Home Blog Page 26

વાયરલ વિડીયો:વોર્ડ નં. 28 ના BJP કોર્પોરેટર શરદ પાટીલ અને તેના મળતિયા દ્વારા હપ્તા માંગવા બાબતે

0
વોર્ડ નં. 28 ના BJP કોર્પોરેટર શરદ પાટીલ

સુરત,પાંડેસરા હાઉસિંગ વિજય સિનેમા પાછળ આવેલ હીરા નગર માં ચાલતા બુટલેગર ફૂલવા @ લંગડી ના દારૂ ના અડ્ડા ઉપર વોર્ડ નં. 28 ના BJP કોર્પોરેટર શરદ પાટીલ અને તેના મળતિયા દ્વારા દારૂ ના અડ્ડા ઉપર હપ્તા માંગવા બાબતે બુટલેગર ફૂલવા @ લંગડી સાથે થયેલ બબાલ નો વિડીયો વાયરલ..

ગેરકાયદેસર બાંધકામોને કાયદાકીય ગૂંચને કારણે 13,400 ફાઈલો નામંજૂર

0

બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો માટે બે વર્ષ પહેલાં ઈમ્પેક્ટ ફીનો કાયદાનો અમલ શરૂ કર્યો હતો. જેની મુદત ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.રાજ્યના તમામ શહેરોમાં મોટા પાયે બિનઅધિકૃત બાંધકામોની ફરિયાદ મળતા સરકાર દ્વારા તમામ મિલકતધારકો પાસે એક નક્કી કરેલી ફી લઇને તમામ બિનઅધિકૃત બાંધકામોને નક્કી કરેલા કાયદાને અંતર્ગત રેગ્યુલર કરવા માટે વર્ષ 2022માં છ મહિના માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક નિયમોને લીધે લોકો તરફથી મોળો પ્રતિસાદ મળતા તેની મુદતમાં વધારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી સરકાર દ્વારા ચાર વાર મુદત વધારવામાં આવી છે. છેલ્લીવાર 17 જૂનના રોજ છ મહિના માટે મુદત વધારવામાં આવી હતી. જે 16 ડિસેમ્બર 2024 સુધીની છે.

ઇમ્પેક્ટ ફીના કાયદા ખૂબ ગૂંચવણ ભરેલા છે કે જે મોટાભાગના લોકો પાળી શકતા નથી. ઈમ્પેક્ટ ફીની એક જોગવાઈ એવી છે કે મિલકતધારક પાસે નક્કી કરેલા ધારાધોરણ મુજબનું પાર્કિંગ હોવું જરૂરી છે. આ જોગવાઇના લીધે મોટાભાગના લોકો ફાઈલ મૂકવા તૈયાર થતા નથી.

કામરેજ ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને પોષણમાહ અભિયાનની ‘સુરત પોષણમાહ કાર્યશાળા’ યોજાઈ

0

કુપોષણ મુક્ત બાળ અને મહિલા લક્ષ્યાંકને સિદ્ધ કરવાનો અભિગમ:

સમાજમાં રહેલા કુરિવાજોથી દૂર રહીને બાળકનાં ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કરતા મંત્રી ભાનુબેન બાબરિયા

અન્ન પ્રાસન, બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ કીટનું વિતરણ કરાયું.

વ્હાલી દીકરી યોજના, મહિલા આર્થિક સ્વાવલંબન યોજના અને ગંગા સ્વરૂપા સહિતની યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ

સુરતઃ શનિવાર:- સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત સુપોષિત, સાક્ષર, સશક્ત ભારતના નિર્માણ સહિત ગુજરાતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. કુપોષણ મુક્ત ભારતના ધ્યેય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા સમગ્ર દેશમાં ૭માં પોષણ માહ ઉજવણી થઈ રહી છે. ત્યારે કામરેજના રામ કબીર શૈક્ષણિક સંકુલના દલપત રામા હોલ ખાતે પોષણમાહ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને ‘સુરત પોષણમાહ કાર્યશાળા’ યોજાઈ હતી.
મંત્રી ભાનુબેન બાબરીયાએ ‘પોષણ માહ’નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દ્વારા બાળકો અને મહિલાઓને કુપોષણ મુક્ત કરવા સપ્ટેમ્બર મહિનાને પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નારી શક્તિના સશક્તિકરણ સાથે આગળ ધપાવવામાં આવી રહ્યો છે, ત્યારે આ પોષણમાંહ થકી કુપોષણ મુક્ત બાળ અને મહિલાના લક્ષ્યને સિદ્ધ કરવાના અભિગમ સાથે કામગીરી કરવામાં આવી રહી છે.


પોષણ માહ દરમિયાન મળતા સારા પરિણામનું કાર્ય એ એક દિવસનું નથી એમ જણાવતાં મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, બાળકના જન્મ સમયે દરેક માતાએ ઘરગથ્થુ રિવાજથી દૂર રહેવું જોઈએ. બાળકના જન્મ સમયે કલાકમાં જ માતાનું દૂધ આપવું એ અમૃત સમાન હોય છે એમ તેમણે ઉમેર્યું હતું. સાથે જ સમાજમાં રહેલા કુરિવાજોથી દૂર રહીને બાળકનાં ઉછેર પર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રી ભાનુબેને ખાસ કરીને બાળકના યોગ્ય ઉછેર અને જતન માટે જન્મ સાથે માતાનું દૂધ મળી રહે તેમજ પારણું અને હાલરડું એ આપણી પરંપરા જાળવી રાખવા ખાસ સૂચન કર્યું હતું. વધુમાં મંત્રી શ્રીએ બાળકોને પરંપરાગત રમતો રમવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. દીકરીઓને પોષણ યુક્ત આહાર અને શિક્ષણનો હક હોવાનું જણાવી આજની દીકરીઓ આવતીકાલની માતા અને સક્ષમ ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નર અને સચિવ રાકેશ શંકરે જણાવ્યું હતું કે, આંગણવાડી દ્વારા પુરક આહારનું વિતરણ થઈ થયું છે. કુપોષણ દૂર કરવા સખી મંડળની બહેનો સાથે મળીને સુરત મહાનગર પાલિકાએ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવાની તત્પરતા દર્શાવી ખૂબ સરાહનીય છે. સમગ્ર ગુજરાતમાં સુરત ઈકોનોમિક ગ્રોથ હબના વિકાસ સાથે માતા અને બાળકના પોષણ માટે આંગણવાડીની બહેનો વધું ધ્યાન આપશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રે છેવાડાના વિસ્તારમાં રહેતા નાગરિકને કેન્દ્રમાં રાખીને અનેક જનકલ્યાણની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. સાથે જ દરેક આંગણવાડીમાં બાળક આવે ત્યારે માતાનું કાર્ય આંગણવાડી વર્કર બહેનો કરે છે.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ (ટીએચઆર)નું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા મહિલા આર્થિક સ્વાલંબન યોજના અંતર્ગત સબસીડી સહાય સહિતની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પોષણમાહ કાર્યશાળામાં કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, ICDS વિભાગ ગુજરાતના જોઈન્ટ ડિરેક્ટર અવંતિકાબેન દરજી, તા . પંચાયત-જિલ્લા પંચાયતના હોદ્દેદારો, જિલ્લાઓના પી.ઓ., આઈ.સી.ડી.એસ., સી.ડી.પી.ઓ.ના સ્ટાફગણ સહિત આંગણવાડી બહેનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૬૦મુ અંગદાન

0

નર્મદાના ડેડીયાપાડાના વતની એવા આદિવાસી પરિવારના બ્રેઈનડેડ અજબસિંગભાઇ વસાવાના બે લિવર તથા એક કિડનીનું અંગદાન.

નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ૬૦મું સફળ અંગદાન.

સુરતઃશનિવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૦મું સફળ અંગદાન થયું હતું. નર્મદાના ડેડીયાપાડાના બ્રેઈનડેડ અજબસિંગભાઇ વસાવાનું અકસ્માત થતા બે લિવર તથા એક કિડનીનું અંગદાન થતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ઉપલા ફળિયા ખાતે રહીને ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા ૪૬ વર્ષીય અજબસિંગભાઇ વસાવા તા.૨૨/૦૯/૨૦૨૪ના રોજ ગાડી પર ખુદાદીથી બલગામ જતા હતા ત્યારે નાનીસિંગલોટી પાસે સામેથી બાઇક આવતાં સામસામે એક્સિડેન્ટ થયું હતું. પ્રાથમિક સારવાર માટે ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ રાજપીપળા હો.રીફર કર્યા હતા. વધુ સારવાર માટે ખાનગી એમ્બુલન્સ દ્વારા અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં ત્યાથી યુનિક હોસ્પિટલમાં લઇ જઈ તમામ રિપોર્ટ કે સારવાર કરી કર્યા પણ વધુ ગંભીર હાલત હોવાથી ડોકટરોના કહેવાથી નવી સિવીલ હોસ્પિટલમાં તાઃ૨૬મીએ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર અર્થે લવવામાં આવેલ. ઇમરજન્સીમાંથી આઇ.સી.યુ.માં શિફટ કરવામાં આવેલ હતાં. સધન સારવાર બાદ હેડ ઈન્જરીના કારણે તાઃ૨૮મીએ ડો.હેમલ તથા ડો.કેયુર પ્રજાપતિ, ડો.નિલેશ કાછડીયા અને RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.
વસાવા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ અજબસિંગભાઇના ધર્મ પત્ની રમિલાબેન, દિકરી રંજનાબેન, કૌશલ્યાબેન તથા પુત્ર દેવિન્દ્રભાઇ વસાવા દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી.
આજે તા.૨૮મી સપ્ટે.એ બ્રેઈનડેડ અજબસિંગભાઇની બન્ને કિડનીઓ તથા લિવરને અમદાવાદની IKD હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૬૦મું અંગદાન થયું છે.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

0

‘વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે:’ મહિલા અને બાળકલ્યાણ મંત્રી.

‘આર્થિક રીતે સશક્ત મહિલા પરિવારની સાથે સમાજના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે’: જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ.

મહાનુભાવોના હસ્તે ‘માનસિક સ્વાસ્થ્ય ઔર મહિલા’ પુસ્તકનું વિમોચન કરાયું.

સુરત:શનિવાર: રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ: પડકારો, તકો અને નીતિગત ધારણાઓ’ વિષય પર નેશનલ સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ અને સ્ત્રી ચેતના(સર્વોદય મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ)ના સંયુક્ત ઉપક્રમે સ્નેહ સંકુલ ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિવિધ અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત સ્ત્રીઓના સશક્તિકરણ દ્વારા તેમના સર્વાંગી વિકાસ સાધવાનો હતો.
આ પ્રસંગે મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રીએ આર્થિક સ્વાવલંબિતા માટે વિવિધ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ સામેના પડકારો અને તેને પહોંચી વળવાની તેમની ક્ષમતાઓ વિષે સમજ આપી કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ શરૂઆતથી જ મહિલાઓમાં રહેલી કળાને પારખી તેઓને વ્યવસાય કે રોજગારીમાં રૂપાંતરિત કરવાને પ્રાધાન્ય આપ્યું છે. ઘરની પરિસ્થિતિઓને આધિન લઘુ- નાના ઉદ્યોગ દ્વારા આર્થિક સ્વાવલંબન મેળવવા ઈચ્છતી મહિલાઓને પ્રોત્સાહન આપવા સેંકડો કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. પરિવારને આર્થિક આધાર આપી શકે એ માટે શહેર કે ગામની જરૂરિયાતમંદ મહિલાઓને એકસમાન રોજગારીની તકો મળે એ દિશામાં અવિરત પ્રયત્નો કર્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મહિલાઓને આર્થિક, સામાજિક, શારીરિક અને માનસિક સુરક્ષા તેમજ સ્વસ્થતા પ્રદાન કરવા રાજ્ય સરકાર દ્વારા ચાલતી યોજનાઓ વિશે વિસ્તારથી જણાવ્યું હતું. ગંગા સ્વરૂપા પેન્શન સહાય વિધવા સ્ત્રીઓના જીવનમાં ઓચિંતી આવેલી મુશ્કેલીઓનો સામનો કરવા ઉપયોગી બને છે. લોન સહાય થકી મહિલા નાનો મોટો વ્યવસાય કરી શકે અને વિવિધ સરકારી મેળાઓના માધ્યમથી એ ઉત્પાદનના વેચાણની અને આર્થિક ઉપાર્જનની ઉજ્જવળ તકો મેળવે છે. સાથે જ તેમણે મહિલા સુરક્ષા માટે કાર્ય કરતી ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો ઉલ્લેખ કરી દરેકને જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ દરેક મહિલાઓને પારસ્પરિક મદદની ભાવના સાથે કામ કરવા અને આગળ વધવાની હિમાયત કરી મહિલાઓ સહિત દરેકને વડાપ્રધાનશ્રીના મેક ઈન ઈન્ડિયા અભિયાનને સફળ બનાવવા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કર્યો હતો. જેથી મહિલાઓને વધુ સશકત અને સુરક્ષિત બનાવી ભારતને વિશ્વગુરુ બનવાની દિશામાં આગેકૂચ કરવાના પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાથે મળી સાકારિત કરી શકાય.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલે મહિલાઓને શિક્ષિત અને સશક્ત બનાવી સમાજનો વિકાસ સાધવા તેમજ મહિલા સશક્તિકરણ- મહિલાઓને આર્થિક રીતે સક્ષમ, સુદ્રઢ, સશક્ત કરવા પર ભાર મૂક્યો હતો. આત્મનિર્ભર મહિલાઓ પરિવારની સાથે સમાજમાં પણ ખૂબ મોટો ફાળો આપે છે,જે મહિલાઓ અંગે સમાજનો દૃષ્ટિકોણ બદલવામાં મદદરૂપ નીવડે છે.
તેમણે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે કાર્યરત NRLM(નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન) યોજનાનો ઉલ્લેખ કરી વાર્ષિક એક લાખ કે તેનાથી વધુ ઉપાર્જન કરી ‘લખપતિ દીદી’ બનાવવાના સરકારના પ્રયાસોની વિગતો આપી ઉમેર્યું કે, સુરત જિલ્લામાં કુલ ૧૫ હજારથી વધુ લખપતિ દીદી છે. તેમજ ટૂંક સમયમાં આ આંકડો ૩૪ હજાર સુધી પહોંચે તેવો જિલ્લા વહીવટી તંત્રનો લક્ષ્યાંક હોવાનું તેમણે જણાવ્યું હતું.
ડીડીઓશ્રીએ ગામમાં, શેરી મહોલ્લાઓમાં વસતી મહિલાઓને આર્થિક સધ્ધરતા માટે સ્વસહાય જૂથ બનાવી રિવોલ્વિંગ ફંડનો લાભ લેવા માર્ગદર્શન આપ્યું હતું. મલ્ટી ટાસ્કિંગમાં ઉત્કૃષ્ટ મહિલાઓને એકબીજાના પ્રેરણાસ્ત્રોત બનવા અનુરોધ કરી ડીડીઓશ્રીએ દરેક મહિલાને દિકરા – દીકરીમાં ભેદભાવ વિના તેઓને સુશિક્ષિત બનાવી મનગમતા ક્ષેત્રમાં આગળ વધારવા હિમાયત કરી હતી. જેથી વિકસિત ભારતમાં શિક્ષિત મહિલાઓનો મહિલાઓનો ફાળો પણ મહત્તમ રહે.
આ પ્રસંગે મહિલા અને બાળ સુરક્ષા અધિકારીશ્રી રાધિકા ગામીત, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી કે.વી.લકુમ સહિત અન્ય કર્મચારીઓ, સ્ત્રી ચેતનાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શેલજા અંધારે, સ્થાનિક અધ્યક્ષ શ્રી ચેતનાબેન, સચિવ ડિમ્પલ સુરતી, મહિલા આર્થિક વિકાસ નિગમના કુમુદ યાજ્ઞિક, અન્ય સભ્યો ડૉ કીર્તિબેન સુરતી, નીપા શુક્લા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ દ્વારા “અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણા”નો કાર્યક્રમ યોજાયો

0

Surat:ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આજરોજ ઉધના દરવાજા ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા પાસે કેન્દ્રના વિરોધ પક્ષના નેતા તથા કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં આપેલ અનામત વિરોધી નિવેદનથી કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી શકે તે માટે વિરોધ પ્રદર્શન તથા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો
આ અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો અને બક્ષીપંચ મોરચો તેમજ અન્ય પછાત વર્ગ જાતિના અગ્રણીશ્રીઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓ દ્વારા “અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણા”નો કાર્યક્રમ રાખેલ છે. જેમાં પ્લે કાર્ડ બતાવી, કાળી પટ્ટી લગાવી નારે બાજી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશના પ્રવક્તા તથા વડોદરા ના માજી મેયર શ્રી ભરતભાઈ ડાંગર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા મહામંત્રી શ્રીઓ શ્રી કિશોરભાઈ બિંદલ શ્રી કાળુભાઈ ભીમનાથ મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્ર ભાઈ પક્ષનેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી ધારાસભ્યશ્રીઓ શ્રીમતી સંગીતાબેન પાટીલ શ્રી પ્રવીણભાઈ ઘોઘારી શ્રી અરવિંદભાઈ રાણા શ્રી સંદીપભાઈ દેસાઈ શ્રી મનુભાઈ પટેલ, માજી મંત્રી વડીલ શ્રી નરોત્તમભાઈ પટેલ સહિત નગરસેવક શ્રી ઓ સંગઠનના પદાધિકારીશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

સુરત ક્રેડાઈ દ્વારા ‘જળસંચય જન ભાગીદારી અભિયાન હેઠળ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0

સમગ્ર રાજ્યમાં ૮૦,૦૦૦થી વધુ બોર રિચાર્જિગના કામોનુ કમિટમેન્ટ મળી ચૂકયું છે

આવનારા સમયમાં ગુજરાતમાં રેઈન વોટર હાવેસ્ટિંગના બે થી અઢી લાખ કાર્યોનો લક્ષ્યાંક

આવનારી પેઢીને સંપત્તિની સાથે પાણીરૂપી વારસો આપીએ

વરસાદી પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કરી એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

સુરત ક્રેડાઈ એસોસિયેશન ૧૧૧૧ બોર હાર્વેસ્ટિગના કામો હાથ ધરશેઃ

સુરતઃશુક્રવાર: વરસાદી પાણીના એક એક ટીપાનો સંચય અને સંગ્રહ કરીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાના હેતુથી ‘જળસંચય જન ભાગીદારી અભિયાન’ અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સુરત ક્રેડાઈના ઉપક્રમે અવધ યુટોપીયા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ કહ્યું કેમ જળસંચય અભિયાન હેઠળ પાણીરૂપી પારસમણીને સંગ્રહ કરવાના કાર્યનો સમગ્ર રાજ્યમાં પ્રારંભ થઈ ચુકયો છે. સમગ્ર રાજ્યમાં ૮૦,૦૦૦ બોરને લગતા વોટર હાર્વેસ્ટિંગના કામો કરવાનું કમિટમેન્ટ મળ્યું છે. આવનારા સમયમાં ગુજરાતમાં બે થી અઢી લાખ રેઈન વોટર હાર્વેસ્ટિંગના કાર્યોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એમ જણાવી વરસાદી પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કરી એક એક ટીપાને યોગ્ય મેનેજમેન્ટ કરી ભૂગર્ભમાં ઉતારવાનો તેમજ જિલ્લાના બિન ઉપયોગી અને બંધ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરી ફરી તેજ પાણીનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.
તાજેતરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજયની ૨૦ નદીઓ જોડવા પર હસ્તાક્ષર થઈ ચુક્યા છે એમ જણાવી વધુમાં કહ્યું કે, ‘ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં’ જ રહે અને ભૂગર્ભ જળ રિચાર્જ થાય તે માટે ‘જળસંચય અભિયાન’ આશીર્વાદરૂપ નીવડશે. અત્યાર સુધી આપણે પાણી મેળવવા બોર કરતા હતા પરંતુ સમય અને સંજોગોને ધ્યાને લઇને વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે અભિયાન ઉપાડયું હોવાનું ઉમેર્યું હતું.


મંત્રીશ્રીએ કહ્યું કે, ૧૪/૪૫ ના મકાનમાં ૧૦૦ એમ એમ વરસાદ પડે તો પણ તેના દ્વારા એક લાખ લીટર પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય છે. ક્રેડાઈના સભ્યોને પોતાના ઘર, મહોલ્લા અને સોસાયટીમાં પાણીનું મહત્વ સમજીને જળસંચયના કાર્યો કરવાની હાંકલ કરી હતી.
આ અવસરે ક્રેડાઈના ચેરમેન સંજયભાઈ માંગુકીયાએ જણાવ્યું હતું કે, કુદરતે આપણને ઘણા સંસાધનો આપ્યા છે, ત્યારે આપણે પણ કુદરતને કંઈક આપવાનું છે. જેથી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાથી આવનારી પેઢી સાથે સમગ્ર માનવજાતિની ઉમદા સેવા થઈ શકશે. એમ જણાવી આ તકે તેમણે સૌને જળ સંચય જન ભાગીદારીના અભિયાનમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ક્રેડાઈના પ્રમુખ ડો.જિજ્ઞેશ પટેલે આવનારી પેઢીને સમૃદ્ધ જળવારસો આપવા જળસંચય અભિયાનમાં વધુને વધુ સભ્યો જોડાઈને તેને સફળ બનાવવા હાંકલ હાકલ કરી હતી.
આ તકે સુરત ક્રેડાઈ એસોસિયેશન દ્વારા ૧૧૧૧ બોર હાર્વેસ્ટિગના કામો કરવાની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશ માવાણી, ક્રેડાઈના ઉપપ્રમુખ મગનભાઈ ડોબરિયા, સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, ક્રેડાઈના સભ્યો સર્વે લવજીભાઈ, સંજયભાઈ દેસાઈ, મનોજભાઈ અગ્રવાલ, સંજય સુરાના, જેન્તીભાઈ એકલેરા, શ્રેયાંશભાઈ, વિજયભાઈ ધામેલિયા, તથા મોટી સંખ્યામાં અન્ય ક્રેડાઈના હોદ્દેદારો, અગ્રણી ઉદ્યોગકારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા તા.૨૬મી ઓક્ટોબરે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે

0

સમાધાનથી ટાર્ગેટેડ કેસોનું નિરાકરણ કરાશે: પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો

સુરત:શુક્રવાર: સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.૨૬/૧૦/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
સુરત જિલ્લામાં પેન્ડીંગ જુના સમાધાન લાયક કેસોનું લોક અદાલતના માધ્યમથી નિકાલ કરી શકાય એવા કેસો જેવા કે મોટર એક્સીડન્ટ ક્લેઈમ પીટીશન (ઈજા અથવા મૃત્યુના કિસ્સામાં), વૈવાહિક તકરારોના (છુટાછેડા સિવાયના) ફેમિલી કોર્ટના કેસો, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ (ચેક બાઉન્સ) જેવા ટાર્ગેટેડ કેસો માટે પક્ષકારો તથા તેમના વકીલોએ સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો.
ઉપરાંત, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ-સુરત કચેરી દ્વારા આવા કેસોના સુખદ નિરાકરણ માટે બેચનું ગઠન કરાયું છે. જે બેચ વિશેષ લોકઅદાલતના માધ્યમથી ટાર્ગેટેડ કેસોના સમાધાનથી નિકાલ કરશે. પક્ષકારો તથા તેમના વકીલોએ વિશેષ લોક અદાલતમાં ટાર્ગેટેડ કેસોના CONCILIATION માટે તથા તેની વધુ માહિતી માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવો. રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે. જેથી સમાધાનના માધ્યમથી કેસોનો સુખદ અંત લાવવા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તથા જિલ્લા કાનુની સેવા સત્તામંડળ-સુરતના ચેરમેન શ્રી આર.ટી. વચ્છાણીએ અપીલ કરી છે તેમ જિ.કા. સેવા સત્તામંડળના સચિવ સી.આર.મોદીની યાદીમાં જણાવાયુ છે.

‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

0

ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે ઉત્તમ’: કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર.પાટીલ

વરસાદી પાણીના સંગ્રહની સાથે ‘એક પેડ મા કે નામ’અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષો રોપી-ઉછેરી પર્યાવરણ સુરક્ષાની અપીલ કરતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી

સુરત:શુક્રવાર: કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે ‘જળસંચય જનભાગીદારી’ યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના ૨૧૦ એકરના કેમ્પસમાં ૨૦૦થી વધુ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ પાંચ બોરવેલની કામગીરીનું તેમણે ખાતમુહુર્ત કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત સુરતવાસીઓને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવી પોતાના ઘર, સોસાયટીઓમાં વધુમાં વધુ બોરવેલ બનાવી જળસંચય કરવાની અપીલ કરી હતી. જેથી વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાત જળ સંચયમાં પણ મોખરે રહી દેશઅને નવી રાહ ચીંધી શકે.


જળસંચયને જનભાગીદારી યોજના ગણાવી તેમણે કહ્યું કે, સરકારની મદદ સાથે નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ અને ઉદ્યોગોના સામૂહિક પ્રયાસો મળી આવનારા વર્ષોમાં પાણીની અછતની સમસ્યાને સંપૂર્ણ નિવારી શકાશે. શહેરની સાથે ગામોમાં પણ આ યોજનાના અમલથી વરસાદી પાણીને વહેતું અટકાવી ઘરોમાં અને ખેતરોમાં પાણીની તંગીની સમસ્યા હલ થશે. સાથે જ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કુદરતી આફતોમાં પણ પહોંચી વળાશે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, દરેક ઘરમાં કે ઘર પાસે બોર બનાવી ન્યુનત્તમ ૧ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. જે દૈનિક પાણીના વપરાશમાં ઉપયોગી થઈ શકે છે. તો ગામમાં વરસાદી વ્હેણનું પાણી સંગ્રહ કરાતા કુવામાં પાણીનું જળસ્તર અને ગુણવત્તા બંન્ને સુધરે છે. તેમણે કહ્યું કે, ભૂગર્ભમાં સંગ્રહાયેલું વરસાદી પાણી દરેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોય સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે.
વધુ પડતાં વરસાદથી શહેરના કેટલાક વિસ્તારોમાં ભરાતા પાણીની સમસ્યાને નિવારવા શહેરી વહીવટીતંત્રને રોડની આજુબાજુની જગ્યામાં મહત્તમ બોર બનાવવા ટકોર કરી હતી. જેથી પાણી ભરવાની સમસ્યાની સાથે રસ્તાના ધોવાણને પણ અટકાવી રસ્તાઓને થતું નુકસાન ટાળી શકાય. વરસાદી પાણીના સંગ્રહની સાથે તેમણે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત મહત્તમ વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી. જેથી આવનારા વર્ષોમાં પાણી અને વૃક્ષોના જતનથી પર્યાવરણનું સંતુલન જાળવી શકાય.
આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, ડે.મેયર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસકપક્ષ નેતાશ્રી શશીબેન ત્રિપાઠી, વીર નર્મદ યુનિ.ના કુલપતિશ્રી કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રારશ્રી આર.સી.ગઢવી સહિત યુનિ.ના પ્રાધ્યાપકો, અગ્રણી પરેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર)ના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રિઓક્શન થશે

0

તા.૩૦ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

સુરત:શુક્રવાર: સુરતના પાલ આરટીઓ દ્વારા LMV(મોટર કાર)ના GJ-05 RM, GJ-05 RN, GJ-05 RP, GJ-05 RQ, GJ-05 RS, GJ-05 RT, GJ-05 RU, GJ-05 RV, GJ-05 RW, GJ-05 RX, GJ-05 RYના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન રિઓક્શન શરૂ કરવામાં આવશે. આ માટે રજિસ્ટ્રેશન તા.૩૦ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોમ્બરના રોજ સુધી થશે. જ્યારે હરાજી તા.૦૨ થી ૦૪ ઓક્ટોમ્બર દરમિયાન કરવામાં આવશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવું. જેનો યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીના નિયત સૂચનાઓ મુજબ ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહિ મેળવે અથવા ઉપલબ્ધ નબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહિ તો અરજી તારીખથી ગણતા ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે અને આવા અનરજિસ્ટર્ડ વાહનનો જાહેર ઉપયોગ કરી શકાશે નહીં એમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.