Home Blog Page 6

પૂર્વ MLA કોટડિયા-પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14ને આજીવન કેદ, 32 કરોડ ની ખંડણી

0

વર્ષ 2018ના બિટકોઈન તોડકાંડ અને અપહરણ કેસમાં.

અમદાવાદની સિટી સેશન્સ કોર્ટની ACBની સ્પેશિયલ કોર્ટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા તથા પૂર્વ IPS જગદીશ પટેલ સહિત 14ને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસ અધિકારીઓએ શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 200 બિટકોઈન પડાવી 32 કરોડ ખંડણી માગી હતી. આ તમામને રાત્રે જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નલિન કોટડિયા 2012માં GPPમાંથી ધારી બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. પૂર્વ, MLA, પૂર્વ IPS, LCB પીઆઇ અને CBI ઇન્સ્પેક્ટર સહિત 15ની ધરપકડ થઈ હતી તત્કાલીન અમરેલી જિલ્લા પોલીસવડા જગદીશ પટેલ, તત્કાલીન અમરેલી LCB પીઆઇ અનંત પટેલ, તત્કાલીન CBI ઈન્સ્પેક્ટર સુનીલ નાયર, કિરીટ પાલડિયા, વકીલ કેતન પટેલ, પોલીસકર્મચારીઓ તેમજ પૂર્વ BJP MLA નલિન કોટડિયા સહિત 15 લોકોની ધરપકડ થઈ હતી, જેમાંથી એકમાત્ર જતીન પટેલનો નિર્દોષ છુટકારો થયો છે.

આ ચુકાદા અંગે આરોપીઓના વકીલ પરેશ વાઘેલાએ જણાવ્યું કે, ચુકાદાનો અભ્યાસ કરીને હાઇકોર્ટમાં અપીલ કરાશે. આ ચુકાદો 547 પેજનો છે. જેમાં સરકાર તરફે 172 સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. જ્યારે બચાવ પક્ષે એક સાક્ષી તપાસવામાં આવ્યો હતો. જેની વર્ષ 2018માં ચાર્જશીટ ફાઈલ થઈ હતી. જ્યારે અંતિમ દલીલો ત્રણ મહિના જેટલો સમય ચાલી હતી. આ દરમિયાન 92 જેટલા સાક્ષીઓ ફરી ગયા હતા.

ફરિયાદી શૈલેષ ભટ્ટના વકીલ રાજેશ રૂપારેલીયાએ સરકાર પક્ષના કેસને સમર્થન આપ્યું નહોતું. રાજેશ રૂપારેલીયાની વધારાના સાક્ષી તરીકે જુબાની લેવામાં આવી હતી. શું છે મામલો? 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી બિટકોઇન લૂંટી લેવાનો અમરેલી પોલીસ પર આરોપ મૂકવામાં આવ્યો હતો. કેતન પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને જાણકારી મળી હતી કે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓએ સુરતના ધવલ માવાણી પાસેથી 200 બિટકોઇન લૂંટી લીધા છે.

એના આધારે નલિન કોટડિયા, કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મિટિંગ કરી શૈલેષ ભટ્ટને લૂંટવાની યોજના બનાવી હતી. એમાં સૌથી પહેલા સીબીઆઈ ઈન્સ્પેકટર સુનીલ નાયર દ્વારા પાંચ કરોડ રોકડા લઈ લેવાયા હતા. ત્યાર બાદ અમરેલી પોલીસ સાથે મળી બાર કરોડના બિટકોઇન લઈ લીધા હતા. આ મામલે ફરિયાદ થતાં સીઆઈડીએ ક્રાઇમે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. આ દોષિતો સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો હતો. આ કેસ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી ACBની વિશેષ અદાલતમાં ચાલ્યો હતો. સરકારે વિશેષ સરકારી વકીલ તરીકે અમિત પટેલની નિમણૂક કરી હતી. શૈલેષ ભટ્ટની અરજી પર ઉચ્ચ પોલીસ અધિકારી અને CBI ઇન્સ્પેકટર સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. શૈલેષ ભટ્ટ પર પણ 2257 બિટકોઈન અને 14.5 કરોડ વાપરવાનો આક્ષેપ શૈલેષ ભટ્ટ પર આક્ષેપ છે કે તેણે 2257 બિટકોઇન, લાઈટ કોઇન અને 14.5 કરોડ રૂપિયા વાપર્યા છે અથવા સંતાડ્યા છે. શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓને કિડનેપ કરીને 2021 બિટકોઈન, 11000 લાઈટ કોઈન અને 14.5 કરોડ રૂપિયાની ખંડણી મેળવી હતી. શૈલેષ ભટ્ટે બીટ કનેક્ટ કંપનીમાં આશરે 1.14 કરોડ રૂપિયા ડૂબી જતાં તેને પ્લાન બનાવીને કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને બીટકોઈન, લાઈટ કોઈન તેમજ રોકડા રૂપિયા પડાવ્યા હતા. શૈલેષ ભટ્ટે એ સમયના અમરેલીના SP જગદીશ પટેલ અને કેટલાક પોલીસ ઓફિસર સામે ફરિયાદ નોંધાવેલી. એમાં તેણે જણાવ્યું હતું કે તેને કિડનેપ કરીને તેની પાસેથી 176 બિટકોઇન પડાવી લેવામાં આવ્યા હતા.

શૈલેષ ભટ્ટે બીજી ફરિયાદ CBIના પોલીસ ઇન્સ્પેક્ટર સુનીલકુમાર વિરુદ્ધ કરી હતી, જેને અરજદારને ED અને આયકર વિભાગની બીક બતાવીને દસ કરોડ રૂપિયાની લાંચ માગી હતી, જેની ડીલ 05 કરોડમાં નક્કી થઈ હતી અને 4.60 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. કોનો શું રોલ હતો? નલિન કોટડિયા(પૂર્વ ધારાસભ્ય) શૈલેષ ભટ્ટે બિટકોઇન ખરીદ્યા બાદ અમરેલી જિલ્લાના ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને આ વાતની જાણ થઇ અને તેણે શૈલેષભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે એક પ્લાન ઘડી કાઢ્યો અને અમરેલીના તત્કાલીન એસપીની સાથે હાથ મિલાવ્યો અને આખો મામલો સામે આવ્યો. ત્યાર બાદ કોટડિયાની ધરપકડ થઈ હતી. જગદીશ પટેલ(તત્કાલીન અમરેલી SP) શૈલેષ ભટ્ટ પાસેથી મોટી રકમ પડાવી લેવા માટે અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને નલિન કોટડિયાએ હાથ મિલાવ્યા. ત્યાર બાદ જગદીશ પટેલે શૈલેશ ભટ્ટને ત્યાં રેડ પાડી. બન્નેએ ભેગા મળીને કરોડો રૂપિયા પડાવ્યા હતા, જેને પગલે જગદીશ પટેલની પણ પોલીસે ધરપકડ કરી. સુનિલ નાયર(તત્કાલીન CBI ઈન્સ્પેક્ટર) સુનિલ નાયરે 7 ફેબ્રુઆરી, 2018ના રોજ સાંજે 5-47 કલાકે શૈલેષ ભટ્ટને ફોન કરીને સીબીઆઈ ઓફિસે આવવા કહ્યું હતું. શૈલેષ ભટ્ટ તેના એડવોકેટ ધર્મેશ પટેલ અને તેના ધંધાના સાથીદાર જિજ્ઞેશ મોરડિયા તથા કિરીટ વાળાને લઈને સીબીઆઈ ઓફિસ પહોંચ્યો હતો. ધવલ માવાણી પાસેથી બિટકોઈન પડાવવા મામલે સીબીઆઈમાં ફરિયાદ કરવા માટે બીજા દિવસે કહ્યું હતું. 8 ફેબ્રુઆરીએ શૈલેષ ભટ્ટ સુનિલ નાયરને મળ્યો હતો ત્યારે નાયરે તેની પાસે 5 કરોડની માંગ કરી હતી. જેમાંથી 4 કરોડ રૂપિયા મેસર્સ ઉમેશચંદ્ર એન્ડ સન્સ નામની આંગડિયા પેઢીમાં ગાંધીનગર ઈન્ફોસિટી ખાતે મોકલાવ્યા હતા. જે કિરીટ પાલડિયાએ સુનિલ નાયર સુધી પહોંચાડ્યા હતા.

સ્ત્રીઓમાં વધુ સેક્સ કરવાની ઇચ્છા હોય તેને મેડિકલની ભાષામાં નિમ્ફોમેનિયા કહેવાય,પ્રેમ, બ્રેકઅપ અને દુષ્કર્મનો કિસ્સો.

0

સહમતી સાથેના જાતિય સંબંધ બળાત્કાર નથી, સેશન્સ કોર્ટે યુવકને નિર્દોષ જાહેર કર્યો.

સુરતના ડિંડોલીમાં રહેતી અને BBAનો અભ્યાસ કરતી એક યુવતીએ m.techનો અભ્યાસ કરતા યુવક સામે જુલાઈ 2022માં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થયા બાદ યુવકે લગ્નની લાલચ આપી અનેક વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બાદમાં લગ્નનો ઇનકાર કરી દીધો હતો. જેમાં પોલીસે યુવકની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.યુવકે ફરિયાદી સાથે કોઇ બળજબરી કરી નથી. પ્રેમ સંબંધોમાં ભંગાણ પડતા બળાત્કારની ખોટી ફરિયાદ થઈ છે. વધુમાં વડી અદાલતનો ચુકાદો ટાંકીને તેમણે દલીલ કરી હતી કે, લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધવામાં આવ્યાનો આક્ષેપ હોય તો તે બળાત્કાર નથી. જે દલીલ માન્ય રાખીને સેશન્સ કોર્ટે યુવકને છોડી મુક્યો હતો.

ભોગ બનનારે કોઇપણ દબાણ વિના હોટલ માં ઓળખ કાર્ડ આપ્યા ફરિયાદી પોતે શિક્ષિત વ્યક્તિ છે અને પોતાનું સારા ખરાબ ની સમજણ ધરાવે છે. ભોગ બનનાર અને યુવકની જાતિ અલગ હોવાથી યુવક અને તેની માતાએ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. તેમ છતાં તેણીએ યુવક સાથે સંબંધો ચાલુ રાખ્યા હતા. ભોગ બનનારે યુવક સાથે જતી વખતે કોઇપણ દબાણ વિના હોટલ માં ઓળખ કાર્ડ આપ્યા છે, જેથી તેણી સાથે કોઇ બળજબરી થઈ નથી. ફરિયાદમાં ભોગ બનનાર યુવતીએ યુવક સાથેના સંબંધોથી પેટમાં ગર્ભ રહ્યાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ કેસની ટ્રાયલ દરમિયાન ગર્ભપાતનો પુરાવો રેકર્ડ પર આવ્યો ન હતો તથા યુવક અને ભોગ બનનારના કપડાં અનેક વખત ધોવાઈ ગયા હતા, જેનો લાભ પણ યુવકને મળ્યો હતો.

મેડિકલ ભાષામાં સ્ત્રીઓમાં વધારે અને વારંવાર સેક્સ કરવાની અનિયંત્રિત ઇચ્છા હોય તેને નિમ્ફોમેનિયા (Nymphomania) કહેવામાં આવે છે. આજકાલ આને વધુ વૈજ્ઞાનિક ભાષામાં હાઈપરસેક્સ્યુઅલ ડિસઓર્ડર (Hypersexual Disorder) તરીકે ઓળખવામાં આવે છે.

👉 નિમ્ફોમેનિયા વિશે થોડું સંક્ષિપ્તમાં:

  • આ માનસિક તથા શારીરિક સ્વરૂપની પરિસ્થિતિ હોઈ શકે છે.
  • સ્ટ્રેસ, હોર્મોનલ ઈમ્બેલન્સ, ટ્રોમા અથવા સાયકોલોજીકલ કારણો થકી ઉભી થઈ શકે છે.
  • ક્યારેક આ કારણે સંબંધોમાં સમસ્યાઓ, ગુલ્ટ ફીલિંગ અને સામાજિક તણાવ ઊભો થઈ શકે છે.

👉 પ્રેમ, બ્રેકઅપ અને દુષ્કર્મના કેસોમાં અસર:

  • પ્રેમ સંબંધમાં: અતિશય સેક્સ્યુઅલ ઈચ્છા ક્યારેક પાર્ટનરશીપમાં ખટાશ અથવા અસંતોષ ઊભો કરી શકે છે.
  • બ્રેકઅપ પછી: ભાવનાત્મક ખાલીપો અને ડિપ્રેશનથી વ્યક્તિ વધુ સેક્સ કે નવા સંબંધોમાં શાંતિ શોધવાનો પ્રયાસ કરે છે.
  • દુષ્કર્મના કેસોમાં: ક્યારેક પીડિતાઓને મનોવિજ્ઞાનિક અસરથી સેક્સ પ્રત્યે ડર, અણગમો કે ક્યારેક વિપરીત રીતે અતિશય ઝુકાવ જોવા મળે છે. આ બધું ટ્રોમા અને મગજની પ્રતિક્રિયા પર આધારિત હોય છે.

ભોગ બનનારને નિમ્ફોમેનિયાની બીમારી હોવાની શંકા વ્યક્ત કરી હતી તબીબી પુરાવા ઉપરાંત ડીએનએ રિપોર્ટમાં પણ ભોગ બનનાર અને યુવકના સેમ્પલ મેચ થયા ન હતા. વધુમાં ડોક્ટર સાહેદની જુબાનીમાં એ વાત રેકર્ડ પર આવી હતી કે, ભોગ બનનારે તબીબી તપાસ દરમિયાન પોતે 30થી 35 વર્ષ શારીરિક સંબંધો બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી બચાવ પક્ષે ભોગ બનનારને નિમ્ફોમેનિયાની બીમારી હોવાની શંકા વ્યક્ત કરી હતી.આવી બીમારીમાં સ્ત્રી પોતાના પર કંટ્રોલ કરી શકતી નથી ભોગ બનનારની મેડિકલ તપાસ કરતા ડોક્ટર સાહેદે બચાવ પક્ષે ઉલટ તપાસમાં પૂછેલા પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, ઘણીવાર પુરૂષો કરતા સ્ત્રીઓમાં સેક્સ કરવાની ઇચ્છા વધુ હોઇ શકે. જે સ્ત્રીઓમાં વધુ સેક્સ કરવાની ઇચ્છા હોય તેને મેડિકલની ભાષામાં નિમ્ફોમેનિયા કહેવાય છે. અને આ એક પ્રકારની માનસિક બીમારી કહેવાય. આવી બીમારીમાં સ્ત્રી પોતાના પર કંટ્રોલ કરી શકતી નથી.

DGVCLની નવીન સચીન અર્બન તથા કનસાડ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

0

નવીન કચેરીથી વીજ ગ્રાહકોને વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત સેવા મળશે: ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી નિવારણ થશે: વનમંત્રી મુકેશભાઈ પટેલ

રૂ.૯૪૬ કરોડના ખર્ચે સુરત-સચિન-નવસારી સુધીનો ૬ લેન રોડ નિર્માણ પામશે: ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ

કનસાડ ગ્રામ્ય કચેરીમાં ઉંબેર, તલંગપોર, પાલી, કનસાડ અને લાજપોર તેમજ સચીન અર્બનમાં પારડી, સચીન સુડા, કનકપુર, પોપડા, કછોલી, સામરોડ, કપલેથાનો સમાવેશ

માહિતી બ્યુરો-સુરતઃશુક્રવાર: દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. દ્વારા સચિન ગ્રામ્ય અને ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓનું વિભાજન કરીને બનાવવામાં આવેલી નવીન સચીન અર્બન તથા કનસાડ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓનું લોકાર્પણ વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
સચીન (કનકપુર)ના સિગ્નેચર હોલ ખાતે આયોજિત લોકાર્પણ સમારોહમાં વનમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સચિન ગ્રામ્ય અને ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં વિસ્તારોમાં ઔદ્યોગિક, રહેણાંક અને વાણિજ્યિક ક્ષેત્રમાં ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરિણામે વીજળીની માંગ અને લોડ પણ સતત વધતા જાય છે. ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના પણ આ વિસ્તારમાં અમલી બનાવાઈ છે. સચિન ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીનો વિસ્તાર સુરત મહાનગરપાલિકામાં આવે છે, અને ખરવાસા પેટા વિભાગીય કચેરીનો સમાવેશ પણ સુડા (સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી)માં થયો છે.
આ વિસ્તારમાં શહેરીકરણ, સુખસુવિધાઓમાં વધારો અને સ્થાનિક લોકોની આધુનિક રહેણીકરણીમાં બદલાવના કારણે વીજમાંગ વધતા નવીન કચેરી ઉભી કરવામાં આવી છે, જેના કારણે વીજગ્રાહકોને વધુ ઝડપી અને ગુણવત્તાયુક્ત સેવા મળશે તેમજ ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી નિવારણ થશે એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે,રાજ્યમાં છેલ્લા ૩ વર્ષથી ૨૪ કલાક વીજળી મળે છે. રાજ્યમાં સાતત્યસભર વીજપૂરવઠો આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં ચાર હજાર કરોડના કામો પ્રગતિમાં છે. સરકાર દ્વારા રૂ.૯૪૬ કરોડના ખર્ચે સુરત-સચિન-નવસારી સુધીનો ૬ લેન રોડ મંજૂર કરવામાં આવ્યો છે, જે નિર્માણ કાર્ય શરૂ થયા બાદ ૩૦ મહિનામાં પૂર્ણ થઇ જશે.

પરિણામે વાહનવ્યવહાર સરળ, સુગમ અને થતા હજારો વાહનચાલકોને સુવિધા થશે.
મેયરશ્રી દક્ષેશ માવાણીએ કહ્યું કે, સુરતને વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ અને જનસુખાકારી બદલ છેલ્લા દોઢ વર્ષમાં ૬ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. સુરત મિની ગુજરાત અને મિની ભારત છે. સુરત શહેર વિશ્વના ૪૦ શહેરો સાથે વિકાસની સ્પર્ધા કરી રહ્યું છે. સ્થાનિક વિસ્તારના નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા સુરત મનપા સતત કાર્યરત છે.
આ પ્રસંગે જિ. પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, અગ્રણી કિશન પટેલ, કોર્પોરેટરો ચિરાગસિંહ સોલંકી, હસમુખભાઈ, પિયુષાબેન, DGVCLના મુખ્ય ઇજનેરશ્રી એમ.જી.સુરતી, અધિક્ષક ઇજનેરશ્રી બી.સી.ગોધાણી, DGVCL સુરત અર્બન ડિવિઝનના કાર્યપાલક ઈજનેર કે.સી. ચૌધરી સહિત DGVCL ના અધિકારી-કર્મચારીઓ, અગ્રણીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

નવીન કચેરીઓથી વીજ ગ્રાહકોને થનાર લાભ

કનસાડ ગ્રામ્ય કચેરીમાં ઉંબેર, તલંગપોર, પાલી, કનસાડ અને લાજપોર તેમજ સચીન અર્બનમાં પારડી, સચીન સુડા, કનકપુર, પોપડા, કછોલી, સામરોડ, કપલેથાનો સમાવેશ થતા આ ગામોના વીજગ્રાહકોની સુવિધામાં વધારો થશે.
વધુ સ્ટાફ ઉપલબ્ધ થતાં ફોલ્ટ રિરીપેર કામગીરી અને મેઇન્ટેનેન્સની કામગીરી ત્વરિત કરી શકાશે. વીજ પુરવઠો અને વીજ બીલની ફરિયાદના નિવારણ માટે નજીકમાં કચેરી ઉપલબ્ધ થશે. આવનાર સમયની વીજ માંગને ધ્યાને રાખીને નેટવર્ક બહેતર બનાવવાનું આયોજન કરી શકાશે.

નવી વિભાગીય કચેરીઓનું સરનામું:

અગાઉ સચિન ગ્રામ્ય અને ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત હતી, જેનું વિભાજન કરીને નવી સચીન અર્બન તથા કનસાડ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓ બનાવાઈ છે. આમ હવે કુલ ૩ કચેરીઓ; સચીન અર્બન તથા કનસાડ ગ્રામ્ય તેમજ ખરવાસા ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત થઇ છે.જેનું સરનામું: ૫ થી૭, સમર્પણ સ્કવેર, સનલાઈટ સ્કૂલની બાજુમાં, સચીન

રહેણાંક, વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક વીજ પૂરવઠાની માંગ વધી

રહેણાંક, વાણિજ્યિક તેમજ ઔદ્યોગિક વીજ પૂરવઠાની માંગ નોંધપાત્ર રીતે વધતા બંને કચેરીઓનું વિભાજન થયા બાદ સચિન અર્બન પેટા વિભાગીય કચેરીમાં કુલ ૩૦,૧૨૮ વીજ ગ્રાહકો, ખરવાસા પેટા વિભાગીય કચેરીમાં કુલ ૨૨,૦૮૨ અને કનસાડ પેટા વિભાગીય કચેરીમાંથી કુલ ૨૨,૨૮૯ વીજ ગ્રાહકોને સેવા પૂરી પાડવામાં આવશે. સચીન અર્બનનો વિસ્તાર ઘટીને અંદાજે ૩૬ ચો.કી.મી, ખરવાસાનો ૧૪૫ ચો.કી.મી અને કનસાડ નો ૨૫ ચો.કિમી થશે.

ગુજરાત ACB એ મહિલા DySP અને હેડ કોન્સ્ટેબલ પર લાંચ કેસમાં ગુનો નોંધ્યો

0

D.Y.S.P. નીકીતા શીરોયા GPSC Rank 29 ધરાવે છે અને હવે ACBના છટકામાં આવી ગયા છે.

તાપી: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ આજે વ્યારા-તાપી જિલ્લામાં SC/ST સેલના બે પોલીસ અધિકારીઓ સામે ₹1.5 લાખની લાંચ માંગવાના આરોપસર ગુનો નોંધ્યો છે. આરોપીઓમાં DySP નિકિતા શિરોયા અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર રમણભાઈ ગામિતનો સમાવેશ થાય છે.એસીબી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફરિયાદી, તેના પરિવારના સભ્યો અને બે મિત્રો, કુલ આઠ વ્યક્તિઓ સામે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ અને દહેજ પ્રતિબંધક કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ ડીવાયએસપી શિરોયા દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં હેડ કોન્સ્ટેબલ ગામિત તેમના લેખક તરીકે સેવા આપી રહ્યા હતા.

આ કેસમાં ફરિયાદીના સંબંધીઓ અને મિત્રોની ધરપકડ ન કરવા કે હેરાન ન કરવા બદલ બંને પોલીસે શરૂઆતમાં ₹4,00,000 ની લાંચ માંગી હતી, જે બાદમાં વાટાઘાટો પછી ઘટાડીને ₹1,50,000 કરવામાં આવી હતી. લાંચ આપવાની તૈયારી ન હોવાથી, ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો, જેના પગલે કાકરાપાર પોલીસ સ્ટેશન નજીક L&T કોલોનીની બહાર છટકું ગોઠવવામાં આવ્યું. ઓપરેશન દરમિયાન, હેડ કોન્સ્ટેબલ ગામિત લાંચના પૈસા લેવા માટે એક ખાનગી કારમાં પહોંચ્યા હોવાનું કહેવાય છે. જોકે, શંકા જતા, તેમણે રોકડ સ્વીકારવાનું ટાળ્યું અને તેમના વાહનમાં સ્થળ પરથી ભાગી ગયા, જેના કારણે ગુનો આચર્યો.

આ છટકાની કામગીરી PI એસ.એન. બારોટ અને PI ડી.બી. મહેતા દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, D.Y.S.P. નીકીતા શીરોયા GPSC Rank 29 ધરાવે છે અને હવે ACBના છટકામાં આવી ગયા છે. જ્યારે સમગ્ર મામલે ACB દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપીઓના નામઃ

  1. ડી.વાય.એસ.પી નીકીતા શિરોયા, એસ.સી.એસ.ટી.સેલ જી.વ્યારા-તાપી
  2. હે.કો. નરેન્દ્ર રમણભાઇ ગામીત, એસ.સી.એસ.ટી.સેલ, જી.વ્યારા-તાપી

ટ્રેપીંગ અધિકારી: એસ.એન.બારોટ, પોલીસ ઇન્સપેકટર, એ.સી.બી. ફીલ્ડ-3 (ઇન્ટ. વીંગ), ગુજરાત રાજ્ય. અમદાવાદ

મદદમાં: ડી.બી.મહેતા, પોલીસ ઇન્સપેક્ટર, એ.સી.બી. ફીલ્ડ-3(ઇન્ટે વીંગ), ગુજરાત રાજ્ય, અમદાવાદ

સુપરવિઝન અધિકારી: એ.વી.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. ફીલ્ડ-3 (ઇન્ટે વીંગ) અમદાવાદ

ગ્વાલિયર પોલીસ લાઇનમાં ફરજ પર રહેલા આરક્ષક અનમોલ ત્રિપાઠી મોરેનામાં ફરજ બજાવતી જેલ પ્રહરી સાથે લગ્નનું વચન આપી દુષ્કર્મ, FIR દર્જ કરવામાં આવી

0

ગ્વાલિયરમાં પોલીસ જવાને જેલ પ્રહરી સાથે કર્યું દુષ્કર્મ

26 જાન્યુઆરીની રિહર્સલમાં ભોપાલમાં થયા હતા પરિચિત, આરક્ષકે લગ્નનું વચન આપી કર્યો બળાત્કાર

ગ્વાલિયર પોલીસ લાઇનમાં ફરજ બજાવતા આરક્ષક અનમોલ ત્રિપાઠી પર મોરેના જિલ્લામાં ફરજ બજાવતી એક મહિલા જેલ પ્રહરીએ બળાત્કારનો આરોપ મૂક્યો છે। જેલ પ્રહરીના જણાવ્યા અનુસાર, આરક્ષકે લગ્નનું વચન આપી અનેક વખત તેની સાથે દુષ્કર્મ કર્યું। પીડિતાએ જણાવ્યું કે અનમોલ તેને વારંવાર પોતાના પોલીસ લાઇન સ્થિત ઘેર બોલાવીને બળાત્કાર કરતો હતો। પીડિતાની ફરિયાદના આધારે મહિલા પોલીસ થાણે કેસ નોંધાયો છે। આરોપી હાલ ફરાર છે અને પોલીસ તેની શોધમાં લાગી છે।

આરોપી પોલીસ જવાને મહિલાને ધમકાવ્યું કે જો તેણે ફરિયાદ કરી તો તે તેને બદનામ કરી દેશે। પરેશાન થઈ મહિલાએ મંગળવારે મહિલા થાણામાં ફરિયાદ નોંધાવી। જેના પર પોલીસે આરક્ષક સામે કેસ નોંધ્યો છે। FIR થતાં જ આરક્ષક ઘરેથી ફરાર થઈ ગયો। પોલીસે આરોપીની શોધ શરૂ કરી છે।

ગ્વાલિયરમાં રહેતી 26 વર્ષની મહિલા જેલ પ્રહરી હાલ મોરેના જિલ્લામાં ફરજ બજાવે છે। 26 જાન્યુઆરી 2025ની પરેડ રિહર્સલ માટે તે ડિસેમ્બર 2024માં ભોપાલ ગઈ હતી। ત્યાં તેની મુલાકાત ગ્વાલિયર પોલીસ લાઇનમાં ફરજ બજાવતા આરક્ષક અનમોલ ત્રિપાઠી સાથે થઈ હતી। બંને વચ્ચે મિત્રતા થઈ અને અનમોલે જેલ પ્રહરીનો નંબર લઈ લીધો। બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ અને બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા।

સિપાહીએ મહિલાને કહ્યું કે તે તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે અને આ વાત પોતાના પરિવારજનોને પણ કહી દીધી છે। મહિલા જેલ પ્રહરી પણ સિપાહી અનમોલને પસંદ કરતી હતી। ત્યારબાદ 6 એપ્રિલ 2025ના રોજ આરક્ષકે મહિલા જેલ પ્રહરીને પોતાના પોલીસ લાઇન ક્વાર્ટરમાં બોલાવ્યો। અહીં તેણે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો, જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે આરોપીએ કહ્યું કે આપણે તો જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છીએ।

લગ્નનું વચન આપી સરકારી ક્વાર્ટરમાં કર્યો બળાત્કાર
મહિલા જેલ પ્રહરીએ ફરિયાદમાં જણાવ્યું કે 6 એપ્રિલની ઘટનાના બાદ સિપાહી વારંવાર તેને ક્વાર્ટરમાં બોલાવી શારીરિક સંબંધ બાંધતો અને દર વખતે એ જ કહેતો કે આપણે તો એક રીતે પતિ-પત્ની જ છીએ। જ્યારે મહિલાએ વિરોધ કરી લગ્ન માટે દબાણ કર્યું ત્યારે 5 ઓગસ્ટે આરોપીએ તેને મળવા બોલાવી। તે મોરેનાથી ગ્વાલિયર સ્ટેશન પહોંચી ત્યારે અનમોલ પહેલાથી હાજર હતો। તેણે ફરી પોલીસ લાઇન ક્વાર્ટરમાં જવાની વાત કરી। જ્યારે મહિલા પ્રહરીએ મનાઈ કરી ત્યારે સિપાહીએ કહ્યું કે ત્યાં જઈને પ્લાનિંગ કરીશું। મહિલા ત્યાં પહોંચી ત્યારે તેણે ફરી શારીરિક સંબંધ બાંધ્યો અને ત્યારબાદ કહી દીધું કે હવે તે લગ્ન નહીં કરે।

લગ્ન માટે ઇનકાર કર્યા બાદ મહિલા પ્રહરીએ કરી ફરિયાદ
પીડિતાના જણાવ્યા અનુસાર, જ્યારે તાજેતરમાં જેલ પ્રહરીએ અનમોલને લગ્ન માટે કહ્યું ત્યારે તેણે ઇનકાર કરી દીધો। આ ઘટનાઓ ડિસેમ્બર 2024 થી 8 ઓગસ્ટ 2025 વચ્ચેની છે।

પોલીસ જવાન પર ધમકી આપવાનો પણ આરોપ
એક પોલીસ જવાને મહિલાને ધમકાવ્યું કે જો તેણે ફરિયાદ કરી તો તે તેને બદનામ કરી દેશે। પરેશાન થઈ મહિલાએ મંગળવારે મહિલા થાણે ફરિયાદ નોંધાવી। ત્યારબાદ પોલીસે આરક્ષક સામે ગુનો નોંધ્યો। જેમ જ એફઆઇઆર થઈ, આરક્ષક ઘરેથી ભાગી ગયો। પોલીસ તેની શોધખોળમાં લાગી છે।

26 જાન્યુઆરીની પરેડ રિહર્સલમાં થઈ હતી ઓળખાણ
ગ્વાલિયરની 26 વર્ષની મહિલા જેલ પ્રહરી હાલમાં મોરેના જિલ્લામાં તૈનાત છે। 26 જાન્યુઆરી 2025ની પરેડ રિહર્સલ માટે તે ડિસેમ્બર 2024માં ભોપાલ ગઈ હતી। ત્યાં ગ્વાલિયર પોલીસ લાઇનમાં ફરજ બજાવતા આરક્ષક અનમોલ ત્રિપાઠી સાથે તેની મુલાકાત થઈ। બંને વચ્ચે મિત્રતા થઈ અને અનમોલે જેલ પ્રહરીનો નંબર લઈ લીધો। બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને એકબીજાને પસંદ કરવા લાગ્યા।

પોલીસ લાઇનના ક્વાર્ટરમાં કર્યો બળાત્કાર
સિપાહીએ મહિલાને જણાવ્યું કે તે તેની સાથે લગ્ન કરવા માગે છે અને આ વાત પોતાના પરિવારને પણ કહી દીધી છે। જેલ પ્રહરી મહિલાને પણ અનમોલ પસંદ હતો। ત્યારબાદ 6 એપ્રિલ 2025ના રોજ આરક્ષકે તેને પોતાના પોલીસ લાઇન ક્વાર્ટરમાં બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો। જ્યારે મહિલાએ વિરોધ કર્યો ત્યારે આરોપીએ કહ્યું કે આપણે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છીએ।

ઘણિવખત દુષ્કર્મ કર્યા બાદ લગ્નથી ઇનકાર
જેલ પ્રહરી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે 6 એપ્રિલની ઘટનાના બાદ સિપાહી વારંવાર તેને ક્વાર્ટરમાં બોલાવી શારીરિક સંબંધ બાંધતો હતો અને હંમેશાં એ જ કહેતો કે આપણે પતિ-પત્ની જેવા જ છીએ। જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે 5 ઓગસ્ટે આરોપીએ તેને મળવા બોલાવ્યું। તે મોરેનાથી ગ્વાલિયર સ્ટેશન આવી ત્યારે અનમોલ પહેલેથી જ હાજર હતો। તેણે ફરી પોલીસ લાઇન ક્વાર્ટરમાં જવાનું કહ્યું। જ્યારે મહિલાએ મનાઈ કરી ત્યારે સિપાહીએ કહ્યું કે ત્યાં જઈને પ્લાનિંગ કરીશું। મહિલા ત્યાં પહોંચી ત્યારે તેણે ફરી શારીરિક સંબંધ બાંધ્યો અને પછી કહી દીધું કે હવે તે લગ્ન નહીં કરે।

બાબાના દરબારમાં અર્જી લગાવી
પોલીસને આ કેસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ મહિલા જેલ પ્રહરીથી છૂટકારો મેળવવા માટે ભિંડના એક બાબાના દરબાર અને બાગેશ્વર ધામમાં પણ અર્જી લગાવી હતી। હાલ પોલીસે તેની પુષ્ટિ નથી કરી, પરંતુ તપાસ દરમિયાન આ મુદ્દો પણ બહાર આવ્યો છે।

પોલીસે શું કહ્યું?
એએસપી કૃષ્ણ લાલચંદાની જણાવ્યા અનુસાર મોરેના જિલ્લામાં તૈનાત એક મહિલા જેલ પ્રહરીએ એક પોલીસ આરક્ષક પર લગ્નના બહાને દુષ્કર્મનો આરોપ કર્યો છે। મહિલા થાણે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધાયો છે। આરોપી હાલ ફરાર છે અને જલ્દી જ પકડાઈ જશે।

ગુજરાત માં સૌથી વધુ ટેક્ષ ભરતું શહેર એટલે સુરત શહેર ના મ્યુ.કમિશ્નર જવાબ આપવામાં ડર કેમ?

0

સુરત ના મ્યુનિસિપલ કમિશનર મેડમ જવાબ આપવા અસક્ષમ હોય તેવું રીતે પોતના ઓફીસ ઉપર થી સુરક્ષા કર્મચારીઓ ને આગળ-પાછળ મૂકી ને મુગલીસરાઈ ઓફીસ થી બહાર નીકળી ગયા. જવાબ આપવાનાં બદલે પોલીસ ની સુરક્ષા લય ને ભાગી ગયા…. ડર કેમ લાગે છે.. મ્યુ.કમિશ્નર શ્રી ને .

સુરત શહેર ઝોન 6 એલ.સી.બી ટીમ અને સચિન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો

0

સુરત-સચીન, પુલીસ સુત્રો ના મળતી મહિતી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે, મનોહરલાલ બિશ્નોઇ તેના ઘરે ગેરકાયદેસર રીતે પોશ ડોડાનો વેપાર કરે છે. આ બાતમીના આધારે, પોલીસે તેના ઘર પર દરોડો પાડ્યો હતો. મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઇ (ઉંમર 24) રહે. ઘર નં. 1650, આનંદ મંગલ સોસાયટી, ગુ.હા. બોર્ડ, કનકપુર, કનસાડ, સચિન, સુરત શહેર. તે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા ગામનો વતની છે.સુરત શહેર ઝોન 6 એલ.સી.બી ટીમ અને સચિન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પુઠા કટિંગ કરનાર એક યુવક પાસેથી ગેરકાયદેસર રીતે પોશ ડોડા (પોપીસ્ટ્રો)નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસને આરોપી પાસેથી વગર પાસ-પરમિટના પોશ ડોડા (પોપીસ્ટ્રો) 0.688 કિલોગ્રામ, જેની કિંમત 10,320, પોશ ડોડા (પોપીસ્ટ્રો)નો ઝીણો ભૂક્કો 0.355 કિલોગ્રામ, જેની કિંમત 5,325, ઇલેક્ટ્રિક મિક્સર સ્ટીલના જાર, ડિજિટલ કાંટો મળી તમામ માલસામાનની કુલ કિંમત 53,055 જપ્ત કરાયો છે.

પોલીસના નામે ઉઘરાણી કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો,કાર્યવાહીના પગલે ફરજ પરથી હટાવવામાં આવ્યો

0

સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ત્રિમૂર્તિ ચોકડી પાસે આવેલ “આવ્વલ ચાની દુકાન” પરથી એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.

વિડિયો-footage અનુસાર, યુવક દુકાનદાર પાસેથી પોલીસના નામે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરતા જોવા મળી રહ્યો છે. દુકાનદારે તરત જ PCR ને ફોન કરીને જાણ કરી હતી અને ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી. આ યુવકનું નામ વાલ્મિક પાટીલ હોવાનું ખુલ્યું છે, જે સચિન પોલીસ સ્ટેશનમાં PCR પર કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા હતા – સરકારી કર્મચારી નથી, પરંતુ outsourced સ્ટાફ તરીકે જોડાયેલા હતા.

વિડિયો વાયરલ થતા જ ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન યુવકે પોતાના નામે વિમલ અને સિગારેટની ઉઘરાણી કરવાનું કબૂલ્યું. પોલીસ વિભાગ દ્વારા તેને ફરજ પરથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આવા કૃત્ય પુનરાવૃત્ત ન થાય તે માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પુલીસ સ્ટેશન માં CCTV માંગવામાં આવેલા ફૂટેજનો નાશ થશે તો કાર્યવાહી-ગુજરાત માહિતી આયોગ

0

ઘટનાના 30 દિવસમાં RTI થાય તો ફૂટેજ સાચવવા પડશે.

ગુજરાત હાઈકોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં CCTV ફરજિયાત લગાડવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત જે પોલીસ સ્ટેશનમાં CCTV ના લગાડ્યા હોય અને લગાડ્યા હોય તો બંધ હાલતમાં હોય તેવા પોલીસ સ્ટેશનો સામે પગલા લેવા પણ આદેશ કર્યો હતો. કોર્ટે સરકાર અને ગૃહ વિભાગને પણ નિર્દેશ કર્યો હતો. હવે CCTVને લઈને માહિતી આયોગે મહત્વનો ચૂકાદો આપ્યો છે. માહિતી આયોગે પોલીસ દ્વારા RTI હેઠળ સીસીટીવી ફૂટેજ ન આપવાની ફરિયાદો અને રજૂઆતના આધારે ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદામાં ટાંક્યું હતું કે, ઘટનાના 30 દિવસમાં RTI થાય તો CCTV ફૂટેજ સાચવવા પડશે. માગવામાં આવેલા ફૂટેજનો નાશ થશે તો કાર્યવાહી કરાશે. માહિતી આયોગે CCTV ફૂટેજના પરિપત્રનો ચૂસ્તપણે અમલ કરાવવા સૂચના આપી હતી.

માહિતી આયોગે CCTV ફૂટેજના પરિપત્રનો કડક અમલ કરાવવા સૂચના આપી હતી. આ સિવાય CCTV ફૂટેજ ઉપલબ્ધ કરાવવા બાબતે ફરી પરિપત્ર કરવા રાજ્ય પોલીસ વડા સહિત અધિકારીઓને સૂચના આપી હતી.

આ ઉપરાંત માહિતી આયોગે CCTV ફૂટેજ ઉપલબ્ધ કરાવવા બાબતે ફરી પરિપત્ર કરવા રાજ્ય પોલીસ વડા સહિત અધિકારીઓને સૂચના આપી હતી. તાજેતરમાં શહેર કોટડા પોલીસ મથકે CCTVની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે RTI હેઠળ CCTV ફૂટેજ નહીં આપતા મામલો માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો. જેથી માહિતી આયોગે આ અંગે સામાન્ય વહીવટ વિભાગના સીસીટીવી ફૂટેજ અંગેના પરિપત્રનો ચૂસ્ત અમલ કરવા સૂચના આપી હતી. માહિતી આયોગે આપેલા ચૂકાદામાં ઉલ્લેખ કર્યો હતો કે, ઘટના બન્યાના 30 દિવસના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા જરૂરી છે.

DRIએ 204.62 કરોડના હીરા જપ્ત કબજે કર્યા-કૌભાંડ સચીન SEZ માંથી આચરવામાં આવ્યું.

0

600 કરોડના કૌભાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું.

મળતી માહિતી અનુસાર સચિન ખાતે આવેલા SEZ (સ્પેશિયલ ઈકોનોમિક ઝોન) માંથી મીત કાછડિયાએ લેબગ્રોન હીરાની સાથે નેચરલ હીરાની ભેળસેળ કરીને 600 કરોડનું કૌભાંડ કર્યુ હતું. જેથી હવે હવે SEZમાંથી અન્ય કોઈ વેપારી કૌભાંડ કરે તો તરત જ પકડાઈ જાય તે માટે SEZ માં હીરાની ચકાસણી માટેનું મશીન મુકવામાં આવ્યું છે. સચિનમાં આવેલા SEZ માં 120 જેટલા યુનિટો કાર્યરત છે. જેમાંથી 94 જેટલા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમો છે. દરમિયાન ગત 30 મે ના રોજ મિત કાછડિયાએ શરૂ કરેલી યુનિવર્સલ ડાયમંડ કંપનીનું કૌંભાડ પકડાયું હતું.

આ સમગ્ર કૌભાંડ સચીન SEZ માંથી આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.સુરતમાં 4 વર્ષ અગાઉ DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) દ્વારા પકડાયેલા બોગસ હીરા નિકાસ કેસમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રવેશ કર્યો છે અને 204.62 કરોડના હીરા જપ્ત કર્યા છે. આ એ જ હીરા છે જે અગાઉ DRIએ કબજે કર્યા હતા.4 વર્ષ પહેલાં DRIએ 23 વર્ષીય આરોપી મિત કાછડિયા સાથે સંકળાયેલી કંપની ‘યુનિવર્સલ’ પર દરોડા પાડ્યા હતા અને લગભગ 200 કરોડના હીરા જપ્ત કર્યા હતા, જેમાં મોટાભાગના હીરા નેચરલ હતા. તે સમયે અધિકારીઓએ તપાસ દરમિયાન શોધી કાઢ્યું હતું કે, આરોપીએ પોતાની ફેક્ટરીમાં સિન્થેટિક ડાયમંડ પ્રોસેસ કરીને તેની નિકાસ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, સિન્થેટિક ડાયમંડની આડમાં નેચરલ ડાયમંડની નિકાસ કરાતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ કેસમાં બાદમાં મિત કાછડિયાની ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જામીન પર મુક્ત છે. હાલ ED દ્વારા જે ડાયમંડ જપ્ત કરવામાં આવ્યા છે, તેની કિંમત 204.62 કરોડ છે અને તેમાં પણ નેચરલ ડાયમંડની સંખ્યા વધુ છે.પરંતુ SEZ માંથી નિકાસ કરવામાં આવે તો કોઈ ટેક્સ કે ડ્યુટી ભરવાની થતી નથી. આ ઉપરાંત, આવકવેરાનો પણ મુદ્દો સામે આવતો હોય છે. આ જ કારણોસર અનેક પેઢીઓ સિન્થેટિકની આડમાં નેચરલ ડાયમંડ વિદેશ મોકલી આપતી હતી.

હવે ED આ દિશામાં તપાસ કરી રહી છે કે કઈ કઈ પેઢીઓ અને કંપનીઓએ નેચરલ ડાયમંડ વિદેશ મોકલી આપ્યા અને પોતાના ચોપડે ટર્નઓવર ઘટાડીને દરેક જાતના ટેક્સ પણ બચાવી લીધા. EDની આ એન્ટ્રીથી આ કેસનો વ્યાપ વધવાની અને વધુ કંપનીઓ તથા વ્યક્તિઓ તપાસના દાયરામાં આવવાની શક્યતા છે.