Home Blog Page 38

સેલવાસા થી શશી પકડાયા રેલ્વે ના ગેરકાયદેસર રીતે ટીકીટ બનાવતા.

0

ગેરકાયદે સોફટવેરથી ટિકિટ બુકિંગ કરતો 17.36 લાખની 631 ઇ-ટિકિટ જપ્ત

પશ્ચિમ રેલવેની વિજિલન્સ ટીમે બાતમી આધાર પર સેલવાસામાંથી તત્કાલ બુકિંગ કરનારા શશી પ્રકાશ સિંહની ધરપકડ કરી છે. જે ગેરકાયદેસર સોફ્ટવેરથી ટ્રેનોની ટિકિટ બુક કરીને ટિકિટ વેચી રહ્યો હતો. ટીમને શશીના ઘરની તપાસ કરી તો નેક્સસ અને ગદર એમ બે ગેરકાયદેસર સોફ્ટવેર મળી આવ્યા હતા. 15 એપ્રિલથી યુપી અને બિહાર તરફની ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ન મળતા પેસેન્જરો હેરાન પરેશાન થઈ ગયા છે.જેના પગલે તેમને પ્રવાસ રદ કરવો પડી રહ્યો છે. જોકે, એ વાતની જાણ પશ્ચિમ રેલવેની વિજિલન્સ ટીમને થતા જ તેમણે ઇ-ટિકિટમાં ફ્રોડ કરનાર સાથે ઇ-ટિકિટ બુક કરવા માટે ગેરકાયદેસર સોફ્ટવેરનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

અલગ અલગ આઇપી એડ્રેસ સાથે એક સમયે ત્રણ જેટલા સર્વર ઓપરેટ કરતો હોવાનું જણાયું છે. એના લેપટોપમાંથી 1.20 લાખથી વધુની 38 તત્કાલ અને ઓપનિંગ ટિકિટ મળી હતી. નેક્સસ અને ગદર સોફ્ટવેરમાંથી રીકવર કરાયેલ છેલ્લા 30 દિવસના ટિકિટ ઇતિહાસની સંપૂર્ણ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં 539 પીએનઆર જનરેટ થયાનું જણાયું હતું, જેની કિંમત રૂ. 14.62 લાખ છે. આરોપી શશી પેસેન્જરોને ટિકિટ મોકલવા માટે 17 ઈ-મેલ એડ્રેસનો ઉપયોગ કરતો હતો. દરમિયાન તપાસમાં 17.36 લાખ રૂપિયાની 631 ઇ-ટિકિટ પકડાઈ છે.

કામરેજ ખાતે ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ કરાવતા સાંસદ પ્રભુભાઈ વસાવા

0
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના ઉપક્રમે

ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના ૨૨૦ આદિવાસી યુવાનો રાજ્યની ભાતીગળ સંસ્કૃતિને નીરખવા સુરત આવ્યા

◆» યુવાનો દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ:
◆» ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવવા માટે યુથ એક્સચેન્જનો ઉમદા પ્રયાસ
◆» દેશના તમામ રાજ્યોમાંથી આવીને વસેલા ભારતીય નાગરિકોથી સુરત શહેર વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ-:સાંસદ પ્રભુભાઈ વસાવા

કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા તા.૪ થી ૧૦ જાન્યુ. દરમિયાન આયોજિત યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ: ગુજરાતની શાંતિ અને સલામતી અને વિકાસની અનુભૂતિ કરશે આદિવાસી યુવાનો

એક સપ્તાહ સુધી યુવાનોને રાજ્યની રહેણીકરણી, પ્રવાસનસ્થળો અને ખાનપાનથી અવગત કરાશે

સુરતઃગુરૂવારઃ કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના ઉપક્રમે તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન આયોજિત ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. ઝારખંડ રાજ્યના ચતરા, ગિરીડિહ, લાતેહાર, વેસ્ટ સિંઘભૂમ, સરાઈકેલા, ખરવાસા જિલ્લા, ઓડિશા રાજ્યના મલકાનગીરી, કાલાહાંડી જિલ્લા, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ તેમજ તેલંગાણા રાજ્યના ભદ્રાદી- કોથાગુદેમ જિલ્લાઓમાંથી કુલ ૨૨૦ આદિવાસી યુવાઓ ભાગ લઈ રહ્યા છે.
સુરત જિલ્લાના કામરેજ સ્થિત દાદા ભગવાન ત્રિમંદિર ખાતે આયોજિત સમારોહમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને એમાં પણ સુરત શહેર અને જિલ્લો શાંતિ અને સલામતીનું પ્રતિક રહ્યા છે. ચાર રાજ્યોમાંથી આવેલા આદિજાતિ યુવાનો રાજ્યની અભૂતપૂર્વ શાંતિ, સુખાકારી અને વિકાસની અનૂભૂતિ કરી પ્રગતિની શક્તિને સમજશે.
પોતપોતાના ગામ, શહેરમાં જઈ ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવે એ માટેનો યુથ એક્સચેન્જનો આ પ્રયાસ છે એમ જણાવી તેમણે પોતાના વતન જઈ ગુજરાતની અસ્મિતાની સુવાસ ફેલાવવાનો સર્વ યુવાનોને અનુરોધ કર્યો હતો.


ભારત મહત્તમ યુવાશક્તિ ધરાવતો દેશ છે. દેશની વસ્તીના વિવિધ વયજૂથમાં યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે, ત્યારે યુવાનો જ દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ છે એમ જણાવી સાંસદશ્રીએ ગુજરાતની મુલાકાત આ યુવાનો માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે એમ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, લઘુ ભારત સમાન સુરતમાં દેશના તમામ રાજ્યોમાંથી આવેલા ભારતીય નાગરિકો વસે છે, એટલે જ સુરત વિવિધતામાં એકતાનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. શ્રી વસાવાએ મેરા ભારત પોર્ટલ MyBharat.Gov.in (https://mybharat.gov.in) માં વધુને વધુ રજિસ્ટ્રેશન કરીને જોડાવાનું ઉપસ્થિત સૌ યુવાનોને આહ્વાન કર્યું હતું.
નેહરૂ યુવા કેન્દ્ર, સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ મહાનુભાવો અને આદિવાસી યુવાઓને આવકારી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એક સપ્તાહ દરમિયાન આ યુવક-યુવતિઓ સુરત શહેર તથા જિલ્લાના પ્રવાસન સ્થળો, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત, ગુજરાતની કલા-સંસ્કૃતિનું આદાન-પ્રદાન, રહેણીકરણી, યોજનાકીય માહિતીઓની જાણકારી, રાજ્યની શાંતિ અને સલામતીના કારણે ગરવી ગુજરાતની અભૂતપૂર્વ પ્રગતિ, સંસ્કૃતિ, જીવનશૈલી, ભાષાની ઝાંખી કરશે એની વિગતો તેમણે આપી હતી.
નોંધનીય છે કે, ૨૨૦ આદિવાસી યુવાઓ સુરતના ઐતિહાસિક અને ઔદ્યોગિક સ્થળો, ડેરી ઉદ્યોગ તેમજ સરકારી કચેરીઓ સહિત આઈકોનિક સ્થળોની મુલાકાત લેશે. તેમનામાં કૌશલ્ય, એકતા અને વિકાસના ગુણો ખીલે તે માટે તાલીમસત્ર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભાષણ પ્રતિયોગિતા યોજાશે.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી વી.કે. પીપળીયા, મામલતદારશ્રી આર.એસ.ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી એસ.જી.પટેલ, કામરેજ પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા, સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઓલપાડ તાલુકાના શેરડી ગામના ખેડૂત પરિવારને મળ્યો કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ

0
લાભાર્થી હંસાબેન પટેલ

આયુષ્માન કાર્ડ યોજનાએ આરોગ્યની દરેક સુવિદ્યાઓ ઉપલબ્ધ કરાવી છે: લાભાર્થી હંસાબેન પટેલ

સુરત:ગુરૂવાર: ‘સર્વે સન્તુ સુખિન: સર્વે ભવન્તુ નિરામયા’સંસ્કૃત સુભાષિતની આ પંક્તિને સરકારની આયુષ્માન ભારત યોજના સુપેરે સાર્થક કરી છે. સૌને સ્વાસ્થ્ય લાભ થાય અને દેશની જનતા નિરામય જીવન પ્રાપ્ત કરે એ માટે આયુષ્માન ભારત યોજના હેઠળ રૂપિયા દસ લાખ સુધીની શ્રેષ્ઠ સારવાર સરકાર માન્ય ખાનગી હોસ્પિટલમાં કરાવી શકે છે.
વેલફેર સ્ટેટના સિધ્ધાંતને વરેલી સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓનો સીધો જ લાભ દેશના નાગરિકોને મળતા થયો છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભથી અદનામાનવીને પણ જીવન જીવવું સરળ બન્યું છે. આરોગ્યની સુર્દઢ સેવા દેશના ગ્રામીણસ્તર સુધી પહોંચી છે જેનું એક પ્રત્યક્ષ ઉદ્દાહરણ ઓલપાડ તાલુકાના શેરડી ગામના લાભાર્થી હંસાબેન પટેલનો પરિવાર છે.


ઘૂંડણના અસહ્ય પીડાથી મુક્ત થતા ઓલપાડ તાલુકાના શેરડી ગામે રહેતા 60 વર્ષિય હંસાબેન પટેલે કહ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી ઘુંટણનો દુ:ખાવો થતો હતો. દુ:ખાવાના કારણે ચાલવા બેસવામાં ભારે તકલીફ પડતી હતી. દરેક કાર્ય માટે વહુનો સહારો લેવો પડ્તો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં નિદાન કરાવ્યું તો ઘૂંટણની ઢાંકણીમાં ઘસારો થતો હોવાનું જણાયું અને સ્નાયુઓની પકડ નબળી પડતા વધુ દુખાવો થતો હતો. અને આયુષ્માન કાર્ડ અંતર્ગત ઓપરેશન કરવું પડે તેમ હતું. ત્યારે પ્રાઈવેટ હોસ્પિટલમાં દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થશે એમ કહેતા પરિવારજનોને ચિંતા મુકાયા હતા. પરંતુ કેન્દ્ર સરકારની આરોગ્ય સુવિધા આયુષ્માન કાર્ડ અંતર્ગત સુરતની પ્રાઈવેટ હોસ્પિટલમાં ઘૂંટણની ઢાંકણીનું ઓપરેશન કર્યું હતું જે તદ્દન નિશુલ્ક થયું હતું. ઓપરેશન કરાવ્યાના 20 દિવસમાં જ હું મારા પગભેર ફરી ચાલતી થઈ ગઈ છું અને ઘરના કામ સાથે મારી દૈનિક ક્રિયા પણ જાતે જ કરી શકું છું. આ તો સારુ કહેવાય કે, સરકારે અમારા જેવા મધ્યમવર્ગીય પરિવાર માટે રહેવા, જમવા સાથે આરોગ્યની સંભાળ રાખી રહી છે એ બદલ વહીવટી તંત્ર અને સરકારશ્રીનો આભારી રહી એમના ઋુણી રહીશું.-મહેશ કથીરિયા

સુરત સિવિલ હોસ્પિટલમાં ન્યુમોનિયાથી 3 મહિનાના બાળકનું મોત

0

સ્વાસ્થ્ય આપતો શિયાળો હાલ ચાલી રહ્યો છે. તેમ છતાં રોગચાળા કાબુ ન આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક પછી એક લોકોના રોગચાળાના ભરડામાં મોત થઈ રહ્યાં છે. ત્યારે અંકલેશ્વરના 3 મહિનાના માસૂમ બાળકનું ન્યુમોનિયાથી મોત થયું છે. એક મહિનાથી પીડિત માસૂમને સારવાર દરમિયાન ટીબી પણ થયો હતો. જેની સારવાર ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં ચાલતી હતી. જ્યાં તેનું આજે મોત થયું હતં.

અંકલેશ્વરમાં રહેતા ઉત્કર્ષ વિશ્વકર્માને એક મહિના અગાઉ ન્યુમોનિયા થયો હતો. જેથી અંકલેશ્વરમાં શરૂઆતમાં સારવાર બાદ માસૂમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. સારવાર દરમિયાન બાળકને ટીબી હોવાનું પણ સામે આવ્યું હતું. બાદમાં બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું.

એક મહિનાની સારવાર બાદ પણ દિવસે દિવસે બાળકની હાલ સુધરવાને બદલે કથળતી જતી હોવાનું પરિવારે કહ્યું હતું. તબીબોએ ભરપૂર પ્રયત્નો કરવા છતાં તેને બચાવી શકાયું નહોતું. જેથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનો મૃત બાળકની અંતિમ વિધિ માટે મૃતદેહ લઈને ગયા હતાં.

સુરત | મોબાઈલના દુકાનદારે પઠાણી ઉઘરાણીથી કંટાળી સુસાઈડ નોટ લખી ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ

0

સુરત રેલવે સ્ટેશન ઉપર કોસંબાના એક મોબાઇલ શોપના વેપારીએ લેણદારોની પઠાણી ઉઘરાણી અને ધમકીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બનાવ સામે આવ્યો છે. અમીન મુલતાની FB લાઈવ કરી ઝેર પીધું હોવાનું સામે આવ્યું છે. સિવિલમાં દાખલ અમીન મુલતાણીના સંબંધીઓએ કહ્યું કે, રૂપિયા ચૂકવી દીધા બાદ પણ તેને ચેક બાઉન્સની ધમકી આપી ઉઘરાણી માટે ફોન પર ધમકી અપાઈ રહી છે. કોસંબા પોલીસમાં અરજી કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા અમીને આખરે જીવનથી હારી આવું પગલું ભર્યું છે. અમને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ.

પરિવારે કહ્યું કે, આપઘાતનો પ્રયાસ કરનાર અમીન ફરીદભાઈ મુલતાણીના લગ્નને માત્ર 8 મહિના થયા છે. પત્ની સગર્ભા છે. પરિવારમાં માતા-પિતા, બે બહેન અને માનસિક બીમાર ભાઈ છે. ફરીદભાઈ રૂની બનાવટના ગાદલા, ઓશિકા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમીન કોસંબામાં જ અમીન મોબાઇલ શોપ નામની મોબાઇલ એસેસરીઝની દુકાન ચલાવે છે.

5 વર્ષમાં લગભગ 60 લાખનું દેવું કરનાર અમીને કમાઈની પાય પાય લેણદારોને આપીને 50 લાખનું દેવું ચૂકવી દીધું છે. છતાં 8-10 લેણદારો પૈકી કેટલાક ચેક બાઉન્સની ધમકી આપી હજી 7.60 લાખની ઉઘરાણી કાઢી વસૂલી માટે ફોન કરી રહ્યા છે. આ બાબતને લઈ આખું પરિવાર માનસિક તણાવમાં રહે છે. વારંવારની ધમકી અને કેસ કરી બદનામ કરવાની વાત કરતા લેણદારોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આવું પગલું ભરવા મજબુર બન્યો હોય એમ કહી શકાય છે. અમીન રવિવારના રોજ સુરત મોબાઇલની એસેસરીઝની ખરીદી માટે આવ્યો હતો. પરત ફરતી વેળાએ લેણદારોએ ફોન પર ધમકી આપી ઉઘરાણી કરતા કહ્યું કે કોસંબા આવ્યો તો જોઈ લેજે. જેના કારણે અમીને ડરના મારે કંટાળીને સુસાઇડ નોટ લખી FB પર લાઈવ કરી ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ એને રિક્ષામાં સારવાર માટે અજાણ્યા ઈસમો સિવિલ લઈ આવ્યા હતા. હાલ એની તબિયત સાધરણ છે. કોસંબા પોલીસમાં આ બાબતે અરજી આપ્યા બાદ પણ કોઈ પગલાં નહી ભરાતા અમીને આવું પગલું ભરવા મજબુર બન્યો હોય એ વાત ને નકારી શકાય નહીં. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

સુરત | મંદિરેથી દર્શન કરી પરત ફરતું બાળક ટ્રકની અડફેટે આવતાં હાથ કપાયો, દીકરાની હાલત જોઈ માતા સ્તબ્ધ

0

સુરતના રસ્તા પર દોડતાં ભારે વાહનો છાસવારે અકસ્માત સર્જતા હોય છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક ટ્રકે કહેર મચાવ્યો હતો. મંદિરેથી દર્શન કરીને પરત ફરતું બાળક રસ્તામાં પોતાની મસ્તીમાં દોડતું રમતું ઘર તરફ આવી રહ્યું હતું તે દરમિયાન રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકની અડફેટે આવી જતાં હાથ કપાઈ ગયો હતો. પોતાના બાળકની ગંભીર હાલત જોઈને માત સ્તબ્ધ થઈ ગઈ હતી.

ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષીય બાળકને ટ્રકે અડફેટે લીધો હતો. બાળકનું નામ ગૌરવ જ્ઞાન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દુર્ઘટનામાં બાળકનો હાથ કપાયો હતો. જેથી બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળક ભગવાનના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી.સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સમગ્ર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જેમાં બાળક પોતાની મસ્તીમાં ઉતાવળા પગે રસ્તો ક્રોસ કરતો જોવા મળી રહ્યો છે. બાળકનું ધ્યાન બીજી બાજુ હોવાથી પાછળથી આવતા ટ્રક પાછળ તેનું ધ્યાન રહ્યું નહોતું. જેના પગલે ટ્રક તેના પર ફરી વળ્યો હતો.જો કે ટ્રક ચાલકને અંદેશો આવતાં જ તેણે ટ્રક થંભાવી દીધી હતી. જો કે, ત્યાં સુધીમાં બાળકનો હાથ કચડાઈ ગયો હતો.

તબીબોના કહ્યું કે, બાળકનો હાથ છુટ્ટો પડી ગયો છે. જેને પરિવાર સાથે જ લઈને આવ્યું હતું. બાળકના માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી ત્રણ ટાંકા લેવા પડ્યા છે. જ્યારે જમણા પગે અને બંને હાથે ઇજાઓ થઇ છે. આ સાથે જ ડાબા પગમાં ફ્રેકચર થઈ ગયું છે.હાલ તો બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું છે. બાળક ખૂબ જ હિમ્મત વાળું છે.

સુરત મનપા પાલિકાના કાર્યપાલક ઈજનેર ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કવાયત

0
ક્રાંતિ સમય

ACBના પત્ર બાદ શાસકો સમક્ષ મંજૂરી મંગાઈ

મનપાનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત મહાનગર પાલિકાના બીઆરટીએસ વિભાગના કાર્યપાલક ઇજનેર માનસિંગ ચૌધરી લાઈટ એન્ડ એનર્જી વિભાગમાં હતા તે સમયે વર્ષ ૨૦૧૮માં તેમની સામે એસીબીમાં ફરિયાદ થઈ હતી. આ કેસમાં તપાસ આગળ વધતા કોર્ટે તેમની સામે ભષ્ટાચારનો કેસ નથી, પરંતુ સત્તાનો દુરુપયોગ થયો હોવાની ટિપ્પણી કરી હતી. જેને પગલે તેમને જામીન પણ મળ્યા હતા અને તેઓ નોકરી પર પુનઃ કાર્યરત થયા હતા.

પાલિકા એનર્જી એફિસન્સી સેલના તત્કાલીન ઇજનેર માનસિંગ ચૌધરીએ સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યા બાદ તેની સામે ગુનો દાખલ કરવાની મંજૂરી છેલ્લાં પાંચ વર્ષથી પાલિકા પાસે માંગવામાં આવી છે. પરંતુ તેની મંજૂરી આપવામાં આવતી નથી. જોકે હવે આ અંગે મંજૂરી આપવી કે નહીં તે અંગેનો નિર્ણય લેવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

જોકે તેમની સામેનો કેસ ચાલુ હોવાથી રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને એસીબી દ્વારા મનપા કમિશનરને લાંબા સમયથી પત્ર લખી પ્રોસિક્યૂશનની કાર્યવાહી માટે મંજૂરી માંગવામાં આવી રહી હતી. લાંબા સમય બાદ આ ફાઇલ સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્તમાં મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કાર્યપાલક ઈજનેરની નિમણૂક શાસકો દ્વારા કરવામાં આવી હોવાથી નિર્ણયમાં શાસકોની મંજૂરી જરૂરી હોવાથી તેમની સામે દરખાસ્ત મૂકવામાં આવી છે.

સુરતમાં અચાનક હડતાળથી જનતાની મુશ્કેલી વધી, સિટી બસના ચાલકો વધુ વેતનની માંગ સાથે હડતાળ પર ઉતર્યા

0
ક્રાંતિ સમય

સુરતના ભેસ્તાન બીઆરટીએસ બસ ડેપોમાં ડ્રાઇવરો દ્વારા હડતાલ પર ઉતરતા 70 જેટલી સિટી બસો બંધ થઈ ગઈ હતી. જેના લીધે જનતાની મુશ્કેલી પણ વધી છે. સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા અકસ્માતોને નિયંત્રણમાં લાવવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાયા છે. અકસ્માત દરમિયાન ડ્રાઇવરોની જવાબદારી પણ નક્કી કરી દેવામાં આવી છે. જેને કારણે ડ્રાઈવરો તેનો વિરોધ કરી રહ્યા છે અને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં ન આવતો હોવાની પણ વાતો કરી રહ્યા છે. અકસ્માત દરમિયાન જે પણ નુકસાન થાય એની ભરપાઇ ડ્રાઈવરોએ કરવાની રહેશે આ પ્રકારની સત્તાધીશોએ ચીમકી આપવાની સાથે જ ડ્રાઇવરોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ડ્રાઈવરોએ આજે સિટી બસ ન ચલાવવાનો નિર્ણય લીધો છે.

મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, હજી સુધી અમારા સુધી કોઈ વાત સિટી બસના ડ્રાઈવરોએ હડતાળ કરી છે તેવી વાત આવી નથી. જો તેઓ હડતાલ પર ઉતર્યા હશે અને લોકોને મુશ્કેલી થતી હશે તો તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટરની સામે પગલાં લઈશું. જે પણ કોન્ટ્રાક્ટરના ડાઈવરો દ્વારા હડતાલ કરવામાં આવી હશે તેમની સામે તાત્કાલિક અસરથી પગલાં લઈને ઝડપથી બસો શરૂ કરવામાં આવે તે પ્રકારના નિર્ણયો લઈશું. લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેનો અમે ધ્યાન રાખીશું.

સચીન SEZમાં ઇડીનું સર્ચ કરોડોના હવાલા થી વિદેશ મોકલવાનું કોભાંડ

0

જ્વેલરીની કંપનીએ હવાલાથી 2284 કરોડ વિદેશ મોકલી દીધા.

સુરતથી એક્સપોર્ટ-ઇમ્પોર્ટના નામે વધુ એક મસમોટું હવાલાકાંડ ઝડપાયું

સચીન,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સુરત સ્થિત સેઝ (સ્પેશ્યલ ઇકોનોમી ઝોન)માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શરણમ જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા એકમો પર શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ માટે કાર્યવાહી કરવામાં આવી હતી.

ઇડીને શંકા છે કે આ કંપનીએ એક્સપોર્ટ-ઇમ્પોર્ટના નામે વિદેશમાં શંકાસ્પદ રીતે 2284 કરોડ રૂપિયા મોકલી આપ્યા છે. અગાઉ પણ સુરત સેઝમાંથી આવી જ રીતે એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે હવાલાકાંડ ઝડપાયું હતું. આ તપાસ સુરત, અમદાવાદ અને આસામમાં પણ કરાઈ હતી, જેમાં કંપની અને તેની પ્રમોટર ફર્મ દ્વારા ખોટી રીતે 5000 કરોડ વિદેશ મોકલ્યા હોવાનું જણાયું છે.

ઇડીએ જણાવ્યું કે, સુરત SEZ સ્થિત કંપની અને તેના પ્રમોટર અવધ હર્ષદ યાજ્ઞિક, વંશ માર્કેટિંગ, અમદાવાદ અને સુરત અને આસામના ધુબરી ખાતે આશિક પટેલ અને અન્યોની માલિકીની શરણમ જ્વેલ્સ એલએલપી (લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ) કંપનીના સ્થળો પર ફેમા (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) હેઠળ શોધ કરવામાં આવી હતી. તપાસ વિશ્વસનીય માહિતીના આધારે શરૂ કરવામાં આવી હતી કે આ સંસ્થાઓ મોટા પાયા પર ભારતની બહાર વિદેશી હૂંડિયામણ મોકલવામાં સંડોવાયેલી છે. તેઓએ આયાત માટે ચૂકવણીના આધારે 2,284 કરોડ રૂપિયાની શંકાસ્પદ જાવક રેમિટન્સ કરી હતી. સુરતની ફર્મ જેમ્સ અને જ્વેલરીની આયાત અને નિકાસમાં છે અને છેલ્લા બે વર્ષમાં તેણે રૂ. 3,700 કરોડના વ્યવહારો કર્યા છે.

કંપનીએ તેના એકાઉન્ટ બુકમાં રૂ. 520 કરોડનો ક્લોઝિંગ સ્ટોક દર્શાવ્યો છે, જોકે, ભૌતિક ચકાસણી પર, રૂ. 19.7 લાખની કિંમતનો નજીવો સ્ટોક મળી આવ્યો હતો. શરણમ જ્વેલ્સ એલએલપી અને તેના સહયોગી વંશ માર્કેટિંગે અન્ય શેલ ફર્મની મદદથી આયાત અને નિકાસની આડમાં જટિલ વ્યવહારો કરી વિવિધ લોકો અને સંસ્થાઓને રૂ. 5,000 કરોડથી વધુનો હવાલો મોકલી આપ્યો હોવાની એજન્સીએ આક્ષેપ કર્યો છે. એજન્સીએ કહ્યું કે તેણે સર્ચ દરમિયાન સર્ચ કરાયેલી સંસ્થાઓની રૂ. 1.14 કરોડની બેંક ડિપોઝિટ ફ્રીઝ કરી દીધી છે. નોંધનીય છે કે, આગામી દિવસોમાં આ કંપની અને તેના પ્રમોટર્સને ત્યાં તપાસમાં વધુ ચોંકાવનારી માહિતી ખુલશે.

હવે હોમગાર્ડ બનશે જીવનદાતા,CPR કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન તાલીમ લઈ ને

0
સચિન યુનિટ હોમગાર્ડ જવાનોને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરશ્રીઓ દ્વારા CPR ટ્રેનિંગ આપવામાં આવી.

સચિન ખાતે CPR કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશનની તાલીમ અપાઈ.

હાર્ટ એટેકથી મોતના વધતા કેસ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હાર્ટ એટેકના કિસ્સામાં પ્રાથમિક ઉપચાર મળી રહે તે માટે સચિન યુનિટ હોમગાર્ડ જવાનોને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરશ્રીઓ દ્વારા CPR ટ્રેનિંગ આપવામાં આવી.

આ તાલીમ કેમ્પ એલડી હાઈસ્કૂલ સચીન ખાતે યોજાયો હતો. કોરોનાકાળ બાદ સમગ્ર દેશમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક હદે વધારો જોવા મળતા અને જેમાં નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકના કેસો જોવા મળતા સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે. ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવાની દિશામાં સરકારે તાલીમ આપવાના પગલા લીધા છે. જે અંતર્ગત તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ‘હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ ૬૧માં સ્થાપના દિન ઉજવણી” નિમિત્તે આજે તારીખ ૨૪,૧૨,૨૦૨૩ ના રોજ હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના સભ્યોને CPR ની તાલીમ આપવાનું નક્કી કરાતા આજે એલડી હાઈસ્કૂલ પટાંગણમાં ૨૫૦ જેટલા હોમગાર્ડઝ સભ્યોને CPR ની વ્યક્તિગત તાલીમ આપવામાં આવી.

જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત ના સંબંધિત ડોક્ટર પંકજ આસોદરિયા,ડૉકટર ભાવેશ પોશિયા, ડૉકટર ઘનશ્યામ ધડુક અને ડૉકટર રાજેશ નકુમ એ તાલીમી સેવા આપી હતી. તાલીમ બાદ આભાર વિધિમાં ડોક્ટર પંકજે અને હોમગાર્ડ અધિકારી થોમસ પઠારે એ કહ્યું હતું કે, ગુજરાતમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે અને યુવાનોના મૃત્યુ થઈ રહ્યા છે. જેમાં 80 % મૃતકોની ઉંમર 11 થી 25 વર્ષ છે. તાલીમ બાદ હવે આપ જીવનદાતા બનશો, હાર્ટ એટેકના કારણે થતા મોતને રોકવા આજે પ્રાથમિક ઉપચાર અંગે તાલીમ આપ સહુને રૂબરૂ સમજાવીને આપી છે આનાથી અપમૃત્યુના કેસોમાં ઘટાડો થશે એવું ડૉકટર શ્રી અને હોમ ગાર્ડ અધિકારીએ જણાવ્યું હતું.