પિતાએ કહ્યું-વિદ્યાર્થીએ માર મારી ધમકી આપી હતી,FIR ન થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ
સુરતના સચિન માં સરસ્વતી સ્કુલ માં અભ્યાસ કરતો એક વિધાર્આએ બે દિવસમાં મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી સચીન જીઇડીસી લક્ષ્મી વિલા વિસ્તારમાં એક 14 વર્ષીય ગુમ વિદ્યાર્થીનો તળાવમાંથી તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવાર શોધખોળ કરી રહ્યું હતું પણ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન પરિવારને પોતાના એકના એક દીકરા અંગે જાણ થતા ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે આ ઘટનાને લઈને શંકા હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે. જેથી તે સાયકલ લઈને નીકળી ગયો હતો અને તેનો મૃતદેહ તળાવમાંથી મળ્યો હતો. ત્યાં સુધી પ્રિન્સિપાલ અને માર મારનાર વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં.



પ્રિન્સિપાલ-શિક્ષકોએ ઘટના દબાવાનો પ્રયાસ કર્યો હતો રાત્રે પિતાએ ઘરે જતા મયંકની માતા રડતા હતા અને સ્કૂલમાં જે બન્યું તે તમામ હકીકત જણાવી હતી. સવાર પડતા જ પિતા આમોદભાઈ દીકરા મયંકની સ્કૂલ પર પહોંચ્યા હતા. જ્યાં પ્રિન્સિપાલને કહ્યું હતું કે શું ઘટના બની હતી. આ સાથે જે વિદ્યાર્થીએ માર માર્યો હતો તેને પણ બોલાવવામાં આવ્યો હતો. પહેલાં તો આ વિદ્યાર્થીએ તેણે મયંકને માર ન માર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે અન્ય એક વિદ્યાર્થીને બોલાવવામાં આવતા ભૈરવ નામના વિદ્યાર્થીએ મયંકને માર માર્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પ્રિન્સિપાલ અને શિક્ષકો પણ આ ઘટનાને દબાવતા હોય તે પ્રકારનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં પરિવારજનોને હજુ પણ શંકા હોવાથી પિતાએ કહ્યું હતું પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો છતાં પણ તેના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા અને તેના ગળા પર પણ નિશાન છે. જેથી અમને હજુ પણ શંકા છે. આ સાથે જ પ્રિન્સિપાલ અને મયંકને માર માર વિદ્યાર્થી ભૈરવ સામે ફરિયાદ દાખલ નહીં કરવામાં આવે અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. મયંક ના પિતા સાથે તેના પરિવારજનો અને સગા સંબંધીઓ પણ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે એકઠા થયા હતા અને ન્યાય માટેની માગણી કરી હતી.
પિતાએ સીસીટીવી જોવાની માગ કરી હતી પરિવારજનો દ્વારા મુદ્દે સ્વીકારવાની મનાઈ કરવામાં આવતા સચિન જીઆઇડીસી પોલીસના પીઆઇ સહિતનો કાફલો દોડી આવ્યો હતો. સચિન જીઆઇડીસી પીઆઇ દ્વારા પરિવારને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે જ સ્કૂલના સીસીટીવી પરિવારજનોને બતાવવામાં ન આવ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. જેથી પિતાએ કહ્યું હતું કે તમારામાંથી બે ચાર લોકો અમારી સાથે ચાલો અને આપણે સીસીટીવી જોઈ લઈએ.
આ બધા ઘટના ક્રમ માં જો યોગ્ય તપાસ કરવામાં આવે તો સ્કુલ પ્રશાસન ની લાપરવાહી સામે આવી જેમાં પરીવારજનો ને સીસી.ટીવી.ફૂટેજ ન બતાવી ને શંકાસ્પદ ઘટના ને હકકીત માં તબદીલ કરી દેવામાં આવી. જો વિધાર્થી બે દિવસ માં કશું કરવાનું કહ્યા અને કરી બતાવ્યું કે કરાવ્યું એ તપાસ પછી સામે આવશે. આ બધા પાછળ ક્યાં સંજોગોમાં ઘટના બની તે તપાસ નું વિષય છે.