સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી.જેમાં ચાર શખસોએ મળીને ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા એક શખસનું મોત નિપજ્યું છે, જ્યારે બીજાની હાલત ગંભીર છે. ડીંડોલી પોલીસે ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને પિતા-પુત્રને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.

રામબચ્ચન મોર્યા નામના વ્યક્તિ અને તેમના છોકરા અભિષેક મોર્યા પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરાયો હતો. હુમલામાં રામબચ્ચન મોર્યાને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અભિષેકને ગંભીર ઇજાઓ સાથે સારવાર માટે તાત્કાલિક સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ કેસમાં ડીંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીને ધરપકડ કરી છે.આરોપી કુંદન અગાઉ પણ મારામારીના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસ મુજબ ઘટનાનો મૂળ વિવાદ એટલો હતો કે મૃતકના પુત્ર અભિષેક મોર્યે આરોપી કુંદન અને તેની ટોળકી સાથે ફરવાનું બંધ કરવાનું નક્કી કર્યું હતું. આ વાત અભિષેકે તેના મિત્રોને પણ જણાવી હતી. જે બાબતમાં આરોપી તેના મિત્રો સાથે ફરિયાદી નાં ઘરે હમલો કરવામાં આવેલ હતા. જે બાબત ની ફરિયાદ કર્તા ફરીયાદી ને પુલીસ સ્ટેશન ખાતે જ પરિવાર જનો ને ધમકીઓ આપવામાં આવેલ હતા. કોઈ ક નવા જૂની કરવામાં આવશે. જે બાબત માં ધમકી ની રજૂઆત કર્તા.પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ ન હતું.જે પછી તા.૦૩-૦૫-૨૦૨૫ નાં રોજે સાંજે આ ઘટના બની હતી.

આ સમગ્ર ઘટનાને લઈ સરવેશકુમાર જીતેન્દ્ર મોર્યાએ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાર શખશો કુંદન ચૌધરી, તેના પિતા સુનિલ ચૌધરી, અંશુ ચૌધરી અને સત્યમે મળીને હુમલો કર્યો હતો. અત્યાર સુધીમાં પિતા સુનિલ અને પુત્ર કુંદનને પોલીસે પકડી પાડી છે, જ્યારે બાકી બે આરોપીઓની શોધખોળમાં પોલીસની ટીમો લાગી ગઈ છે.
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં પણ આ ખુલાસો થયો છે કે મૃતક રામબચ્ચન મોર્યાએ અગાઉ પણ આરોપીઓ સામે અરજી કરી હતી અને તેનો બદલો લેવા માટે આ હુમલો કરાયો છે. હાલ આ ગુનાની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.જે. સોલંકી કરી રહ્યા છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ વધી રહી છે.