રીબડાના અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવાયો હતો, બે વકીલની સંડોવણી
પોલીસે રાજકોટ અને ગોંડલના વકીલ ઉપરાંત દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણી અને તેની બહેનપણીની ધરપકડ કરી.
ગોંડલના રાજકારણમાં ગરમાવો લાવનાર રીબડાના અમિત ખુંટના આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. અમિત ખૂટને હનીટ્રેપમાં ફસાવી તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ ફરિયાદ નોંધાવાવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ તપાસમાં થયો છે. જેમાં રાજકોટના વિવાદાસ્પદ એડવોકેટ સંજય હેમંતભાઈ પંડીત અને ગોંડલના એડવોકેટ દિનેશ પાલાભાઈ પાતરની સંડોવણી ખુલી છે. જેથી આ બંને ઉપરાંત દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણીની કોની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે.



રાજકોટમાં રહેતી અને મોડેલીંગ કરતી તરૂણીએ અમિત ખૂંટ સામે રાજકોટના એ ડિવિઝન પોલીસ મથકમાં ગત શનિવારે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અમિત ખૂંટની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાક્રમ વચ્ચે અમિત ખુંટે ગઈ તા. પના રોજ રીભડા ગામમાં આવેલી પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તેણે આ પગલું ભરતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં રીબડાના ઓનરૂપસિંહ જાડેજજ, તેના પુત્ર રાજદીપસિંહ, દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરે પોતાને ખોટા કેસ માં ફસાવતા બદનામી થવાથી આત્મહત્યા કર્યાનું લખ્યું હતું. જેના આધારે ગોંડલ તાલુકા પોલીસે આ ચારેય આરોપીઓ સામે આપધાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ પછી ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજા ગોરની પૂછપરછ કરતાં ચોકાવનારો ખુલાસો થયો છે. આ બંનેની પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે પૂજાનો રાજકોટમાં એક મિત્ર રહે છે.
જેણે પૂજા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર તરૂણીને સાધી કહ્યું હતુ કે અમિત ખૂંટ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરી અને પ્રેમ સંબંધ અને બાદમાં તેની સાથે શરીર સંબંધ બાંધી, તેના વિરૂઘ્ઘ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવવાની છે. બદલામાં તમારી બંનેની લાઈફ સેટ થઈ જશે, બંનેને સારામાં સારી જોબ પણ મળશે. બંનેને મોટી રકમ પણ મળશે, આ પછી તમને કાંઈ ઘટશે નહીં, અમિત ખુંટ વિરૂઘ્ઘ ફરિયાદ કરતી વખતે એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતર સાથે રહેશે. શરૂઆતથી અંત સુધી તમને મદદ કરશે. બંને કહે તે રીતે તમારે પોલીસ ફરિયાદ નોંધાવાની છે. જેથી દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂર્ણ ગોરને પૈસાની જરૂરિયાત હોવાથી આ કામ માટે સહમત થઈ ગઈ હતી. કાવતરા મુજબ અમિત ખુંટ સાથે મિત્રતા કેળવી, આખરે તેના વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. મેડીકલમાં દુષ્કર્મ કર્યાનું સાબિત થાય તે માટે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આ કેસમાં રીબડાના અનિરૂભસિંહ જાડેજા અને તેના પુત્ર રાજાપસિંહને હજુ સુધી પોલીસ શોધી શકી નથી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દુષ્કર્મની ફરિયાદી અને તેની બહેનપણી પૂજાને આ કામ સોંપનાર વચેટિયો પકડાયા પછી તેણે કોના કહેવાથી અમિત ખુંટને ફસાવવાનું કાવતરું રચ્યું હતું તે અંગે ખુલાસો થશે. હાલ આ વચેટિયાની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
એડવોકેટ સંજય પંડીત ફરિયાદ નોંધાવતી વખતે સાથે રહ્યો હતો.
રાજકોટના વચેટિયાએ પૂજા અને તેની બહેનપણીને અચિત ખુંટ વિરૂધ્ધ દુષ્કર્મની હરિયાદ નોંધાવતી વખતે એડવોકેટ સંજય પંડીત અને દિનેશ પાતર સાથે રહેશે તેમ કહ્યું હતું. આ માહિતી પરથી પોલીસે તપાસ કરતાં એડવોકેટ સંજય પંડીત હરિયાદ નોંધાવતી વખતે અને અન્ય સ્થળોએ હાજર રહ્યાની માહિતી મળી છે. ગોંડલ તાલુકા પીઆઈ તરીકે જેતપુરના પીઆઈ એ. ડી. પરમારને મૂકવામાં આવ્યા છે. જે હવે આ કેસની આગળની તપાસ કરશે.
