Home CRIME ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી.પૂરી ન થતા સિક્યિુરિટી એજન્સીના માલિકની...

ત્રણ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી.પૂરી ન થતા સિક્યિુરિટી એજન્સીના માલિકની અપહરણ બાદ હત્યા બે ટુકડા માં લાશ મળી.

5
0

સુરતમાં સિક્યુરિટી એજન્સીના માલિક ચંદ્રભાન દુબેનું અપહરણ કરાયા બાદ હત્યા કરી દેવાતા ચકચાર મચી છે.

સુરત,પાંચ દિવસ પહેલા અપહરણ કરાયા બાદ અપહરણકારોએ પરિવારજનો પાસે ત્રણ કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરી હતી. અપહરણના ચાર દિવસ બાદ મીઠી ખાડી વિસ્તારમાંથી સિક્યુરિટી એજન્સીના માલિક ચંદ્રભાન દુબેની બે ટુકડામાં કોથળામાં પેક કરેલી લાશ મળી આવી છે. સુરત સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પર પહોંચેલા મૃતકના પરિવારજનોમાં આક્રંદનો છવાયો હતો. મૃતકના પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી નારાજગી વ્યકત કરી હતી.

સુરતમાં ચંદ્રભાન માતાપ્રસાદ દુબે નામના વ્યક્તિ સિક્યુરિટી એજન્સી ચલાવે છે અને 12 મે 2025ના રોજ ચંદ્રભાન પોતાના રિક્ષા ડ્રાઇવર રાશિદ સાથે ગયા હતા અને ત્યારબાદ પરત આવ્યા ન હતા. 12 મેના રોજ રાત્રે 8 વાગ્યા બાદ ચંદ્રભાન ગુમ થયા હોવાના કારણે આ બાબતે પરિવારના સભ્યો દ્વારા અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અલથાણ પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બીજી તરફ અપહરણ બાદ ચંદ્રભાન દુબેના મોબાઈલ પરથી પરિવારના સભ્યો પાસેથી ત્રણ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here