પાલિકા પાસે કુલ 18 શબવાહિની છે, જેમાંથી 10 કોન્ટ્રાક્ટ હેઠળ, 4 સાંસદની ગ્રાન્ટમાંથી મળેલ એસી શબવાહિની છે, જ્યારે 4 ફાયર વિભાગની પોતાની છે. જો કે, 18 પૈકી રોજ એક્લ-દોકલ શબવાહિની ડ્રાઇવર રજા પર હોવાથી કે બ્રેકડાઉન થતા બંધ રહે છે, જેથી 14 જ શબવાહિની કાર્યરત રહે છે. બીજી તરફ શહેરમાં નવા 27 ગામો અને 2 પાલિકાનો પણ સમાવેશ કરાયો છે ત્યારે ડિમાન્ડ પણ વધી રહી છે. હાલમાં ફાયર વિભાગને સરેરાશ 80થી વધુ કોલ આવતા હોય છે ત્યારે શબવાહિની અન્ય રૂટ પર વ્યસ્ત હોવાથી સમયસર મળી શકતી નથી. જેને લઇ ઘણી ફરિયાદો થઇ હતી. જેથી પાલિકાએ નવી બે શબવાહિની ખરીદી કરવાનું આયોજન કર્યું છે. નવી બે શબવાહિની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટના ફંડમાંથી ખરીદી કરાશે. પાલિકાના ફાયર વિભાગની ડિમાન્ડને ધ્યાને લઇ 17 લાખની નવી બે શબવાહિની ખરીદવાનો નિર્ણય લેવાયો છે. નવી શબવાહિની પણ મિની હોવાથી માત્ર શબ જ લઇ જવાશે, જ્યારે બેઠક માત્ર 4 કે 5ની જ હોવાની માહિતી મળી છે.
હજીરાના મોરાગામે એક કિમીના ઓરિયામાંથી પોલીસે 5 બોગસ તબીબ પકડી પાડ્યા છે. સ્થાનિકોની ફરિયાદ હતી કે આ દુકાનોમાં ઊંટવૈદો વેપલો કરી રહ્યા છે, આથી પોલીસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સાથે દરોડા પાડ્યા હતા, જેમાં એક ‘આયુર્વેદ કલિનિક’ નામે ચલાવતું હતું, જ્યારે બીજી દુકાન પર બંગાળી દવાખાના લખ્યું હતું. અન્ય 3 દુકાનોમાં તો એક બેડ-ટેબલ ગોઠવી આ ઠગો પ્રેક્ટિસ કરતા હતા. આવા દવાખાનામાં શ્રમિકો વધુ આવતા હોય છે. પોલીસે જાતે ફરિયાદી બની તમામ ઠગો સામે 2 ગુના દાખલ કરી ધરપકડ કરી છે. 5 પૈકી 4 ઠગ પશ્વિમબંગાળના છે. આરોપીઓ એકાદ વર્ષથી વેપલો કરી રહ્યા હતા.
લક્ષ્મણ પ્રફુલ સરકાર (44)(રહે, ચિત્રકૃટ સોસા., મૂળ પશ્વિમબંગાળ) ટેકરા પાસે મોટાવાડાની દુકાનમાં બોગસ સર્ટી આધારે ક્લિનિક ચલાવતો હતો. તેની પાસેથી બેચલર ઓફ ઈન્દો એલોપેથીક મેડીસીનનું સર્ટિફિકેટ મળ્યું હતું
કિશોર લક્ષ્મણ પટેલ (55)( રહે, બાપા સીતારામ સોસા, મોરાગામ) મોરા ટેકરા પાસે મોટાવાડાની દુકાનમાં બોગસ સર્ટિફિકેટના આધારે ક્લિનિક ચલાવતો હતો અને ડોક્ટરની કોઈ ડિગ્રી પણ ન હતી. તે માત્ર ધો.- 9 પાસ થયેલો છે.
ગોવિંદ પોભાત હાલદાર (33)(રહે,સ્ટાર કોલોની, મોરાગામ, મૂળ રહે, પશ્વિમબંગાળ) મોરાબજારમાં આવેલા દીપક કોમ્પલેક્સની દુકાનમાં આયુર્વેદિક ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હતો. ઘો-12 સુધીનો અભ્યાસ કરેલો છે. તેની પાસેથી ભારત સેવક સમાજનું સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે.
રમેશ નકુલ મંડલ (60) (રહે,કલક્તા ક્લિનિક નામના મેડિકલમાં, મોરાબજાર, મોરાગામ, મૂળ રહે, પશ્વિમબંગાળ) મોરા બજારમાં વેલ પ્રાઇમ હોસ્પિટલની નીચે દુકાનમાં દવાખાનું ચલાવતો હતો. ઘો-12 સુધી અભ્યાસ કરેલો છે. તેની પાસેથી પશ્વિમબંગાળનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસીનનું સર્ટિફિકેટ મળ્યું છે.
ધીમન અમુલ્લા બિસ્વાસ (44) (રહે, રૂચી ટાઉનશીપ, કવાસગામ, મૂળ રહે, પશ્વિમબંગાળ) રિલાયન્સ ગેટ નં-1ની સામે નિરાલી હોટેલની બાજુમાં દુકાનમાં ક્લિનિક ચલાવતો હતો. તે ઘો-12 સુધી ભણેલો છે. તેની પાસેથી પશ્વિમબંગાળનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસીન સર્ટિ. મળ્યું છે.
ઉધના ઝોન-B (સચીન-કનકપુર)ના ઝોનલ વડા હર્ષદ કિનખાબવાલાને ઇલેકશન એન્ડ સેન્સસ
કાર્યપાલક ઇજનેર રાજેશ જરીવાલાની ટ્રાફિક સેલ અને BRTSમાં બદલી
સુરત,સુરત મહાનગર પાલિકા ઈજનેર સિવિલ ના 3 પદની ભરતી બાદ પોસ્ટિંગ બાકી રખાયા હતા. પાલિકા કમિશનરે હાથ પર લઈ અચાનક બદલીનો ઓડર આપ્યા હતો, જેમાં નવા કાર્યપાલક ઇજનેરને નિયુક્તિ આપી. અને ઉધના ઝોન-Bના કાર્યપાલક ઇજનેર તથા વડાને એક સાથે બદલી નાંખ્યા હતા. આ બદલીમાં ઉધના ઝોન-B (સચીન-કનકપુર)ના ઝોનલ વડા હર્ષદ કિનખાબવાલાને ઇલેકશન એન્ડ સેન્સસ વિભાગનો હવાલો સોંપાયો હતો, અને સાથે-સાથે તેમના સ્થાને નવનિયુક્ત ડેપ્યુટી કમિશનર મીના ગજજરને મૂકાયા હતા. કાર્યપાલક ઇજનેર રાજેશ જરીવાલાની ટ્રાફિક સેલ અને BRTSમાં બદલી કરાઈ હતી. તેમના સ્થાને નવા કાર્યપાલક ઇજનેર પરેશ પટેલની નિયુક્તિ કરાઈ હતી. બ્રિજ સેલના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ઉમંગ નાયકને સિટી ઇજનેર સ્પેશીયલ સેલમાં મૂકાયા છે, જ્યારે બ્રિજ સેલમાં જયાંગ જીવનરામજીવાલાને પદભાર સોંપાયો છે.
આ બદલી એક સાથે થવા થી બિન અધીકુત બાંધકામ કરનાર લોકો માં સન્નાટો પ્રસારી ગયા છે. કે હવે કોઈ નવું થશે.
બી.આર.સી માં આવેલી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પ્લાન વિરુધ્ધ થતું બાંધકામ દુર કરવા ઉધના ઝોન-A ટીમ ઉતારી બિન અધિકુત બાંધકામમાં
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન-a માં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મોટા પાયે ગેરકાયદે બાંધકામ થતું હોવાની ફરિયાદ બાદ ઉધના ઝોન એ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. સૂત્રોના પાસે મળેલ માહિતી પ્રમાણે સુરત પાલિકાના ઉધના ઝોનમાં ઉધના મેઇન રોડ પર બી.આર.સી નજીકના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી આવી છે. સોસાયટીમાં મિલકતદારોએ પ્લાન મંજૂર કરાવ્યા બાદ વધારાનું ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું. આ અંગે ઉધના ઝોન-એ દ્વારા ગેરકાયદે બાંધકામ દુર કરવા માટે નોટીસ આપવામાં આવી હતી.
જોકે મિલકતદારોએ પાલિકાની નોટિસ બાદ પણ ગેરકાયદે બાંધકામ ચાલુ જ રાખ્યું હતું. જેના કારણે સવારથી ઉધના ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી.
ઉધના ઝોનમાં રે.સ.નં. 151 પૈકી, ભેદવાડ, રે.સ.નં1, ડીંડોલી, રે.સ.નં. 346 થી 349 પૈકી, સબ પ્લોટ નં.બી પૈકી પ્લોટ નં.આઈ 114 થી 118 વાળી મિલકતમાં મિલકતદારએ મંજૂર લે-આઉટ પ્લાન વિરુધ્ધ બાંધકામ પાલિકાએ નોટિસ બાદ પણ બાંધકામ ચાલુ જ રાખતા ગઈકાલે ઉધના ઝોન દ્વારા આશરે 2400 ચો.ફૂટ માપ જેટલું આર.સી.સી.સ્લેબનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. મિલકતદારો પાસેથી સાડા ચાર લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ, કન્સ્ટ્રક્શન વેસ્ટ ચાર્જ ત્રીસ હજાર અને વીસ હજાર ડિપોઝીટ મળી કુલ પાંચ લાખ રૂપિયાની વસૂલાત કરી હતી.
આ ઉપરાંત સોસાયટીમાં રે.સ.નં. 151 પૈકી, ભેદવાડ, રે.સ.નં1, ડીંડોલી, રે.સ.નં. 346 થી 349 પૈકી, સબ પ્લોટ નં.બી પૈકી પ્લોટ નં.1 થી 4 વાળી મિલકતમાં મિલકતદારોએ પ્લાન વિરુધ્ધ બે હજાર ચોરસ ફુટ ગેરકાયદે બાંધકામ કર્યું હતું. પાલિકાની નોટિસ બાદ પણ આ બાંધકામ ચાલુ રહેતા પાલિકાએ બે હજાર ચોરસ ફુટ બાંધકામ દુર કરીને મિલકતદારો પાસેથી સાડા ચાર લાખ રૂપિયાનો વહીવટી ખર્ચ, કન્સ્ટ્રક્શન વેસ્ટ ચાર્જ ત્રીસ હજાર અને વીસ હજાર ડિપોઝીટ મળી કુલ પાંચ લાખ રૂપિયાની વસૂલાત કરી હતી.
લક્ષ્મીનારાયણ સોસાયટીમાં જ રે.સ.નં. 151 પૈકી, ભેદવાડ, રે.સ.નં 1, ડીંડોલી, રે.સ.નં. 346 થી 349 પૈકી, સબ પ્લોટ નં.બી પૈકી પ્લોટ નં. જી 128 થી 133 વાળી મિલકતમાં મંજૂર પ્લાન વિરુદ્ધનું ત્રીજા માળ પર સ્લેબ કરવાના ઈરાદે ઉભા કરવામાં આવેલ સેન્ટ્રીંગ-શટરીંગ સહિતના 12 કોલમનું બાંધકામ દૂર કરી મિલકતદાર પાસેથી 70,000 વહીવટી ચાર્જ, 20,000 કન્સ્ટ્રક્શન વેસ્ટ ચાર્જ અને 10,000 ડિપોઝીટ વસુલ કરવામાં આવ્યો હતો.
ગેરકાયદે બાંધકામ દુર કરીને ગેરકાયદે બાંધકામ કરનારા ત્રણ મિલકતદારો પાસે 11 લાખ રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
લોકો ને કબજા રસીદ અને દસ્તાવેજ ના નામે વેચાણ કરી સાટાખત બનાવી ને વેચાણ કરી દેવામાં આવે.
સુરત, હાલ માં જ એક સર્વ મુજબ ઉધના,પાંડેસરા , ડીંડોલી અને સચીન ખાતે આવેલ જમીન ના કામગીરી કર્તા તમામ ઓફીસ ભાડાપાટે રાખીને ને જમીન બુકીંગ ની કામગીરી કરવામાં આવે છે. જેમાં બુકિંગ ના કરી હપ્તા ભરનાર ને પણ કાયદેસર રસીદ પણ આપવામાં આવતું નથી.
અમુક વર્ષા પહેલા જ જબુંસર ના નામે જમીન ના બુકીંગ લોકો ના જમા કરાવેલ રસીદ ના રકમ આજ દિવસ સુધી માં મળેલ નથી. જેમાં ઘણા લોકો ને ધાક ધમકી આપી ને તેના રસીદ પણ લઈ લેવામાં આવેલ છે. છતાં ગરીબ-લાચાર લોકો ની ફરિયાદ કોઈ સંભાળી તેનું કોઈ નિકાલ આવતું નથી.
જુદા જુદાપુલીસ સ્ટેશન ખાતે જમીન બાબત માં અનેક ફરીયાદ કરવામાં આવતું હોવાથી પણ તેનું કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતું નથી. પ્રશાસન આ મુદા ઉપર ધ્યાન માં લઈ તો ગરીબ લોકો ના ખુન-પસીના થી ભેગા કરેલ રકમ આ રીતે જમીન માફિયાઓ લઈ ને રફુચકકર ન થઈ જાય.
હાલ માં લોકો પાસે થી મળેલ માહિતી અનુસાર જમીન ના ધંધાકીય સાથે સંકળાયેલા લોકો શરાબ , શબાબ અને રકમ ની રેલમછેલ પાછળ ખર્ચા કરી ને લોકો ને છેતરપિંડી ના ભોગ બનાવી રહ્યા છે. જેમાં લોકો ને જુદી જુદી જગ્યા અધિકારી અને સંકળાયેલા લોકો સાથે તેની જરૂરિયાત મુજબ ની સેવાઓ પૂરી પાડી ને પોતાની કામગીરી પૂરી પાડી છે.
ફાર્મ હાઉસ
જેમાં વધુ ખુલાસો નામ જોગ અને ફોટા,ઓડિયો,વિડીયોગ્રાફી સાથે જાહેર કરવામાં આવે તો જ લોકો ને આ બાબત ની હકીકત ખ્યાતનામ લોકો ને કેવી રીતે ની કામગીરી કરે છે. નું ખ્યાલ આવે.
હાલમાં ડીંડોલી ખાતે જમીન દલાલ ની ઓફીસ માં જન્મદિવસ દિવસ ની ઉજવણી માં ડીંડોલી પુલીસ છાપેમારી કરી ને અમુક લોકો ને પકડમાં આવેલ હતા.
સુરત,સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી(DDWS અને Mohua)ઘ્વારા તા.૧પ સપ્ટેમ્બર ર૦ર૩ થી તા. ર ઓકટોબર ર૦ર૩ દરમ્યાન “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા ૧ ઓકટોબર ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમ્યાન ”સ્વચ્છતા હી સેવા”અંતર્ગત “એક તારીખ એક કલાક” શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું . જેના ભાગરૂપે સુરત શહેરના તમામ ઝોન વિસ્તારના કુલ ૬૨ સ્થળો જેવા કે નાવડી ઓવારા, ધાર્મિક સ્થળ, જાહેર રસ્તા, બાગ બગીચા, શૈક્ષણિક સંસ્થા, ઐતિહાસિક ઇમારત તથા તેની આજુબાજુના વિસ્તારની સફાઇની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.
જેના ભાગરૂપે સેન્ટ્રલ ઝોનના નાવડી ઓવારા ખાતે સાંસદ સભ્યશ્રી સી આર પાટીલ, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રાણા તથા મા.કમિશનરશ્રીમતી શાલીની અગ્રવાલ અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, વરાછા ઝોન-એ માં સ્મીમેર કોલેજ કેમ્પસ ખાતે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ શ્રીમતી મનીષાબેન આહીર, શહેર ભાજપ મહામંત્રીશ્રી કાળુભાઈ ઈટાલીયા, ધના મીલ મીની બજાર ખાતે ધારાસભ્યશ્રી કાંતિભાઈ બલર, માતાવાડી ખાતે ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ ઘોઘારી અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, રાંદેર ઝોનમાં પારસીવાડ હેરિટેજ ખાતે સ્થાયી સમિતિ અધ્યક્ષશ્રી રાજનભાઈ પટેલ, જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ દંડક શ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, પટેલ પાર્ક માર્કેટ ખાતે ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, લીંબાયત ઝોનમાં નીલગીરી સર્કલ ખાતે ડે-મેયર ડો. નરેશ એસ.પાટીલ, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, છત્રપતિ શિવાજી સમારક થી ઇશ્વરપુરા બજાર ખાતે શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ડી. ત્રિપાઠી અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, વરાછા ઝોન-બી માં સુમન સહકાર EWS આવાસ ખાતે ઝોનના કોર્પોરેટરશ્રીઓ, કતારગામ ઝોનમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્યશ્રી વિનુભાઈ મોરડિયા અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, ઉધના ઝોનમાં સપ્તશ્રૃંગી મંદિર ખાતે ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, સચિન તલંગપુર રેલ્વે ઓવરબ્રિજ ખાતે ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈ અને ઝોનના કોર્પોરેટરશ્રીઓ, અઠવા ઝોનમાં લેકવ્યુ ગાર્ડન ખાતે ઝોનના કોર્પોરેટરશ્રીઓ ધ્વારા સદર કાર્યક્રમમાં ભાગ લઇ શ્રમદાન કરવામાં આવેલ હતું.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તમામ ઝોનના કૂલ ૬૨ સ્થળ ખાતે સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, સુરત મહાનાગપાલિકાના અધિકારીશ્રી/પદાધિકારીશ્રી સહિત હજારોની સંખ્યામાં નાગરિકો ધ્વારા ભાગ લઇ સફાઈની કામગીરી હાથ ધરી અંદાજીત ૧૩૦ મે.ટન કચરો એકત્રિત કરી તેનો યોગ્યપણે નિકાલ કરવામાં આવેલ હતો.
સરકારી વિભાગોમાં લાંચ માંગવાના 200 થી વધુ રસ્તાઓ છે.
સુરત, ભારત સરકાર કાયદાકીય રીતે ભષ્ટાચાર નિવારણ અંગે અલગ-અલગ વિભાગ ની રચના કરવામાં આવેલ છે. પણ ભષ્ટાચાર સરકારી વિભાગ માં જીવન જરૂરીયાત થઈ ગયા હોવાથી સરકાર શ્રી તમામ કાયદા ફક્ત ચોપડામાં જ નજર આવે છે. જેમાં હાલ માં પુલીસ વિભાગ માં સુરતના ફરિયાદીના મિત્ર વિરુધ્ધ ઉત્રાણ પોલીસમાં થયેલી જાણવા જોગ ફરિયાદના કામે ફરિયાદીનું વેરીફિકેશન લઈને આઈફોન જમા કરીને ફરિયાદી પાસે અન્ય ગુના દાખલ ન કરવા પેટે પોસઈ ડી.કે.ચોસલાએ રૃ.10 લાખની ગેરકાયદે લાંચ માંગી હતી.જે અંગે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરતાં કામરેજ ટોલનાકા પાસે ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં ઉત્રાણ પોસઈ દિલીપ ચોસલા વતી લાંચના નાણાં લેવા આવેલા વચેટીયા આરોપી પિયુષ બાલાભાઈ રોય(રે.તુલશી રેસીડેન્સી,મોટા વરાછા) આબાદ સપડાઈ ગયો હતો.જ્યારે સ્થળ પરથી અન્ય શખ્શ નિલેશ ભરવાડને લાંચના છટકાની ગંધ આવતાં સ્થળ પરથી નાસી ગયો હતો.
તેમ છતાં સુરત પુલીસ ના કાયદા ના જાણકાર હોવાથી ફરિયાદ કરનાર ને જ ફરિયાદી બનાવી દેવામાં આવતું હોય છે. જેમાં સુરત પુલીસ કમિશ્નર શ્રી ના અંતગર્ત આવતું લગભગ ૩૩ પુલીસ સ્ટેશન ખાતે આ રીતે નાના મોટા પાયે ખોટી રીતે રકમ ની વસુલાત કરવામાં આવતું હોય છે.
જેમાં સૌથી દારૂ ના કેસમાં વસુલાત કરવામાં આવે છે.
*** વેચનાર પાસે થી કેસ કરવામાં આવે.
*** દારૂ પીનારા પાસે તેની કેસ કરી રકમ ની વસુલાત કરવામાં આવે
*** જેમાં મહિનાની ચોક્કસ રકમ ભષ્ટાચાર કરવામાં આવે.
*** અરજી ની તપાસ કેવી રીતે કરવામાં આવે છે તે હાલ માં જ લોકો ની સામે છે.
જેમાં હાલ માં ફક્ત હરિયાણા રાજ્ય ની વાત કરીએ તો પોલીસ વિભાગ ભ્રષ્ટાચારમાં સૌથી આગળ છે, રાજ્યમાં બે વર્ષમાં લાંચ માંગવાના 310 કેસ નોંધાયા છે.
હરિયાણાના સરકારી વિભાગોમાં લાંચ માંગવાના. રાજ્યના કુલ 97 વિભાગો, કોર્પોરેશનો અને બોર્ડમાં અલગ-અલગ સેવાઓ માટે બેથી ચાર બહાના છે. આ બહાને વિભાગોમાં ફાઈલો અટવાઈ જાય છે અને બાદમાં લાંચ લઈને આ જ કામ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં 42 વિભાગોમાં નોંધાયેલા લાંચના 310 કેસ દ્વારા આની પુષ્ટિ થાય છે.
જે બાબત માં મીડિયા રીપોર્ટ પ્રમાણે આ 310 કેસોની તપાસ કરી તો સામે આવ્યું કે રાજ્યમાં સૌથી ભ્રષ્ટ વિભાગ પોલીસ છે.
રાજ્યમાં સરેરાશ દર બીજા દિવસે એક ભ્રષ્ટ કર્મચારી કે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વિભાગના 70, મહેસૂલ વિભાગના 42 અને વીજળી વિભાગના 29 કર્મચારીઓ લાંચના કેસમાં પકડાયા છે. રાજ્યમાં કુલ 44 સરકારી વિભાગો છે. બાકી કોર્પોરેશનો, બોર્ડ અને સોસાયટીઓ છે.
બે વર્ષમાં 2021 અને 2022માં પોલીસ વિરુદ્ધ સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે
ભ્રષ્ટાચારની સૌથી વધુ 1445 ફરિયાદો પોલીસ સામે આવી છે. પંચાયતી રાજ સંસ્થાઓ સામે 755 ફરિયાદો, નાગરિક સંસ્થા 676, શિક્ષણ વિભાગ 488, વીજળી 450, ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ 424, મહેસૂલ 390, આરોગ્ય 239 અને હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશન સામે 190 ફરિયાદો છે.
વિભાગ આ કામગીરી કરવા માટે રકમ ની વસુલાત કરવામાં આવે છે.
પુલીસ વિભાગ:-
*** ફરિયાદ માં નવા કલમ ના ઉમેરો કરવા માટે
***કેસ માં થી નામ કમી કરવા માટે
*** જમીન ઉપર છોડવા માટે
*** દાખલ કેસ માં મદદરૂપ થનાર ને
*** અરજી ફરિયાદ, તપાસ, કે અન્ય રૂપ માં તપાસમાં નામ આવતું મામલો રફેદફે કરવા માટે
*** પાસપોર્ટ ની વેરીફિકેશન માટે
શહેરી સ્થાનીય નિકાય અને શહેરી સ્થાનિક સંસ્થાઓ :-
***પ્રોપર્ટી કાર્ડ બનવા માટે
*** પ્રોપર્ટી ટેક્સ ઠીક કરવા સારું
***જીવન-મૃત્યુ ના દાખલા બનવા માટે
***નકશો અને પ્લાન પાસ કરવા માટે
લાંચ નાબૂદ કરવા માટે ઝીરો ટોલરન્સની નીતિ પર કામગીરી કરવાની જરૃર સરકારી વિભાગ માં છે.
સુરત,ઉત્રાણ પોલીસ મથકના પીએસઆઈ ડી. કે. ચોસલા (દિલીપ ભરવાડ) વડોદરા એસીબીની ઝપટે ચઢ્યા છે. ચોસલા વતી લાંચ સ્વીકારતો એક વચેટિયો એસીબીના હાથે આબાદ ઝડપાઈ ગયો હતો. જ્યારે બીજો ભાગી છૂટ્યો હતો. આ મામલે વડોદરા એસીબીએ ગુનો નોંધી ચોસલા સહિત બે આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી છે.
બનાવ ની વિગત એવી છે કે ટ્રાવેલ્સ કંપનીના માલિક પાસે તપાસ તેમજ ગુના દાખલ થવામાંથી બચવા માટે રૂ. ૧૦ લાખની લાંચ માંગનારા ઉત્રાણ પોલીસ મથકના પીએસઆઈ ડી. કે. ચોસલા વતી લાંચ સ્વીકારતો એક વચેટિયો એસીબીના હાથે આબાદ ઝડપાઈ ગયો હતો.
લાંચની રકમ આપવા નહીં ઇચ્છતા ફરિયાદીએ સીધી એસીબીના PSI ડી.કે. ચોસલા વચેટિયો પિયુષ રોય ડાયરેક્ટરને ફરિયાદ કરી હતી. ફરિયાદીનો મેનેજર કાર ભાડે આપી સાગરીત સાથે મળી કાર ગીરવે મૂકી દેતો હતો. આ મામલો ઉત્રાણ પોલીસ મથકમાં પહોંચતા જાણવા જોગ નોંધ કરી પીએસઆઈ ચોસલાએ તપાસ શરૂ કરી હતી. ગત તા. ૧૯મીએ પોલીસ મથકે ગયેલા ફરિયાદીને પીએસઆઈ ચોસલાએ દમ મારી તપાસ તેમજ ગુના દાખલ થવામાંથી બચવું હોય તો. રૂ. ૧૦ લાખ આપવા પડશે, એમ કહી લાંચની માંગણી કરી હતી.
વચેટિયા પીયૂષ બાલાભાઈ રોય
જેથી ફરિયાદી એ એસીબી ઓફીસ માં સ સંર્પકમાં માં હોવાથી બીજી બાજુ પીએસઆઈ ચોસલાએ કોઈને ગંધ નહીં આવે માટે ફરિયાદીને લાંચની રકમ આપવા શહેર બહાર કીમ ચોકડી પાસે ભાગ્યોદય હોટલની સામે બોલાવ્યો હતો. પીએસઆઈ ચોસલા વતી તેમના બે વચેટિયા પીયૂષ બાલાભાઈ રોય (રહે. તુલસી રેસિડેન્સી, મોટા વરાછા) અને નીલેશ ભરવાડ આવ્યા હતા. જેમાં નીલેશને છટકાની ગંધ આવી જતા ભાગી છૂટ્યો હતો. જ્યારે પીયૂષને વડોદરા એસીબીની ટીમે આબાદ ઝડપી પાડ્યો હતો. વડોદરા એસીબી એકમના મદદનીશ નિયામક પી. એચ. ભેસાણીયાના સુપરવિઝનમાં ફિલ્ડ પીઆઈ એમ. કે.સ્વામીએ તેમની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. મદદનીશ નિયામક પી. એચ. ભેસાણીયાએ જણાવ્યું હતું કે, ફરિયાદી પાસેથી પીએસઆઈ ચોસલા સાથે મોબાઈલ ફોન પર થયેલી વાતચીતના રેકોર્ડિંગ સહિતના પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરતના સચિન વિસ્તારમાં 44 વર્ષીય નરાધમના ઘરે રહેવા આવેલી સબંધીની 7 વર્ષીય દીકરી પર દાનત બગાડી બળાત્કાર ગુજાર્યો છે. આસામમાં રહેતા 7 વર્ષીય બાળકીના માતા પિતાએ સુરતમાં તેમના સંબંધીને ત્યાં અભ્યાસ માટે મોકલી હતી.
પોલીસ સૂત્રો અનુસાર સચિન નવસારી રોડ પાલ્મ ઝુમેરા ખાતે રહેતો મોહમદ અનવર હુસેન મોહમ્મદ યાસીન શેખના ઘરે છેલ્લા એક વર્ષથી વસવાટ કરતી માત્ર 7 વર્ષની માસુમ બાળકી ઉપર દાનત બગાડી હતી. દૂરના સબંધીની માસૂમ બાળકી છેલ્લા એક વર્ષથી તેના ઘરે રહેતી હતી, પરંતુ છેલ્લા બે મહિનાથી મોહમદ અનવર હુસેન દરરોજ રાત્રીના સુમારે બાળકીને તેની હવસનો શિકાર બનાવતો હતો.
જોકે બાળકે હિંમત કરી સોસાયટીની મહિલાઓને આ અંગે જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેને લઇ સચિન પોલીસે આ મામલે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હવસખોર મોહમદ અનવર હુસેન
જોકે હાલ તો આ સમગ્ર મામલે સચિન PI આર.આર.દેસાઈએ હવસખોર મોહમદ અનવર હુસેન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પહેલા ભાજપની સંકલન બેઠક મળી હતી. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા આ સંકલન બેઠકમાં વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિતના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક પ્રમાણે પાલિકાની વિવિધ સમિતિની રચનામાં પણ નો-રિપીટેશન કરવામાં આવ્યું છે. આજે ભાજપની સંકલન બેઠકમાં વિવિધ 12 સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ સાથે સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. તમામ સમિતિમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે આપમાંથી આવેલા બે મહિલાઓને ઉપાધ્યક્ષ બનાવ્યા છે.
સુરત મહાનગરપાલિકાના પદ અધિકારી તરીકેની રેસમાં પાછળ રહી ગયેલા કેટલાક દાવેદારો મહત્વની સમિતિના અધ્યક્ષ તરીકે પ્રબળ દાવેદારી કરતા હતા. આ માટે તેઓએ ભારે લોબિંગ પણ કર્યું હતું. જોકે આજે શહેર પ્રમુખે સંકલન બેઠકમાં નામ જાહેર કરતા જેમના નામ જાહેર થયા છે તે કોર્પોરેટર ખુશાલ થઈ ગયા હતા. જ્યારે જેઓ સમિતિના અધ્યક્ષ બનવા માટે પ્રબળ દાવેદારી કરતા હતા તેઓના મોઢા પડી ગયા હતા.
પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ પ્રમાણે છે