Home SURAT સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આપધાતના બે બનાવ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આપધાતના બે બનાવ

114
0

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આપધાતના બે બનાવ બન્યા છે. પહેલા બનાવમાં કોઇ કારણસર કારખાનામાં કારખાનેદારે અને બીજા બનાવમાં બિમારીથી કટાંળીને યુવાને આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણાગામમાં સાંઇ કૃર્પા રો હાઉસમાં રહેતા ૫૦ વર્ષીય અનિલભાઇ ગનુભાઇ માંડણકા લિંબાયતમાં નારાયણનગરમાં ભાગીદારીથી એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતા હતા. જોકે એક બે માસથી આ કારખાનું બંધ હતુ. બુધવારે બપોરથી રાત દરમિયાન તેણે કોઇ કારણસર કારખાનમાં લોખંડ એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. તેમને સંતાનમાં એક પુત્ર છે. બીજા અન્ય બનાવમાં લિંબાયત વિસ્તારના જ શિવકૃર્પા સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય ગંગેશ્વર વિજયસિંગ સિરાસે બધુવારે સાંજે ઘરમાં છતના હુક સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે તે બિમારીથી કટાંળીને જઇને આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તે છુટક કામ કરતો હતો. આ બંને બનાવ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here