સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા તારીખ 06/07/2025 રવિવારના રોજ પરમિટ ફોર્મનું વિતરણ કરાયું.
સુરત,જન્માષ્ટમી નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જન્માષ્ટમીની તૈયારીઓ જોરશોર શરૂ કરી દેવાય છે. ત્યારે સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા તારીખ 06/07/2025 રવિવારના રોજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલ સાહેબના અધ્યક્ષ સ્થાને 9, અંબાનગર, સોસયો સર્કલ સુરત ખાતે પ્રથમ મીટીંગ નું આયોજન કરાયું હતું. આ મીટીંગ શરૂ થતા પહેલા અમદાવાદ ખાતે થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો માટે બે મિનિટ મોન રાખી તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તે પછી સરવાનું મતે ગોવિંદા કાઢવાની 16 તારીખ નક્કી કરવામાં આવી હતી જેથી આગામી 16/08/2025 શનિવાર ના રોજ યોજાનાર મટકી ફોડ કાર્યક્રમના પરમિટ ફોર્મ નું વિતરણ કરવામાં આવ્યું હતું જે મિટિંગમાં સુરત શહેરના 136 ગોવિંદા મંડળો પૈકી 96 મંડળોને પરમિટ ફોર્મ આપવામાં આવ્યા હતા. આ મિટિંગમાં 250 જેટલા ગોવિંદા મંડળના પ્રમુખોએ હાજરી આપી હતી. તેમજ આ મિટિંગમાં માજી ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ અને કોર્પોરેટર કુણાલભાઈ સેલાર ઉપસ્થિત રહ્યા હતા વધુમાં જે ગોવિંદા મંડળો પરમિટ ફોર્મ લઈ જવાના બાકી હોય તેઓએ બીજો માળ, સંકલ્પ શોપિંગ કોમ્પલેક્ષ, અલથાણ ટેનામેન્ટ સુરત ખાતેથી મેળવી લેવા તેમજ આ વર્ષે ગત વર્ષ કરતા ગોવિંદા મંડળોમાં વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ મિટિંગમાં ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશભાઈ તેમજ ગોવિંદા મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





