Home Blog Page 22

પાંડેસરા ની જનસેવા હોસ્પિટલને આરોગ્ય વિભાગે સીલ કરી સંચાલકોને નોટિસ ફટકારી,નોટિસથી ઝોલાછાપ તબીબોમાં દોડધામ, પણ સચીન માં અનેક એવા ફોટોગ્રાફ્સ જેવો

0

જનસેવાના ઝોલાછાપ ત્રણ તબીબોને ૨૮મીએ હોસ્પિટલ રજિસ્ટ્રેશન અને તબીબોના સર્ટિફિકેટ સાથે હાજર થવા અલ્ટિમેટમ

બબલુ શુક્લા, ગંગાપ્રસાદ મિશ્રા, રાજારામદુબેને હોસ્પિટલની નોંધણીના આધાર-પુરાવા સાથે હાજર રહેવા તાકીદ

સુરત, શનિવાર પાંડેસરની જનસેવા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને લયર વિભાગે સીલ માર્યા બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ પ્રથમ વખત કલીનીકલ એસ્ટાબલીસ એક્ટ હેઠળ સીલ મારીને ત્રણ સંચાલકોને આગામી ૨૮મી નવેમ્બરે આધાર પુરાવા સાથે હાજર રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ હતુ. જનસેવાના નામે લોકોના જીવન સાથે ખિલવાડ કરવા હાટડી ખોલનારા ઝોલાછાપ તબીબો સામે કાયદાનો સકંજો કસાયો છે. ફાયર વિભાગે સીલિંગની કાર્યવાહી કર્યા બાદ ગતરોજ સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે સ્થળ વિઝિટ કરી હોસ્પિટલ સીલ કરી દીધી હતી. આ સાથે જ ઝોલાછાપ ત્રણેય તબીબો અથવા કહેવાતા સંચાલકોને નોટિસ ફટકારી આગામી ૨૮મી નવેમ્બરને ગુરુવારના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે. ૨૮મીએ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, તબીબોના સર્ટિફિકેટ સહિતના જરૂરી ડૉક્યુમેન્ટ સાથે હાજર રહેવા અલ્ટિમેટમ આપ્યું છે.

પાંડેસરા જેવા કેટલાક હોસ્પિટલ ચાલી રહ્યા છે કે ડોકટરો રાજ્ય બહારના પ્રેકટીસ માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે કેમ તે પ્રશ્ન ઊભા થાય?

પાંડેસરાની જનસેવા હોસ્પિટલને પહેલા ફાયર વિભાગ સીલ માર્યા બાદ વિવાદ ચાલી જ રહ્યો છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ સીલ મારી દેવાતા એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે આ હોસ્પિટલમાં ફરજ બજાવનારા તમામ તબીબો પૈકી કેટલાક તબીબો રાજય બહારના છે. આથી ગુજરાતમાં પ્રેકટીસ કરતી વખતે તબીબોએ ગુજરાત મેડિકલ કાઉન્સીલનું રજિસ્ટ્રેશન લેવુ ફરજિયાત છે. આથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલમાં ફરજ બજાવનારા તબીબોએ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરાવ્યુ છે કે નથી? તેની તપાસ કરવામાં આવશે. અને જો નહીં કરાવ્યુ હશે તો નવા એકટ મુજબ કાર્યવાહી થઈ શકે છે.

આ ફક્ત સચીન વિસ્તાર માં છે જેમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી. જેમાં માથેભારે હિન્દુત્વ ના નામે આ વિસ્તાર માં ગર્ભપાત જેવા ગંભીર ઘટનાક્રમનું અંજામ પણ આપવામાં આવે છે.

જેમાં સ્થાનિક નેતાઓ, લોકલ કાર્યકર્તા,રાજકીયપક્ષો ના દબાણ માં ચાલતું હોવાથી રાજકીય દબાણ આ બધા દવાખાનું મેડીકલ રીપોર્ટ પણ બોગસ બનાવી ને મરીજ નું ઈલાજ કરવામાં આવે છે. જેમાં કોઇપણ ફરિયાદ કરવામાં આવે તો પણ વિભાગ તરફ થી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતું નથી. સૂત્રોની મહિતી અનુસાર જેમાં વેપારી મંડળ ના નામે પણ રાજકીયપક્ષ ના સચીન ના કાર્યકર્તા હાલ માં છઠ પૂજા ના નામે મોટા પાયે રકમ ની વસુલતા પણ કરવામાં આવેલ હતા. જે થી અમુક વેપારી કે દવાખાન સંચાલન કરનાર ન આપ્યા હોવાથી નાની-મોટી બોલાચાલી પણ થઈ હોવાથી. કોઈ પણ ફરિયાદ ઉપર કાર્યવાહી કરવામાં આવતું ન હોવાથી અને કાયદાનું ઉલ્લંઘન કરનાર જ સાથે હોવાથી કોઈ પણ ફરિયાદ કરવામાં આવતું નથી.

શહેરના ડિંડોલી, પાંડેસરા, સચિન, સચિન જીઆઈડીસી, પાલી, બમરોલી સહિતના શ્રમજીવીઓથી ઉભરાટા વિસ્તારોમાં બીલાડીના તોપની જેમ ઝોલાછાપ તબીબોએ હાટડી ખોલી કાઢી છે. તબીબી વ્યવસાયના કોઈપણ જાતના સર્ટિફિકેટ વગર હોસ્પિટલ કે ક્લિનિકમાં માત્ર બેથી પાંચ વર્ષના કામ કર્યા બાદ બની બેઠેલા તબીબો ખુલ્લેઆમ લોકોના જીવ સાથે ખિલવાડ કરી રહ્યા છે. ત્યારે આમ નાગરિકો સાથે ખિલવાડ કરવા બમરોલી વિસ્તારમાં જનસેવાના નામે કેટલાક લેભાગુઓએ આખેઆખી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી. હોસ્પિટલ ખોલવા માટે કોઈપણ જાતની પરવાનગી કે રજિસ્ટ્રેશન કરાવ્યા વગર ઓપનિંગ પણ કરી દેવાયું હતું. લોકોના જીવ સાથે ચેડાં કરે તે પહેલા જ અશ્ચિમ અખબાર સંદેશે આ ઝોલાછાપ તબીબોનો પર્દાફાશ કરી દેતાં પોલીસતંત્ર, કાવર વિભાગ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. શુક્રવારે મોડી સાંજે આરોગ્ય અધિકારી અનિલ પટેલ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. તેમણે નવા કાયદા મુજબ કાર્યવાહી કરી હોસ્પિટલસ સીલ કરી હતી. આ સાથે જ હોસ્પિટલના ત્રણેય ઝોલાછાપ તબીબ અથવા કહેવાતા સંચાલકોને નોટિસ પાઠવી આગામી ૨૮મી નવેમ્બરને ગુરુવારે હાજર થવા આદેશ આપ્યો છે.

રાજય સરકારે નવો એકટ અમલમાં આવ્યા બાદ તમામ હોસ્પિટલો, કલીનીકોને ફરજિયાત ઓનલાઈન નોંધણી કરવાનો આદેશ કરાયો છે. આ આદેશની સાથે જ સુરત શહેર અને જિલ્લાની તમામ હોસ્પિટલોને જિલ્લા આરોગ્ય અધિકારના સુપરવિઝન હેઠળ મુકી દેવામાં આવી છે. દરમ્યાન પાંડેસરાની જનસેવા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને લઈને પાલિકાના ફાયર વિભાગે સીલ મારી કાર્યવાહી કર્યા બાદ પોલીસ દ્વારા પણ તપાસ ચાલી રહી હતી. દરમ્યાન આ હોસ્પિટલના સંચાલકોએ નવા એક્ટ મુજબ ઓનલાઇન પોર્ટલ પર નોંધણી નહીં કરાવી હોવાથી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલ દ્વારા શુક્રવારની મોડી રાત્રે આ હોસ્પિટલને સીલ મારી હતી.

આ હોસ્પિટલના ત્રણ સંચાલકો (૧) બબલુ રામ આશ્રમ શુકલ (ઓ. સાંઈ પુજા રો હાઉસ, ભેસ્તાન), (૨)ગંગાપ્રસાદ વૈકુઠમસાદ મિશ્રા ( એ. ગૃહમ સોસાયટી હનુમાન મંદિરની પાસે ગોડાદરા) તથા (૩) રાજારામ કેશવપ્રસાદ દુબે (રહે. ૧૧૮એ તૃપ્તીનગર, મિલન પોઈન્ટ, પાડેસરા) ને પી ગુજરાત કલીનીકલ એસ્ટાબલીસ એક્ટ- ૨૦૨ ૧ હેઠળ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હોય તો આધાર પુરાવા સાથે આગામી ૨૮ મી નવેમ્બરે હાજર થવા અલ્ટીમેટમ આપ્યુ છે. નહીતર આ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ખેડા જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા આરોપી પોલીસ કર્મચારી યશપાલસિંહ ઝાલા સામે લગ્નની લાલચે ડિવોર્સી મહિલા પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ

0

નડીયાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે ખેડા જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ડિવોર્સી મહિલા ઉપર પોતના ફરજ ઉપર કાર્યવાહી ના નામે કાયદા નું ભય બતાવી ને અને મદદરૂપ થવા ના બહાને મહિલા ને લગ્નની લાલચે આપી ને ખેડા જીલ્લા પોલિસમાં ફરજ બજાવતા આરોપી પોલીસ કર્મચારી યશપાલસિંહ ઝાલા સામે લગ્નની લાલચે ડિવોર્સી મહિલા પર દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ.

આરોપી પોલીસ કર્મીએ ડિવોર્સી મહિલા સાથે સોશિયલ મીડીયાના માધ્યમથી મિત્રતા કેળવી અને પોતે પરિણીત હોવા છતાં મહિલાને લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યો હોવાનો આરોપ લાગ્યો છે. જે મામલે ભોગ બનનાર મહિલા દ્વારા નડિયાદ પશ્ચિમ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપી પોલીસ કર્મચારી યશપાલસિંહ ઝાલાની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગત એપ્રિલ માસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ડિવોર્સી મહિલા પોલીસકર્મીના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે અવારનવાર મુલાકાત થતી હતી. પોલીસકર્મી એ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે, પોલીસકર્મી પરણીત હોવાની જાણ થતા ડિવોર્સી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઝોલાછાપ હોસ્પિટલનું ઉદ્ઘાટન ભાજપના દિગ્ગજ નેતાના ખાસ માણસે કર્યું, જેમાં ડોક્ટર તમામ ની ગુનાહીત ઇતિહાસ

0

હોસ્પિટલના ત્રણ મુખ્ય ડોક્ટર પૈકી બબલુ રામઆશ્રય શુકલા, રાજારામ દુબે વિરુદ્ધ બોગસ તબીબનો પોલીસ કેસ નોંધાયો છે

ત્રણમાંથી 2 બોગસ ડોક્ટર અને 1 દારૂની હેરાફેરીના કેસમાં ઝડપાયો હતો.

15 દિવસમાં નકલી હોસ્પિટલ ઊભી કરનાર પ્રમોદ તિવારી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં 15 દિવસમાં નકલી હોસ્પિટલ ઊભી કરનાર પ્રમોદ તિવારી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. રેલવે પોલીસની નોકરીથી નિવૃત્ત PSI પ્રમોદ તિવારી પર વર્ષ 2015માં સુરત ACBએ 40 હજારની લાંચ કેસમાં ધરપકડ કરી હતી. જોકે, પ્રમોદ તિવારીએ સુરતના શ્રમિક બહુલ વિસ્તારમાં બે માળની હોસ્પિટલ શરૂ કરી હતી. જેના માટે તેણે આરોગ્ય વિભાગ પાસેથી કોઇ પરવાનગી પણ લીધી નથી કે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું નથી, ત્યારે ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરી હતી.

જ્યારે ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ મનપા કમિશનર અને અતિથી વિશેષ પો. કમિશનર અને જોઈન્ટ પો.કમિશનરના નામની સાથે જોઈન્ટ પો.કમિશનર ઉદઘાટન સમારોહમાં હાજરી શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હોસ્પિટલની રિબિન ગુજરાત ભાજપના કદાવર નેતાના રાઈટ હેન્ડે કાપી હતી.સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થયા હતાં. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ શરૂ થયાના એક જ દિવસમાં સીલ કરી દેવામાં આવી હતી.

હોસ્પિટલના ત્રણ મુખ્ય ડોક્ટર પૈકી બબલુ રામઆશ્રય શુકલા, રાજારામ દુબે વિરુદ્ધ બોગસ તબીબનો પોલીસ કેસ નોંધાયો છે. જ્યારે ડો. જી.પી. મિશ્રા વિરુદ્ધ દારૂની હેરાફેરીનો કેસ નોંધાયો છે. લોકોના સાથે ચેડાં કરતાં બે બોગસ ડોક્ટર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલથી વિવાદ ઉભો થયો હતો.

સહિત 3 તબીબ દ્વારા જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના ઉદ્ઘાટન કરાયું હતું. જેની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ તરીકે મનપા કમિશનર અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરના નામની સાથે જોઇન્ટ પોલીસ કમિશનરની ઉદ્ઘાટનમાં હાજરી શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં હાજર આપી

રવિવારે (17મી નવેમ્બર) બમરોલી રોડની કર્મયોગી સોસાયટીમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું હતું. હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહની આમંત્રણ પત્રિકામાં ચીફ ગેસ્ટ તરીકે મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત અને ક્રાઈમ બ્રાંચના જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનો ઉલ્લેખ હતો. શહેરના ત્રણ ઉચ્ચ અધિકારી પૈકી એક માત્ર જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા અને હોસ્પિટલના મુખ્ય ડોક્ટરની ખુરશી ઉપર બેઠેલા નજરે પડયા હતા.

હોસ્પિટલના ત્રણ મુખ્ય ડોક્ટર પૈકી બબલુ રામઆશ્રય શુક્લા, રાજારામ દુબે સામે બોગસ ડોક્ટરનો પોલીસ કેસ નોંધાયો છે. જ્યારે ડો. જી.પી મિશ્રા સામે દારૂની હેરાફેરીનો કેસ નોંધાયો છે. લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા બે બોગસ ડોક્ટર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સ કઇ રીતે હાજર રહ્યા તે મુદ્દો હાલ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમાં પણ ખાસ કરીને શહેરભરના તબીબી આલમમાં આમંત્રણ પત્રિકા જે ત્રણ ઉચ્ચ અધિકારી એવા મનપા કમિશનર, પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરના નામ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દુષ્કર્મી કાઉન્સિલરથી પરિણીતાને ગર્ભ રહેતા પતિએ દવાખાને લઈ જઇ ગર્ભપાત કરાવ્યો હતો

0

ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચરતાં રંગેહાથ ઝડપાયો હતો.

દીપુ પ્રજાપતિનાં કાળાં કારનામાં બહાર આવતાં ભારતીય જનતા પાર્ટીએ તરત જ તેને પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી સસ્પેન્ડ કર્યો.

આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર દીપુ ગોરધન પ્રજાપતિ (જલારામ ખમણવાળા)એ શહેરમાં જ રહેતી એક પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા જ અને બીજી તરફ ધરપકડથી બચવા શખસ ભૂગર્ભમાં ઊતરી ગયો. પોલીસે તેના ઘર-મિત્ર વર્તુળ સહિત સગા-સંબંધીઓના ઘરે દરોડા પાડ્યા હતા. પરંતુ તે હાથમાં આવ્યો નથી. તેનો ફોન પણ તેણે બંધ કરી દીધો છે. દુષ્કર્મી કાઉન્સિલરની વધુ એક કરતુત બહાર આવી છે, જેમાં ગત જૂનમાં જ પરિચય કેળવ્યા બાદ પંદર દિવસ બાદ શખસ તેના ઘરે પહોંચી ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને પગલે પરિણીતાને ગર્ભ રહી ગયો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. જેમાં પતિને સાથે રાખીને પરિણીતાએ ગર્ભપાત પણ કરાવ્યો હતો.

દુષ્કર્મ આચરતાં રંગેહાથ ઝડપાયો હતો.

૧૬-૧૧-૨૦૨૪ ના રોજે શનિવારે રાત્રે પરિણીતાનો પતિ બજારમાં ગયો હતો એ વખતે આ દીપુ પ્રજાપતિ પરિણીતાના ઘરમાં ઘૂસી ગયો હતો અને એકલતાનો લાભ લઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જોકે એ વખતે પરિણીતાનો પતિ ઘરે આવી જતાં દીપુ પ્રજાપતિ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ દરમિયાન બૂમાબૂમ થતાં પરિવારજનો તેમજ આસપાસના રહીશો એકત્રિત થઈ ગયાં હતાં.

ભાજપ કાઉન્સિલર દીપુ ગોરધન પ્રજાપતિ ગત જૂનમાં લોકસભાની ચૂંટણીમાં મતદાર સ્લિપ આપવાના બહાને પરિણીતાનો મોબાઈલ નંબર લઈ ગયો હતો. એ પછી તેણે તેની સાથે વાતચીત શરૂ કરી હતી. એ બાદ બંને વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ તેના પતિને મોકલવાની ધમકીઓ આપી ગત જૂનમાં જ તેના ઘરે આવી પહોંચ્યો હતો.પરિણીતાનું મોઢું દબાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. ઘટના બાદ પરિણીતાને પેટમાં ખૂબ દુ:ખાવો થતો હોય તેણે દીપુ પ્રજાપતિને ફોન કરીને જાણ કરી હતી. નરાધમ દીપુએ તેને ગોળી લઈ લેવાની સલાહ આપી હતી.

બીજી તરફ પરિણીતા તેના પતિ સહિતના પરિવાર સાથે ગત 22મી જૂનના રોજ ઉત્તરપ્રદેશ ખાતે સાઈટ પર ગયા હતા. જ્યાં પુન: તેને દું:ખાવો થતાં જ તેઓ પરત આણંદ આવ્યા હતા. જ્યાં તેમણે ખાનગી દવાખાનામાં તપાસ કરાવતાં જ પરિણીતા સગર્ભા હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે પતિને સાથે રાખીને જ તેણીએ ગર્ભપાત કરાવ્યો હતો. પરિણીતાએ કાઉન્સિલરે દુષ્કર્મ ગુજારતા તે ગર્ભવતી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.

સમગ્ર બનાવમાં પોલીસ દ્વારા મારામારીમાં સંડોવાયેલા બે સાગરીતોની ધરપકડ કરી હતી. આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ-ઈન્સ્પેક્ટર વી.ડી.ઝાલાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ભોગ બનનારની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિ હજી સુધી પકડાયો નથી,મારામારીમાં સામેલ તેના બે સાગરીતોની અટકાત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નવસારી મરીન પોલીસના PIએ પોણા દોઢ લાખનો એપલનો મોબાઇલ લાંચમાં માંગ્યો અને ACBએ પણ દિવાળી ની મુહૂર્ત કરી.

0

નવસારી જિલ્લાના મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ લાંચમાં પોણા દોઢ લાખનો એપ્પલ કંપનીનો મોબાઇલ માંગતા ફરિયાદીએ ACB નો સંપર્ક કરતા આખરે PI છટકામાં ભેરવાયા છે.

ફરિયાદી નવસારી જિલ્લામાં આવેલા ધોલાઈ બંદર ખાતે જતી બોટમાં વપરાતા છૂટક લાઈટ ડીઝલ ઓઇલના વેચાણનો પરવાનો જોઈતો હતો. જેથી ફરિયાદીને પીઆઈએ અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને તેમજ છૂટક લાઈટ ડીઝલનું વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીંતર ધંધો બંધ કરાવી દઈશ તેમ કહી ધમકી આપી હતી. હાલમાં નવો લોન્ચ થયેલા એપ્પલ કંપનીનો IPHONE 16 ની તેમણે લાંચ તરીકે માંગ કરી હતી. પરંતુ ફરિયાદીએ એપલ કંપનીનો IPHONE આપવા માંગતા ન હતા જેથી સીધા જ પહોંચી ગયા ACB કચેરી અને તેના આધારે છટકું ગોઠવાયું. ફરિયાદના આધારે ACB ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. PI દિનેશ જમનાદાસ કુબાવતે 1,44,900 કિંમતન નો IPHONE મોબાઈલ સ્વીકાર્યો હતો જેના આધારે રંગે હાથ પકડાઈ જતા એસીબી એ ધરપકડ કરી છે. આરોપી અધિકારી ટૂંકા સમયમાં રિટાયર થવાના હતા. તે અગાઉ એસીબીમાં તેમની ધરપકડ થતા નવસારી જિલ્લામાં આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ ટ્રેપમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી રાઠવા એ કાર્યવાહી કરી હતી જેમાં સુપર વિઝન અધિકારી તરીકે આર આર ચૌધરી મદદનીશ નિયામક સુરત એકમ દ્વારા કાર્યવાહીમાં સહયોગ આપવામાં આવ્યો હતો.

રાજ્યમાં સૌપ્રથમવાર સુરત પુલીસ એ ડિજિટલ એરેસ્ટમાં આરોપીઓના સ્કેચ જાહેર કર્યા.

0

સમગ્ર દેશમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે ઓનલાઈન આવતાં આ આરોપીઓના ચહેરા જાહેર કરવામાં પોલીસને સફળતા મળી છે. રાજ્યમાં સૌ પ્રથમવાર સુરત પોલીસે ભોગ બનનારની માહિતીના આધારે એક્સપર્ટ પાસે સ્કેચ બનાવવામાં આવ્યાં છે. જેથી હવે ચહેરા સામે આવતાં આરોપીઓની ધરપકડ કરવી આસાન બની શકે તેમ છે. ડિજિટલ અરેસ્ટના ભોગ બનેલા ફરિયાદીઓના જણાવ્યા મુજબ બે માસ્ટર માઈન્ડના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્કેચ હવે પોલીસ સોશિયલ મીડિયામાં મુકશે, જેથી લોકો શિકાર બનતા બચી શકે અને આરોપીની જાણકારી પણ આપી શકે.આરોપીઓ લાખો-કરોડો રૂપિયા ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરી પડાવી રહ્યા છે. ટેલિફોન અને એકાઉન્ટના માધ્યમથી માત્ર એજન્ટ સુધી જ અત્યાર સુધી પોલીસ પહોંચી છે. હવે માસ્ટર માઈન્ડ સુધી પહોંચવા અને આ ઘટનામાં સામેલ લોકોની ઓળખ સામાન્ય પ્રજા સુધી પહોંચે, આ માટે સુરત પોલીસે સ્કેચનો સહારો લીધો છે. ગુજરાતમાં પ્રથમવાર ડિજિટલ અરેસ્ટની ઘટનામાં સુરત પોલીસ દ્વારા બે સ્કેચ જાહેર કરાયા છે.

સુરત મ્યુનિ. કમિ.- અધિકારીઓને હાઈકોર્ટની નોટિસ, નોટિસ વિના જ ડિમોલીશન?

0

ઉધના ઝોન-એ ના વડોદમાં વર્ષોથી રહેતાં પરિવારને ઘરની બહાર કાઢી, સામાન ફેંકી ઘરનું ડિમોલીશન કરી નાંખ્યું હતું

બુલડોઝરબાજીથી 7 વર્ષના બોલી-ચાલી કે ખાઈ ન શકતા બાળક અને પરિવારને રસ્તે રઝળતો કર્યો.

સુરતઃ સુરત મનપાના અધિકારીઓ દ્વારા કોઈ જાતની નોટિસ આપ્યા વગર રહેણાંક તોડી પાડયાની રીટ હાઇકોર્ટમાં સાધનાબેન બડગુજરે નામના અરજદારે કરી હતી. આ અરજી પરની પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ મૌના ભટ્ટે સુરત મ્યુનિ. કમિશનર તથા કોર્પોરેશનના અન્ય અધિકારીઓને નોટિસ ફટકારવાનો હુકમ કર્યો છે. તેમજ વધુ સુનાવણી માટે 19મી નવેમ્બરનો દિવસ આપ્યો છે.

નોટીસ આપ્યા વગર જ ડિમોલિશન કર્યા હતા.

સુરતના વડોદ વિસ્તારમાં સત્યનારાયણનગર ખાતે 96 ટકા અંપંગતા ધરાવતાં બાળક સહિત પરિવારજનો સાથે રહેતી એક મહિલાનું લાખો રૂપિયાનું  મકાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોઇપણ પ્રકારની કાયદેસર નોટિસ કે આગોતરી જાણ કર્યા વિના બારોબાર તોડી નાંખતાં મહિલાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેની સુનાવણીમાં જસ્ટિસ મોના ભટ્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર, ઉધના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસ.ડી.પ્રજાપતિ, નાયબ ઇજનેર પી.બી.ભોયા, આસીસ્ટન્ટ ઇજનેર ચંદ્રેશ પાટડિયા, ફેનીલ મહેતા, મયુર પટેલ વિરૂદ્ધ નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે. 

સત્યનારાયણ નગર સોસાયટીના પ્લોટ નં. 16, 17 ઉપર પાકું ઘર બાંધીને રહેતાં સાધનાબેન ઈશ્વરભાઈ બડગુજરે તેમના એડવોકેટ નિમિષ એમ. કાપડિયા મારફત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી રજૂઆત કરી હતી કે, તેઓ વડોદ વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીમાં પોતાના પતિ અને એક દિવ્યાંગ સહીત બે બાળકો સાથે રહેતાં હતા. વર્ષ 2021માં તેમણે બંને પ્લોટ બાંધકામ સહિત ખરીદીને એસ.એમ. સીના ટેક્સ બિલમાં પોતાના નામે ચઢાવેલા હતા. પાણી કનેક્શનની ફ્રી ભરેલી, પોતે ઈલેક્ટ્રિસિટી કનેક્શન ધરાવતા હતા અને એક વર્ષ પહેલાં લગભગ 634 સ્કવેર ફિટનું રૂપિયા 9.5 લાખના ખર્ચે રિનોવેશન કરાવ્યું હતું. જે ઘરની હાલની કિંમત રૂપિયા ત્રીસ લાખ છે. દરમિયાન અગાઉ કોઈ જાતની નોટિસ આપ્યા વગર |લી ઓક્ટોબરના રોજ ઉધના ઝોનના અધિકારીએ પરિવારને ઘરની બહાર કાઢી સામાન ફેંકી દઇ ઘરનું ડિમોલિશન કર્યું હતું. તેથી અરજદારે પોલીસ ફરિયાદથી માંડીને વિવિધ સક્ષમ સત્તા સામે રજુઆત કરી હતી. પરંતુ કોઈ જવાબ ન મળવાથી તેમણે હાઈકોર્ટમાં ઉક્ત રિટ પિટિશન કરી મનપા દ્વારા તેનું ઘર ફરીથી બનાવી આપવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે તાકીદે પગલા ભરવા અને તમામ જવાબદાર અધિકારીઓ પાસેથી 45 લાખનું વળતર પણ માંગ્યું છે.

સચીન ના વોર્ડ નંબર 3૦ ના પ્રમુખ ના ઓળખાણ ઉપર દાદાગીરી કરતો માથેભારે અક્ષય પાંડે થયું ફરાર કે કરવામાં આવ્યું?

0

સુરત, સચીન માં માથેભારે તરીકે ની છાપ ઘરાવતા અને સરકારી કચેરી માં સચીન ના વોર્ડ નબર ૩૦ ના પ્રમુખ ની ઓળખાણ ઉપર દાદાગીરી કરતો માથે ભારે અક્ષય પાંડે પોતાના ગ્રુપ ને સાથે પુલીસ સ્ટેશન હોય કે સરકારી વિભાગ ઉપર કોઈ પણ નીતિ-નિયમ નું ઉલ્લંઘન કરી સામાન્ય વ્યકિતઓને હેરાનગતિ કરે આવી લોક ચર્ચા.

લોક ચર્ચા એ પણ છે મોટા મોટા દલાલો સાથે સંપર્ક હોવા થી અને પોલીસ નાં માણસો સાથે પણ સારા સંપર્ક હોવા થી પોલીસ સ્ટેશન બહાર પોલીસ સ્ટેશન માં થયેલ ફરિયાદ નું સમાધાન પણ કરાવે છે. સુત્રો નો માનીએ તો જેમાં મુખ્યત્વે સચીન પોલીસ સ્ટેશન અને સચીન જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન બહાર સવાર-સાંજે થયેલ અરજીઓ દફતરે કરાવી સમાધાન કરવામાં આવે છે. તેનું પણ ખેલ રમી ને કામગીરી કરી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં અન્ય માણસોનું રાજકીય સંબંધ હોવાથી નામ નહીં જાહેર કરાયો એવી લોક ચર્ચા?

વાયરલ થયેલા વીડિયોમાં અન્ય માણસોનું રાજકીય સંબંધ હોવાથી નામ નહીં જાહેર કરાયો એવી લોક ચર્ચા?

વિસ્તાર માં ચર્ચા આવી પણ છે કે એક મહિલા નગર સેવિકાની ઓફીસ ઉપર બેસી બિનધાસ્તપણે બિનઅધીકુત રીતે સમગ્ર કામગીરી પૂરી કરતા હોય છે. જેમાં શાસન -પ્રશાસન કોઈ નું પણ ભય હોતું નથી.

આરોપી ફરાર હોવા છતાં શોશલ મીડિયા માં એક્ટીવ છે. જેમાં એક ચેલન્જ આપી ને કામગીરી કરી રહ્યા છે તેવું લોકચર્ચા. હાલ આરોપી તરીકે ફરાર સુત્રોના મુજબ ગોવામાં ની મોજ-મસ્તી કરી રહ્યા છે.

સચિન વિસ્તારમાં બર્થ ડે ની ઉજવણી કરી જાહેર નામાનો ભંગ કરવા મામલે વોન્ટેડ આરોપી અક્ષય પાંડે પોલીસ પકડથી કેમ દૂર?

વોન્ટેડ આરોપી અક્ષય પાંડે ક્યારે પોલીસ પકડમાં આવશે?

શું વોન્ટેડ આરોપી અક્ષય પાંડે નું રાજકીય સંબંધ હોવાથી પકડવામાં નહીં આવ્યું?

શું સામાન્ય માણસ અને રાજકીય સંબંધ ધરાવતા માણસો માટે કાનૂન અલગ છે?

ચર્ચા એવી પણ છે કે વોન્ટેડ આરોપી અક્ષય પાંડે પોતાના વિસ્તારમાં માથાભારે તરીકે નું પણ છાપ ધરાવે છે?

હવે જોવાનું એ રહ્યું કે જાહેરનામાનું ભંગ કરવા મામલે વોન્ટેડ આરોપી અક્ષય પાંડેને સચિન પોલીસ ક્યારે પકડી પડશે?

વોન્ટેડ આરોપી સુરત શહેર પોલીસ અને સચિન પોલીસ ને ખુલ્લુ ચેલેન્જ આપી થયો ફરાર?

વાયરલ થયેલા વીડિયોમાં અન્ય માણસોનું રાજકીય સંબંધ હોવાથી નામ નહીં જાહેર કરાયો એવી લોક ચર્ચા?

જાહેરનામાનો ભંગ કરવામાં વોન્ટેડ જાહેર થયેલા અક્ષય પાંડે સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ. સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી પોલીસને ખુલ્લી ચેતવણી આપતો હોય એવી લોક ચર્ચા?

વાયરલ વીડિયોમાં દેખાતા અન્ય માણસો ઉપર કેમ પોલીસે કાર્યવાહી નહીં કરી એ પણ ચર્ચા નો વિષય બન્યો?

જાહેરનામાનો ભંગ કરનાર આરોપીઓને પકડી પાડી કાયદાનો પાઠ ભણાવતી સચીન પોલીસ

0

જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરી આતશબાજી તથા કેક કટીંગ કરી.

સુરત શહેરમાં હાલમાં ધાર્મીક તહેવારો તેમજ અન્ય કાર્યક્રમ યોજવામા આવતા હોય જેથી કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે સારૂ સુરત પોલીસ કમિશ્નરેટની હદ વિસ્તારમાં ચાર કે ચાર કરતા વધારે માણસો ભેગા થવું નહી, તેમજ કોઇ સભા ભરવી કે બોલાવવી નહી અને કોઇ પણ જાતની સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમમાવવામાં આવેલ અને સંયુક્ત પોલીસ કમિશ્નર સેકટર-ર સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશ્નર “આઈ” ડીવિઝન સાહેબશ્રી નાઓએ સદર જાહેરનામામાં દર્શાવેલ પ્રવુતી અંકુશમાં લેવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ અને ગત તા.૦૫/૦૬/૨૦૨૪ ના રોજ સોશીયલ મીડીયામાં સચીન વિસ્તારમાં જાહેરમાં રોડ ઉપર ટેબલ ગોઠવી તેના ઉપર આશરે દશેક જેટલી નાની મોટી કેકો ગોઠવી જાહેર રોડ પર કેક કાપવા સારૂ ઘણા બધા લોકો મોટર સાયકલ સાથે ભેગા થઇને આતશબાજી કરી જન્મદિવસની ઉજવણી કરી મે. પોલીસ કમિશ્નર સુરત શહેર નાઓના જાહેરનામાંનો ભંગ કરેલ હોય તેવો વિડીયો વાયરલ થયેલ હોય જે વાયરલ થયેલ વિડીયો બાબતે ખરાઇ કરી તેઓ તમામ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે પો.ઇન્સ પી.એન.વાઘેલા સા. નાઓએ સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને તેમજ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ.રાજેન્દ્રભાઇ કેશવભાઇ નાઓના માર્ગદર્શન હેઠળ વિડીયોની ખરાઇ કરી વીડીયોમાં જણાઇ આવેલ

જાહેરમાં જન્મદિનની ઉજવણી કરતા ચેતજો

વોન્ટેડ આરોપી – અક્ષય S/o રાજમોહન પાંડે રહે. ઘર નં. ૩૧, સેજલનગર અજંતાનગરની બાજુમાં સચીન સુરત શહેર

30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો

ઉપર ની તસ્વીર માં જન્મદિવસ ની ઉજવણી માં સ્પષ્ટપણે વિડીયો વાયરલ થયા પછી કાર્યવાહી કરવામાં આવે છે. છતાં કેમ આ લોકો નું કોઈ પણ જગ્યા નામ નિશાન નથી કેમ જો કોઈ ગુનાહીત પ્રવુતિ કર્તા હોય અને કોઈ પણ ફરીયાદ કરે તો તેના પુરાવા પણ મળતા નથી. આ લોકો ની છાપ ભાઈગીરી ની હોવાથી.સામાન્ય જનતા ફરિયાદ કર્તા પણ ડરે છે. જેથી કદાચ આ તસ્વીર માં સામેલ લોકો નું નામ કોઈ પણ જગ્યા સામેલ નથી. કે કોઈ નેતા ની ભલામણ વિભાગ ને દબાણ હેઠળ કાર્યવાહી ન કરવામાં આવેલ હોય શકે.

અન્ય આરોપીઓને પકડી પાડી ના નામ

(૧) સચિન S/o રાજમોહન પાંડે ઉ.વ. ૨૫ ધંધો-નોકરી રહે. ઘર નં. ૩૧, સેજલનગર અજંતાનગરની બાજુમાં સચીન સુરત શહેર

(૨) આશીષ ઉર્ફે આશુ S/o દલજીત શર્મા ઉ.વ. ૨૨ રહે. ઘર નં. ૨૭, ગીતાનગર, સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર

(૩) વિકાશસિંગ S/o ગંભીરસિંગ યાદવ ઉ.વ. ૨૬ રહે. ઘર નં. એ/૩૫, સેજલનગર અજંતાનગરની બાજુમાં સચીન સુરત શહેર

(૪) મિતેશ S/૦ વિશ્વાસભાઇ પાટીલ ઉ.વ. ૨૨ રહે. ઘર નં. બી/૪૮, સેજલનગર અજંતાનગરની બાજુમાં સચીન સુરત શહેર

(૫) સુભાષ S/૦ નવિનભાઇ પટેલ ઉ.વ. ૨૧ રહે. ઘર નં. એ/૧૯, સાઇ સિધ્ધી રો-હાઉસ, સચીન સુરત શહેર

(૬) આદર્શ S/o સુજીત જયશ્વાલ ઉ.વ. ૨૪ રહે. ઘર નં. બી/૨૪, સાઇ સિધ્ધી રો-હાઉસ સેજલનગરની બાજુમાં સચીન સુરત શહેર

(૭) રાજા S/o રાજુભાઇ કશ્યપ ઉ.વ. ૨૧ રહે. ઘર નં. ૬, શિવનગર, સચીન જી.આઇ.ડી.સી.સુરત શહેર મો.નં. ૬૩૫૫૮૧૮૧૯૦

(૮) રાજકુમાર S/o રામબહાદુર કશ્યપ ઉ.વ. ૧૮ રહે. ઘર નં. ૭૪, પટેલ નગર,શિવનગરની બાજુમાં સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર

(૯) અરુન S/o સંજયભાઇ ગૌડા ઉ.વ. ૨૧ રહે. ઘર નં. બી/૨/૧૦૮, ગોકુલધામ રેસીડેન્સી, કનસાડ રોડ સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર

(૧૦) રાહુલ S/૦ સુરેશ શ્વાઇન ઉ.વ. ૨૨ રહે, ઘર નં. એફ-૨/૩૦૨, શિવદ્રષ્ટી, પારડી સચીન સુરત શહેર

(૧૧) ભુરા S/o ભરકૈયા નિશાદ ઉ.વ. ૩૬ રહે. ઘર નં. ૧૩૫, પટેલ નગર, શિવનગરની બાજુમાં સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર

(૧૨) રાકેશકુમાર S/o રામદરશ ગૌડ ઉ.વ. ૧૮ રહે. ઘર નંબર-૩૫, સિધ્ધી ગણેશ, પાલીગામ સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર

(૧૩) પવનકુમાર S/o શ્રીધર બિંદ ઉ.વ. ૧૯ રહે. ઘર નં. ૧૧૦, પટેલ નગર, શિવનગરની બાજુમાં સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર

(૧૪) અમીતકુમાર S/o ઉદયરાજ મૌર્યા ઉ.વ. ૨૨ રહે. ઘર નં. ૫૦, સાંઇનગર નગર, શિવનગરની બાજુમાં સચીન જી.આઇ.ડી.સી. સુરત શહેર

જન્મદિવસની ઉજવણી નાઓ વોન્ટેડ આરોપી – અક્ષય S/o રાજમોહન પાંડે રહે. ઘર નં. ૩૧, સેજલનગર અજંતાનગરની બાજુમાં સચીન સુરત શહેર ના જન્મ દિવસ અનુસંધાને સચીન એલ.ડી.સ્કુલની સામે ભેગા થઇ ફટાકડા તથા આતશબાજી જાહેર રોડ પર ફોડી કેક કટીંગ કરેલ હોય તેઓને પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરી માં સચીન ખાતે ફરજ ઉપર ના તમામ સ્ટાફ ની કામગીરી જાહેર જનતા માટે સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે.

સચીન પોલીસ સ્ટેશન સુરત શહેર કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી/કર્મચારી :-

(૧) પો.ઈન્સ.પી.એન.વાઘેલા

(૨) એ.એસ.આઇ.રાજેન્દ્રભાઇ કેશવભાઇ પવાર

(૩) એ.એસ.આઇ.કિશોરભાઇ માધવરાવ પાટીલ

(૪) અ.હે.કો.ભરતભાઇ બચુભાઇ ડાંગર

(૫) અ.હે.કો.વિજયસિંહ ભગવાનભાઇ ડોડીયા

(૬) અ.હે.કો.સહદેવસિંહ ગજેન્દ્રસિંહ પરમાર

(૭) અ.હે.કો.જશવંતભાઇ વાઘાભાઈ પારગી

(૮) અ.પો.કો.નરેન્દ્રસિંહ વજેસિંહ સોલંકી

(૯) અ.પો.કો.મુકેશભાઇ શીવાજી બિરારે

(૧૦) અ.પો.કો.દશરથભાઈ માવજીભાઇ રોજીયા

(૧૧) અ.પો.કો.જયપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ

(૧૨) અ.પો.કો.નારણભાઇ ભજુભાઇ રબારી

જાહેરનામાનો ભંગ કર્તા સમયે વાયરલ થયેલ વિડીયો

જાહેરમાં જન્મદિવસ ઉજવી કમિશનરના જાહેરનામાના ઉડાવ્યા લીરાં

0
આ લોકો નું કોઈ પણ જગ્યા નામ નિશાન નથી કેમ

સુરતમાં ભાજપનો કાર્યકર ભૂલ્યો ભાન,શોશલ મીડિયા માં વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી.

સુરત-સચીન,ભાજપી કાર્યકરો સત્તાના મદમાં હોય તે રીતે નિયમોનો ભંગ કરતાં હોય તેવા દૃશ્યો છાસવારે સામે આવી રહ્યાં છે. સચિન વિસ્તારના ભાજપના કાર્યકરે પોતાનો જન્મદિવસ જાહેરમાં ઉજવીને પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો. જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરે રેલી યોજી હતી. ડીજે સાથે ડાન્સ કરવામાં આવ્યો હતો. સાથે જાહેરમાં આતશબાજી પણ કરવામાં આવી હતી. કેક કાપવામાં આવી હતી. જેથી લોકોએ કહ્યું કે, શું ભાજપના કાર્યકર્તાઓને કાયદાનું ભાન નથી? પોલીસનો કોઈ ડર ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. શું આવા લોકો ઉપર પોલીસ કમિશનર કાયદાનું ભાન કરાવશે

સુરત પોલિસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસ ઉજવવા અંગે સ્પષ્ટ મનાઈ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે અગાઉ કાર્યવાહી પણ કરવામાં આવતી હતી. જો કે, સચિન વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉજવણી કરતો યુવક ભાજપના કાર્યકર્તા છે. જેને કે કાયદાની ઉપર હોય છે. ભાજપ ના કાર્યકર્તાઓ.

જાહેરમાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં નિયમનોના ધજાગરા ઉડાવતા યુવાનોના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં યુવકો જાહેર રસ્તા પર હાથમા ફટાકડા લઈ આતિશબાજી કરી રહ્યા હતા. એટલું જ નહીં મોટી સંખ્યામાં ડીજે સાથે ટુ-વ્હીલર પર આ યુવકો નીકળ્યા હતા. જેમાંથી એક યુવક રિક્ષાની ઉપર બેઠો હતો. બેફામ બનેલા આ યુવકોએ સુરત પોલીસ કમિશનરના જાહેરનામાના ધજાગરા ઉડાડ્યા હતા.