૩૧મી માર્ચ સુધી મિલકત પત્રકો ભરવા મિલકતની વિગતો નહી અપાય તે મહિના સુધીનો પગાર નહિ.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે સરકારી અધિકારીઓ- કર્મચારીઓ માટે સ્થાવર- જંગમ મિલકત જાહેર કરવા સંદર્ભે પરિપત્ર કર્યો છે. રાજ્ય સરકારના વર્ગ-૧ થી વર્ગ – ૩ તેમજ ફિક્સ પગારના વર્ગ-૩ના કર્મચારીઓએ જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીના મિલ્કત પત્રકો ભરવાના રહેશે. કર્મયોગી પોર્ટલ પર આંડામાં મા ૩૧મી માર્ચ સુધી મિલકત પત્રકો ભરવામાં નહિ આવે તો આ બાબતને ગેરશિસ્ત ગણવામાં આવશે અને જે તે કર્મચારી-અધિકારીનો એપ્રિલ માસનો પગાર અટકાવવાનો રહેશે.રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ૩૧મી માર્ચ સુધી તેમજ ત્યાર પછી પણ મિલકતોની માહિતી જયાં સુધી આપવામાં નહિ આવે તે મહિના સુધીનો પગાર અટકાવવાનો રહેશે. આ સૂચનાઓનું પાલન કરવા તમામ વિભાગોને નિર્દેશ અપાયા છે. મહત્ત્વનું છે કે, ગત વર્ષથી રાજ્ય સરકારના તમામ વર્ગ-૩ના કર્મચારીઓ માટે પણ અધિકારીઓની માફક મિલકત પત્રક ભરવાન નિયમ લાગુ કરાયો નિયમ ૧૯૭૧ના નિયમ ૧૯માં સરકારી અધિકારીઓ, કર્મચારીઓએ અંગે સ્થાવર-જંગમ મિલકતનું પત્રક ભરવાનું રહે છે.



સ્થાવર મિલકતના પત્રો કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના ભરવાના રહે છે, વર્ષ પૂરું થાય કે તૂર્ત જ મિલકત પત્રક ભરવા પડે છે.
