સુરત,પોલીસ ફરિયાદ ન લેતા નરદીપસિંહે કોર્ટમાં જ જઈને ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા આ કેસની તપાસ એસીપી જે.ટી. સોનારાને સોપવામાં આવી હતી. જો કે, કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો અને પક્ષકારોની દલીલોના આધારે જજએ નોંધ્યું કે, “એસીપી સોનારાની તપાસ સંપૂર્ણપણે પક્ષપાતી હતી અને તેમાં આરોપી પોલીસકર્મીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.”
સુરતમાં વર્ષ 2021ના કોરોનાકાળ દરમિયાન કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા કેટલાક યુવકો પર કરાયેલા લાઠીચાર્જની ઘટનામાં આજે મોટો ન્યાયિક વળાંક આવ્યો છે. તપાસમાં ભેદભાવ દાખવનાર એસીપી જે.ટી. સોનારા સામે હવે ફોજદારી ગુનો નોંધવાનો સુરતની કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ફરિયાદી યુવક નરદીપસિંહ છેલુભાને પોલીસે માર મારાયો હતો, ત્યારબાદ તેણે પોલીસના ખોટા વલણ સામે કોર્ટમાં અરજી કરી હતી. કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન ઉલ્લંઘનના આરોપ હેઠળ કાપોદ્રા વિસ્તારમાં પોલીસ લોકોએ રસ્તા પર ભેગા થયેલા યુવકોને લાઠી મારતા હતા.
તે સમયે નરદીપસિંહ છેલુભા નામના યુવકે સ્થળ પર જઈને પોલીસને ટોક્યું કે, “ગરીબ લોકોને કેમ હેરાન કરો છો?” આટલું કહેતા જ હાજર પોલીસકર્મીઓ ભડકી ગયા હતા અને નરદીપસિંહને ઝડપી પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસ મથકમાં તેની સાથે મારમારી કરાઈ હતી. જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તત્કાલ સારવાર લઈ હતી. બાદમાં નરદીપસિંહે આ સંબંધમાં પોલીસકર્મી દીલીપ રાઠોડ, સંજય કરજાણીયા, જય હરદીપસિંહ તથા અન્ય અજ્ઞાત સામે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો,
પરંતુ પોલીસ મથકે ફરિયાદ લેવામાં નહોતી આવી. કોર્ટએ સ્પષ્ટપણે જણાવ્યું કે, “આ પ્રકારની ભેદભાવભરી તપાસ પોલીસ તંત્રના ન્યાય પ્રત્યેના જવાબદાયીત્વ પર સવાલ ઊભા કરે છે.” એસીપીના વલણને કારણે આરોપી પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી ન થઈ શકી હોવાનો કોર્ટનો નિષ્કર્ષ રહ્યો.આ કલમ અનુસાર સરકારી કર્મચારી જો પોતાની ફરજમાં ઈચ્છાપૂર્વક બેદરકારી કરે અથવા તપાસમાં ભેદભાવ રાખે તો તેની સામે ગુનો નોંધવાની જોગવાઈ છે.
