Home Blog Page 31

૧૫ લાખની લાંચ માંગનારો ઈકો સેલનો ASI સાગર પ્રધાન ૫ લાખ લેતા ACBની ઝપટે ચઢ્યો

0

જમાદાર સાગર વતી તેનો ભાઈ ઉત્સવ રૂ.પ લાખની લાંચ લેતાં ઝડપાયો

અલકાપુરી બિજ નીચે ફાસ્ટફૂડ શોપ પાસે ACBનું ઓપરેશન, સાગર ફરાર

ઈકો સેલ ના એએસબાઈ સાગર પ્રધાને મુંબઈની કરોડોની છેતરપિંડી ના ગુનાના આરોપીને પકડી પડયા બાદ તેના આરોપીને પકડી પડ્યા બાદ તેના પાર્ટનરને દમદાટી આપી ધરપકડ નહી કરવા પેટે અધધ રૂ.૧૫ લાખની લાંચ માંગી હતી. એન્દટી કરપ્રશન બ્ડાીયુરોએ જમાદાર પ્રધાન વતી તેના ભાઈ સાગર ને ૫ લાખ ની લાંચ લેતા રંગેહાથ પકડી પડ્યો હતો.પાપનો ઘડો ફૂટી જતા સાગર પ્રધાન રફુચકકર થઈગયોહતો. આ લાંચ કાંડને પગલે શહેર પુલીસ બેડા માં ખળબળાટમચી ગયો હતો.

સુત્રોના મળતી વિગતો પ્રમાણે તાજેતર માં મુંબઇ ની એક કંપની સાથે જ્વેલરીના નામે ચેટીંગનો ગુનો મહારાષ્ટ્ર ના પોલીસ ચોપડે નોધણી હતો . આ ગુનામાં સુરત ના કતારગામ વિસ્તાર નો વેપારી વોન્ટેડ હતો.દરમિયાન ઇકો સેલના એએસ આઈ સાગર પ્રધાને તે વેપારી ને કતારગામ વિસ્તાર માંથી પકડી પાડ્યો હતો.. આરોપીવેપારીને પોલીસ કમિશ્નર સ્થિત પોતાની ઓફીસ લઈ જઈ કાયદેસર ની કાર્યવાહી કરી મુંબઈ પોલીસ ને વેપારી નો કબજો સોંપી દીઘો હતો. બીજી તરફ વેપારી ના પાર્ટનર ને પણ મુંબઈ ના ગુનામાં સંડોવણી હોવાની દમદાટી આપી હતી. જેથી આ ગુનામાં થી આરોપી વેપારીના પાર્ટનર ને નહીબતાવવા જમાદાર સાગર પ્રધાને ૧૫ લાખ રૂપિયા લાંચ પેટે માંગ્યા હતા. વેપારી ના ભાગીદારે આ મામલે એસીબી માં ફરિયાદ કરી દીધી હતી.

જેથી એસીબી ના સુરત એકમ ના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવાયું હતું. નવસારી પીઆઈ રાઠવા ટ્રેપમાં જોડાયા હતા. દરમિયાન ૧૫ લાખ માં થી ૫ લાખ લેવા સાગર પ્રધાને પોતના ભાઈ ઉત્સવ ને મોકલી આપ્યો હતો. અલકાપુરી સર્કલ બ્રીજ નીચે મુંબઈ તડકા ફાસ્ટફૂડ એન્ડ ચાઇનીઝ દુકાન ની સામે ટ્રેપગોઠવાઈ હતી.તે જગ્યા ઉપર સાગર ના ભાઈ ઉત્સવ પ્રધાન વેપારી ના ભાગીદાર પાસે થી રૂપિયા ૫ લાખ ની લાંચલેતા આબાદ પકડાઈ ગયોહતો. એસીબીએ આ મામલે ઇકો સેલના એએસ આઈ સાગર સંજય પ્રધાન અને તેના ભાઈ ઉત્સવ સામે ગુનો નોધ્યો હતો . અસ્=એસીબીએ ઉત્સવ ની ધરપકડ કરી હતી.જ્યારે એસીબીની ગંધ આવી જતા.સાગર પ્રધાન્ મોબાઈલ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયોહતો.

મુંબઇના કરોડોની ચિટિંગના ગુનામાં કાંડ કર્યો

એએસ આઈ સાગર પ્રધાને મુંબઈ ના ચેટીંગ ના ગુનાના આરોપીની સાથોસાથ તેના પાર્ટનર ને પણ વરૂણી લીધો હતો. ઉપરાંત ઓફીસ માંથી લેપટોપ, ડીવીઆર કંપનીના દસ્તાવેજો ડાયમંડ વિગેરે પણ કબજો લીધા હતા. જે પાર્ટનર ને મુંબઈ ના ગુના માં નહી પકડવા અને મુદામાલ પરત કરવા ૧૫ લાખ ણી લાંચ માંગી હતી.વધુમાં વર્ષ-૨૦૨૦ માં પોલીસ ખાતામાં નોકરીએ જોડાયેલા પ્રધાન ણી હાલ રૂ.૨૬ હજાર પગાર હતો.

ઇકો ણી ખૂણાની ઓફીસ માં વેપારીને રાખ્યા ણી આશંકા.

પોલીસ કમિશ્નર કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઇકોસેલની ઓફીસ આવેલી છે. ઇકો સેલના તમામ પીએસઆઈ સહિતનો સ્ટાફ બહારની બાજુએ ખૂણામાં આવેલી ઓફીસમાં અલગ થી બેસે છે. જેથી સાગર પ્રધાને ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખી ફરીયાદીને ગેરકાયદેસર ગોંધી રાખી દમદાટી આપી ખેલ કર્યા હોવાની આશંકા છે. અન્ય ગુનાઓની તપાસ માં મુંબઇ ગયેલો સાગર મંગળવારેબપોરે જ પરત ફર્યો હતો.

CISF (NTPC) ના કવાસ યુનિટ ખાતે અગ્નિ શમન સેવા સપ્તાહનું સમાપન

0
CISF (NTPC) ના કવાસ યુનિટ ખાતે અગ્નિ શમન સેવા સપ્તાહનું સમાપન

ફાયર વિંગ દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન આગથી બચવા અને તકેદારી રાખવા માટે જાણકારી અપાઈ.

સુરત:મંગળવાર: ચોર્યાસી તાલુકાના NTPC કવાસ ફાયર સ્ટેશન ખાતે અગ્નિ શમન સેવા સપ્તાહનો સમાપન સમારોહ એનટીપીસીના વરિષ્ઠ અધિકારીઓ, તબીબી અધિકારીઓ, કર્મચારીઓ, CISF ફાયર કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો. એલપીજી, કેબલ ગેલેરી, પાવર ટ્રાન્સફોર્મર અને નેપ્થા ટેન્કમાં આગને લગતી સીઆઈએસએફ યુનિટ, કેજીપીપી કવાસના ફાયર વિંગના ફાયર કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી પર ફાયર ડ્રીલ કરવામાં આવી હતી. બચાવ કામગીરી અને આગ ઓલવવી એ ફાયર ડ્રીલની વિશેષતા રહી હતી, જેમાં ફાયર ફાઇટરોએ તેમની સલામતી, હિંમત અને ટેકનિકલ કૌશલ્ય દર્શાવ્યું હતું.
આગ ઓલવવા અને કાબૂમાં લેવા માટે વપરાતી વિવિધ બ્રાન્ચ પાઈપોની કામગીરીનું નિદર્શન પણ કરાયું હતું. ઘરેલું એલપીજી સિલિન્ડરને હેન્ડલ કરવાની સરળ ટીપ્સ અપાઈ હતી. જેમાંકોઈના ઘરે દુર્ઘટના બને તો એલપીજી સિલિન્ડર સાથેના નાના અકસ્માતોનો સામનો કરી શકાય.

              ફાયર સેફ્ટી વીક દરમિયાન આયોજિત વિવિધ ફાયર સેફ્ટી કાર્યક્રમો અને સ્પર્ધાઓના વિજેતાઓ અને પ્રથમ બે સ્પર્ધકોને મુખ્ય મહેમાન શ્રી ડી.કે.દુબે, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ડેપ્યુટી કમિશનર શ્રી એસ.કે.સોનકરિયા અને અન્ય વિશેષ મહેમાનોના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા. બાળકો, NTPC કર્મચારીઓ અને ખાસ કરીને ગૃહિણીઓ, જેમને વિજેતા અથવા પ્રથમ ત્રણ ક્રમના વિજેતા સ્પર્ધકોને પુરસ્કારો એનાયત કરાયા હતા. ફાયર સ્ટેશન પર મુલાકાતીઓ માટે ફાયર સેફ્ટી સાધનોનું પ્રદર્શન અને નાના બાળકો દ્વારા ફાયર સેફ્ટી અંગેના પોસ્ટરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સપ્તાહ દરમિયાન ફાયર વિંગ દ્વારા આગથી બચવા અને સાવચેતી અંગે વિવિધ કાર્યક્રમો દ્વારા માહિતી આપવામાં આવી હતી.

સુરત સચિન હાઉસિંગમાં રખડતા કુતરાઓ આક્રમક બન્યા.

0

સચિનમાં સવારે પાંચ થી દસ વાગ્યા સુધી બે બાળકોને કૂતરાએ બચકા ભર્યા.

સચીન: વોર્ડ ૩૦ ના સચિન હાઉસિંગ ખાતેના આશાપુરી સોસાયટીમાં રખડતા કુતરા આક્રમક બન્યા છે અને બાળકો પર હુમલા કરી રહ્યા છે. આજે સવારથી બે બાળકોને બચકા ભર્યા હજી અટકવાનું નામ લેતા નથી. સિવિલમાંથી સારવાર કરી ઘરે આવી એસએમસી માર્કેટ વિભાગમાં જાણ કરી તો આજે રજા હોવાથી કોઈ કર્મચારી કુતરાને પકડવા નહિ આવી શકશે જણાવ્યું. હવે જો કાલ સુધીમાં આ કાળા કુતરાનો આંતક વધે તો જવાબદાર કોણ? આજે શહેરના હાઉસિંગ વિસ્તારમાં આશાપુરી સોસાયટીના બે બાળકો પર કુતરાએ હુમલો કરી બચકા ભર્યા ના બનાવ બન્યા છે. કુતરાએ બચકા ભરતા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આવા બનાવ બાદ વાલીઓમાં ભયનો માહોલ છવાયો છે એસ એમ સી તાત્કાલિક પગલાં ભરે એવી વાલીઓની ફરિયાદ છે.

મોબાઈલ ફોન ઉપર વાત કરતી પત્ની માટે બન્યું મોત નું કારણ

0

પત્ની મોબાઈલ પર વાત કરતી હતી તે ન ગમતાં પતિએ કરી હત્યા

સુરતના સચીન પોલીસ મથકની હદમાં મહિલાની હત્યા થઈ છે.સચીન પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પુલીસ તપાસ માં હત્યા નું કારણ મોબાઈલ ફોન ઉપર વાત કર્તા હોવાનું મોત નું કારણ બન્યું છે, તેવું વિગતવાર માહિતી તપાસ માં સામે આવી.જે કારણવશ મહિલાની તેના પતિએ જ વેલણ અને લાકડાના ફટકાથી બેરહેમીપૂર્વક માર મારી હત્યા કરી છે.20 વર્ષીય અંજલિ ઉર્ફે દીપિકાની હત્યા તેના પતિ હીરારામ ઉર્ફે હરીશ ભીલે બેરહેમીથી કરી છે. અંજલિ મોબાઈલ ફોન પર વાત કરતી હતી. તે પતિને નહીં ગમતા તેની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. 

ગત તા. 19 એપ્રિલના રોજ સવારે અંજલિ મોબાઈલ ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. તે પતિ હીરારામ જોઈ ગયો હતો. કોની સાથે વાત કરે છે એમ પૂછતા અંજલિએ પોતાની માતા સાથે વાત કરતી હોવાનું કહ્યું હતું. પતિ હીરારામે મોબાઈલ ફોન લઈ ચેક કરતા અંજલિ યુપીમાં રહેતા ઓમપ્રકાશ નામના યુવક સાથે વાત કરતી હોવાનું બહાર આવ્યું હતું. ઓમપ્રકાશ અને હીરારામ અગાઉ મહેસાણા ખાતે પ્લાયવુડની કંપનીમાં કામ કરતા હતા. ત્યારે હીરારામની પત્ની અંજલિ અને ઓમપ્રકાશ એકબીજાની નજીક આવી ગયા હતા.હોળી પર હીરારામે પત્ની અંજલિ અને ઓમપ્રકાશને એકાંતમાં રૂબરૂ વાત કરતા પકડી પાડ્યા હતા. ત્યારે પત્નીને ચીમકી આપી હતી કે, તે ઓમપ્રકાશ સાથે વાત નહીં કરે. તેમ છતાં પત્ની મોબાઈલ પર ઓમપ્રકાશ સાથે વાત કરતી હતી. આ વાતનો ગુસ્સો હીરારામને આવ્યો હતો. જેથી વેલણ, લાકડાના ફટકાથી પત્ની અંજલિને ઢોર માર માર્યો હતો. માથામાં તથા શરીરના જુદા જુદા ભાગે માર મારવાના લીધે અંજલિ બેહોશ થઈ ગઈ હતી. તેણીને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ મામલે મૃતકના કાકાએ ફરિયાદ આપતા સચીન પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

0

ઓછા મતદાનવાળા વિસ્તારોમાં મતદાતા જાગૃતિ અભિયાન- “સખી સહેલી સંગે મતદાન”

માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ગામોમાં મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી “સખી સહેલી સંગે મતદાન” અભિયાન

લોકશાહીના પર્વમાં વધુ મતદાન નોંધાય અને મહિલા મતદાતાઓ વધુ પ્રમાણમાં જાગૃત થાય માટે “સખી સહેલી સંગે મતદાન” આવકારદાયક પગલું

સુરતઃબુધવારઃ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો “No Voters to be left behind” નો હેતુ સિદ્ધ થાય તેમજ લોકશાહીના પર્વમાં વધુને વધુ મહિલા મતદાતાઓ મતદાન કરે તે માટે દરેક જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાના માંગરોળ, ભડકુવા, સીમોદ્રા, કોસંબા, લિમોદ્રા, હથોડા, ઉભારિયા, વાડી, માંડણ, મોટી દેવરૂપણ, અંબાડી અને ઉમરઝર સહિતના ગામોમાં મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી “સખી સહેલી સંગે મતદાન” અભિયાન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી-પ્રાંત અધિકારી માંડવી, મામલતદાર અને ICDS પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ આ અભિયાનમાં મહિલા મતદાતાઓને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન, મતદાન શપથ, મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા,મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ વગેરે વિષય પર માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવ્યા હતા.ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુ મતદાન નોંધાય અને મહિલા મતદાતાઓ વધુ પ્રમાણમાં જાગૃત થાય માટે “સખી સહેલી સંગે મતદાન” આવકારદાયક પગલું છે.
“સખી સહેલી સંગે મતદાન” અભિયાનમાં તાલુકાના BLO શ્રી, સેક્શન ઓફિસરો, CDPO, સુપરવાઇઝરો, તલાટી કમ મંત્રીઓ, શિક્ષકો આંગણવાડી કાર્યકરો, સખીમંડળના બહેનો, ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

ઓલપાડ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ‘મતદાન જાગૃતતા’ કાર્યક્રમ યોજાયો

0
'મતદાન જાગૃતતા' કાર્યક્રમ

લોકશાહીમાં જનભાગીદારીનું મહત્વ સમજાવી યુવાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરાયા

સુરત:બુધવાર: યુવાઓને મતદાનના વિશેષ અધિકાર વિષે જાગૃત કરવાના હેતુસર પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ કેળવણી મંડળ-ઓલપાડ સંચાલિત ઓલપાડ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા વિદ્યાથીઓને જવાબદાર નાગરિક તરીકે મતદાનમાં ભાગ લઈ લોકશાહીમાં જનભાગીદારી નોંધાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યુવાઓને વિડીયો મારફતે ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ નવા મતદાતાઓને વોટીંગ પ્રક્રિયાથી અવગત કરી લોકશાહીમાં તેઓની મહત્વની ભૂમિકા વિષે સમજ આપી હતી. તેમજ ફરજિયાત મતદાન કરવાનું આહ્વાન કરાયું હતું. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, ઓલપાડ પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા, મામલતદારશ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ અને અધ્યાપકગણ, કોલેજ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

0

શરીરમાં પાણીની માત્રા ન ઘટે એ માટે પૂરતું પાણી પીવું: ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો

સુરત:બુધવાર: જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની અસર જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ?

(1) તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના 12:00 કલાકથી 03:00 કલાકની વચ્ચે બહાર ના નીકળવું જોઈએ.

(2) પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.

(૩) આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રીંકસ પીવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.

(4) ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો. વાસી ખોરાક ન ખાવો.

(5) બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.

(6) અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો જે બિન જરૂરી ગરમી પેદા કરી શકે છે, જેમ કે કમ્પ્યુટર અથવા ઉપકરણો.

ચોર્યોસી તાલુકાના વાંઝગામના મહ્યાવંશી સમાજ અને ગ્રામજનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયુંઃ

0
ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

વાંઝગામમાં પ્રતિમાનું અનાવરણ કરી ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવીઃ

સુરતઃ રવિવાર:- સામજ સેવક એડવોકેટ જતીનભાઇ દેવેન્દ્રભાઇ વાંઝવાલાની સખત મહેનત અને પરિશ્રમ થકી આજ રોજ ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતિના પાવન અવસરે ચોર્યાસી તાલુકાના વાંઝગામ ભારત ફળિયાના આંબેડકર ભવન ખાતે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.આ અવસરે મહ્યાવંશી સમાજ અને ગ્રામજનોએ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઇ હતી. સમાજના અગ્રણીઓએ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિના અવસરે સૌને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રસંગે મહ્યાવંશી સમાજના અગ્રણીશ્રીઓ, એડવોકેટશ્રી જતિનભાઇ વાંઝવાલા, ભુપેન્દ્રભાઇ સુરતી, સરપંચશ્રી હિનાબેન પટેલ,તલાટીશ્રી મહેશભાઇ, અગ્રણીશ્રીઓ પ્રિતેશભાઇ વાંઝવાલા, નિવૃત શિક્ષિકા શ્રીમતી નયનાબેન સુરતી, લક્ષ્મણભાઇ સુરતી,નરેશભાઇ વાંઝવાલા સહિત મહ્યાવંશી સમાજના લોકો અને ગ્રામજનોઉપસ્થિત રહ્યા હતા.

Sachin Railway Station માં તત્કાળ ટીકીટ ની બુકિંગ માં ક્લાર્ક અને સ્ટેશન અધિક્ષક ની કામગીરી શંકાસ્પદ

0

સચિન રેલવે સ્ટેશનના બુકિંગ કાઉન્ટર પર સવાર સાંજ ખૂબજ ભીડ રહે છે. અહી કોઈ સીસીટીવી પણ નથી. સાથે અહી તત્કાળ સમયે અહી કોઈ રેલવે પોલીસ પણ દેખાતી નથી. એક બુકિંગ કલાર્ક ને રિઝર્વેશન તથા લોકલ ટ્રેનની પણ ટિકિટ આપવી પડે છે. અહી અલગ અલગ બે વિન્ડો જરૂરી છે. અહીંની આ ભીડ જોતા ગ્રાહકો માટે કોઈ વ્યવસ્થા જણાતી નથી. આ સમયે અંદર બુકિંગ કલાર્ક પાસે પણ એક બે વ્યક્તિઓ હંમેશા દેખાય છે જે શંકા ઉપજાવે છે કે શું તત્કાળ માં કોઈ ગેરરીતિ તો નથી થતી? આ એક સંશોધનનો વિષય છે. જો રેલવે વિજીલેશન અહી આવીને તપાસ કરે તો ઘણું બધું બહાર આવી શકે છે.

સુરતમાં નકલી નાયબ કલેક્ટર બની ને, જીજા-સાળીએ પાલિકામાં નોકરીના નામે લોકો ને સાથે છેતરપીંડી કરી ને લૂંટ્યાં

0

વિશ્વાસ અપાવવા ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવ્યા

સુરતના રીંગ રોડ પર આવેલા ચામુંડા જ્વેલર્સના વેપારી સાથે રૂપિયા 12 લાખની છેતરપિંડી કરનાર ડુપ્લિકેટ નાયબ કલેક્ટર હેતલ કુમારી સંજયભાઈ પટેલને પોલીસે ઝડપી પાડી હતી. જેની ધરપકડ બાદ પોલીસે તપાસ કરતા એક પછી એક કાંડ ખુલી રહ્યા છે. સુરત શહેરમાં અલગ અલગ લોકોને અલગ અલગ રીતે ઠગ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

જેમાં હાલમાં જ રીંગરોડ પર જ્વેલર્સના વેપારી સાથે રૂપિયા 12 લાખથી વધુની ઠગાઈ કરનાર નકલી નાયબ કલેક્ટર મહિલાને પોલીસે ઝડપી પાડ્યા બાદ એક પછી એક અનેક ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ડુપ્લિકેટ નાયબ કલેક્ટર સામે અને તેના મળતીયા સામે વધુ એક છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેઓએ લોકોને સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના બહાને જીજા-સાળી પાસેથી રૂપિયા 1.40 લાખ પડાવી લીધા હતા. ગૌણ સેવા પસંદગી મંડળના ડુપ્લિકેટ કાગળો પણ બનાવી આપ્યા હતા. જેથી પોલીસે ઠગબાજ ડુપ્લિકેટ નાયબ કલેક્ટર સહિત બે સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.