Home CRIME હાઈકોર્ટનું આદેશ- એમપીના મંત્રી શાહ સામે FIR નોંધો: DGPને કહ્યું- આજે જ...

હાઈકોર્ટનું આદેશ- એમપીના મંત્રી શાહ સામે FIR નોંધો: DGPને કહ્યું- આજે જ કેસ નોંધો; કર્નલ સોફિયા પર અપત્તિજનક નિવેદન આપ્યુ હતું

4
0

ભાજપના મંત્રી વિરુદ્ધ 4 કલાકમાં FIR નોંધો, કર્નલ સોફિયા વિવાદને લઈને હાઈકોર્ટે આપ્યો આદેશ.

મધ્યપ્રદેશ,જબલપુર હાઈકોર્ટે જસ્ટિસ અતુલ શ્રીધરે મંત્રી વિજય શાહની ટિપ્પણીનો સંજ્ઞાન લેતા આગામી 4 કલાકમાં તેમના વિરુદ્ધ BNSની કલમ 152, 196(B), 197 અને BSSની કલમ 122 હેઠળ પ્રાથમિક ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે. આ તમામ કલમો ગુના ગણાતા છે અને નોન-બેઈલેબલ છે.

ભારતીય સેનાની કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરવાના કારણે મધ્યપ્રદેશની ભાજપ સરકારના મંત્રી વિજય શાહની મુશ્કેલીઓ વધી ગઈ છે. જબલપુર હાઈકોર્ટે રાજ્યના DGPને મંત્રી વિજય શાહ વિરુદ્ધ 4 કલાકની અંદર વિવિધ કલમો હેઠળ પ્રાથમિક ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.

ન્યાયાધીશ અતુલ શ્રીધરની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે રાજ્યના DGPને આદેશ આપતાં સ્પષ્ટ કર્યું કે, વિજય શાહ સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે. કોર્ટે આ મામલે રાજ્યના એડવોકેટ જનરલ પ્રશાંત સિંહને પણ કડક સૂચનાઓ આપતા કહ્યું કે, કોઈપણ પરિસ્થિતિમાં FIR નોંધાવી જ જોઈએ. હાઈકોર્ટે કહ્યું છે કે કેસની આગામી સુનાવણી સોમવારે સવારે થશે. કોર્ટના આ આદેશ બાદ રાજ્ય વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં હલચલ તેજ થઈ ગઈ છે. 

આ દરમિયાન માહિતી મળી રહી છે કે મધ્યપ્રદેશની ભાજપ સરકારના મંત્રી કુનવર વિજય શાહની મુશ્કેલીઓ પાર્ટીમાં પણ વધવા જઈ રહી છે. કર્નલ સોફિયા કુરેશીના ભાઈએ PM મોદી પાસે મંત્રી વિજય શાહના નિવેદન પર સંજ્ઞાન લેવાની માંગ કરી હતી. જેના બાદ ગઈકાલે સાંજે આ મામલો ગૃહ મંત્રી અમિત શાહ સુધી પહોંચ્યો. હવે ચર્ચા છે કે આજે સાંજે મંત્રી વિજય શાહનો રાજીનામો થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here