉપર પણ સવાલ ઉભા થાય.

સુરત,ભારત સરકાર સુચના અધિકાર અધિનિયમ-૨૦૦૫ ના કાયદા નું અમલીકરણ કરવામાં આવેલ હોવા છતાં.

માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ (કાયદો, નિયમો અને અન્ય બાબતો)” અંગે ક્રમાંક : રજી. નં. / જીએનઆર | ૨ થી ભારત સરકાર તરફથી ‘ભારતનું રાજપત્ર અસાધારણ’’ (ધ ગેઝેટ ઓફ ઈન્ડિયા એકસ્ટ્રા ઓર્ડીનરી) પ્રસિધ્ધ થયેલ છે. સદર રાજપત્રનું ગુજરાતી ભાષામાં અધિકૃત ભાષાંતર ગુજરાત સરકારના, વહીવટી સુધારણા અને તાલીમ વિભાગ (આરટીઆઈ), સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા, મધ્યસ્થ સરકારી મુદ્રણાલયમાં છપાવીને લોકહિતાર્થે ભ્રષ્ટાચાર નિવારણ, પારદર્શક વહીવટ અને નાગરિકોને બંધારણે બોલા માહિતી મેળવવાનાં માનવ અધિકારનું રક્ષણ કરવાના શુભ હેતુથી મુદ્રા કરાવી પ્રસિધ્ધ કરાયેલ છે.

ક્રાંતિ સમય

રાજપત્રમાં પ્રકરણ-૧ પ્રારંભીક’ માં મુદ્દા નં.૨ માં પેટામાં ‘(છ)’” અન્વયે માહિતી ની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવેલ છે.

“માહિતી” એટલે રેકર્ડ, દસ્તાવેજ, મેમો, ઈ-મેઈલ, અભિપ્રાયો,સુચના,

અખબારીયાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો,કાગળો, નમુના, મોડલ્સ, કોઈ ઈલેકટ્રોનિક સ્વરૂપમાં માહિતી સામગ્રી અને તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કા- યદા હેઠળ કોઈ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઈ ખાનગી મંડળને લગતી માહિતી સહિતની કોઈપણ સ્વરૂપમાં કોઈપણ સામગ્રી.

પ્રાથમિક જાણકારી મુજબ સદરહુ અધિનિયમ ૨૦૦૫ મુજબ અરજદારને માહિતી દસ્તાવેજો સંબંધિત જાહેર માહિતી અધિકારીશ્રીએ આપવાના અપાવવાના હોય જે તેએની ફરજીયાત કાનુની ફરજ અને જવાબદારી છે

અધિકારીઓ પોતના ભૂલ અને કામગીરી અંગે ની લાપરવાહી ગુપ્ત રાખવા માટે માહિતી અધિકાર અધિનિયમ નું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યા હોવા છતાં. પ્રથમ અપીલ અધિકારી કોઈ પણ કાર્યવાહી ન કર્તા હોય. તો લોકો ને કાયદાની ખુલ્લેઆમ ઉલ્લંઘન અંગે જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારી નું સાથ સહકાર થી કામગીરી કર્તા હોય તેમ લાગી રહ્યા છે.

જેના ખુલાશો એક આર.ટી.આઈ. ના માધ્યમ થી થાય છે. જેમાં ઉધના ઝોન-બી ખાતે આવેલ જાહેર માહિતી અધિકારી અને નાયબ ઈજનેર કોઈ પણ આર.ટી.આઈ ના જવાબ માં આ રીતે જવાબ આપવામાં આવેલ છે. જે નીચે પ્રમાણે છે.

આપવામાં આવેલ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જવાબ
ફક્ત કોપી પોસ્ટ કરી ને જવાબ આપવામાં આવે છે.
ફક્ત કોપી પોસ્ટ કરી ને જવાબ આપવામાં આવે છે.
ફક્ત કોપી પોસ્ટ કરી ને જવાબ આપવામાં આવે છે.

ત્રણ અરજી ની માહિતી આપવામાં જયેશ પી. પરમાર જાહેર માહિતી અધિકારી અને ડે.ઈજનેર સાઉથઝોન-બી (કનકપુર) સુરત મહાનગર પાલિકા ના આ જવાબ કેટલા યોગ્ય છે. અરજદાર પોતના કરેલ ફરિયાદ ઉપર શું કાર્યવાહી થઈ છે. તે બાબત ની માહિતી માંગવામાં આવેલ હતા. જેમાં જાહેર માહિતી અધિકારી સ્પષ્ટપણે જવાબ આપે છે. કે અત્રે કચેરી કોઈ પણ રેકોર્ડ ઉપલબ્ધ નથી. જે થી કરેલ ફરિયાદ ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેવું સ્પસ્ટતા પોતે જ જાહેર માહિતી અધિકારી અને ડે. ઈજનેર જયેશ પી. પરમાર કરી રહ્યા છે. સ્થળ ઉપર વિજિટ કરી કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું જવાબ આપવમાં આવેલ છે. પણ પોતે જ કાયદાનું ઉલ્લંઘન કરે છે. તેનું શું.

સુરત મહાનગર પાલિકા માં મ્યુ.એક્ટ પ્રમાણે ની કામગીરી કરવા માટે નીતિ-નિયમ અને અધિનિયમ બનાવામાં આવેલ છે. પણ તેનું જ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી માનવા અધિકાર નું ભંગ કરવામાં આવી રહ્યા છે. તેનું સ્પષ્ટતા જોઈ શક્ય છે.

સુડા ભવનમાં ડિસ્પેચ તરીકે ફરજ બજાવતા અને કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા

0

વ્યવસાય વેરો ઓછું કરી આપવા માગ્યા પૈસા

સુરત કોર્પોરેશનમાં આજે નામોશીભર્યો દિવસ ઉગ્યો હતો. એક જ દિવસમાં બે અલગ-અલગ કોર્પોરેશનનાં કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયાની ઘટના સામે આવી છે. વરાછામાં જુનિયર એન્જિનિયર અને પટાવાળા લાંચ લેતા પકડાયા બાદ સાંજે સુડા ભવનના ડિસ્પેચ મહિલા ક્લર્ક એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા હતા.

ફરિયાદીનો 54,000 રૂપિયાનો વ્યવસાય વેરો બાકી હોવાની વાત કરીને 34 હજાર રૂપિયામાં સેટિંગ કરી આપવા માટે સંપર્ક કર્યો હતો. ફરિયાદીએ આ બાબતે એન્ટી કરપ્શન બ્યુરોમાં જાણ કરી હતી અને અધિકારીઓ દ્વારા આરોપીઓને પકડવા છટકુ ગોઠવવામાં આવ્યુ હતું. લાંચ લેવા આવનાર સેન્ટ્રલ ઝોનમાં કોન્ટ્રાક્ટ ઉપર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે અંકિત પટેલ ફરજ બજાવતો હતો. ફરિયાદી સાથે તેણે વાત કરી હતી કે, 54 હજારને બદલે 34 હજારમાં કામ પતી જશે અને વ્યવસાય વેરાની 11,000ની રસીદ પણ આપવામાં આવશે. ફરિયાદીએ અધિકારી સાથે વાત કરાવવાનું કહેતા અંકિત પટેલે સુડા ભવનમાં ડિસ્પેચ તરીકે કામ કરતા મહિલા કલાર્ક નિરાલી દવે સાથે વાત કરાવી હતી અને તેમણે બંને લાંચની એક સરખી માંગણીને સમર્થન આપ્યું હતું. એસીબી અંકિત પટેલને રંગે હાથે ઝડપી લીધો હતો અને કોન્ફરન્સ કોલ પર વાત કરનાર સુડા ભવનની કર્મચારી નિરાલી દવે સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકામાં ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સતત થતા રહે છે. એક જ દિવસમાં બે કેસ નોંધાતા સુરત મહાનગરપાલિકામાં ખળભળાટ ફેલાયો છે. સુડા ભવન ખાતે ડિસ્પેચ કલર તરીકે ફરજ બજાવતા નિરાલી દવે કોમ્પ્યુટર ઓપરેટર સાથે મળીને લાંચની માંગણી કરી હતી. તમામ બાબતના પુરાવા એન્ટીકરપ્શન બ્યુરોના હાથમાં લાગી ગયા છે. છટકુ ગોઠવતા બંને ટ્રેપ થઈ ગયા હતા. મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારને કારણે સ્થાનિક પ્રજા પણ ખૂબ જ પરેશાન છે પરંતુ, ભ્રષ્ટાચારનો દૂર કરવો ખૂબ જ મુશ્કેલ જણાઈ રહ્યો છે

સુરત મહાનગરપાલિકામાં ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સતત થતા રહે છે. એક જ દિવસમાં બે કેસ નોંધાતા સુરત મહાનગરપાલિકામાં ખળભળાટ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકામાં ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સતત થતા રહે છે. એક જ દિવસમાં બે કેસ નોંધાતા સુરત મહાનગરપાલિકામાં ખળભળાટ ફેલાયો છે.

શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર અને પટાવાળા રૂ.35 હજારની લાંચ લેતા ઝડપાયા

0

બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું બાંધકામ નહીં તોડવા મકાન માલિક પાસે રૂ.50 હજારની લાંચ પહેલા માંગી હતી,

પછી રક્ઝકના અંતે રૂ.35 હજાર લેવા તૈયાર થયા હતા.

સુરત,સુરતના પુણા વિસ્તારમાં આવેલ એક મકાનના બીજા અને ત્રીજા માળે બે રૂમનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા માટે રૂ.35 હજારની લાંચ લેતા.

સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેરને સુરત એસીબીએ પુણા વોર્ડ ઓફિસની સામેથી રંગેહાથ ઝડપી લીધા હતા. જયારે લાંચ માંગવામાં સામેલ પટાવાળાને એસીબીએ ઓફિસમાંથી ઝડપી લીધા હતા. જેથી સુરત મહાનગર પાલિકા ના અધિકારીઓ અને નગરસેવકોએ માં ચર્ચાઓ જોર માં છે.

એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં એક વ્યકિતએ તેના મકાનની ઉપર બીજા અને ત્રીજા માળે બે રૂમ બનાવ્યા હતા.તે ગેરકાયદેસર હોય તોડવા પડશે કહી સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલ અને પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીએ જો તેને તોડવા નહીં હોય તો લાંચ પેટે રૂ.50 હજારની માંગણી કરી હતી. મકાન માલિકે રક્ઝક કરતા બંને રૂ.35 હજાર લેવા તૈયાર થયા હતા. જોકે, આ અંગે મકાન માલિકે સુરત એસીબીમાં ફરિયાદ કરતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પીઆઈ એ.કે.ચૌહાણે એ ગત મોડીસાંજે પુણાગામ પુણા વોર્ડ ઓફિસની સામે છટકું ગોઠવ્યું હતું. છટકા મુજબ જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલે લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને તેમને રંગેહાથ ઝડપી પાડી પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીને તેમની ઓફિસમાંથી ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સરથાણામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી કરોડોના હીરા લૂંટી લૂંટારૂ ફરાર, વાપી પાસેથી ચાર પકડાયા

0

ગુજરાત આંગડિયા પેઢીનો કર્મચારી મુંબઇ જવા નીકળ્યો હતોઃ હીરા ભરેલી બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાથી તેના આધારે વલસાડ પોલીસે વાપી પાસેથી લૂંટારૂઓને દબોચ્યા

સુરતના સરથાણા વિસ્તારમાં વહેલી સવારે ત્રાટકેલા લૂંટારૂઓએ ગુજરાત આંગડિયા પેઢીના કર્મચારીને રિવોલ્વરની અણીએ બાનમાં લઇ કરોડો રૂપિયાના હીરા ભરેલી બેગ લૂંટીને ભાગી ગયા હતા. 

જો કે હીરા ભરેલી બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાથી સુરત પોલીસે લૂંટારૂઓનો પીછો કરવાની સાથે વલસાડ પોલીસની મદદથી ચાર લૂંટારૂને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આજે વહેલી સવારે સુરતની અંદાજે 45 થી વધુ હીરાની કંપનીના કરોડો રૂપિયાના હીરા લઇ ગુજરાત આંગડિયા પેઢીનો કર્મચારી મુંબઇ જવા નીકળ્યો હતો. 

દરમિયાનમાં સરથાણા વિસ્તારમાં લૂંટારૂઓએ આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી રિવોલ્વરની અણીએ બાનમાં લઇ હીરા ભરેલી બેગ લૂંટી લૂંટારૂઓ ભાગી ગયા હતા. આંગડિયા પેઢીના કર્મચારીએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા સરથાણા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાંચની ટીમ દોડી ગઇ હતી. 

આંગડિયા પેઢી દ્વારા બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાનું જણાવતા પોલીસે તુરંત જ તેના આધારે લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યુ હતું. જે અંતર્ગત લૂંટારૂઓ અમદાવાદ-મુંબઇ હાઇવે ઉપર મુંબઇ તરફ જઇ રહ્યા હોવાથી તુરંત જ વલસાડ પોલીસને જાણ કરી હતી. વલસાડ પોલીસે લૂંટારૂ ટોળકીને વાપી પાસેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે આ અંગે હજી પોલીસે સત્તાવાર જાહેરાત કરી નથી.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભાગળ ચાર રાસ્તા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ 

0

સુરત, સુરત ખાતે આવેલ ભાગળ ચાર રાસ્તા ખાતે દરવર્ષ ની જેમ યોજવામાં આવતું કાર્યક્રમ માં આ વર્ષ પણ  શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

કાર્યક્રમ માં આમંત્રિત કરવા માટે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંતના સભ્યોની ની સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી સી.આર.પાટીલ, શાસક પક્ષ નેતા , મેયર શ્રી ને આમંત્રણ આપી કાર્યક્રમ માં સહભાગીતા થવા માટે જાણવામાં આવ્યું.

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંતના જણાવ્યા મુજબ તારીખ ૨૦/૮/૨૦૨૩ રવિવારના રોજ ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયત ખાતે ની મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી ગાવદેવી કરમર ગોવિંદા ઉત્સવ વેડરોડ દ્વારા ફોડવામાં આવશે, જેઓને ૧૧,૦૦૦ નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે… જેમાં સંયોજક તરીકે અડાજણ વિસ્તારનું શ્રી બાળ ગણેશ યુવક મંડળ જોડાશે, જેઓને ૫,૧૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ મહિલા મંડળની મટકી જય ભવાની મહિલા મંડળ અંબાજી રોડ દ્વારા ફોડવામાં આવશે, જેઓને પણ ૧૧,૦૦૦ નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે તેમજ આ વર્ષે અમરજવાલા સ્પોર્ટ્સ ક્લબ વેડરોડને ૭૫ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દરેક ગોવિંદા મંડળના સર્વ સંમતિથી એમને એક વિશેષ મટકી ફોડવા માટે આપવામાં આવનાર છે, જેઓને ૧૧,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સલામી મારવા આવશે એમનું સ્વાગત કરી ટ્રોફી આપવામાં આવશે, જ્યારે સંજય નગર ચોક લિંબાયત ખાતે કુલ ૧૧ મંડળોના ડ્રો થયા હતા જેમાં જે ગોવિંદા મંડળ મટકી ફોડશે તેઓને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા ૧,૫૧,૦૦૦ નું રોકડ ઇનામ રાખવામાં આવેલ છે તેમજ લિંબાયત ખાતે બીજા ૧૧ મંડળો દ્વારા સલામી મારનાર હોવાથી તેઓને ૧૨,૫૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવશે વધુમાં ગણેશભાઈ સાવંતે ઉમેર્યું હતું કે ગત વર્ષે ૧૩૬ ગોવિંદા મંડળોએ ફોર્મ ભર્યા હતા જ્યારે આ વર્ષે ૧૪૧ ગોવિંદા મંડળોએ પરમિટ ફોર્મ ભર્યા છે, આ કાર્યક્રમના અતિથિ તરીકે સુરત મહાનગરપાલિકાના સભ્યશ્રી, ભાજપના ધારાસભ્યો શ્રી, પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, નગર સેવકો શ્રી, તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે…ગોવિંદા ઉત્સવ સમિતિના અગ્રણીઓ દિપક કદમ, અશોક દુધાણે,બાલકૃષ્ણ ચૌહાણ,જયેશ ઘોઘરેકર, લક્ષ્મણ ડીગે,ચંદ્રકાન્ત નિંબાલકર, શૈલેષ પવાર, રાજ રણપીસે,દીપક શિંદે,સંતોષ કદમ,બાપુ લાંબર,મહેશ પાનસરે,હરીશ પગારે, રમેશ ધુમાલ અને કમલાકર મોરે તેમજ નલીની સેડગે, કામિની કદમ, જયા સાવંત,પ્રેરણા શિંદે, હિનાબેન, ધર્મિષ્ઠા તાંદલેકર,શીતલ કદમ,નયના સાલુંકે રેશ્માબેન રાજીવડે તથા સમિતિના અન્ય તમામ હોદ્દેદારોએ સમગ્ર કાર્યક્રમની વિશેષ વ્યવસ્થા ગોઠવી છે

૧૪ વર્ષની વિધાર્થીનીના અકુદરતી યૌન શોષણ બદલ હોસ્ટેલ માલિકની ધરપકડ

0
રાજકોટ,શિક્ષણ જગતને શરમાવે તેવી વધુ એક ઘટના રાજકોટમાંથી પ્રકાશમાં આવી છે. જેમાં હોસ્ટેલનો ઘરનો કર્મચારી 14 વર્ષની કિશોરીને અશ્લીલ વીડિયો બતાવતો હતો અને તેનું અકુદરતી રીતે જાતીય શોષણ કરતો હતો. કિશોર તેને કોઈને કહે નહીં તે માટે તેને બેલ્ટ વડે માર પણ મારતો હતો. બનાવ પ્રકાશમાં આવ્યા બાદ પીડિત કિશોરીના પરિવારજનોની ફરિયાદના આધારે રાજકોટની માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, રાજકોટના લેઉવા પટેલ બોર્ડિંગમાં રહેતો 14 વર્ષનો છોકરો ધોરણ 8નો વિદ્યાર્થી છે. જેને હોસ્ટેલના સંચાલકોએ એટલી માર માર્યો હતો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પરિવાર અને પોલીસની પૂછપરછમાં પહેલા કિશોરે જણાવ્યું કે તેના મિત્રોએ તેની સાથે મારપીટ કરી હતી. પરંતુ બાદમાં પરિવારે જણાવ્યું કે હોસ્ટેલનો ઘરનો નોકર હસમુખ વસોયા ઘણા સમયથી કિશોરીને તેના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવતો હતો અને તેનું અકુદરતી રીતે દુષ્કર્મ કરતો હતો.
એટલું જ નહીં, હસમુખ વસોયા કિશોરને બેલ્ટ વડે માર મારતો હતો, જેથી તે કોઈને ફરિયાદ ન કરે. હસમુખ વસોયાએ કિશોરને ધમકી આપી હતી કે જો તે કોઈને કંઈ કહેશે તો તેને મારી નાખીશ. ગત સોમવારે પણ દરરોજની જેમ હસમુખ વસોયાએ કિશોરી પર અકુદરતી રીતે બળાત્કાર ગુજાર્યો હતો અને તેને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનામાં કિશોરીને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

  પીડિતાની ફરિયાદના આધારે રાજકોટની માલવીયાનગર પોલીસે હસમુખ વસોયાની ધરપકડ કરી તેની સામે પોક્સો-6/12 અને 377, 506 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હસમુખ વસોયાએ અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને પોતાની હવસનો શિકાર બનાવ્યા છે તેની પણ પોલીસ તપાસ કરશે. લેઉવા પટેલ છાત્રાલયમાં 330 જેટલા વિદ્યાર્થીઓ રહે છે અને હસમુખ વસોયા 2009 થી અહીં હાઉસકીપર તરીકે કામ કરે છે.





દારૂના નશામાં વધુ એક ધનિક વ્યકિતએ ત્રણ વાહનોને ઉડાવી દીધા,પેડલ રિક્ષાચાલક ઘાયલ

0
ખેડા, રાજ્યમાં માર્ગ અકસ્માતો ઝડપથી વધી રહ્યા છે. ઝડપભેર દોડતા વાહનો નિર્દોષ લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. નડિયાદમાં પુરપાટ ઝડપે આવતી કારે પેડલ રિક્ષા સહિત ત્રણ વાહનોને ટક્કર મારી હતી. રાહતની વાત એ છે કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી. પેડલ રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ખેડા જિલ્લાના નડિયાદમાં કોલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલની સામે પૂરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કારે પેડલ રિક્ષા સહિત ત્રણ વાહનોને ઉડાવી દીધા હતા. જે બાદ અનિયંત્રિત કાર રોડ ડિવાઈડર અને ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાઈ હતી. ભીડભાડવાળા વિસ્તારમાં બનેલા આ અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં પેડલ રિક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નડિયાદ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની પૂછપરછ હાથ ધરી હતી.કાર ચાલક દારૂના નશામાં હતો અને તેની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસે કાર ચાલક રવિસિંહની ધરપકડ કરી તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સગીર યુવતી જેને તે પોતનો ભાઈ માનતી હતી તેણે તેને અશ્વીલ વિડિયોથી ભરેલો મોબાઈલ ભેટમાં આપ્યો હતો

0
સુરત, રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે અને તેની પૂર્વ સંધ્યાએ સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સગીર યુવતી જેને તે પોતાનો ભાઈ માનતી હતી તેણે અશ્લીલ વીડિયોથી ભરેલો મોબાઈલ ગિફ્ટ કરીને ભાઈ-બહેનના સંબંધોને શરમજનક બનાવી દીધી હતી. મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સુરતના ડિંડોલી વિસ્તારની છે, જ્યાં એક પરિવાર બે બાળકો સાથે રહે છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે. 17 વર્ષની પુત્રી 12માં ધોરણની વિદ્યાર્થીની છે. પાડોશમાં રહેતો મયુર શર્મા આ પરિવારના ઘરે આવતો હતો. પરિવારની દીકરી પ્રત્યે મયુર શર્માના ઇરાદા સારા ન હતા. મયુર સગીર યુવતીને સ્કૂલે જતો ત્યારે તેની પાછળ આવતો હતો અને તેને પરેશાન કરીને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરતો હતો. જોકે, યુવતીએ મયુર શર્માને પોતાનો ભાઈ માનવાનું ચાલુ રાખ્યું હતું. દસ દિવસ પહેલા મયુરે યુવતીને મોબાઈલ ફોન ભેટમાં આપ્યો હતો. મોબાઈલ ગિફ્ટ કરતા પહેલા મયુરે તેના પર પાંચ અશ્લીલ વીડિયો ડાઉનલોડ કર્યા હતા. જેના કારણે યુવતી મયુર શર્માના ઈરાદા સમજી ગઈ હતી અને તેણે તેના પરિવારને જાણ કરી હતી. જે બાદ પિતા પોતાની પુત્રી સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને મયુર શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી મયુર શર્માની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંત ભાગળ ચાર રસ્તા ખાતે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમને જોવાનો લ્હાવો લેવા આમંત્રણ

0

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંત એક અખબાર યાદીમાં જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે તારીખ ૦૭/૦૯/૨૦૨૩ ગુરૂવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ શ્રી સી.આર.પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ પી. સાવંતના જણાવ્યા મુજબ તારીખ ૨૦/૮/૨૦૨૩ રવિવારના રોજ ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયત ખાતે ની મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી ગાવદેવી કરમર ગોવિંદા ઉત્સવ વેડરોડ દ્વારા ફોડવામાં આવશે, જેઓને ૧૧,૦૦૦ નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે… જેમાં સંયોજક તરીકે અડાજણ વિસ્તારનું શ્રી બાળ ગણેશ યુવક મંડળ જોડાશે, જેઓને ૫,૧૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ મહિલા મંડળની મટકી જય ભવાની મહિલા મંડળ અંબાજી રોડ દ્વારા ફોડવામાં આવશે, જેઓને પણ ૧૧,૦૦૦ નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે તેમજ આ વર્ષે અમરજવાલા સ્પોર્ટ્સ ક્લબ વેડરોડને ૭૫ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે દરેક ગોવિંદા મંડળના સર્વ સંમતિથી એમને એક વિશેષ મટકી ફોડવા માટે આપવામાં આવનાર છે, જેઓને ૧૧,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ બાકીના મંડળ જે સલામી મારવા આવશે એમનું સ્વાગત કરી ટ્રોફી આપવામાં આવશે, જ્યારે સંજય નગર ચોક લિંબાયત ખાતે કુલ ૧૧ મંડળોના ડ્રો થયા હતા જેમાં જે ગોવિંદા મંડળ મટકી ફોડશે તેઓને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા ૧,૫૧,૦૦૦ નું રોકડ ઇનામ રાખવામાં આવેલ છે તેમજ લિંબાયત ખાતે બીજા ૧૧ મંડળો દ્વારા સલામી મારનાર હોવાથી તેઓને ૧૨,૫૦૦ નું રોકડ ઇનામ આપવામાં આવશે વધુમાં ગણેશભાઈ સાવંતે ઉમેર્યું હતું કે ગત વર્ષે ૧૩૬ ગોવિંદા મંડળોએ ફોર્મ ભર્યા હતા જ્યારે આ વર્ષે ૧૪૧ ગોવિંદા મંડળોએ પરમિટ ફોર્મ ભર્યા છે, આ કાર્યક્રમના અતિથિ તરીકે સુરત મહાનગરપાલિકાના સભ્યશ્રી, ભાજપના ધારાસભ્યો શ્રી, પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, નગર સેવકો શ્રી, તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે…ગોવિંદા ઉત્સવ સમિતિના અગ્રણીઓ દિપક કદમ, અશોક દુધાણે,બાલકૃષ્ણ ચૌહાણ,જયેશ ઘોઘરેકર, લક્ષ્મણ ડીગે,ચંદ્રકાન્ત નિંબાલકર, શૈલેષ પવાર, રાજ રણપીસે,દીપક શિંદે,સંતોષ કદમ,બાપુ લાંબર,મહેશ પાનસરે,હરીશ પગારે, રમેશ ધુમાલ અને કમલાકર મોરે તેમજ નલીની સેડગે, કામિની કદમ, જયા સાવંત,પ્રેરણા શિંદે, હિનાબેન, ધર્મિષ્ઠા તાંદલેકર,શીતલ કદમ,નયના સાલુંકે રેશ્માબેન રાજીવડે તથા સમિતિના અન્ય તમામ હોદ્દેદારોએ સમગ્ર કાર્યક્રમની વિશેષ વ્યવસ્થા ગોઠવી છે…

ડીંડોલીમાં તેની બહેનપણીને નિર્વસ્ત્ર કરી માર માર્યો, ભોગ બનનાર યુવતીએ આત્મહત્યા કરી,જેમાં પુલીસ ફરીયાદ દાખલ ન કરી.

0

સુરત, સુરત શહેર માં રોજેરોજ પુલીસ ની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે તેવું હકીકત લોકો સામે આવતું હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કેમ કરવામાં આવતું નથી. તેવું એક ઘટના ડીંડોલી ખાતે બની હોવા થી તપાસ અંગે સુરત પુલીસ કમીશ્નર સમક્ષ પરીવારજનો એ માંગ કરી. ન્યાયની માંગ સાથે ગરીબ પરિવારે પોલીસ કમિશનરના દ્વાર ખખડાવી આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી અન્ય યુવક સાથે ભાગી જતા યુવતીની બહેનપણીને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો. છતા ડીંડોલી પોલીસ મૃતક યુવતીના પરિવારની ફરિયાદ લેવામાં આળસ કરી રહી હોવાના આક્ષેપ મૃતકના પરિવારે કર્યા છે.

ડીંડોલી વિસ્તારમાં આવેલ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અને કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિષ્ણુકુમાર બદરીલાલ તૈલી પોતાની પત્ની અને બાળકો સાથે ન્યાયની માંગ લઈ અઠવાલાઇન્સ સ્થિત પોલીસ કમિશનર કચેરીએ પોહચ્યા હતા. કમીશ્નર કચેરીમાં પરિવારે લેખિતમાં ફરિયાદ આપી તેની દીકરીને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવા અને અને મરવા મજબુર કરનાર આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. ભરત મોરે અને શાંતારામ મોરેએ તેની દીકરીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ બંધ ઘરમાં બંધક બનાવી નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો હતો. જેના કારણે મારી દીકરીએ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.