Home CRIME સચિનમાં બુટ-ચપ્પલ ની વેપારી અને તેના પુત્ર પર તલવાર વડે ઉપર જીવલેણ...

સચિનમાં બુટ-ચપ્પલ ની વેપારી અને તેના પુત્ર પર તલવાર વડે ઉપર જીવલેણ હુમલા.

12
0

જૂતાની કિંમતને લઈને વેપારી અને તેના પુત્ર પર તલવાર વડે હુમલો

બૂટના ભાવમાં ફેરફાર થતાં વેપારી અને તેના દીકરા સાથે માથાકૂટ કરી.

સુરતના સચીન સ્ટેશન રોડ પાસે આવેલ અમરસન્સ ફુટવેરની દુકાનમાં બની હતી. ફરીયાદી વિકાસકુમાર શાંતીલાલ શાહની દુકાનમાંથી પાંચ દિવસ પહેલાં મહેશકુમાર મદનમોહન મિશ્રા 360ના બૂટ ખરીદ્યા હતા. બાદમાં, દુકાન પર આવી તેણે 10 નંબરની સાઇઝના બૂટ બદલાવ્યા.પરંતુ, જ્યારે બૂટ ફરીથી માપમાં ફિટ ના થતા, તે 23મી જાન્યુઆરીની સાંજે દુકાન પર ફરી આવ્યો. મિશ્રાને વઘારાના 100 ચુકવવાનું કહેવામાં આવ્યું, કારણ કે નવા બૂટના ભાવ 540 હતા. આ વાતથી મિશ્રા ઉશ્કેરાઈ ગયો. મિશ્રા વહેલી રાત્રે પોતાની ફોર વ્હીલ ગાડીમાં દુકાન પર પરત આવ્યો. આ વખતે તે એક તલવાર લઈને આવ્યો હતો. મિશ્રાએ ગાળ ગલોચ કરતાં તલવાર વડે વેપારી વિકાસ શાહના ડાબા કાન, માથા અને હાથ પર ઘા કર્યા.

આ ક્રૂર હુમલામાં શાહનો દીકરો સિદ્ધાર્થ પણ ઘાયલ થયો, જેના જમણા હાથ પર તલવારનો ઘા લગ્યો હતો.

સાંજે ભીડભર્યા સ્ટેશન રોડ પર આ ઘટના થતા લોકો ભયભીત થઈ ગયા હતા. મિશ્રાએ હુમલાની જગ્યાએથી નાસી છૂટતા લોકોમાં ગભરાટ છવાયો. દુકાનદારે તરત પોલીસને જાણ કરી અને બંને ઘાયલ પિતા-પુત્રને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. IPC કલમ 118(2), 352 અને જીઆરએક્ટ કલમ 135(1) હેઠળ આરોપી મહેશકુમાર મિશ્રા સામે ગુનો નોંધાયો છે. મિશ્રાની ધરપકડ માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.આ ઘટના એ પ્રશ્ન ઉભો કરે છે કે કેવી રીતે સામાન્ય વાત ગંભીર તફડાવમાં બદલાઈ જાય છે. માત્ર 100 રૂપિયાના વધારાના ભાવે મિશ્રા એટલો ઉશ્કેરાયો કે હિંસક થઈ ગયો.

જેથી સચીન ની કાયદા-વ્યવસ્થા ઉપર પણ સવાલ ઊભા કરે છે. શું આ મિશ્રા ની પાછળ કયા પરિબળો હોવાથી ખુલ્લેઆમ સુરત અને ગુજરાત નાં કાયદા-વ્યવસ્થા ને ખૂલ્લેઆમ પડકાર રૂપ હોય તેવું લાગી રહ્યા છે. જેથી સામાન્ય જનતા ને હવે પુલીસ સ્ટેશન જતા પહેલા પણ વિચાર કરે છે. શું અમને ન્યાય ની આશા છે કે નહી. તે સવાલ ?

સુરતના વેપારી અને નાગરિકોમાં આ ઘટનાને લઈને ચિંતાનો માહોલ છે. સાથે રાજનીતિમાં માં સંકળાયેલા લોકો નું સાથ સહકાર અને ભલામણો હોવાથી પુલીસ ની કાર્યવાહી કરવા માં પણ અડચણો ઊભા કર્તા હોય છે. જેમાં અમુક પુલીસ કર્મીઓ રાજનેતા નાં યુવા નેતા નાં સાથે સંડોવણી હોવાથી તપાસ માં પણ ભલામણો કરી નાગરિકોને હેરાનગતિ કરવામાં આવતું હોય છે. તેવું પુરાવા હોવા છતાં નેતા ની ભલામણ થી કામગીરી કરવામાં આવે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here