Home blog સચિનના સાતવલ્લા બ્રિજ પાસે કચરાના ઢગલામાંથી નવજાતનો મૃતદેહ મળ્યો

સચિનના સાતવલ્લા બ્રિજ પાસે કચરાના ઢગલામાંથી નવજાતનો મૃતદેહ મળ્યો

32
0

સુરત, સચીન માં તાજી જન્મેલી ફૂલ જેવી બાળકીઓને નિષ્ઠુરતાપૂર્વક ત્યજી દેવામાં આવી છે. આ માસૂમ બાળકીઓ કડકડતી ઠંડીમાં ત્યજાયેલી મળી હતી. કમનસીબે મોત નીપજ્યા છે.હૃદયદ્રાવક ઘટના સચિન વિસ્તારના સાતવલ્લા બ્રિજ નજીક બની છે. અહીં થી જતી નહેરની બાજુમાં આવેલા કચરાના ઢગલામાંથી તાજી જન્મેલી એક બાળકીનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાળકીને જોઈને સ્પષ્ટ જણાઈ આવ્યું હતું જન્મ છુપાવવાના આશયથી આ માસૂમને મૃત હાલતમાં તરછોડી દીધી હતી. જનેતાની આ ક્રૂરતાએ માનવ સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સાતવલ્લા બ્રિજ નજીકના 50થી વધુ સીસીટીવી ફૂટેજની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આજુબાજુની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં તાજેતરમાં પ્રસૂતિ થયેલી મહિલાઓની માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે, જેથી કડી મળી શકે. હાલ પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here