Home Blog Page 42

સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઈતિહાસની આગવી પહેલ: સિવિલ કેમ્પસમાં અદ્યતન પોલીસ ચોકીનું નિર્માણ

0

નવી સિવિલ ખાતે પોલીસ કમિશનરશ્રી અજય તોમરના હસ્તે નવનિર્મિત પોલીસ ચોકીનું લોકાર્પણ

દર્દીઓ અને તેમના પરિજનો, તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ વિદ્યાર્થીઓને પોલીસ સેવા અને કાયદાકીય મદદ સિવિલ કેમ્પસમાં જ સુલભ બનશે

દર્દીઓ અને મેડિકોલીગલ કેસોમાં જરૂરિયાતમંદોને તાત્કાલિક અને સંવેદનાપૂર્ણ રીતે પોલીસ સેવાઓ આપી લોકાભિમુખ પોલીસની પરિકલ્પના સાકાર કરીએ: પોલીસ કમિશનરશ્રી અજય તોમર

સુરતઃમંગળવારઃ- સિવિલ નવી સિવિલ હોસ્પિટલના ઈતિહાસની સૌપ્રથમ અને આગવી પહેલ અંતર્ગત સિવિલ કેમ્પસમાં અદ્યતન પોલીસ ચોકીનું નિર્માણ થયું છે. નવી સિવિલ ખાતે નવનિર્મિત પોલીસ ચોકીનું પોલીસ કમિશનરશ્રી અજય તોમરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિવિલ પોલીસ ચોકી બનવાથી દર્દીઓ અને તેમના પરિજનો, તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ વિદ્યાર્થીઓને પોલીસ સેવા અને કાયદાકીય મદદ સિવિલ કેમ્પસમાં જ સુલભ બનશે.


ખટોદરા પોલીસ સ્ટેશનના અથાગ પ્રયાસો અને ડી.સી.પી. અને એસીપી.શ્રીની મહેનત તેમજ ટીમવર્કના કારણે પોલીસ ચોકી કાર્યરત થઈ છે. આ પોલીસ ચોકી બનવાથી આદિવાસી વિસ્તારો, ગામડાના લોકો તેમજ મિની ભારત સમાન સુરતમાં વસેલા દેશના તમામ પરપ્રાંતીય નાગરિકોને કાયદાકીય અને પોલીસ મદદ થકી ન્યાય સુવિધા ઉભી થશે.
પોલીસ કમિશનરશ્રી અજય તોમરે વધુ પોલીસ કર્મચારીઓ ભરતી કરીને પણ આ પોલીસ ચોકીને વધુ અદ્યતન અને લોકાભિમુખ બનાવવામાં પર ભાર મૂક્યો હતો. તેમણે દર્દીઓ અને મેડિકોલીગલ કેસોમાં જરૂરિયાતમંદોને તાત્કાલિક અને સંવેદનાપૂર્ણ રીતે પોલીસ સેવાઓ આપી લોકાભિમુખ પોલીસની પરિકલ્પના સાકાર થાય એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સિવિલ કેમ્પસની પોલીસ ચોકી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ ખાસ કરીને દાખલ થયેલા અને સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આશીર્વાદરૂપ બનશે. સિવિલમાં આવતી બિનવારસી લાશો, બિનવારસી લોકોના અકસ્માત કેસો, મારામારી, નશાના કેસો, મેડિકોલીગલ કેસો અને પંચનામું તેમજ પોલીસ પ્રમાણપત્રો, સિવિલની સુરક્ષા સલામતીના પ્રશ્નો, મેડિકલ કોલેજના મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજના પ્રશ્નો ઉકેલી શકાશે. ૩૦ થી ૪૦ કિલોમીટર દૂરના તાલુકાના ગામો તેમજ તાલુકા પોલીસે લીગલ કેસોના પંચનામા માટે હવે સુરત સુધી આવવું નહી પડે. પંચનામાની વિધિ સિવિલ પોલીસ ચોકી દ્વારા શક્ય બનશે. ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ અહીં પોલીસ ચોકી નિર્માણ કરવાની ખાતરી આપી હતી, ત્યારે પોલીસ ચોકીની ભેટ આપવા બદલ તેમણે રાજ્ય સરકાર, પોલીસ વિભાગ અને ગૃહમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર-શુશ્રુષામાં નવી સિવિલ હરહંમેશ અગ્રેસર રહી છે. દક્ષિણ ગુજરાત સહિત આસપાસના રાજ્યો, સરહદી વિસ્તારોમાંથી પણ દર્દીઓ નવી સિવિલમાં સારવાર અર્થે આવે છે. લાખો દર્દીઓ વર્ષે દહાડે કરોડો રૂપિયાના ઓપરેશનો, સારવારનો નિ:શુલ્ક લાભ મેળવે છે, ત્યારે પોલીસ ચોકીના અભાવે સુરક્ષા અને સલામતીના પ્રશ્નો ઉદ્દભવતા હતા. અવારનવાર દર્દીઓના સગાઓ દ્વારા તબીબો સાથે સંઘર્ષ, મારામારીના બનાવો બનતા હતા. ઉપરાંત, પોસ્ટમોર્ટમ રૂમની બહાર ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો તેમજ અસામાજિક તત્વો વચ્ચે ઘર્ષણ, મારામારીના અનેક બનાવો બનતા હતા. ગત વર્ષે અહીં પોસ્ટમોર્ટમ રૂમ બહાર હત્યા પણ થઈ હતી. જેથી પોલીસ ચોકીની જરૂરિયાત ઉભી થઈ હતી, જેથી આ પ્રકારના બનાવો નિવારી શકાય.


આ પ્રસંગે એડિશનલ પો. કમિશનર(સેક્ટર-૧) શ્રી કે.એન. ડામોર, ડીસીપી વિજય ગુર્જર, એ.સી.પી. જે.આર. દેસાઈ, ખટોદરા પોલીસ ઈન્સ્પેકટર આર.કે. ધુળીયા, મેડિકલ કોલેજના ડીન ડો.રાગિણી વર્મા, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, યુનિ.સિન્ડિકેટ મેમ્બર અને સિવિલના ટીબી વિભાગના વડા ડો.પારૂલ વડગામા, ડો.ધારિત્રી પરમાર, વોર્ડ નં.૨૦ ના નગરસેવકો, તબીબો, નર્સિંગ સ્ટાફ, નર્સિંગ એસો.ની ટીમના સભ્યો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

C.B.PATEL HEALTH CLUB માં ઝાંઝર નવરાત્રી-૨૦૨૩ ના આયોજકોએ રોડ ઉપર પાર્કીંગ ફી ના નામે લુંટ.

0

Pay & Park Ajay Enterprise ને ૨,૫૦,૦૦૦/- હજાર નું કોન્ટ્રાક્ટ પણ આપ્યા છે.

ટુ-વ્હીલર -૫૦ અને ફોર વ્હીલર-૧૦૦ નું પઠાણી-ઉખાડી લુંટ રોડ ઉપર પાર્કીંગ ના નામે વસુલાત કર્તા.

ટ્રાફિક કન્ટ્રોલ માં ફોટા મોકલતા અને પુલીસ કન્ટ્રોલ માં ફરિયાદ કર્તા, ટ્રાફિક ના ઉચ્ચ અધિકારી સમ્રગ કામગીરી બંધ કરવા માટે આયોજકો ને મેસેજ આપ્યા અને વસુલાત કર્તા વ્યકિત ને દુર કરવામાં આવ્યું.

સુરત, સુરત હાલમાં નવરાત્રી ના સમય માં વિવિધ આયોજક રૂપિયા ની લાલચમાં રોડ ઉપર પણ પાર્કીંગ ના નામે પઠાણી-ઉખાડી લુંટ કર્તા હોય તેવું એક ઘટના C.B.PATEL HEALTH CLUB માં ઝાંઝર નવરાત્રી-૨૦૨૩ ના આયોજકોએ કરી હોય તેવું એક નાગરિક ની રજુઆત ને પગલે તપાસ માટે પુલીસ કંટ્રોલમાં અને ટ્રાફિક કંટ્રોલ માં ફરિયાદ કર્તા ટ્રાફિક ના ઉચ્ચ અધિકારી આયોજકો ની ભલામણ કરી તાત્કાલિક રોડ ઉપર ઉખેડી લુંટ કર્તા માથાભારે લોકો ને જગ્યા ઉપર થી દુર કરવા આદેશ આપ્યા તેવું આયોજક રજૂઆત કરી પોતાની ભૂલ નું સ્વીકાર કરી આપેલ Pay & Park Ajay Enterprise ને ૨,૫૦,૦૦૦/- હજાર નું કોન્ટ્રાક્ટ પણ કેન્સલેશન કરવા માટે ની નાગરિક ને રજુઆત કરી પુલીસ ની કાયદાકીય કાર્યવાહી થી ટ્રાફિક ના ઉચ્ચ અધિકારી એ આયોજન કરનાર ને બચાવી લેવામાં આવેલ.

ઘટના પુલીસ કન્ટ્રોલ -૧૦૦ ઉપર જાણ કર્તા અને ટ્રાફિક કન્ટ્રોલ ના WhatsApp Traffic Help Line Surat City -7434095555 ઉપર સ્થળ ના ફોટા અને વિડીયો મોકલતા જ રીજીયન-૩ ના એક ઉચ્ચ અધિકારી એ આયોજકો ને તાત્કાલિક ફોન કરી ને રોડ ઉપર ના પાર્કીંગ ના નામે લુંટ કર્તા લોકો ને દુર કરવા સૂચના આપી અને બીજી બાજુ પુલીસ કન્ટ્રોલ -૧૦૦ ઉપર રોડ ઉપર ની પાર્કીંગ બાબત માં જાણ કર્તા પી.સી.આર વાન ઘટના સ્થળ ઉપર આવી અને પાર્કીગ ના નામે લુંટ કર્તા લોકો ને જગ્યા ઉપર પુલીસશોધી રહ્યા હતી. જે થી પુલીસ જ પુલીસ ની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે. એક શોધો છે. અને બીજા બચાવી રહ્યા હોય તેવું લાગે છે .

ગરબા ના આયોજક
પાર્કિગના નામે રોડ ઉપર પાર્કીગ કરાવી ને પઠાણી-ઉખાડી લુંટ
રોડ ઉપર ગાડી પાર્કીંગ કરવી પકીંગ ની રસીદ પણ આપતા હતા.

ફૂટ વિભાગ ની ચંદી પડવા પહેલા જ ઘારીમાં ભેળસેળ અટકાવવા તપાસ કરી

0

સુરત, હાલ અમુક દિવસો ચંદી પડવા ના તહેવારે ઘારીમાં ભેળસેળ અટકાવવા પાલિકાના ફૂડ ખાતાની ટીમે ડેરીઓ-માવાવાળાને ત્યાં દરોડા પાડ્યાં છે. જેમાં અલગ-અલગ વિસ્તારમાં ભાગળ, કતારગામ, વરાછા, રાંદેર, પાંડેસરા સહિતના વિસ્તારોમાં અમુક દુકાનોમાં ખાદ્યચીજવસ્તુ નમૂના લેવાયાં છે, જેમને પૃથ્થકરણ અર્થે વેસુ પબ્લિક ફૂડ લેબ ખાતે મોકલવામાં આવ્યાં છે. તમામ નમૂનાઓની ચકાસણી કરી રિપોર્ટ માટે 48 કલાક લાગશે એટલે કે શનિવારે રિપોર્ટ આવશે. જો રિપોર્ટમાં ક્ષતિ જણાશે તો આગળની કાર્યવાહી કરાશે તેમ ફૂડ ખાતાએ જણાવ્યું હતું. જે થી આ નમુના લેવા થી લોકો ના સ્વસ્થ કેવા રીપોર્ટ આવે છે. તે પછી જ ખબર પડશે.

નીચે ના દુકાન અને સ્માંથળ ઉપર થી ખાદ્યચીજવસ્તુ નમૂના લેવાયાં

  • બંસી માવા ભંડાર,અંબાજી રોડનો ખાંચો, ગોપી શેરી, મોહન મીઠાઈની ગલી, ભાગળ
  • શ્રી અંબિકા માવાવાળા, આવિર્ભાવ-1, પાંડેસરા
  • શ્રી કૃષ્ણ ડેરી, ભગુનગર સોસા., એલ.એચ.રોડ
  • ન્યુ લક્ષ્મી ડેરી,અમરદીપ કોમ્પ્લેક્સ, અમરોલી
  • માધવ ડેરી પ્રોડક્ટ્સ, બિનાકા કેમ્પસ, પુણા ગામ
  • ન્યુ શ્રી કૃષ્ણા ડેરી, ઉમિયાનગર-1, ડીંડોલી
  • શ્રી લક્ષ્મી ડેરી, મહાવીર ફ્લેટ, રામનગર, રાંદેર
  • અંબિકા સ્વીટ, તુલશીશ્યામ નગર, નવાગામ,
  • સુરભી ડેરી,સર્વોદય નગર, આશીર્વાદ ચાર રસ્તા, 120 ફૂટ બમરોલી રોડ, પાંડેસરા
  • શ્રી કનૈયા ડેરી, ક્રિષ્ના કોમ્પ્લેક્સ, કતારગામ
  • દૂધ મંડળી, સત્સંગ રેસીડેન્સી, સેટેલાઈટ રોડ, મોટા વરાછા
  • જય લક્ષ્મી ડેરી એન્ડ સ્વીટ્સ,ગ્રીન પ્લાઝા કોમ્પ્લેક્સ, એલ.પી.સવાણી સ્કૂલની સામે, અડાજણ
  • અંબા શંકર માવા ભંડાર,ગોપી શેરીની નજીક, બરાનપુરી ભાગળ
  • બાપ્પા સીતારામ ડેરી એંડ સ્વીટ માર્ટ,શંભુ શક્તિ સંકુલ, સચિન સ્ટેશન રોડ
  • જય અંબે માવા ભંડાર, હરિ ઓમ ઇન્ડ.સોસાયટી, ઉધના-મગદલ્લા રોડ
  • કૃષ્ણામાવા ભંડાર, હરિ ઓમ ઇન્ડ.સોસાયટી, ઉધના-મગદલ્લા રોડ
  • શ્રી હરી ડેરી અને માવા, કોટસફલ રોડ, ભાગળ
  • શ્રી કૃષ્ણ માવા ભંડાર, ખાંડવાળા ની શેરી, વાડી ફળિયા, અંબાજી રોડ

સુરત મનપા ના ઉધના ઝોન-એ અને બિલ્ડરની સાંઠગાંઠના ગંભીર આક્ષેપ

0

બમરોલીમાં બિલ્ડર માટે જમીન ના જગ્યાનો કબજો લેવા ગયેલા પાલિકાના અધિકારીઓને ભાગવું પડ્યું

સુરત,સુરત પાલિકાના ઉધના ઝોનના બમરોલી વિસ્તારમાં એક ખેતરમાંથી રસ્તાની જગ્યાનો વિવાદ ઉભો થયો હતો. પાલિકાએ શરુઆતમાં આક્રમક બનીને જેસીબી મશીનથી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરતાં વિખવાદ થયો હતો. ખેતરના માલિક પરિવાર સાથે ખેતર પર આવી ગયા હતા. પાલિકાના અધિકારીઓએ શરુઆતમાં રોફ ઝાડ્યો હતો. પરંતુ ધીમે ધીમે ખેડુત તરફે લોકો વધી ગયા હતા. તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ ખેડુતોને પ્રશ્નનો જવાબ આપી ન શકતા ખેડુતોએ પાલિકાના અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે સાંઠગાંઠ છે તેવા આક્ષેપ સાથે અધિકારીઓને ઘેરી લીધા હતા.

સુરતના બમરોલી વિસ્તારમાં રસ્તો કાઢવા મુદ્દે સુરત મહાનગરપાલિકા અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, તેમની મહામૂલી જમીનમાંથી રસ્તો બનાવીને બિલ્ડરને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ પાલિકાના કર્મચારી અધિકારીઓનું કહેવું છે કે, ટીપી સ્કીમ અંતર્ગત ખેતરમાંથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જેના કારણે અમે લોકો કામગીરી કરવા આવ્યા છે. જોકે, પાલિકાના અધિકારીઓએ રોડ બનાવવા માટેની જે કામગીરી છે એ શરૂ કરતાની સાથે જ ખેડૂતોએ રસ્તા ઉપર આવી વિરોધ નોંધાવ્યો હતો. ઘટના ગંભીર ન બને તેના માટે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા

મહિલા અને પુરુષ ભેગા થઈને અધિકારીઓની ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડમાંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન એ માં આવેલા બમરોલી વિસ્તારમાં ખેતરમાંથી રસ્તાની જગ્યાના કબ્જાના વિવાદ થતાં ખેડુતોએ અધિકારીઓનો ઘેરો ઘાલ્યો હતો. ખેડૂતો આક્રમક બની જતા અધિકારીઓએ જગ્યા છોડીને ભાગવું પડ્યું હતું. પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા, મહિલા અને પુરુષએ ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડ માંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા હોવાથી રોષે ભરાયા લોકો એ મહિલા અને પુરુષએ ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડ માંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા હતા.

વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ઘરેણાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ

0

સુરતમાં વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી તેઓની નજર ચૂકવી સોનાના ઘરેણાં ચોરતી ટોળકીને ઉધના પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે તેમજ આરોપીઓ પાસેથી 1.59 લાખની કિંમતના અલગ અલગ દાગીના કબ્જે કર્યા હતા. આ સાથે પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુનાના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા.

આરોપીઓ પાસેથી 1.59 લાખની કિંમતના અલગ અલગ દાગીના કબ્જે કર્યા હતા

સુરતમાં ઉધના પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે, રસ્તા પર જતી વૃદ્ધ મહિલાઓને એકલતાનો લાભ લઇ તુમ રિક્ષા મેં બેઠ જાઓ યહાં પર ચોર હૈ તુમ્હે આગે ઉતાર દેતે હૈ તેવું જણાવી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડ્યા હતા. બાદમાં વૃદ્ધના સોનાના ઘરેણાં બેગમાં રાખવાનું જણાવી જે ઘરેણાં તેમજ રૂપિયાની ચોરી કરતી ટોળકી એક રિક્ષામાં માલ વેચવા માટે ઉધના ત્રણ રસ્તા તરફ આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મહિલા સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે 33 વર્ષીય અસ્પાક ઉર્ફે ગોલ્ડન અબ્બાસ શેખ, 22 વર્ષીય કરન રામદાસ બાગુલ અને 27 વર્ષિય નરગીશ ઇકબાલ વજીર શેખની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એક સોનાનું મંગળસૂત્ર, સોનાનું લોકેટ, સોનાની કાનની કરનકુલ, તથા એક સોનાની ચેઇન મળી કુલ 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસ તપાસમાં ઉધના પોલીસ મથકમાં નોંધાયેલા 3 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા

સિનેમાઘરો માં લોકો ને આકર્ષી રહી છે ટીનું સુરેશ દેસાઈ નિર્દેશિત ફિલ્મ :મિશન રાણીગંજ

0

રૂસ્તમ જેવી સુપર ડુપર ફિલ્મ આપનાર જોડીની કેમેસ્ટ્રી ફરી જોવા માટે દર્શકો ઘણા વર્ષોથી આતુર હતાં.

પાંચ વર્ષની અથાક રિસર્ચ બાદ સમગ્ર કોલ ખાણ ની એક સત્ય ઘટના કાગળ પર ઉતારી તેને હૂબહૂ દર્શકો સામે રજુ કરવું. કોઈ નાના ગજાની વાત નથી, આપ એક ડિરેક્ટર છો અને આપ દ્વારા વર્ષો પહેલા ઘડાઈ ગયેલી સત્ય ઘટનાને સીને પડદા પર તાદ્રશ્ય ઉતારી હશે તોજ થિયેટરમાં તાળીઓ મળશે અને એ તાળીઓની દાદ મેળવતું કામ નિર્દેશક ટીનુ સુરેશ દેસાઈ એ સાત વર્ષ બાદ અક્ષય કુમાર સાથે કરી બતાવ્યું. રૂસ્તમ બાદ આ ટીનૂની અક્ષય કુમાર સાથે બીજી ફિલ્મ છે અને આ ફિલ્મમાં ટીનુએ ફિલ્મના એક એક ડાયલોગ અને નાનામાં નાના સીન ઑફ સિસ તથા ૮૦ના દાયકાને ધ્યાને રાખી તે સમયની ડીટેલિંગપર પૂરતું ધ્યાન આપી ફિલ્મને નિર્દેશક તરીકે નવો નિખાર આપ્યો છે. “મિશન રાણીગંજ” નું કોઈ પ્રમોશન નથી કરાયું છતાં બધે આ ફિલ્મ માઉથ ટુ માઉથ પ્રચારથી જોવાઈ રહી છે અને એટલેજ ફરી એકવાર ટીનુ સુરેશ દેસાઈ અને અક્ષય કુમારની હિટ કેમેસ્ટ્રી લોકોને જોવા મળી રહી છે.

તા.૬/૧૦/૨૦૨૩ ના રોજ આ પૂજા ફિલ્મના બેનર હેઠળ રીલે થઇ જેમાં જસવંતસિંહ ગિલની દિકરી પૂનમ ગિલનો કોન્સેપ્ટ તથા સ્ક્રીન પ્લે વિપુલ કે રાવલનું છે. ‘મિશન રાનીગંજ’ થિએટરમાં રિલીઝ થઇ ચુકી છે. જેના આજ સુધીના રીવ્યુ પ્રમાણે આ કલાત્મક ફિલ્મ જરૂર જોવા જેવી છે. કેમ કે, દર્શકોના કહેવા પ્રમાણે હાર્ટ ટચિંગ ફિલ્મ બની છે. બે કલાક આપને જકડી રાખે છે. અક્ષય, પરિણીતા ઉપરાંત નાના મોટા દરેક કલાકારે ખુબ સારો કહી શકાય તેવો જીવંત અભિનય કર્યો છે. ફિલ્મમાં 65 મજૂરોના બચાવ્યા રેસ્ક્યુની ની ભારતની ગ્રેટ સત્યકથા છે. ડિરેક્ટર ટીનુ સુરેશ દેસાઈ ની આ ફિલ્મ ‘મિશન રાણીગંજ’ એજ સત્યધટનાથી પ્રેરિત છે. જેનું રિસર્ચ ટીનુએ પાંચ વર્ષ સુધી કર્યું. પછી આ ફિલ્મ ફ્લોર પર લાવ્યો છે. આ ફિલ્મમાં અક્ષય, પંજાબના વતની અને રિયલ લાઈફ હીરો જસવંત સિંહ ગિલનું પાત્ર નિભાવે છે. જશવંત સિંહે પોતાના જીવના જોખમે લગભગ 350 ફૂટ જમીન નીચે પાણીમાં ફસાયેલા 65 ખનન મજૂરોનો જીવ બચાવ્યો હતો. જે દ્રશ્યો આ ડિરેક્ટરે હૂબહૂ ફિલ્મ માં દર્શાવ્યાની કોશિશ કરી છે. જે જોઈને દર્શકો એકસાઇટ થઇ રહ્યા છે. આ ઘટનામાં 1989માં જસવંત સિંહ ગિલે 2 દિવસમાં જમીનના નીચે 350 ફૂટ પર ફસાયેલા 65 જેટલા મજૂરોને જીવતા બહાર કાઠયા હતાં. તે એન્જીનીયરીંગની કલા આજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જોવું જોઈએ.

સમગ્ર ઘટના ક્રમમાં ટીનુ સુરેશ દેસાઈ ડિરેકટરના નિર્દેશનમાં કામ કરતા અક્ષય કુમાર અને બીજા તમામ કલાકારો આપને શરૂઆતથી લઈને છેલ્લે સુધી ખુરશી પરથી ઉઠવા નથી દેતી. વાર્તા પ્રમાણે ભારતમાં પહેલી કોલસાની ખાણ ‘રાણીગંજ’ માં ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે કામ કરનાર બ્રિટિશ અધિકારીઓએ શરૂ કરી હતી. જસવંત સિંહ ગિલ પોતાની પ્રેગ્નેન્ટ પત્ની નિર્દોષની સાથે રાનીગંજ આવે છે. રાણીગંજમાં જસવંતસિંહ કોલ ઈન્ડિયા લિમિટેડમાં રેસ્ક્યુ એન્જિનિયરનું કામ કરી રહ્યા હોય છે. જ્યારે માઈનમાં થયેલા બ્લાસ્ટ બાદ ખાણમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે કૉલ ખાણ જમીનની નીચે ફસાયેલા લોકોને બચાવવાની જવાબદારી જસવંત સિંહે પોતાના પર લીધી હોય છે. ત્યારે ખુદ જસવંત સિંહ આ કપરા મિશનને કેવી રીતે પુરૂ કર્યું તે જોવા માટે તમારે ‘મિશન રાણીગંજ’ ફિલ્મ પરિવાર સાથે જોવી પડશે. આ ફિલ્મ ‘મિશન રાણીગંજ’ની વાર્તા ઘડિયાળના કાંટાની જેમ આગળ વધતી રહે છે. દર્શકો દરેક ક્ષણ, એક એક ફ્રેમ પરથી નજર નથી હટાવી શકતા. એટલી જબરજસ્ત આ રેસ્ક્યુ મિશન વાળી ફિલ્મ ડિરેકટર ટીનુ સુરેશ દેસાઈ અને અદાકાર અક્ષય કુમારે વર્ષૉબાદ સિને જગતને ભેટ ધરી છે.

આ ફિલ્મના દ્રશ્યો અને સંવાદપર આપ હસતા હસતા, રડી પડશો, કેમ કે, આ ફિલ્મમાં જશવંત સિંહ ઉર્ફે અક્ષય કુમાર સાથે પત્નીનું પાત્ર ભજવનાર પરિણીતિ ચોપડા બીજા કલાકારોમાં વરૂણ બડૌલા, કુમુદ મિશ્રા, રવિ કિશન, પવન મલ્હોત્રા અને દિવ્યંદૂ ભટ્ટાચાર્ય જેવા અનેક કલાકારો એ દરેક પાત્રને ટીનુ સુરેશ દેસાઈ નાં નિર્દેશનમાં જીવંત કરીને ભજવ્યા છે. દસકોમાં એકવાર બનતી આવી ફીલ્મ દર્શકોએ જરૂર નિહાળવી જોઇએ,

‘મારી માટી મારો દેશ’ અભિયાન, આજે સચિન વેસ્ટ ડાયમંડ પાર્ક
પબ્લિક સ્કૂલથી પ્રસ્થાન કરાઈ.

0

સુરત,વોર્ડ ૩૦માં સચિન વેસ્ટ ડાયમન્ડ ગેટ પાર્ક પબ્લિક સ્કૂલથી રેલવે સ્ટેશન તરફ વાયા નવકાર થઇ સચિન સ્ટેશન પાસે ઓવર બ્રિજ નીચે સુધીના રૂટ પર સહુ શાળાના બાળકો અને મહાનુભાવો સાથે પરિભ્રમણ કરી માટી અને ચોખા એકત્રિત કર્યા હતા. તળંગપુર સરકારી શાળાની બાળાઓએ માથે કળશ તથા કુમાર બાળકો દ્વારા બેન્ડ લઇ એક ડ્રેસ કોડમાં સહુ મહેમાનોનું કુમકુમ તિલક કરી બાળાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

કળશ યાત્રાની શરૂઆત માજી પાણી સમિતિ સદસ્ય અને નગર સેવિકા રિનાદેવી રાજપૂત, માજી નગર પ્રમુખ અને વર્તમાન સંગઠન મહામન્ત્રી મનોજસિંહ સોલંકી, માજી નગર સેવક કાનજી ભાડિયાદરા તથા પાલી ગામના સામાજિક અગ્રણી દાનાભાઇ ભાડિયાદરા, ઉમ્બરના લોકપ્રિય માજી સરપંચશ્રી ધનસુખભાઇ પટેલ, ડાયમન્ડ ના પ્રેમ ઓઝા, પાર્ક સ્કૂલના પરાંજપે તેમજ સાગર પાટીલ અને મનપાના આસી. કમિશ્નર પ્રવીણ પ્રસાદ વગેરે મહાનુભાવો હસ્તે માટી અને ચોખા અર્પણ કરી કળશ યાત્રા રથને સચિન સ્ટેશન તરફ પ્રસ્થાન કરાવ્યો હતો. ભારત સરકાર દ્વારા ઉજવાતા અમૃત મહોત્સવ નિમિત્તે ૭૫ વર્ષના ઇતિહાસમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણી થઇ રહી છે. જે નિમિત્તે સચિન વિભાગમાં પણ ‘અમૃત્ત કળશ યાત્રા’ રોજ નિર્ધારિત કરેલ વોર્ડ ના દરેક રૂટમાં દેશભક્તિના ગીતોની ધૂન સાથે પરિભ્રમણ કરે છે. આ કળશ રથમાં હાજર રહેલ રીના દેવી રાજપૂત, માજી નગર સેવકો એસ.એમ.સી. ના અધિકારીગણ અને નગરજનો સાથે અગ્રણીઓ ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આસીસ્ટન્ટ કમિશ્નર પ્રવીણ પ્રસાદના જણાવ્યા મુજબ આજે ડાયમંડ પાર્ક સ્કૂલ પાસેથી સચિન સ્ટેશન તરફ કળશને બહુજ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. અહીં તળંગપુર પ્રાથમિક શાળાની બાળાઓની માથે કળશના દ્રશ્યો એક રાગિતાના દર્શન કરાવતા હતાં. સાથે ગજેરા સ્કૂલની બાળાઓ પણ ટ્રેડિસનલ ડ્રેસમાં પધારી હતી જેમાં એક બાળા માતા સીતાના વેશમાં સહુના આંખે વળગી રહી હતી. આમ કળશ યાત્રાની શોભા શાળાની બાળાઓએ પણ વધારી હતી. યાત્રામાં પધારેલ માજી નગર સેવક, સંગઠન મહામન્ત્રી મનોજસિંહ સોલંકી તથા રોટરી આરસીસી સચિનનાં પદાધિકારી, મહેમાનો અને તથા સહુ કર્મચારીઓએ તેમજ રૂટમાં અનેક વેપારીઓએ, હાથમાં માટી લઈ પંચ પ્રણ પ્રતિજ્ઞા લઇ માટી અને ચોખાને દેશના વિરો અને વિરાંગનાઓ માટે અમૃત્ત કળશ વાટિકામાં અર્પણ કર્યા હતાં. વધુમાં માં મનોજસિંહ સોલંકીએ કહ્યું કે આ કાર્યક્રમ તારીખ ૧૨/૧૦/૨૦૨૩ સુધી વોર્ડ ૩૦માં કાર્યરત રહેશે.

મેડીકલ માં ફાર્મસી-માફિયા પર અંકુશ લાવવા 75 વર્ષે કાયદો બદલાયો

0

પહેલીવાર 1 લાખ, બીજીવાર પકડાશો તો 2 લાખ દંડ અને 3 મહિનાની જેલ

ભારત સરકારે જન વિશ્વાસ બિલમાં ફાર્મસી એક્ટમાં સુધારો કરતાં નવા દંડની રકમ નક્કી કરવામાં આવી છે. પહલીવાર નિયમનું ઉલ્લંઘન પકડાયા તો ૧ લાખ ના દંડ અને બીજીવાર નિયમનું ઉલ્લંઘન કરતાં ઝડપાય તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા કરવામાં આવશે.ફાર્મસી માફિયા પર અંકુશ લાવવા માટે 75 વર્ષે કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ફાર્માસિસ્ટ પોતાના રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરી સર્ટિફિકેટ મેડિકલ સ્ટોર ચલાવવા ભાડે આપશે તો 1 લાખનો દંડ કરવામાં આવશે.

હાલમાં અનેક મેડિકલ સ્ટોર છે, જેમાં કોઈ પણ ફાર્મસિસ્ટ હોતા નથી ફક્ત તેના સર્ટિફિકેટ ભાડે પાડે આપી ને ભાડા ની વસુલાત કરવામાં આવે છે. જેના થી અનેક લોકો નું જીવન જોખમ માં મુકાયા છે.જેના માટે ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપે છે અને જેની સામે ભાડું વસૂલતા હોય છે.

સરકાર દ્વારા સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અને ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પાવર આપવામાં આવ્યા છે. નિયમનું ઉલ્લંઘન કરનાર ફાર્માસિસ્ટને પ્રથમ વખત 1 લાખનો દંડ કરવામાં આવશે. બીજી વખત ઝડપાય તો 2 લાખનો દંડ અને 3 મહિનાની સજા કરવામાં આવશે.

ફાર્મસી કાઉન્સિલ ઇન્ડિયા દ્વારા દેશના દરેક રાજ્યની સરકાર અને સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને સેક્શન 26 હેઠળ જન વિશ્વાસ બિલમાં સુધારો આવ્યો છે તે અંગે જાણ કરવામાં આવી છે. ભાડા પર ફાર્મસીના રજિસ્ટ્રેશન ચાલી રહ્યા છે, ટીચર્સ પણ દવાઓ આપતા હોય છે તે બધા પર કાયદા દ્વારા નિયંત્રણ આવશે. લોકોને ફાર્માસિસ્ટ પાસેથી ચોક્કસ ગુણવત્તાવાળી દવા મળવી જોઈએ તે ફાર્માસિસ્ટની હાજરીમાં જ મળશે. અત્યાર સુધી ફાર્મસી માફિયાઓ ફાર્મસી ચલાવી રહ્યા હતા એ માફિયાગીરીનો અંત આવશે. હવે ગરીબ લોકો સુધી પણ ગુણવત્તાસભર દવા પહોંચશે.

Udhna Zone-A પરવાનગી વગર ની કામગીરી કર્તા ડિમોલીશન ની કરવામાં આવેલ વચેટિયા થયા ગાયબ.

0
ક્રાંતિ સમય

સુરત, સુરત મહાનગર પાલિકા ના ઉધના ઝોન-એ ખાતે ઘણી ફરીયાદ આવતું હોવાથી રિજર્વેશન જગ્યા ઉપર કામગીરી કરી રહેઠાણ ના મકાન બનાવી ને વેચાણ કરી દેવામાં આવતા હોય છે. જેમાં બાબત ની ઘણી ફરીયાદ ઉધના ઝોન ખાતે આવતું હોવાથી થી ડિમોલિશન ની કામગીરી કરવામાં આવેલ હતા.

થયેલ બિન અધીકુત બાંધકામ ની કામગીરી

પાંડેસરા ખાતે આવેલ કેલાશનગર સોસાયટી માં કરવમાં માં આવતું ગેરકાયદેસર પરવાનગી ની કામગીરી અંગે ની ફરીયાદ ઝોન ને મળતા ડિમોલિશન ની કામગીરી કરવામાં આવેલ હતા .

ઉધના ઝોન -એ દ્વારા કરવામાં આવેલ કાયદેસરની કાર્યવાહી

સ્થાનિક સુત્રો ના જણવ્યું હતું કે ઉધના ઝોન-એ ના અમુક વિસ્તાર માં સુરત મહાનગર પાલિકા ના જાણ બહાર ઘણા લોકો બાંહેધરી આપી ને કામગીરી પુરા કરવા માટે ની કોન્ટ્રાક લેવામાં આવે છે. જેમાં સુરત મનપા તરફ થી કોઈ પણ પ્રકાર ની કામગીરી થયેલ બાંધકામ ઉપર કરવામાં આવશે નથી તેની બાહેધરી પણ મોખિક રીતે આપવામાં આવે છે.જેથી બાંધકામ કરનાર લોકો ને બિન અધીકુત રીતે કામગીરી શુરુ કરવામાં આવે.જેમાં હાલ માં મોહન નગર,આપેક્ષા નગરમ શાંતિવન, મણીનગર જેવા અનેક સોસાયટી ની આજુબાજુ માં આ રીતે ની કામગીરી થઇ રહ્યા છે. જેમાં રાજ્કીય ભલામણો કરી કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તેની તકેદારી સોસાયટી ના પ્રમુખ, વોર્ડ પ્રમુખ, અને અમુક કાર્યરતા ભલામણો કરી પોતાના હિતોનું રક્ષણ કર્તા હોય છે.

સુરત સચિન GIDC કેમિકલ કાંડમાં ફરાર આરોપી સંદીપ ગુપ્તા અંકલેશ્વર પાસેથી ધરપકડ કરાઈ.

0

સુરત,સુરતના સચિન GIDC કેમિકલ કાંડના અલગ અલગ બે ગુનાઓમાં છેલ્લાં દોઢ વર્ષથી ફરાર આરોપીને અંકલેશ્ઝવર થી ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અંકલેશ્વર પાસેથી આરોપી સંદીપ ઓમપ્રકાશ ગુપ્તાની ધરપકડ કરી છે. આરોપીએ ખાડીમાં ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરતા ઝેરી ગેસ ઉત્પન્ન થયો અને તેના કારણે બાજુમાં રહેલી મિલમાં કામ કરતા 6ના મોત અને 23ને ગંભીર અસર થઈ હતી. જે તે સમયે પોલીસે સમગ્ર મામલામાં 15 આરોપીઓની ધરપકડ કરીને ચાર્જશીટ બનાવી હતી, પરંતુ આરોપી સંદીપ ગુપ્તા ફરાર થઈ ગયો હતો, ત્યારે દોઢ વર્ષ બાદ અંકલેશ્વર પાસેથી આરોપી ઝડપાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.