Home GUJARAT નિર્ણયો ખોટા લેવાઈ જઈ રહ્યા: એડિશનલ સીટી ઇજનેર વિરુદ્ધ ચાર્જશીટ હોવા છતાં...

નિર્ણયો ખોટા લેવાઈ જઈ રહ્યા: એડિશનલ સીટી ઇજનેર વિરુદ્ધ ચાર્જશીટ હોવા છતાં સીટી ઈજનેર બનાવી દેતા ચર્ચામાં

12
0

સીટી ઇજનેરની નિમણૂક ‘ટોક ઓફ ધ ટાઉન’ બની.

સુરત મહાનગરપાલિકામાં લેવાતા કેટલાક નિર્ણયને લઈને અધિકારીઓ અને શાસકો હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ.અધિકારીઓ યોગ્ય રીતે ચીવટપૂર્વક ગંભીર બાબતોમાં પણ ધ્યાન આપતા નથી અને તેના કારણે નિર્ણયો ખોટા લેવાઈ જઈ રહ્યા છે. મેહકમ વિભાગે કરેલી ભૂલને કારણે સીટી ઇજનેરની નિમણૂક ટોક ઓફ ધ ટાઉન બની છે.નિયમ મુજબ જે પણ અધિકારી સામે શોકોઝ નોટિસ અથવા તો ચાર્જશીટ હોય તે અધિકારીને અન્ય કોઈ પદ ઉપર બઢતી મળવા પાત્ર થતી નથી તેમછતાં પણ જતીન દેસાઈને મેહકમ વિભાગની અનાવૃતને કારણે સીટી ઇજનેર પદ પર નિમણૂક કરી દેવામાં આવી હતી. ભેસ્તાન આવાસમાં જે આવાસો તૈયાર કરવામાં આવ્યા હતા. તે જર્જરિત થઈ ગયા હતા, જે ખૂબ જ ચર્ચાસ્પદ પ્રકરણ રહ્યું હતું. તે પ્રકરણમાં ચાર્જશીટ આપવામાં આવી હતી.

સ્થાયી સમિતિ દ્વારા જ્યારે કમિશનરે પૂરક દરખાસ્ત કરીને જતીન દેસાઈની સામે ચાર્જશીટ હોવાને કારણે તેમની નિમણૂક રદ કરી દેવા માટે દરખાસ્ત આવી ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પહેલા કેમ આ બાબતનો ખુલાસો કર્યો તેને લઈને અધિકારીઓનો ઉઘાડો લેવામાં આવ્યો છે. જે પણ વિભાગ દ્વારા આ ભૂલ કરવામાં આવી છે. તેની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જે પણ પગલાં લેવાયા છે તે અંગેનો રિપોર્ટ આપવામાં આવે તે પ્રકારની કડક સૂચના આપી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here