સુરત,સચિન વિસ્તારમાં ગુટકાના પૈસા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં યુવાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી,સચીનમાં ગુટકાના પૈસાની મામૂલી વાતમાં સૂરજની હત્યા પહેલી ઘટના સચિન પોલીસ મથકની હદમાં આવતાં સ્લમ બોર્ડ વિસ્તારમાં બની હતી. ગોડાદરા સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતો 24 વર્ષીય સૂરજ મુકેશ સુરવાડે 31મીની રાત્રે સચિન સ્લમ બોર્ડ પાછળ આવેલા હનુમાનજી મંદિર પાસે હાજર હતો.

રાત્રિના આશરે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રમદેવ અને સાહિલ કુરબાનખાન પઠાણ સાથે સૂરજને ગુટકા ખાવાના પૈસા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી.સાહિલે સૂરજ પર ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધો આ સામાન્ય તકરાર જોતજોતાંમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. ઉશ્કેરાયેલા કમલેશ અને સાહિલે સૂરજ પર ચપ્પુ વડે આડેધડ હુમલો કરી દીધો હતો. સૂરજને ગંભીર હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સૂરજ ગોડાદરાથી સચિન શા માટે ગયો હતો અને આ પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ એે અંગે સચિન પોલીસે તપાસ શરૂ કરી અને ઘટના માં સામેલ બે લોકો ની ધરપકડ કરવામાં આવે છે. જેમાં એક બાળકિશોર હોવાથી કાયદાના સંધર્ષ માં આવેલ લોકો ને પકડી આગળ ની તપાસ સચીન પોલીસ ના પી.આઈ. પી.એન. વાધેલા કરીરહ્યા છે.







