Home SURAT સુરતમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવાનું શરુ, શાળામાં ચાલતા પ્રવેશોત્સવમાં મંડપ બનાવ્યા હોય...

સુરતમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવાનું શરુ, શાળામાં ચાલતા પ્રવેશોત્સવમાં મંડપ બનાવ્યા હોય તો ઉતારી લેવા આદેશ

121
0

દરિયામાં આવી રહેલા બિપર જોય વાવાઝોડાની અસર સુરતમાં જોવા મળી રહી છે. સુરતમાં ભારે પવન ફૂંકાવાની શરૃઆત થતાંની સાથે જ સુરતમાં ચાલી રહેલા પ્રવેશોત્સવમાં સ્કૂલમાં જો કોઈ મંડપ બનાવવામાં આવ્યા હોય તો તેને ઉતારી લેવા માટે તમામ સ્કૂલમાં સુચના આપી દેવામાં આવી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલમાં પ્રવેશોત્સવનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજથી ત્રણ દિવસ માટે સુરતની શાળામાં પ્રવેશોત્સવ મોટા પાયે રાખવામાં આવશે. હાલમાં ચાલી રહેલી ગરમીના કારણે કેટલીક સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવા માટે મંડપ બનાવવામાં આવ્યા છે. જોકે, હાલ વાવાઝોડાના કારણે પવન ફૂંકાઈ રહ્યો હોય સુરત પાલિકાની તમામ સ્કુલને પણ તાકીદ કરવામાં આવી છે. તમામ સ્કૂલમાં એક જાહેર સુચના આપવામા આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે,  બિપરજોય વાવાઝોડાને ધ્યાને રાખી હાલ ચાલતા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે જો કોઈ શાળામાં મંડપ બનાવેલ હોય તો તાત્કાલિક ઉતારી લેવા સૂચના આપવામાં આવે છે તેમજ કોઈ શાળામાં હોર્ડીંગ્સ કે છૂટ્ટા બોર્ડ લગાવેલ હોય તો તે પણ ઉતારી લેવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here